< మథిః 26 >
1 యీశురేతాన్ ప్రస్తావాన్ సమాప్య శిష్యానూచే,
૧ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,
2 యుష్మాభి ర్జ్ఞాతం దినద్వయాత్ పరం నిస్తారమహ ఉపస్థాస్యతి, తత్ర మనుజసుతః క్రుశేన హన్తుం పరకరేషు సమర్పిష్యతే|
૨“તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”
3 తతః పరం ప్రధానయాజకాధ్యాపకప్రాఞ్చః కియఫానామ్నో మహాయాజకస్యాట్టాలికాయాం మిలిత్వా
૩પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા.
4 కేనోపాయేన యీశుం ధృత్వా హన్తుం శక్నుయురితి మన్త్రయాఞ్చక్రుః|
૪ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.
5 కిన్తు తైరుక్తం మహకాలే న ధర్త్తవ్యః, ధృతే ప్రజానాం కలహేన భవితుం శక్యతే|
૫પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”
6 తతో బైథనియాపురే శిమోనాఖ్యస్య కుష్ఠినో వేశ్మని యీశౌ తిష్ఠతి
૬ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા,
7 కాచన యోషా శ్వేతోపలభాజనేన మహార్ఘ్యం సుగన్ధి తైలమానీయ భోజనాయోపవిశతస్తస్య శిరోభ్యషేచత్|
૭તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું.
8 కిన్తు తదాలోక్య తచ్ఛిష్యైః కుపితైరుక్తం, కుత ఇత్థమపవ్యయతే?
૮જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો?
9 చేదిదం వ్యక్రేష్యత, తర్హి భూరిమూల్యం ప్రాప్య దరిద్రేభ్యో వ్యతారిష్యత|
૯કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.”
10 యీశునా తదవగత్య తే సముదితాః, యోషామేనాం కుతో దుఃఖినీం కురుథ, సా మాం ప్రతి సాధు కర్మ్మాకార్షీత్|
૧૦ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.
11 యుష్మాకమం సమీపే దరిద్రాః సతతమేవాసతే, కిన్తు యుష్మాకమన్తికేహం నాసే సతతం|
૧૧કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.
12 సా మమ కాయోపరి సుగన్ధితైలం సిక్త్వా మమ శ్మశానదానకర్మ్మాకార్షీత్|
૧૨તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે.
13 అతోహం యుష్మాన్ తథ్యం వదామి సర్వ్వస్మిన్ జగతి యత్ర యత్రైష సుసమాచారః ప్రచారిష్యతే, తత్ర తత్రైతస్యా నార్య్యాః స్మరణార్థమ్ కర్మ్మేదం ప్రచారిష్యతే|
૧૩હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”
14 తతో ద్వాదశశిష్యాణామ్ ఈష్కరియోతీయయిహూదానామక ఏకః శిష్యః ప్రధానయాజకానామన్తికం గత్వా కథితవాన్,
૧૪ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે,
15 యది యుష్మాకం కరేషు యీశుం సమర్పయామి, తర్హి కిం దాస్యథ? తదానీం తే తస్మై త్రింశన్ముద్రా దాతుం స్థిరీకృతవన్తః|
૧૫“તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા.
16 స తదారభ్య తం పరకరేషు సమర్పయితుం సుయోగం చేష్టితవాన్|
૧૬ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
17 అనన్తరం కిణ్వశూన్యపూపపర్వ్వణః ప్రథమేహ్ని శిష్యా యీశుమ్ ఉపగత్య పప్రచ్ఛుః భవత్కృతే కుత్ర వయం నిస్తారమహభోజ్యమ్ ఆయోజయిష్యామః? భవతః కేచ్ఛా?
૧૭બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?”
18 తదా స గదితవాన్, మధ్యేనగరమముకపుంసః సమీపం వ్రజిత్వా వదత, గురు ర్గదితవాన్, మత్కాలః సవిధః, సహ శిష్యైస్త్వదాలయే నిస్తారమహభోజ్యం భోక్ష్యే|
૧૮ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘેર પાસ્ખા પાળીશ.’”
19 తదా శిష్యా యీశోస్తాదృశనిదేశానురూపకర్మ్మ విధాయ తత్ర నిస్తారమహభోజ్యమాసాదయామాసుః|
૧૯ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.
20 తతః సన్ధ్యాయాం సత్యాం ద్వాదశభిః శిష్యైః సాకం స న్యవిశత్|
૨૦સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા.
21 అపరం భుఞ్జాన ఉక్తవాన్ యుష్మాన్ తథ్యం వదామి, యుష్మాకమేకో మాం పరకరేషు సమర్పయిష్యతి|
૨૧તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.”
