< ගාලාතිනඃ 5 >

1 ඛ්‍රීෂ්ටෝ(අ)ස්මභ්‍යං යත් ස්වාතන්ත්‍ර‍්‍යං දත්තවාන් යූයං තත්‍ර ස්ථිරාස්තිෂ්ඨත දාසත්වයුගේන පුන ර්න නිබධ්‍යධ්වං|
આપણે બંધનમાં ન રહીએ માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે; તેથી સ્થિર રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.
2 පශ්‍යතාහං පෞලෝ යුෂ්මාන් වදාමි යදි ඡින්නත්වචෝ භවථ තර්හි ඛ්‍රීෂ්ටේන කිමපි නෝපකාරිෂ්‍යධ්වේ|
જુઓ, હું પાઉલ, તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો છો, તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.
3 අපරං යඃ කශ්චිත් ඡින්නත්වග් භවති ස කෘත්ස්නව්‍යවස්ථායාඃ පාලනම් ඊශ්වරාය ධාරයතීති ප්‍රමාණං දදාමි|
દરેક સુન્નત કરાવનારને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્ત્ર પાળવાને જવાબદાર છે.
4 යුෂ්මාකං යාවන්තෝ ලෝකා ව්‍යවස්ථයා සපුණ්‍යීභවිතුං චේෂ්ටන්තේ තේ සර්ව්වේ ඛ්‍රීෂ්ටාද් භ්‍රෂ්ටා අනුග්‍රහාත් පතිතාශ්ච|
તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી દૂર થયા છો.
5 යතෝ වයම් ආත්මනා විශ්වාසාත් පුණ්‍යලාභාශාසිද්ධං ප්‍රතීක්‍ෂාමහේ|
કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.
6 ඛ්‍රීෂ්ටේ යීශෞ ත්වක්ඡේදාත්වක්ඡේදයෝඃ කිමපි ගුණං නාස්ති කින්තු ප්‍රේම්නා සඵලෝ විශ්වාස ඒව ගුණයුක්තඃ|
કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે.
7 පූර්ව්වං යූයං සුන්දරම් අධාවත කින්ත්විදානීං කේන බාධාං ප්‍රාප්‍ය සත්‍යතාං න ගෘහ්ලීථ?
તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા?
8 යුෂ්මාකං සා මති ර‍්‍යුෂ්මදාහ්වානකාරිණ ඊශ්වරාන්න ජාතා|
આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી.
9 විකාරඃ කෘත්ස්නශක්තූනාං ස්වල්පකිණ්වේන ජසයතේ|
એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે.
10 යුෂ්මාකං මති ර්විකාරං න ගමිෂ්‍යතීත්‍යහං යුෂ්මානධි ප්‍රභුනාශංසේ; කින්තු යෝ යුෂ්මාන් විචාරලයති ස යඃ කශ්චිද් භවේත් සමුචිතං දණ්ඩං ප්‍රාප්ස්‍යති|
૧૦તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.
11 පරන්තු හේ භ්‍රාතරඃ, යද්‍යහම් ඉදානීම් අපි ත්වක්ඡේදං ප්‍රචාරයේයං තර්හි කුත උපද්‍රවං භුඤ්ජිය? තත්කෘතේ ක්‍රුශං නිර්බ්බාධම් අභවිෂ්‍යත්|
૧૧ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી.
12 යේ ජනා යුෂ්මාකං චාඤ්චල්‍යං ජනයන්ති තේෂාං ඡේදනමේව මයාභිලෂ්‍යතේ|
૧૨જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
13 හේ භ්‍රාතරඃ, යූයං ස්වාතන්ත්‍ර‍්‍යාර්ථම් ආහූතා ආධ්වේ කින්තු තත්ස්වාතන්ත්‍ර‍්‍යද්වාරේණ ශාරීරිකභාවෝ යුෂ්මාන් න ප්‍රවිශතු| යූයං ප්‍රේම්නා පරස්පරං පරිචර‍්‍ය්‍යාං කුරුධ්වං|
૧૩કેમ કે, ભાઈઓ, તમને સ્વતંત્ર થવા તેડવામાં આવ્યા હતા; માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.
