< ಯೋಹನಃ 11 >
1 ಅನನ್ತರಂ ಮರಿಯಮ್ ತಸ್ಯಾ ಭಗಿನೀ ಮರ್ಥಾ ಚ ಯಸ್ಮಿನ್ ವೈಥನೀಯಾಗ್ರಾಮೇ ವಸತಸ್ತಸ್ಮಿನ್ ಗ್ರಾಮೇ ಇಲಿಯಾಸರ್ ನಾಮಾ ಪೀಡಿತ ಏಕ ಆಸೀತ್|
૧બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા.
2 ಯಾ ಮರಿಯಮ್ ಪ್ರಭುಂ ಸುಗನ್ಧಿತೇಲೈನ ಮರ್ದ್ದಯಿತ್ವಾ ಸ್ವಕೇಶೈಸ್ತಸ್ಯ ಚರಣೌ ಸಮಮಾರ್ಜತ್ ತಸ್ಯಾ ಭ್ರಾತಾ ಸ ಇಲಿಯಾಸರ್ ರೋಗೀ|
૨મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો.
3 ಅಪರಞ್ಚ ಹೇ ಪ್ರಭೋ ಭವಾನ್ ಯಸ್ಮಿನ್ ಪ್ರೀಯತೇ ಸ ಏವ ಪೀಡಿತೋಸ್ತೀತಿ ಕಥಾಂ ಕಥಯಿತ್ವಾ ತಸ್ಯ ಭಗಿನ್ಯೌ ಪ್ರೇಷಿತವತ್ಯೌ|
૩તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે.
4 ತದಾ ಯೀಶುರಿಮಾಂ ವಾರ್ತ್ತಾಂ ಶ್ರುತ್ವಾಕಥಯತ ಪೀಡೇಯಂ ಮರಣಾರ್ಥಂ ನ ಕಿನ್ತ್ವೀಶ್ವರಸ್ಯ ಮಹಿಮಾರ್ಥಮ್ ಈಶ್ವರಪುತ್ರಸ್ಯ ಮಹಿಮಪ್ರಕಾಶಾರ್ಥಞ್ಚ ಜಾತಾ|
૪પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.
5 ಯೀಶು ರ್ಯದ್ಯಪಿಮರ್ಥಾಯಾಂ ತದ್ಭಗಿನ್ಯಾಮ್ ಇಲಿಯಾಸರಿ ಚಾಪ್ರೀಯತ,
૫માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા.
6 ತಥಾಪಿ ಇಲಿಯಾಸರಃ ಪೀಡಾಯಾಃ ಕಥಂ ಶ್ರುತ್ವಾ ಯತ್ರ ಆಸೀತ್ ತತ್ರೈವ ದಿನದ್ವಯಮತಿಷ್ಠತ್|
૬તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા.
7 ತತಃ ಪರಮ್ ಸ ಶಿಷ್ಯಾನಕಥಯದ್ ವಯಂ ಪುನ ರ್ಯಿಹೂದೀಯಪ್ರದೇಶಂ ಯಾಮಃ|
૭ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.
8 ತತಸ್ತೇ ಪ್ರತ್ಯವದನ್, ಹೇ ಗುರೋ ಸ್ವಲ್ಪದಿನಾನಿ ಗತಾನಿ ಯಿಹೂದೀಯಾಸ್ತ್ವಾಂ ಪಾಷಾಣೈ ರ್ಹನ್ತುಮ್ ಉದ್ಯತಾಸ್ತಥಾಪಿ ಕಿಂ ಪುನಸ್ತತ್ರ ಯಾಸ್ಯಸಿ?
૮શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’”
9 ಯೀಶುಃ ಪ್ರತ್ಯವದತ್, ಏಕಸ್ಮಿನ್ ದಿನೇ ಕಿಂ ದ್ವಾದಶಘಟಿಕಾ ನ ಭವನ್ತಿ? ಕೋಪಿ ದಿವಾ ಗಚ್ಛನ್ ನ ಸ್ಖಲತಿ ಯತಃ ಸ ಏತಜ್ಜಗತೋ ದೀಪ್ತಿಂ ಪ್ರಾಪ್ನೋತಿ|
૯ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.