22 తదా తేఽతీవ దుఃఖితా ఏకైకశో వక్తుమారేభిరే, హే ప్రభో, స కిమహం?
૨૨ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?”
23 తతః స జగాద, మయా సాకం యో జనో భోజనపాత్రే కరం సంక్షిపతి, స ఏవ మాం పరకరేషు సమర్పయిష్యతి|
૨૩ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે.
24 మనుజసుతమధి యాదృశం లిఖితమాస్తే, తదనురూపా తద్గతి ర్భవిష్యతి; కిన్తు యేన పుంసా స పరకరేషు సమర్పయిష్యతే, హా హా చేత్ స నాజనిష్యత, తదా తస్య క్షేమమభవిష్యత్|
૨૪માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.”
25 తదా యిహూదానామా యో జనస్తం పరకరేషు సమర్పయిష్యతి, స ఉక్తవాన్, హే గురో, స కిమహం? తతః స ప్రత్యుక్తవాన్, త్వయా సత్యం గదితమ్|
૨૫ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”
26 అనన్తరం తేషామశనకాలే యీశుః పూపమాదాయేశ్వరీయగుణాననూద్య భంక్త్వా శిష్యేభ్యః ప్రదాయ జగాద, మద్వపుఃస్వరూపమిమం గృహీత్వా ఖాదత|
૨૬તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, “લો, ખાઓ, આ મારું શરીર છે.”
27 పశ్చాత్ స కంసం గృహ్లన్ ఈశ్వరీయగుణాననూద్య తేభ్యః ప్రదాయ కథితవాన్, సర్వ్వై ర్యుష్మాభిరనేన పాతవ్యం,
૨૭પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, “તમે બધા એમાંથી પીઓ,”
28 యస్మాదనేకేషాం పాపమర్షణాయ పాతితం యన్మన్నూత్ననియమరూపశోణితం తదేతత్|
૨૮કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે.
29 అపరమహం నూత్నగోస్తనీరసం న పాస్యామి, తావత్ గోస్తనీఫలరసం పునః కదాపి న పాస్యామి|
૨૯હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”
30 పశ్చాత్ తే గీతమేకం సంగీయ జైతునాఖ్యగిరిం గతవన్తః|
૩૦તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.
31 తదానీం యీశుస్తానవోచత్, అస్యాం రజన్యామహం యుష్మాకం సర్వ్వేషాం విఘ్నరూపో భవిష్యామి, యతో లిఖితమాస్తే, "మేషాణాం రక్షకో యస్తం ప్రహరిష్యామ్యహం తతః| మేషాణాం నివహో నూనం ప్రవికీర్ణో భవిష్యతి"||
૩૧ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમે બધા આજ રાત્રે મારાથી દૂર થઈ જશો, કેમ કે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’
32 కిన్తు శ్మశానాత్ సముత్థాయ యుష్మాకమగ్రేఽహం గాలీలం గమిష్యామి|
૩૨પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”
33 పితరస్తం ప్రోవాచ, భవాంశ్చేత్ సర్వ్వేషాం విఘ్నరూపో భవతి, తథాపి మమ న భవిష్యతి|
૩૩ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, “જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.”
34 తతో యీశునా స ఉక్తః, తుభ్యమహం తథ్యం కథయామి, యామిన్యామస్యాం చరణాయుధస్య రవాత్ పూర్వ్వం త్వం మాం త్రి ర్నాఙ్గీకరిష్యసి|
૩૪ઈસુએ તેને કહ્યું, “હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.”
35 తతః పితర ఉదితవాన్, యద్యపి త్వయా సమం మర్త్తవ్యం, తథాపి కదాపి త్వాం న నాఙ్గీకరిష్యామి; తథైవ సర్వ్వే శిష్యాశ్చోచుః|
૩૫પિતરે તેને કહ્યું કે, “જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું.
36 అనన్తరం యీశుః శిష్యైః సాకం గేత్శిమానీనామకం స్థానం ప్రస్థాయ తేభ్యః కథితవాన్, అదః స్థానం గత్వా యావదహం ప్రార్థయిష్యే తావద్ యూయమత్రోపవిశత|
૩૬ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યા અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”
37 పశ్చాత్ స పితరం సివదియసుతౌ చ సఙ్గినః కృత్వా గతవాన్, శోకాకులోఽతీవ వ్యథితశ్చ బభూవ|
૩૭પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.
38 తానవాదీచ్చ మృతియాతనేవ మత్ప్రాణానాం యాతనా జాయతే, యూయమత్ర మయా సార్ద్ధం జాగృత|
૩૮પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”
39 తతః స కిఞ్చిద్దూరం గత్వాధోముఖః పతన్ ప్రార్థయాఞ్చక్రే, హే మత్పితర్యది భవితుం శక్నోతి, తర్హి కంసోఽయం మత్తో దూరం యాతు; కిన్తు మదిచ్ఛావత్ న భవతు, త్వదిచ్ఛావద్ భవతు|
૩૯પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
40 తతః స శిష్యానుపేత్య తాన్ నిద్రతో నిరీక్ష్య పితరాయ కథయామాస, యూయం మయా సాకం దణ్డమేకమపి జాగరితుం నాశన్కుత?