14 යස්මාත් ත්වං සමීපවාසිනි ස්වවත් ප්‍රේම කුර‍්‍ය්‍යා ඉත්‍යේකාඥා කෘත්ස්නායා ව්‍යවස්ථායාඃ සාරසංග්‍රහඃ|
૧૪કેમ કે આખું નિયમશાસ્ત્ર એક જ વચનમાં પૂરું થાય છે, એટલે, ‘જેમ તું પોતાના પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.’”
15 කින්තු යූයං යදි පරස්පරං දංදශ්‍යධ්වේ (අ)ශාශ්‍යධ්වේ ච තර්හි යුෂ්මාකම් ඒකෝ(අ)න්‍යේන යන්න ග්‍රස්‍යතේ තත්‍ර යුෂ්මාභිඃ සාවධානෛ ර්භවිතව්‍යං|
૧૫પણ જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ, તો સાવધાન રહો, કદાચ તમે એકબીજાથી નાશ પામો.
16 අහං බ්‍රවීමි යූයම් ආත්මිකාචාරං කුරුත ශාරීරිකාභිලාෂං මා පූරයත|
૧૬પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.
17 යතඃ ශාරීරිකාභිලාෂ ආත්මනෝ විපරීතඃ, ආත්මිකාභිලාෂශ්ච ශරීරස්‍ය විපරීතඃ, අනයෝරුභයෝඃ පරස්පරං විරෝධෝ විද්‍යතේ තේන යුෂ්මාභි ර‍්‍යද් අභිලෂ්‍යතේ තන්න කර්ත්තව්‍යං|
૧૭કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.
18 යූයං යද්‍යාත්මනා විනීයධ්වේ තර්හි ව්‍යවස්ථායා අධීනා න භවථ|
૧૮પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.
19 අපරං පරදාරගමනං වේශ්‍යාගමනම් අශුචිතා කාමුකතා ප්‍රතිමාපූජනම්
૧૯દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું,
20 ඉන්ද්‍රජාලං ශත්‍රුත්වං විවාදෝ(අ)න්තර්ජ්වලනං ක්‍රෝධඃ කලහෝ(අ)නෛක්‍යං
૨૦મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,
21 පාර්ථක්‍යම් ඊර්ෂ්‍යා වධෝ මත්තත්වං ලම්පටත්වමිත්‍යාදීනි ස්පෂ්ටත්වේන ශාරීරිකභාවස්‍ය කර්ම්මාණි සන්ති| පූර්ව්වං යද්වත් මයා කථිතං තද්වත් පුනරපි කථ්‍යතේ යේ ජනා ඒතාදෘශානි කර්ම්මාණ්‍යාචරන්ති තෛරීශ්වරස්‍ය රාජ්‍යේ(අ)ධිකාරඃ කදාච න ලප්ස්‍යතේ|
૨૧અદેખાઈ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
22 කිඤ්ච ප්‍රේමානන්දඃ ශාන්තිශ්චිරසහිෂ්ණුතා හිතෛෂිතා භද්‍රත්වං විශ්වාස්‍යතා තිතික්‍ෂා
૨૨પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
23 පරිමිතභෝජිත්වමිත්‍යාදීන්‍යාත්මනඃ ඵලානි සන්ති තේෂාං විරුද්ධා කාපි ව්‍යවස්ථා නහි|
૨૩નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
24 යේ තු ඛ්‍රීෂ්ටස්‍ය ලෝකාස්තේ රිපුභිරභිලාෂෛශ්ච සහිතං ශාරීරිකභාවං ක්‍රුශේ නිහතවන්තඃ|
૨૪અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
25 යදි වයම් ආත්මනා ජීවාමස්තර්හ්‍යාත්මිකාචාරෝ(අ)ස්මාභිඃ කර්ත්තව්‍යඃ,
૨૫જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ.
26 දර්පඃ පරස්පරං නිර්භර්ත්සනං ද්වේෂශ්චාස්මාභි ර්න කර්ත්තව්‍යානි|
૨૬આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને ઘમંડ ન કરીએ.

< ගාලාතිනඃ 5 >