10 ಕಿನ್ತು ರಾತ್ರೌ ಗಚ್ಛನ್ ಸ್ಖಲತಿ ಯತೋ ಹೇತೋಸ್ತತ್ರ ದೀಪ್ತಿ ರ್ನಾಸ್ತಿ|
૧૦પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’”
11 ಇಮಾಂ ಕಥಾಂ ಕಥಯಿತ್ವಾ ಸ ತಾನವದದ್, ಅಸ್ಮಾಕಂ ಬನ್ಧುಃ ಇಲಿಯಾಸರ್ ನಿದ್ರಿತೋಭೂದ್ ಇದಾನೀಂ ತಂ ನಿದ್ರಾತೋ ಜಾಗರಯಿತುಂ ಗಚ್ಛಾಮಿ|
૧૧તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’”
12 ಯೀಶು ರ್ಮೃತೌ ಕಥಾಮಿಮಾಂ ಕಥಿತವಾನ್ ಕಿನ್ತು ವಿಶ್ರಾಮಾರ್ಥಂ ನಿದ್ರಾಯಾಂ ಕಥಿತವಾನ್ ಇತಿ ಜ್ಞಾತ್ವಾ ಶಿಷ್ಯಾ ಅಕಥಯನ್,
૧૨ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’”
13 ಹೇ ಗುರೋ ಸ ಯದಿ ನಿದ್ರಾತಿ ತರ್ಹಿ ಭದ್ರಮೇವ|
૧૩ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું.
14 ತದಾ ಯೀಶುಃ ಸ್ಪಷ್ಟಂ ತಾನ್ ವ್ಯಾಹರತ್, ಇಲಿಯಾಸರ್ ಅಮ್ರಿಯತ;
૧૪ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે.
15 ಕಿನ್ತು ಯೂಯಂ ಯಥಾ ಪ್ರತೀಥ ತದರ್ಥಮಹಂ ತತ್ರ ನ ಸ್ಥಿತವಾನ್ ಇತ್ಯಸ್ಮಾದ್ ಯುಷ್ಮನ್ನಿಮಿತ್ತಮ್ ಆಹ್ಲಾದಿತೋಹಂ, ತಥಾಪಿ ತಸ್ಯ ಸಮೀಪೇ ಯಾಮ|
૧૫હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’”
16 ತದಾ ಥೋಮಾ ಯಂ ದಿದುಮಂ ವದನ್ತಿ ಸ ಸಙ್ಗಿನಃ ಶಿಷ್ಯಾನ್ ಅವದದ್ ವಯಮಪಿ ಗತ್ವಾ ತೇನ ಸಾರ್ದ್ಧಂ ಮ್ರಿಯಾಮಹೈ|
૧૬ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”
17 ಯೀಶುಸ್ತತ್ರೋಪಸ್ಥಾಯ ಇಲಿಯಾಸರಃ ಶ್ಮಶಾನೇ ಸ್ಥಾಪನಾತ್ ಚತ್ವಾರಿ ದಿನಾನಿ ಗತಾನೀತಿ ವಾರ್ತ್ತಾಂ ಶ್ರುತವಾನ್|
૧૭હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે.
18 ವೈಥನೀಯಾ ಯಿರೂಶಾಲಮಃ ಸಮೀಪಸ್ಥಾ ಕ್ರೋಶೈಕಮಾತ್ರಾನ್ತರಿತಾ;
૧૮હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું.