૪૦પછી ઈસુ શિષ્યોની પાસે આવ્યા અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?
41 పరీక్షాయాం న పతితుం జాగృత ప్రార్థయధ్వఞ్చ; ఆత్మా సముద్యతోస్తి, కిన్తు వపు ర్దుర్బ్బలం|
૪૧તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”
42 స ద్వితీయవారం ప్రార్థయాఞ్చక్రే, హే మత్తాత, న పీతే యది కంసమిదం మత్తో దూరం యాతుం న శక్నోతి, తర్హి త్వదిచ్ఛావద్ భవతు|
૪૨બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
43 స పునరేత్య తాన్ నిద్రతో దదర్శ, యతస్తేషాం నేత్రాణి నిద్రయా పూర్ణాన్యాసన్|
૪૩ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.
44 పశ్చాత్ స తాన్ విహాయ వ్రజిత్వా తృతీయవారం పూర్వ్వవత్ కథయన్ ప్రార్థితవాన్|
૪૪ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.
45 తతః శిష్యానుపాగత్య గదితవాన్, సామ్ప్రతం శయానాః కిం విశ్రామ్యథ? పశ్యత, సమయ ఉపాస్థాత్, మనుజసుతః పాపినాం కరేషు సమర్ప్యతే|
૪૫ત્યારે તેમણે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે.
46 ఉత్తిష్ఠత, వయం యామః, యో మాం పరకరేషు మసర్పయిష్యతి, పశ్యత, స సమీపమాయాతి|
૪૬ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”
47 ఏతత్కథాకథనకాలే ద్వాదశశిష్యాణామేకో యిహూదానామకో ముఖ్యయాజకలోకప్రాచీనైః ప్రహితాన్ అసిధారియష్టిధారిణో మనుజాన్ గృహీత్వా తత్సమీపముపతస్థౌ|
૪૭તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા.
48 అసౌ పరకరేష్వర్పయితా పూర్వ్వం తాన్ ఇత్థం సఙ్కేతయామాస, యమహం చుమ్బిష్యే, సోఽసౌ మనుజః, సఏవ యుష్మాభి ర్ధార్య్యతాం|
૪૮હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”
49 తదా స సపది యీశుముపాగత్య హే గురో, ప్రణమామీత్యుక్త్వా తం చుచుమ్బే|
૪૯તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.
50 తదా యీశుస్తమువాచ, హే మిత్రం కిమర్థమాగతోసి? తదా తైరాగత్య యీశురాక్రమ్య దఘ్రే|
૫૦ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.
51 తతో యీశోః సఙ్గినామేకః కరం ప్రసార్య్య కోషాదసిం బహిష్కృత్య మహాయాజకస్య దాసమేకమాహత్య తస్య కర్ణం చిచ్ఛేద|
૫૧પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો.
52 తతో యీశుస్తం జగాద, ఖడ్గం స్వస్థానే నిధేహి యతో యే యే జనా అసిం ధారయన్తి, తఏవాసినా వినశ్యన్తి|
૫૨ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે.
53 అపరం పితా యథా మదన్తికం స్వర్గీయదూతానాం ద్వాదశవాహినీతోఽధికం ప్రహిణుయాత్ మయా తముద్దిశ్యేదానీమేవ తథా ప్రార్థయితుం న శక్యతే, త్వయా కిమిత్థం జ్ఞాయతే?
૫૩શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યના બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?
54 తథా సతీత్థం ఘటిష్యతే ధర్మ్మపుస్తకస్య యదిదం వాక్యం తత్ కథం సిధ్యేత్?
૫૪તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”
55 తదానీం యీశు ర్జననివహం జగాద, యూయం ఖడ్గయష్టీన్ ఆదాయ మాం కిం చౌరం ధర్త్తుమాయాతాః? అహం ప్రత్యహం యుష్మాభిః సాకముపవిశ్య సముపాదిశం, తదా మాం నాధరత;
૫૫તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડો તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.
56 కిన్తు భవిష్యద్వాదినాం వాక్యానాం సంసిద్ధయే సర్వ్వమేతదభూత్| తదా సర్వ్వే శిష్యాస్తం విహాయ పలాయన్త|
૫૬પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.
