< යෝහනඃ 9 >
1 තතඃ පරං යීශුර්ගච්ඡන් මාර්ගමධ්යේ ජන්මාන්ධං නරම් අපශ්යත්|
૧ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.
2 තතඃ ශිෂ්යාස්තම් අපෘච්ඡන් හේ ගුරෝ නරෝයං ස්වපාපේන වා ස්වපිත්රාඃ පාපේනාන්ධෝ(අ)ජායත?
૨તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’”
3 තතඃ ස ප්රත්යුදිතවාන් ඒතස්ය වාස්ය පිත්රෝඃ පාපාද් ඒතාදෘශෝභූද ඉති නහි කින්ත්වනේන යථේශ්වරස්ය කර්ම්ම ප්රකාශ්යතේ තද්ධේතෝරේව|
૩ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.
4 දිනේ තිෂ්ඨති මත්ප්රේරයිතුඃ කර්ම්ම මයා කර්ත්තව්යං යදා කිමපි කර්ම්ම න ක්රියතේ තාදෘශී නිශාගච්ඡති|
૪જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી.
5 අහං යාවත්කාලං ජගති තිෂ්ඨාමි තාවත්කාලං ජගතෝ ජ්යෝතිඃස්වරූපෝස්මි|
૫જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.’”
6 ඉත්යුක්ත්තා භූමෞ නිෂ්ඨීවං නික්ෂිප්ය තේන පඞ්කං කෘතවාන්
૬આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને
7 පශ්චාත් තත්පඞ්කේන තස්යාන්ධස්ය නේත්රේ ප්රලිප්ය තමිත්යාදිශත් ගත්වා ශිලෝහේ (අ)ර්ථාත් ප්රේරිතනාම්නි සරසි ස්නාහි| තතෝන්ධෝ ගත්වා තත්රාස්නාත් තතඃ ප්රන්නචක්ෂු ර්භූත්වා ව්යාඝුට්යාගාත්|
૭તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે ‘મોકલેલાના’ હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.
8 අපරඤ්ච සමීපවාසිනෝ ලෝකා යේ ච තං පූර්ව්වමන්ධම් අපශ්යන් තේ බක්ත්තුම් ආරභන්ත යෝන්ධලෝකෝ වර්ත්මන්යුපවිශ්යාභික්ෂත ස ඒවායං ජනඃ කිං න භවති?
૮પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, ‘જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?’”
9 කේචිදවදන් ස ඒව කේචිදවෝචන් තාදෘශෝ භවති කින්තු ස ස්වයමබ්රවීත් ස ඒවාහං භවාමි|
૯કેટલાકે કહ્યું, ‘હા તે એ જ છે;’ બીજાઓએ કહ્યું, ‘ના, પણ તે તેના જેવો છે;’ પણ તેણે પોતે કહ્યું, ‘હું તે જ છું.’”
10 අතඒව තේ (අ)පෘච්ඡන් ත්වං කථං දෘෂ්ටිං පාප්තවාන්?
૧૦તેઓએ તેને કહ્યું કે, ‘ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?’”
11 තතඃ සෝවදද් යීශනාමක ඒකෝ ජනෝ මම නයනේ පඞ්කේන ප්රලිප්ය ඉත්යාඥාපයත් ශිලෝහකාසාරං ගත්වා තත්ර ස්නාහි| තතස්තත්ර ගත්වා මයි ස්නාතේ දෘෂ්ටිමහං ලබ්ධවාන්|
૧૧તેણે ઉત્તર આપ્યો કે, ‘જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.’”
12 තදා තේ (අ)වදන් ස පුමාන් කුත්ර? තේනෝක්ත්තං නාහං ජානාමි|
૧૨તેઓએ તેને કહ્યું કે, ‘તે ક્યાં છે?’ તેણે કહ્યું, ‘હું જાણતો નથી.’”
13 අපරං තස්මින් පූර්ව්වාන්ධේ ජනේ ඵිරූශිනාං නිකටම් ආනීතේ සති ඵිරූශිනෝපි තමපෘච්ඡන් කථං දෘෂ්ටිං ප්රාප්තෝසි?
૧૩જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.