19 ತಸ್ಮಾದ್ ಬಹವೋ ಯಿಹೂದೀಯಾ ಮರ್ಥಾಂ ಮರಿಯಮಞ್ಚ ಭ್ಯಾತೃಶೋಕಾಪನ್ನಾಂ ಸಾನ್ತ್ವಯಿತುಂ ತಯೋಃ ಸಮೀಪಮ್ ಆಗಚ್ಛನ್|
૧૯માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા.
20 ಮರ್ಥಾ ಯೀಶೋರಾಗಮನವಾರ್ತಾಂ ಶ್ರುತ್ವೈವ ತಂ ಸಾಕ್ಷಾದ್ ಅಕರೋತ್ ಕಿನ್ತು ಮರಿಯಮ್ ಗೇಹ ಉಪವಿಶ್ಯ ಸ್ಥಿತಾ|
૨૦ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.
21 ತದಾ ಮರ್ಥಾ ಯೀಶುಮವಾದತ್, ಹೇ ಪ್ರಭೋ ಯದಿ ಭವಾನ್ ಅತ್ರಾಸ್ಥಾಸ್ಯತ್ ತರ್ಹಿ ಮಮ ಭ್ರಾತಾ ನಾಮರಿಷ್ಯತ್|
૨૧ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ.
22 ಕಿನ್ತ್ವಿದಾನೀಮಪಿ ಯದ್ ಈಶ್ವರೇ ಪ್ರಾರ್ಥಯಿಷ್ಯತೇ ಈಶ್ವರಸ್ತದ್ ದಾಸ್ಯತೀತಿ ಜಾನೇಽಹಂ|
૨૨પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.’”
23 ಯೀಶುರವಾದೀತ್ ತವ ಭ್ರಾತಾ ಸಮುತ್ಥಾಸ್ಯತಿ|
૨૩ઈસુએ તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો ઊઠશે.’”
24 ಮರ್ಥಾ ವ್ಯಾಹರತ್ ಶೇಷದಿವಸೇ ಸ ಉತ್ಥಾನಸಮಯೇ ಪ್ರೋತ್ಥಾಸ್ಯತೀತಿ ಜಾನೇಽಹಂ|
૨૪માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’”
25 ತದಾ ಯೀಶುಃ ಕಥಿತವಾನ್ ಅಹಮೇವ ಉತ್ಥಾಪಯಿತಾ ಜೀವಯಿತಾ ಚ ಯಃ ಕಶ್ಚನ ಮಯಿ ವಿಶ್ವಸಿತಿ ಸ ಮೃತ್ವಾಪಿ ಜೀವಿಷ್ಯತಿ;
૨૫ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે.
26 ಯಃ ಕಶ್ಚನ ಚ ಜೀವನ್ ಮಯಿ ವಿಶ್ವಸಿತಿ ಸ ಕದಾಪಿ ನ ಮರಿಷ್ಯತಿ, ಅಸ್ಯಾಂ ಕಥಾಯಾಂ ಕಿಂ ವಿಶ್ವಸಿಷಿ? (aiōn )
૨૬અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” (aiōn )
27 ಸಾವದತ್ ಪ್ರಭೋ ಯಸ್ಯಾವತರಣಾಪೇಕ್ಷಾಸ್ತಿ ಭವಾನ್ ಸಏವಾಭಿಷಿಕ್ತ್ತ ಈಶ್ವರಪುತ್ರ ಇತಿ ವಿಶ್ವಸಿಮಿ|
૨૭તેણે તેમને કહ્યું કે, ‘હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.
28 ಇತಿ ಕಥಾಂ ಕಥಯಿತ್ವಾ ಸಾ ಗತ್ವಾ ಸ್ವಾಂ ಭಗಿನೀಂ ಮರಿಯಮಂ ಗುಪ್ತಮಾಹೂಯ ವ್ಯಾಹರತ್ ಗುರುರುಪತಿಷ್ಠತಿ ತ್ವಾಮಾಹೂಯತಿ ಚ|
૨૮એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’”
29 ಕಥಾಮಿಮಾಂ ಶ್ರುತ್ವಾ ಸಾ ತೂರ್ಣಮ್ ಉತ್ಥಾಯ ತಸ್ಯ ಸಮೀಪಮ್ ಅಗಚ್ಛತ್|
૨૯એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ.
