< තීතඃ 3 >

1 තේ යථා දේශාධිපානාං ශාසකානාඤ්ච නිඝ්නා ආඥාග්‍රාහිණ්ශ්ච සර්ව්වස්මෛ සත්කර්ම්මණේ සුසජ්ජාශ්ච භවේයුඃ
તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને.
2 කමපි න නින්දේයු ර්නිව්විරෝධිනඃ ක්‍ෂාන්තාශ්ච භවේයුඃ සර්ව්වාන් ප්‍රති ච පූර්ණං මෘදුත්වං ප්‍රකාශයේයුශ්චේති තාන් ආදිශ|
કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે.
3 යතඃ පූර්ව්වං වයමපි නිර්බ්බෝධා අනාඥාග්‍රාහිණෝ භ්‍රාන්තා නානාභිලාෂාණාං සුඛානාඤ්ච දාසේයා දුෂ්ටත්වේර්ෂ්‍යාචාරිණෝ ඝෘණිතාඃ පරස්පරං ද්වේෂිණශ්චාභවාමඃ|
કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા.
4 කින්ත්වස්මාකං ත්‍රාතුරීශ්වරස්‍ය යා දයා මර්ත්ත්‍යානාං ප්‍රති ච යා ප්‍රීතිස්තස්‍යාඃ ප්‍රාදුර්භාවේ ජාතේ
પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો,
5 වයම් ආත්මකෘතේභ්‍යෝ ධර්ම්මකර්ම්මභ්‍යස්තන්නහි කින්තු තස්‍ය කෘපාතඃ පුනර්ජන්මරූපේණ ප්‍රක්‍ෂාලනේන ප්‍රවිත්‍රස්‍යාත්මනෝ නූතනීකරණේන ච තස්මාත් පරිත්‍රාණාං ප්‍රාප්තාඃ
ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા.
6 ස චාස්මාකං ත්‍රාත්‍රා යීශුඛ්‍රීෂ්ටේනාස්මදුපරි තම් ආත්මානං ප්‍රචුරත්වේන වෘෂ්ටවාන්|
પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે;
7 ඉත්ථං වයං තස්‍යානුග්‍රහේණ සපුණ්‍යීභූය ප්‍රත්‍යාශයානන්තජීවනස්‍යාධිකාරිණෝ ජාතාඃ| (aiōnios g166)
જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ. (aiōnios g166)
8 වාක්‍යමේතද් විශ්වසනීයම් අතෝ හේතෝරීශ්වරේ යේ විශ්වසිතවන්තස්තේ යථා සත්කර්ම්මාණ්‍යනුතිෂ්ඨේයුස්තථා තාන් දෘඪම් ආඥාපයේති මමාභිමතං| තාන්‍යේවෝත්තමානි මානවේභ්‍යඃ ඵලදානි ච භවන්ති|
આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ઇચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે.
9 මූඪේභ්‍යඃ ප්‍රශ්නවංශාවලිවිවාදේභ්‍යෝ ව්‍යවස්ථායා විතණ්ඩාභ්‍යශ්ච නිවර්ත්තස්ව යතස්තා නිෂ්ඵලා අනර්ථකාශ්ච භවන්ති|
પણ મૂર્ખાઈભર્યા વાદવિવાદો, વંશાવળીઓ, ઝગડા તથા નિયમશાસ્ત્ર વિષેના વિસંવાદોથી તું દૂર રહે; કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે.
10 යෝ ජනෝ බිභිත්සුස්තම් ඒකවාරං ද්විර්ව්වා ප්‍රබෝධ්‍ය දූරීකුරු,
૧૦એક કે બે વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર માણસને દૂર કર;
11 යතස්තාදෘශෝ ජනෝ විපථගාමී පාපිෂ්ඨ ආත්මදෝෂකශ්ච භවතීති ත්වයා ඥායතාං|
૧૧એમ જાણવું કે એવો માણસ સત્ય માર્ગેથી દૂર થયો છે અને પોતાને અપરાધી ઠરાવતાં પાપ કરે છે.
12 යදාහම් ආර්ත්තිමාං තුඛිකං වා තව සමීපං ප්‍රේෂයිෂ්‍යාමි තදා ත්වං නීකපලෞ මම සමීපම් ආගන්තුං යතස්ව යතස්තත්‍රෛවාහං ශීතකාලං යාපයිතුං මතිම් අකාර්ෂං|
૧૨જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે.
13 ව්‍යවස්ථාපකඃ සීනා ආපල්ලුශ්චෛතයෝඃ කස්‍යාප්‍යභාවෝ යන්න භවේත් තදර්ථං තෞ යත්නේන ත්වයා විසෘජ්‍යේතාං|
૧૩ઝેનાસ શાસ્ત્રીને તથા આપોલસને એવી વ્યવસ્થા કરીને મોકલજે કે રસ્તામાં તેમને કશી તંગી પડે નહિ.
14 අපරම් අස්මදීයලෝකා යන්නිෂ්ඵලා න භවේයුස්තදර්ථං ප්‍රයෝජනීයෝපකාරායා සත්කර්ම්මාණ්‍යනුෂ්ඨාතුං ශික්‍ෂන්තාං|
૧૪વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ભલું કામ કરવા શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહિ.
15 මම සඞ්ගිනඃ සව්වේ ත්වාං නමස්කුර්ව්වතේ| යේ විශ්වාසාද් අස්මාසු ප්‍රීයන්තේ තාන් නමස්කුරු; සර්ව්වේෂු යුෂ්මාස්වනුග්‍රහෝ භූයාත්| ආමේන්|
૧૫મારી સાથેના સઘળાં તને સલામ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ કરે છે તેમને સલામ કહેજે. તમ સર્વ પર કૃપા હો.

< තීතඃ 3 >