14 තතඃ ස කථිතවාන් ස පඞ්කේන මම නේත්රේ (අ)ලිම්පත් පශ්චාද් ස්නාත්වා දෘෂ්ටිමලභේ|
૧૪હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.
15 කින්තු යීශු ර්විශ්රාමවාරේ කර්ද්දමං කෘත්වා තස්ය නයනේ ප්රසන්නේ(අ)කරෝද් ඉතිකාරණාත් කතිපයඵිරූශිනෝ(අ)වදන්
૧૫માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, ‘તું શી રીતે દેખતો થયો?’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.’”
16 ස පුමාන් ඊශ්වරාන්න යතඃ ස විශ්රාමවාරං න මන්යතේ| තතෝන්යේ කේචිත් ප්රත්යවදන් පාපී පුමාන් කිම් ඒතාදෘශම් ආශ්චර්ය්යං කර්ම්ම කර්ත්තුං ශක්නෝති?
૧૬ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;’ પણ બીજાઓએ કહ્યું કે, ‘પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?’ એમ તેઓમાં બે ભાગલા પડ્યા.
17 ඉත්ථං තේෂාං පරස්පරං භින්නවාක්යත්වම් අභවත්| පශ්චාත් තේ පුනරපි තං පූර්ව්වාන්ධං මානුෂම් අප්රාක්ෂුඃ යෝ ජනස්තව චක්ෂුෂී ප්රසන්නේ කෘතවාන් තස්මින් ත්වං කිං වදසි? ස උක්ත්තවාන් ස භවිශද්වාදී|
૧૭ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, ‘તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તે પ્રબોધક છે.’”
18 ස දෘෂ්ටිම් ආප්තවාන් ඉති යිහූදීයාස්තස්ය දෘෂ්ටිං ප්රාප්තස්ය ජනස්ය පිත්රෝ ර්මුඛාද් අශ්රුත්වා න ප්රත්යයන්|
૧૮પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.
19 අතඒව තේ තාවපෘච්ඡන් යුවයෝ ර්යං පුත්රං ජන්මාන්ධං වදථඃ ස කිමයං? තර්හීදානීං කථං ද්රෂ්ටුං ශක්නෝති?
૧૯તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’”
20 තතස්තස්ය පිතරෞ ප්රත්යවෝචතාම් අයම් ආවයෝඃ පුත්ර ආ ජනේරන්ධශ්ච තදප්යාවාං ජානීවඃ
૨૦તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.
21 කින්ත්වධුනා කථං දෘෂ්ටිං ප්රාප්තවාන් තදාවාං න් ජානීවඃ කෝස්ය චක්ෂුෂී ප්රසන්නේ කෘතවාන් තදපි න ජානීව ඒෂ වයඃප්රාප්ත ඒනං පෘච්ඡත ස්වකථාං ස්වයං වක්ෂ්යති|
૨૧પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’”
22 යිහූදීයානාං භයාත් තස්ය පිතරෞ වාක්යමිදම් අවදතාං යතඃ කෝපි මනුෂ්යෝ යදි යීශුම් අභිෂික්තං වදති තර්හි ස භජනගෘහාද් දූරීකාරිෂ්යතේ යිහූදීයා ඉති මන්ත්රණාම් අකුර්ව්වන්
૨૨તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
23 අතස්තස්ය පිතරෞ ව්යාහරතාම් ඒෂ වයඃප්රාප්ත ඒනං පෘච්ඡත|
૨૩માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’”
24 තදා තේ පුනශ්ච තං පූර්ව්වාන්ධම් ආහූය ව්යාහරන් ඊශ්වරස්ය ගුණාන් වද ඒෂ මනුෂ්යඃ පාපීති වයං ජානීමඃ|
૨૪તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, ‘ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.’”
25 තදා ස උක්ත්තවාන් ස පාපී න වේති නාහං ජානේ පූර්වාමන්ධ ආසමහම් අධුනා පශ්යාමීති මාත්රං ජානාමි|
૨૫ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.’”
26 තේ පුනරපෘච්ඡන් ස ත්වාං ප්රති කිමකරෝත්? කථං නේත්රේ ප්රසන්නේ (අ)කරෝත්?
૨૬ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?’”