30 ಯೀಶು ರ್ಗ್ರಾಮಮಧ್ಯಂ ನ ಪ್ರವಿಶ್ಯ ಯತ್ರ ಮರ್ಥಾ ತಂ ಸಾಕ್ಷಾದ್ ಅಕರೋತ್ ತತ್ರ ಸ್ಥಿತವಾನ್|
૩૦ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા.
31 ಯೇ ಯಿಹೂದೀಯಾ ಮರಿಯಮಾ ಸಾಕಂ ಗೃಹೇ ತಿಷ್ಠನ್ತಸ್ತಾಮ್ ಅಸಾನ್ತ್ವಯನ ತೇ ತಾಂ ಕ್ಷಿಪ್ರಮ್ ಉತ್ಥಾಯ ಗಚ್ಛನ್ತಿಂ ವಿಲೋಕ್ಯ ವ್ಯಾಹರನ್, ಸ ಶ್ಮಶಾನೇ ರೋದಿತುಂ ಯಾತಿ, ಇತ್ಯುಕ್ತ್ವಾ ತೇ ತಸ್ಯಾಃ ಪಶ್ಚಾದ್ ಅಗಚ್ಛನ್|
૩૧ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વના આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા.
32 ಯತ್ರ ಯೀಶುರತಿಷ್ಠತ್ ತತ್ರ ಮರಿಯಮ್ ಉಪಸ್ಥಾಯ ತಂ ದೃಷ್ಟ್ವಾ ತಸ್ಯ ಚರಣಯೋಃ ಪತಿತ್ವಾ ವ್ಯಾಹರತ್ ಹೇ ಪ್ರಭೋ ಯದಿ ಭವಾನ್ ಅತ್ರಾಸ್ಥಾಸ್ಯತ್ ತರ್ಹಿ ಮಮ ಭ್ರಾತಾ ನಾಮರಿಷ್ಯತ್|
૩૨ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.
33 ಯೀಶುಸ್ತಾಂ ತಸ್ಯಾಃ ಸಙ್ಗಿನೋ ಯಿಹೂದೀಯಾಂಶ್ಚ ರುದತೋ ವಿಲೋಕ್ಯ ಶೋಕಾರ್ತ್ತಃ ಸನ್ ದೀರ್ಘಂ ನಿಶ್ವಸ್ಯ ಕಥಿತವಾನ್ ತಂ ಕುತ್ರಾಸ್ಥಾಪಯತ?
૩૩ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને,
34 ತೇ ವ್ಯಾಹರನ್, ಹೇ ಪ್ರಭೋ ಭವಾನ್ ಆಗತ್ಯ ಪಶ್ಯತು|
૩૪પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ.
36 ಅತಏವ ಯಿಹೂದೀಯಾ ಅವದನ್, ಪಶ್ಯತಾಯಂ ತಸ್ಮಿನ್ ಕಿದೃಗ್ ಅಪ್ರಿಯತ|
૩૬એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, ‘જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા!
37 ತೇಷಾಂ ಕೇಚಿದ್ ಅವದನ್ ಯೋನ್ಧಾಯ ಚಕ್ಷುಷೀ ದತ್ತವಾನ್ ಸ ಕಿಮ್ ಅಸ್ಯ ಮೃತ್ಯುಂ ನಿವಾರಯಿತುಂ ನಾಶಕ್ನೋತ್?
૩૭પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’”
38 ತತೋ ಯೀಶುಃ ಪುನರನ್ತರ್ದೀರ್ಘಂ ನಿಶ್ವಸ್ಯ ಶ್ಮಶಾನಾನ್ತಿಕಮ್ ಅಗಚ್ಛತ್| ತತ್ ಶ್ಮಶಾನಮ್ ಏಕಂ ಗಹ್ವರಂ ತನ್ಮುಖೇ ಪಾಷಾಣ ಏಕ ಆಸೀತ್|
૩૮ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો.