57 అనన్తరం తే మనుజా యీశుం ధృత్వా యత్రాధ్యాపకప్రాఞ్చః పరిషదం కుర్వ్వన్త ఉపావిశన్ తత్ర కియఫానామకమహాయాజకస్యాన్తికం నిన్యుః|
૫૭પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.
58 కిన్తు శేషే కిం భవిష్యతీతి వేత్తుం పితరో దూరే తత్పశ్చాద్ వ్రజిత్వా మహాయాజకస్యాట్టాలికాం ప్రవిశ్య దాసైః సహిత ఉపావిశత్|
૫૮પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણા સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.
59 తదానీం ప్రధానయాజకప్రాచీనమన్త్రిణః సర్వ్వే యీశుం హన్తుం మృషాసాక్ష్యమ్ అలిప్సన్త,
૫૯મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી.
60 కిన్తు న లేభిరే| అనేకేషు మృషాసాక్షిష్వాగతేష్వపి తన్న ప్రాపుః|
૬૦જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે,
61 శేషే ద్వౌ మృషాసాక్షిణావాగత్య జగదతుః, పుమానయమకథయత్, అహమీశ్వరమన్దిరం భంక్త్వా దినత్రయమధ్యే తన్నిర్మ్మాతుం శక్నోమి|
૬૧“આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”
62 తదా మహాయాజక ఉత్థాయ యీశుమ్ అవాదీత్| త్వం కిమపి న ప్రతివదసి? త్వామధి కిమేతే సాక్ష్యం వదన్తి?
૬૨ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.”
63 కిన్తు యీశు ర్మౌనీభూయ తస్యౌ| తతో మహాయాజక ఉక్తవాన్, త్వామ్ అమరేశ్వరనామ్నా శపయామి, త్వమీశ్వరస్య పుత్రోఽభిషిక్తో భవసి నవేతి వద|
૬૩પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.”
64 యీశుః ప్రత్యవదత్, త్వం సత్యముక్తవాన్; అహం యుష్మాన్ తథ్యం వదామి, ఇతఃపరం మనుజసుతం సర్వ్వశక్తిమతో దక్షిణపార్శ్వే స్థాతుం గగణస్థం జలధరానారుహ్యాయాన్తం వీక్షధ్వే|
૬૪ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”
65 తదా మహాయాజకో నిజవసనం ఛిత్త్వా జగాద, ఏష ఈశ్వరం నిన్దితవాన్, అస్మాకమపరసాక్ష్యేణ కిం ప్రయోజనం? పశ్యత, యూయమేవాస్యాస్యాద్ ఈశ్వరనిన్దాం శ్రుతవన్తః,
૬૫ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.
66 యుష్మాభిః కిం వివిచ్యతే? తే ప్రత్యూచుః, వధార్హోఽయం|
૬૬તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”
67 తతో లోకైస్తదాస్యే నిష్ఠీవితం కేచిత్ ప్రతలమాహత్య కేచిచ్చ చపేటమాహత్య బభాషిరే,
૬૭ત્યારે તેઓએ તેમના મુખ પર થૂંકીને તેમને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે,
68 హే ఖ్రీష్ట త్వాం కశ్చపేటమాహతవాన్? ఇతి గణయిత్వా వదాస్మాన్|
૬૮“ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”
69 పితరో బహిరఙ్గన ఉపవిశతి, తదానీమేకా దాసీ తముపాగత్య బభాషే, త్వం గాలీలీయయీశోః సహచరఏకః|
૬૯પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.”
70 కిన్తు స సర్వ్వేషాం సమక్షమ్ అనఙ్గీకృత్యావాదీత్, త్వయా యదుచ్యతే, తదర్థమహం న వేద్మి|
૭૦પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”
71 తదా తస్మిన్ బహిర్ద్వారం గతే ఽన్యా దాసీ తం నిరీక్ష్య తత్రత్యజనానవదత్, అయమపి నాసరతీయయీశునా సార్ద్ధమ్ ఆసీత్|
૭૧તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.”
72 తతః స శపథేన పునరనఙ్గీకృత్య కథితవాన్, తం నరం న పరిచినోమి|
૭૨પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”
73 క్షణాత్ పరం తిష్ఠన్తో జనా ఏత్య పితరమ్ అవదన్, త్వమవశ్యం తేషామేక ఇతి త్వదుచ్చారణమేవ ద్యోతయతి|
૭૩થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.”
74 కిన్తు సోఽభిశప్య కథితవాన్, తం జనం నాహం పరిచినోమి, తదా సపది కుక్కుటో రురావ|
૭૪ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો.
75 కుక్కుటరవాత్ ప్రాక్ త్వం మాం త్రిరపాహ్నోష్యసే, యైషా వాగ్ యీశునావాది తాం పితరః సంస్మృత్య బహిరిత్వా ఖేదాద్ భృశం చక్రన్ద|
૭૫જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.