< යාකූබඃ 1 >
1 ඊශ්වරස්ය ප්රභෝ ර්යීශුඛ්රීෂ්ටස්ය ච දාසෝ යාකූබ් විකීර්ණීභූතාන් ද්වාදශං වංශාන් ප්රති නමස්කෘත්ය පත්රං ලිඛති|
૧વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.
2 හේ මම භ්රාතරඃ, යූයං යදා බහුවිධපරීක්ෂාෂු නිපතත තදා තත් පූර්ණානන්දස්ය කාරණං මන්යධ්වං|
૨મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો;
3 යතෝ යුෂ්මාකං විශ්වාසස්ය පරීක්ෂිතත්වේන ධෛර්ය්යං සම්පාද්යත ඉති ජානීථ|
૩કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે.
4 තච්ච ධෛර්ය්යං සිද්ධඵලං භවතු තේන යූයං සිද්ධාඃ සම්පූර්ණාශ්ච භවිෂ්යථ කස්යාපි ගුණස්යාභාවශ්ච යුෂ්මාකං න භවිෂ්යති|
૪તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
5 යුෂ්මාකං කස්යාපි ඥානාභාවෝ යදි භවේත් තර්හි ය ඊශ්වරඃ සරලභාවේන තිරස්කාරඤ්ච විනා සර්ව්වේභ්යෝ දදාති තතඃ ස යාචතාං තතස්තස්මෛ දායිෂ්යතේ|
૫તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.
6 කින්තු ස නිඃසන්දේහඃ සන් විශ්වාසේන යාචතාං යතඃ සන්දිග්ධෝ මානවෝ වායුනා චාලිතස්යෝත්ප්ලවමානස්ය ච සමුද්රතරඞ්ගස්ය සදෘශෝ භවති|
૬પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
7 තාදෘශෝ මානවඃ ප්රභෝඃ කිඤ්චිත් ප්රාප්ස්යතීති න මන්යතාං|
૭એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.
8 ද්විමනා ලෝකඃ සර්ව්වගතිෂු චඤ්චලෝ භවති|
૮આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.
9 යෝ භ්රාතා නම්රඃ ස නිජෝන්නත්යා ශ්ලාඝතාං|
૯જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે;
10 යශ්ච ධනවාන් ස නිජනම්රතයා ශ්ලාඝතාංයතඃ ස තෘණපුෂ්පවත් ක්ෂයං ගමිෂ්යති|
૧૦જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે.
11 යතඃ සතාපේන සූර්ය්යේණෝදිත්ය තෘණං ශෝෂ්යතේ තත්පුෂ්පඤ්ච භ්රශ්යති තේන තස්ය රූපස්ය සෞන්දර්ය්යං නශ්යති තද්වද් ධනිලෝකෝ(අ)පි ස්වීයමූඪතයා ම්ලාස්යති|
૧૧કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે.
12 යෝ ජනඃ පරීක්ෂාං සහතේ ස ඒව ධන්යඃ, යතඃ පරීක්ෂිතත්වං ප්රාප්ය ස ප්රභුනා ස්වප්රේමකාරිභ්යඃ ප්රතිඥාතං ජීවනමුකුටං ලප්ස්යතේ|
૧૨જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.
13 ඊශ්වරෝ මාං පරීක්ෂත ඉති පරීක්ෂාසමයේ කෝ(අ)පි න වදතු යතඃ පාපායේශ්වරස්ය පරීක්ෂා න භවති ස ච කමපි න පරීක්ෂතේ|
૧૩કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી.
14 කින්තු යඃ කශ්චිත් ස්වීයමනෝවාඤ්ඡයාකෘෂ්යතේ ලෝභ්යතේ ච තස්යෛව පරීක්ෂා භවති|
૧૪પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.
15 තස්මාත් සා මනෝවාඤ්ඡා සගර්භා භූත්වා දුෂ්කෘතිං ප්රසූතේ දුෂ්කෘතිශ්ච පරිණාමං ගත්වා මෘත්යුං ජනයති|
૧૫પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.
16 හේ මම ප්රියභ්රාතරඃ, යූයං න භ්රාම්යත|
૧૬મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.
17 යත් කිඤ්චිද් උත්තමං දානං පූර්ණෝ වරශ්ච තත් සර්ව්වම් ඌර්ද්ධ්වාද් අර්ථතෝ යස්මින් දශාන්තරං පරිවර්ත්තනජාතච්ඡායා වා නාස්ති තස්මාද් දීප්ත්යාකරාත් පිතුරවරෝහති|
૧૭દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.
18 තස්ය සෘෂ්ටවස්තූනාං මධ්යේ වයං යත් ප්රථමඵලස්වරූපා භවාමස්තදර්ථං ස ස්වේච්ඡාතඃ සත්යමතස්ය වාක්යේනාස්මාන් ජනයාමාස|
૧૮તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.
19 අතඒව හේ මම ප්රියභ්රාතරඃ, යුෂ්මාකම් ඒකෛකෝ ජනඃ ශ්රවණේ ත්වරිතඃ කථනේ ධීරඃ ක්රෝධේ(අ)පි ධීරෝ භවතු|
૧૯મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય;
20 යතෝ මානවස්ය ක්රෝධ ඊශ්වරීයධර්ම්මං න සාධයති|
૨૦કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી.
21 අතෝ හේතෝ ර්යූයං සර්ව්වාම් අශුචික්රියාං දුෂ්ටතාබාහුල්යඤ්ච නික්ෂිප්ය යුෂ්මන්මනසාං පරිත්රාණේ සමර්ථං රෝපිතං වාක්යං නම්රභාවේන ගෘහ්ලීත|
૨૧માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.
22 අපරඤ්ච යූයං කේවලම් ආත්මවඤ්චයිතාරෝ වාක්යස්ය ශ්රෝතාරෝ න භවත කින්තු වාක්යස්ය කර්ම්මකාරිණෝ භවත|
૨૨તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ.
23 යතෝ යඃ කශ්චිද් වාක්යස්ය කර්ම්මකාරී න භූත්වා කේවලං තස්ය ශ්රෝතා භවති ස දර්පණේ ස්වීයශාරීරිකවදනං නිරීක්ෂමාණස්ය මනුජස්ය සදෘශඃ|
૨૩કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે.
24 ආත්මාකාරේ දෘෂ්ටේ ස ප්රස්ථාය කීදෘශ ආසීත් තත් තත්ක්ෂණාද් විස්මරති|
૨૪કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.
25 කින්තු යඃ කශ්චිත් නත්වා මුක්තේඃ සිද්ධාං ව්යවස්ථාම් ආලෝක්ය තිෂ්ඨති ස විස්මෘතියුක්තඃ ශ්රෝතා න භූත්වා කර්ම්මකර්ත්තෛව සන් ස්වකාර්ය්යේ ධන්යෝ භවිෂ්යති|
૨૫પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે.
26 අනායත්තරසනඃ සන් යඃ කශ්චිත් ස්වමනෝ වඤ්චයිත්වා ස්වං භක්තං මන්යතේ තස්ය භක්ති ර්මුධා භවති|
૨૬જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે.
27 ක්ලේශකාලේ පිතෘහීනානාං විධවානාඤ්ච යද් අවේක්ෂණං සංසාරාච්ච නිෂ්කලඞ්කේන යද් ආත්මරක්ෂණං තදේව පිතුරීශ්වරස්ය සාක්ෂාත් ශුචි ර්නිර්ම්මලා ච භක්තිඃ|
૨૭વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.