39 ತದಾ ಯೀಶುರವದದ್ ಏನಂ ಪಾಷಾಣಮ್ ಅಪಸಾರಯತ, ತತಃ ಪ್ರಮೀತಸ್ಯ ಭಗಿನೀ ಮರ್ಥಾವದತ್ ಪ್ರಭೋ, ಅಧುನಾ ತತ್ರ ದುರ್ಗನ್ಧೋ ಜಾತಃ, ಯತೋದ್ಯ ಚತ್ವಾರಿ ದಿನಾನಿ ಶ್ಮಶಾನೇ ಸ ತಿಷ್ಠತಿ|
૩૯ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’”
40 ತದಾ ಯೀಶುರವಾದೀತ್, ಯದಿ ವಿಶ್ವಸಿಷಿ ತರ್ಹೀಶ್ವರಸ್ಯ ಮಹಿಮಪ್ರಕಾಶಂ ದ್ರಕ್ಷ್ಯಸಿ ಕಥಾಮಿಮಾಂ ಕಿಂ ತುಭ್ಯಂ ನಾಕಥಯಂ?
૪૦ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’”
41 ತದಾ ಮೃತಸ್ಯ ಶ್ಮಶಾನಾತ್ ಪಾಷಾಣೋಽಪಸಾರಿತೇ ಯೀಶುರೂರ್ದ್ವ್ವಂ ಪಶ್ಯನ್ ಅಕಥಯತ್, ಹೇ ಪಿತ ರ್ಮಮ ನೇವೇಸನಮ್ ಅಶೃಣೋಃ ಕಾರಣಾದಸ್ಮಾತ್ ತ್ವಾಂ ಧನ್ಯಂ ವದಾಮಿ|
૪૧ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું.
42 ತ್ವಂ ಸತತಂ ಶೃಣೋಷಿ ತದಪ್ಯಹಂ ಜಾನಾಮಿ, ಕಿನ್ತು ತ್ವಂ ಮಾಂ ಯತ್ ಪ್ರೈರಯಸ್ತದ್ ಯಥಾಸ್ಮಿನ್ ಸ್ಥಾನೇ ಸ್ಥಿತಾ ಲೋಕಾ ವಿಶ್ವಸನ್ತಿ ತದರ್ಥಮ್ ಇದಂ ವಾಕ್ಯಂ ವದಾಮಿ|
૪૨તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.’”
43 ಇಮಾಂ ಕಥಾಂ ಕಥಯಿತ್ವಾ ಸ ಪ್ರೋಚ್ಚೈರಾಹ್ವಯತ್, ಹೇ ಇಲಿಯಾಸರ್ ಬಹಿರಾಗಚ್ಛ|
૪૩એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’”
44 ತತಃ ಸ ಪ್ರಮೀತಃ ಶ್ಮಶಾನವಸ್ತ್ರೈ ರ್ಬದ್ಧಹಸ್ತಪಾದೋ ಗಾತ್ರಮಾರ್ಜನವಾಸಸಾ ಬದ್ಧಮುಖಶ್ಚ ಬಹಿರಾಗಚ್ಛತ್| ಯೀಶುರುದಿತವಾನ್ ಬನ್ಧನಾನಿ ಮೋಚಯಿತ್ವಾ ತ್ಯಜತೈನಂ|
૪૪ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલ વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.
45 ಮರಿಯಮಃ ಸಮೀಪಮ್ ಆಗತಾ ಯೇ ಯಿಹೂದೀಯಲೋಕಾಸ್ತದಾ ಯೀಶೋರೇತತ್ ಕರ್ಮ್ಮಾಪಶ್ಯನ್ ತೇಷಾಂ ಬಹವೋ ವ್ಯಶ್ವಸನ್,
૪૫તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
46 ಕಿನ್ತು ಕೇಚಿದನ್ಯೇ ಫಿರೂಶಿನಾಂ ಸಮೀಪಂ ಗತ್ವಾ ಯೀಶೋರೇತಸ್ಯ ಕರ್ಮ್ಮಣೋ ವಾರ್ತ್ತಾಮ್ ಅವದನ್|
૪૬પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં.
