< ၂ ပိတရး 1 >

1 ယေ ဇနာ အသ္မာဘိး သာရ္ဒ္ဓမ် အသ္တဒီၑွရေ တြာတရိ ယီၑုခြီၐ္ဋေ စ ပုဏျသမ္ဗလိတဝိၑွာသဓနသျ သမာနာံၑိတွံ ပြာပ္တာသ္တာန် ပြတိ ယီၑုခြီၐ္ဋသျ ဒါသး ပြေရိတၑ္စ ၑိမောန် ပိတရး ပတြံ လိခတိ၊
આપણા ઈશ્વર તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત સિમોન પિતર લખે છે
2 ဤၑွရသျာသ္မာကံ ပြဘော ရျီၑောၑ္စ တတွဇ္ဉာနေန ယုၐ္မာသွနုဂြဟၑာန္တျော ရ္ဗာဟုလျံ ဝရ္တ္တတာံ၊
ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ હો.
3 ဇီဝနာရ္ထမ် ဤၑွရဘက္တျရ္ထဉ္စ ယဒျဒ် အာဝၑျကံ တတ် သရွွံ ဂေါ်ရဝသဒ္ဂုဏာဘျာမ် အသ္မဒါဟွာနကာရိဏသ္တတ္တွဇ္ဉာနဒွါရာ တသျေၑွရီယၑက္တိရသ္မဘျံ ဒတ္တဝတီ၊
તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યા છે.
4 တတ္သရွွေဏ စာသ္မဘျံ တာဒၖၑာ ဗဟုမူလျာ မဟာပြတိဇ္ဉာ ဒတ္တာ ယာဘိ ရျူယံ သံသာရဝျာပ္တာတ် ကုတ္သိတာဘိလာၐမူလာတ် သရွွနာၑာဒ် ရက္ၐာံ ပြာပျေၑွရီယသွဘာဝသျာံၑိနော ဘဝိတုံ ၑက္နုထ၊
આના દ્વારા, તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં આશાવચનો આપ્યાં છે, જેથી તેઓ ધ્વારા દુનિયામાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
5 တတော ဟေတော ရျူယံ သမ္ပူရ္ဏံ ယတ္နံ ဝိဓာယ ဝိၑွာသေ သော်ဇနျံ သော်ဇနျေ ဇ္ဉာနံ
એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ચરિત્રની સાથે જ્ઞાન,
6 ဇ္ဉာန အာယတေန္ဒြိယတာမ် အာယတေန္ဒြိယတာယာံ ဓဲရျျံ ဓဲရျျ ဤၑွရဘက္တိမ္
જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ભક્તિભાવ,
7 ဤၑွရဘက္တော် ဘြာတၖသ္နေဟေ စ ပြေမ ယုင်္က္တ၊
ભક્તિભાવની સાથે ભાતૃભાવ અને ભાતૃભાવ સાથે પ્રેમ જોડી દો.
8 ဧတာနိ ယဒိ ယုၐ္မာသု ဝိဒျန္တေ ဝရ္ဒ္ဓန္တေ စ တရှျသ္မတ္ပြဘော ရျီၑုခြီၐ္ဋသျ တတ္တွဇ္ဉာနေ ယုၐ္မာန် အလသာန် နိၐ္ဖလာံၑ္စ န သ္ထာပယိၐျန္တိ၊
કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા વૃદ્ધિ પામે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જ્ઞાન વિષે તેઓ તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.
9 ကိန္တွေတာနိ ယသျ န ဝိဒျန္တေ သော 'န္ဓော မုဒြိတလောစနး သွကီယပူရွွပါပါနာံ မာရ္ဇ္ဇနသျ ဝိသ္မၖတိံ ဂတၑ္စ၊
પણ જેની પાસે એ વાનાં નથી તે અંધ છે, તેની દૃષ્ટિ ટૂંકી છે અને તે પોતાનાં અગાઉનાં પાપોથી શુદ્ધ થયો હતો એ બાબત તે ભૂલી ગયો છે.
10 တသ္မာဒ် ဟေ ဘြာတရး, ယူယံ သွကီယာဟွာနဝရဏယော ရ္ဒၖဎကရဏေ ဗဟု ယတဓွံ, တတ် ကၖတွာ ကဒါစ န သ္ခလိၐျထ၊
૧૦તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી ચોક્કસ કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ.