27 තතඃ සෝවාදීද් ඒකකෘත්වෝකථයං යූයං න ශෘණුථ තර්හි කුතඃ පුනඃ ශ්රෝතුම් ඉච්ඡථ? යූයමපි කිං තස්ය ශිෂ්යා භවිතුම් ඉච්ඡථ?
૨૭તેણે તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?’”
28 තදා තේ තං තිරස්කෘත්ය ව්යාහරන් ත්වං තස්ය ශිෂ්යෝ වයං මූසාඃ ශිෂ්යාඃ|
૨૮ત્યારે તેઓએ તેની નિંદા કરતાં કહ્યું કે, ‘તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.
29 මූසාවක්ත්රේණේශ්වරෝ ජගාද තජ්ජානීමඃ කින්ත්වේෂ කුත්රත්යලෝක ඉති න ජානීමඃ|
૨૯ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’”
30 සෝවදද් ඒෂ මම ලෝචනේ ප්රසන්නේ (අ)කරෝත් තථාපි කුත්රත්යලෝක ඉති යූයං න ජානීථ ඒතද් ආශ්චර්ය්යං භවති|
૩૦તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.
31 ඊශ්වරඃ පාපිනාං කථාං න ශෘණෝති කින්තු යෝ ජනස්තස්මින් භක්තිං කෘත්වා තදිෂ්ටක්රියාං කරෝති තස්යෛව කථාං ශෘණෝති ඒතද් වයං ජානීමඃ|
૩૧આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.
32 කෝපි මනුෂ්යෝ ජන්මාන්ධාය චක්ෂුෂී අදදාත් ජගදාරම්භාද් ඒතාදෘශීං කථාං කෝපි කදාපි නාශෘණෝත්| (aiōn )
૩૨સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. (aiōn )
33 අස්මාද් ඒෂ මනුෂ්යෝ යදීශ්වරාන්නාජායත තර්හි කිඤ්චිදපීදෘශං කර්ම්ම කර්ත්තුං නාශක්නෝත්|
૩૩જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.’”
34 තේ ව්යාහරන් ත්වං පාපාද් අජායථාඃ කිමස්මාන් ත්වං ශික්ෂයසි? පශ්චාත්තේ තං බහිරකුර්ව්වන්|
૩૪તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?’ પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.
35 තදනන්තරං යිහූදීයෛඃ ස බහිරක්රියත යීශුරිති වාර්ත්තාං ශ්රුත්වා තං සාක්ෂාත් ප්රාප්ය පෘෂ්ටවාන් ඊශ්වරස්ය පුත්රේ ත්වං විශ්වසිෂි?
૩૫તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, ‘તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?’”
36 තදා ස ප්රත්යවෝචත් හේ ප්රභෝ ස කෝ යත් තස්මින්නහං විශ්වසිමි?
૩૬તેણે ઉત્તર આપ્યો કે, ‘હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?’”
37 තතෝ යීශුඃ කථිතවාන් ත්වං තං දෘෂ්ටවාන් ත්වයා සාකං යඃ කථං කථයති සඒව සඃ|
૩૭ઈસુએ તેને કહ્યું કે, ‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’”
38 තදා හේ ප්රභෝ විශ්වසිමීත්යුක්ත්වා ස තං ප්රණාමත්|
૩૮તેણે કહ્યું કે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ પછી તેણે તેમનું ભજન કર્યું.
39 පශ්චාද් යීශුඃ කථිතවාන් නයනහීනා නයනානි ප්රාප්නුවන්ති නයනවන්තශ්චාන්ධා භවන්තීත්යභිප්රායේණ ජගදාහම් ආගච්ඡම්|
૩૯ઈસુએ કહ્યું કે, ‘જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.’”
40 ඒතත් ශ්රුත්වා නිකටස්ථාඃ කතිපයාඃ ඵිරූශිනෝ ව්යාහරන් වයමපි කිමන්ධාඃ?
૪૦જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, ‘તો શું અમે પણ અંધ છીએ?’”
41 තදා යීශුරවාදීද් යද්යන්ධා අභවත තර්හි පාපානි නාතිෂ්ඨන් කින්තු පශ්යාමීති වාක්යවදනාද් යුෂ්මාකං පාපානි තිෂ්ඨන්ති|
૪૧ઈસુએ તેઓને કહ્યું કે, “જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ,’ માટે તમારું પાપ કાયમ રહે છે.”