47 ತತಃ ಪರಂ ಪ್ರಧಾನಯಾಜಕಾಃ ಫಿರೂಶಿನಾಶ್ಚ ಸಭಾಂ ಕೃತ್ವಾ ವ್ಯಾಹರನ್ ವಯಂ ಕಿಂ ಕುರ್ಮ್ಮಃ? ಏಷ ಮಾನವೋ ಬಹೂನ್ಯಾಶ್ಚರ್ಯ್ಯಕರ್ಮ್ಮಾಣಿ ಕರೋತಿ|
૪૭એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, ‘આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે.
48 ಯದೀದೃಶಂ ಕರ್ಮ್ಮ ಕರ್ತ್ತುಂ ನ ವಾರಯಾಮಸ್ತರ್ಹಿ ಸರ್ವ್ವೇ ಲೋಕಾಸ್ತಸ್ಮಿನ್ ವಿಶ್ವಸಿಷ್ಯನ್ತಿ ರೋಮಿಲೋಕಾಶ್ಚಾಗತ್ಯಾಸ್ಮಾಕಮ್ ಅನಯಾ ರಾಜಧಾನ್ಯಾ ಸಾರ್ದ್ಧಂ ರಾಜ್ಯಮ್ ಆಛೇತ್ಸ್ಯನ್ತಿ|
૪૮જો આપણે તેમને એમ જ રહેવા દઈશું, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું રહેઠાણ તથા આપણો દેશ લઈ લેશે.
49 ತದಾ ತೇಷಾಂ ಕಿಯಫಾನಾಮಾ ಯಸ್ತಸ್ಮಿನ್ ವತ್ಸರೇ ಮಹಾಯಾಜಕಪದೇ ನ್ಯಯುಜ್ಯತ ಸ ಪ್ರತ್ಯವದದ್ ಯೂಯಂ ಕಿಮಪಿ ನ ಜಾನೀಥ;
૪૯પણ કાયાફા નામે તેઓમાંનો એક જે તે વર્ષે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું કે, ‘તમે કંઈ જાણતા નથી,
50 ಸಮಗ್ರದೇಶಸ್ಯ ವಿನಾಶತೋಪಿ ಸರ್ವ್ವಲೋಕಾರ್ಥಮ್ ಏಕಸ್ಯ ಜನಸ್ಯ ಮರಣಮ್ ಅಸ್ಮಾಕಂ ಮಙ್ಗಲಹೇತುಕಮ್ ಏತಸ್ಯ ವಿವೇಚನಾಮಪಿ ನ ಕುರುಥ|
૫૦વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’”
51 ಏತಾಂ ಕಥಾಂ ಸ ನಿಜಬುದ್ಧ್ಯಾ ವ್ಯಾಹರದ್ ಇತಿ ನ,
૫૧તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે.
52 ಕಿನ್ತು ಯೀಶೂಸ್ತದ್ದೇಶೀಯಾನಾಂ ಕಾರಣಾತ್ ಪ್ರಾಣಾನ್ ತ್ಯಕ್ಷ್ಯತಿ, ದಿಶಿ ದಿಶಿ ವಿಕೀರ್ಣಾನ್ ಈಶ್ವರಸ್ಯ ಸನ್ತಾನಾನ್ ಸಂಗೃಹ್ಯೈಕಜಾತಿಂ ಕರಿಷ್ಯತಿ ಚ, ತಸ್ಮಿನ್ ವತ್ಸರೇ ಕಿಯಫಾ ಮಹಾಯಾಜಕತ್ವಪದೇ ನಿಯುಕ್ತಃ ಸನ್ ಇದಂ ಭವಿಷ್ಯದ್ವಾಕ್ಯಂ ಕಥಿತವಾನ್|
૫૨અને એકલા યહૂદી લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે.