11 ယတော 'နေန ပြကာရေဏာသ္မာကံ ပြဘောသ္တြာတၖ ရျီၑုခြီၐ္ဋသျာနန္တရာဇျသျ ပြဝေၑေန ယူယံ သုကလေန ယောဇယိၐျဓွေ၊ (aiōnios g166)
૧૧કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો. (aiōnios g166)
12 ယဒျပိ ယူယမ် ဧတတ် သရွွံ ဇာနီထ ဝရ္တ္တမာနေ သတျမတေ သုသ္ထိရာ ဘဝထ စ တထာပိ ယုၐ္မာန် သရွွဒါ တတ် သ္မာရယိတုမ် အဟမ် အယတ္နဝါန် န ဘဝိၐျာမိ၊
૧૨એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ.
13 ယာဝဒ် ဧတသ္မိန် ဒူၐျေ တိၐ္ဌာမိ တာဝဒ် ယုၐ္မာန် သ္မာရယန် ပြဗောဓယိတုံ ဝိဟိတံ မနျေ၊
૧૩અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીરમાં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે.
14 ယတော 'သ္မာကံ ပြဘု ရျီၑုခြီၐ္ဋော မာံ ယတ် ဇ္ဉာပိတဝါန် တဒနုသာရာဒ် ဒူၐျမေတတ် မယာ ၑီဃြံ တျက္တဝျမ် ဣတိ ဇာနာမိ၊
૧૪કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે.
15 မမ ပရလောကဂမနာတ် ပရမပိ ယူယံ ယဒေတာနိ သ္မရ္တ္တုံ ၑက္ၐျထ တသ္မိန် သရွွထာ ယတိၐျေ၊
૧૫હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.
16 ယတော 'သ္မာကံ ပြဘော ရျီၑုခြီၐ္ဋသျ ပရာကြမံ ပုနရာဂမနဉ္စ ယုၐ္မာန် ဇ္ဉာပယန္တော ဝယံ ကလ္ပိတာနျုပါချာနာနျနွဂစ္ဆာမေတိ နဟိ ကိန္တု တသျ မဟိမ္နး ပြတျက္ၐသာက္ၐိဏော ဘူတွာ ဘာၐိတဝန္တး၊
૧૬કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા.
17 ယတး သ ပိတုရီၑွရာဒ် ဂေါ်ရဝံ ပြၑံသာဉ္စ ပြာပ္တဝါန် ဝိၑေၐတော မဟိမယုက္တတေဇောမဓျာဒ် ဧတာဒၖၑီ ဝါဏီ တံ ပြတိ နိရ္ဂတဝတီ, ယထာ, ဧၐ မမ ပြိယပုတြ ဧတသ္မိန် မမ ပရမသန္တောၐး၊
૧૭કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, ‘એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,’ ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા.
18 သွရ္ဂာတ် နိရ္ဂတေယံ ဝါဏီ ပဝိတြပရွွတေ တေန သာရ္ဒ္ဓံ ဝိဒျမာနဲရသ္မာဘိရၑြာဝိ၊
૧૮અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી.
19 အပရမ် အသ္မတ္သမီပေ ဒၖဎတရံ ဘဝိၐျဒွါကျံ ဝိဒျတေ ယူယဉ္စ ယဒိ ဒိနာရမ္ဘံ ယုၐ္မန္မနးသု ပြဘာတီယနက္ၐတြသျောဒယဉ္စ ယာဝတ် တိမိရမယေ သ္ထာနေ ဇွလန္တံ ပြဒီပမိဝ တဒ် ဝါကျံ သမ္မနျဓွေ တရှိ ဘဒြံ ကရိၐျထ၊
૧૯અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો.
20 ၑာသ္တြီယံ ကိမပိ ဘဝိၐျဒွါကျံ မနုၐျသျ သွကီယဘာဝဗောဓကံ နဟိ, ဧတဒ် ယုၐ္မာဘိး သမျက် ဇ္ဉာယတာံ၊
૨૦પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંની કોઈ પણ ભવિષ્યવાણી મનુષ્યપ્રેરિત નથી.
21 ယတော ဘဝိၐျဒွါကျံ ပုရာ မာနုၐာဏာမ် ဣစ္ဆာတော နောတ္ပန္နံ ကိန္တွီၑွရသျ ပဝိတြလောကား ပဝိတြေဏာတ္မနာ ပြဝရ္တ္တိတား သန္တော ဝါကျမ် အဘာၐန္တ၊
૨૧કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.

< ၂ ပိတရး 1 >