53 ತದ್ದಿನಮಾರಭ್ಯ ತೇ ಕಥಂ ತಂ ಹನ್ತುಂ ಶಕ್ನುವನ್ತೀತಿ ಮನ್ತ್ರಣಾಂ ಕರ್ತ್ತುಂ ಪ್ರಾರೇಭಿರೇ|
૫૩તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા.
54 ಅತಏವ ಯಿಹೂದೀಯಾನಾಂ ಮಧ್ಯೇ ಯೀಶುಃ ಸಪ್ರಕಾಶಂ ಗಮನಾಗಮನೇ ಅಕೃತ್ವಾ ತಸ್ಮಾದ್ ಗತ್ವಾ ಪ್ರಾನ್ತರಸ್ಯ ಸಮೀಪಸ್ಥಾಯಿಪ್ರದೇಶಸ್ಯೇಫ್ರಾಯಿಮ್ ನಾಮ್ನಿ ನಗರೇ ಶಿಷ್ಯೈಃ ಸಾಕಂ ಕಾಲಂ ಯಾಪಯಿತುಂ ಪ್ರಾರೇಭೇ|
૫૪તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઈસુ જાહેર રીતે ફર્યા નહિ, પણ ત્યાંથી અરણ્ય પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા અને પોતાના શિષ્યો સહિત ત્યાં રહ્યાં.
55 ಅನನ್ತರಂ ಯಿಹೂದೀಯಾನಾಂ ನಿಸ್ತಾರೋತ್ಸವೇ ನಿಕಟವರ್ತ್ತಿನಿ ಸತಿ ತದುತ್ಸವಾತ್ ಪೂರ್ವ್ವಂ ಸ್ವಾನ್ ಶುಚೀನ್ ಕರ್ತ್ತುಂ ಬಹವೋ ಜನಾ ಗ್ರಾಮೇಭ್ಯೋ ಯಿರೂಶಾಲಮ್ ನಗರಮ್ ಆಗಚ್ಛನ್,
૫૫હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા.
56 ಯೀಶೋರನ್ವೇಷಣಂ ಕೃತ್ವಾ ಮನ್ದಿರೇ ದಣ್ಡಾಯಮಾನಾಃ ಸನ್ತಃ ಪರಸ್ಪರಂ ವ್ಯಾಹರನ್, ಯುಷ್ಮಾಕಂ ಕೀದೃಶೋ ಬೋಧೋ ಜಾಯತೇ? ಸ ಕಿಮ್ ಉತ್ಸವೇಽಸ್ಮಿನ್ ಅತ್ರಾಗಮಿಷ್ಯತಿ?
૫૬માટે તેઓએ ઈસુની શોધ કરી અને ભક્તિસ્થાનમાં ઊભા રહેલાઓએ પરસ્પર કહ્યું કે, તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?’”
57 ಸ ಚ ಕುತ್ರಾಸ್ತಿ ಯದ್ಯೇತತ್ ಕಶ್ಚಿದ್ ವೇತ್ತಿ ತರ್ಹಿ ದರ್ಶಯತು ಪ್ರಧಾನಯಾಜಕಾಃ ಫಿರೂಶಿನಶ್ಚ ತಂ ಧರ್ತ್ತುಂ ಪೂರ್ವ್ವಮ್ ಇಮಾಮ್ ಆಜ್ಞಾಂ ಪ್ರಾಚಾರಯನ್|
૫૭હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવી આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસને માલૂમ પડે કે તે ઈસુ ક્યાં છે તો તેણે ખબર આપવી, એ માટે કે તેઓ ફરોશીઓ તેમને પકડે.