< লূকঃ 11 >

1 অনন্তরং স কস্মিংশ্চিৎ স্থানে প্রার্থযত তৎসমাপ্তৌ সত্যাং তস্যৈকঃ শিষ্যস্তং জগাদ হে প্রভো যোহন্ যথা স্ৱশিষ্যান্ প্রার্থযিতুম্ উপদিষ্টৱান্ তথা ভৱানপ্যস্মান্ উপদিশতু|
એમ થયું કે ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. ઈસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ આપ પણ અમને શીખવો.’”
2 তস্মাৎ স কথযামাস, প্রার্থনকালে যূযম্ ইত্থং কথযধ্ৱং, হে অস্মাকং স্ৱর্গস্থপিতস্তৱ নাম পূজ্যং ভৱতু; তৱ রাজৎৱং ভৱতু; স্ৱর্গে যথা তথা পৃথিৱ্যামপি তৱেচ্ছযা সর্ৱ্ৱং ভৱতু|
ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
3 প্রত্যহম্ অস্মাকং প্রযোজনীযং ভোজ্যং দেহি|
દિવસની અમારી રોટલી આજ અમને આપો;
4 যথা ৱযং সর্ৱ্ৱান্ অপরাধিনঃ ক্ষমামহে তথা ৎৱমপি পাপান্যস্মাকং ক্ষমস্ৱ| অস্মান্ পরীক্ষাং মানয কিন্তু পাপাত্মনো রক্ষ|
અને અમારાં પાપ અમને માફ કરો; કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.
5 পশ্চাৎ সোপরমপি কথিতৱান্ যদি যুষ্মাকং কস্যচিদ্ বন্ধুস্তিষ্ঠতি নিশীথে চ তস্য সমীপং স গৎৱা ৱদতি,
ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ,
6 হে বন্ধো পথিক একো বন্ধু র্মম নিৱেশনম্ আযাতঃ কিন্তু তস্যাতিথ্যং কর্ত্তুং মমান্তিকে কিমপি নাস্তি, অতএৱ পূপত্রযং মহ্যম্ ঋণং দেহি;
કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી,
7 তদা স যদি গৃহমধ্যাৎ প্রতিৱদতি মাং মা ক্লিশান, ইদানীং দ্ৱারং রুদ্ধং শযনে মযা সহ বালকাশ্চ তিষ্ঠন্তি তুভ্যং দাতুম্ উত্থাতুং ন শক্নোমি,
તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, મને હેરાન કરીશ નહિ, હમણાં બારણું બંધ છે, મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઊઠીને તને તે આપી શકતો નથી?
8 তর্হি যুষ্মানহং ৱদামি, স যদি মিত্রতযা তস্মৈ কিমপি দাতুং নোত্তিষ্ঠতি তথাপি ৱারং ৱারং প্রার্থনাত উত্থাপিতঃ সন্ যস্মিন্ তস্য প্রযোজনং তদেৱ দাস্যতি|
હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને તેને જોઈએ તેટલી રોટલી તેને આપશે.
9 অতঃ কারণাৎ কথযামি, যাচধ্ৱং ততো যুষ্মভ্যং দাস্যতে, মৃগযধ্ৱং তত উদ্দেশং প্রাপ্স্যথ, দ্ৱারম্ আহত ততো যুষ্মভ্যং দ্ৱারং মোক্ষ্যতে|
હું તમને કહું છું કે, માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે.
10 ১০ যো যাচতে স প্রাপ্নোতি, যো মৃগযতে স এৱোদ্দেশং প্রাপ্নোতি, যো দ্ৱারম্ আহন্তি তদর্থং দ্ৱারং মোচ্যতে|
૧૦કેમ કે જે કોઈ માગે છે તેઓ પામે છે, અને જે શોધે છે તેઓને જડે છે, અને જે ખટખટાવે છે તેઓને સારુ ઉઘાડવામાં આવશે.
11 ১১ পুত্রেণ পূপে যাচিতে তস্মৈ পাষাণং দদাতি ৱা মৎস্যে যাচিতে তস্মৈ সর্পং দদাতি
૧૧વળી તમારામાંનો એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે?
12 ১২ ৱা অণ্ডে যাচিতে তস্মৈ ৱৃশ্চিকং দদাতি যুষ্মাকং মধ্যে ক এতাদৃশঃ পিতাস্তে?
૧૨અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે?
13 ১৩ তস্মাদেৱ যূযমভদ্রা অপি যদি স্ৱস্ৱবালকেভ্য উত্তমানি দ্রৱ্যাণি দাতুং জানীথ তর্হ্যস্মাকং স্ৱর্গস্থঃ পিতা নিজযাচকেভ্যঃ কিং পৱিত্রম্ আত্মানং ন দাস্যতি?
૧૩માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’”
14 ১৪ অনন্তরং যীশুনা কস্মাচ্চিদ্ একস্মিন্ মূকভূতে ত্যাজিতে সতি স ভূতত্যক্তো মানুষো ৱাক্যং ৱক্তুম্ আরেভে; ততো লোকাঃ সকলা আশ্চর্য্যং মেনিরে|
૧૪ઈસુ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતા હતા. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું.
15 ১৫ কিন্তু তেষাং কেচিদূচু র্জনোযং বালসিবূবা অর্থাদ্ ভূতরাজেন ভূতান্ ত্যাজযতি|
૧૫પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, ‘દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે.’”
16 ১৬ তং পরীক্ষিতুং কেচিদ্ আকাশীযম্ একং চিহ্নং দর্শযিতুং তং প্রার্থযাঞ্চক্রিরে|
૧૬બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું.
17 ১৭ তদা স তেষাং মনঃকল্পনাং জ্ঞাৎৱা কথযামাস, কস্যচিদ্ রাজ্যস্য লোকা যদি পরস্পরং ৱিরুন্ধন্তি তর্হি তদ্ রাজ্যম্ নশ্যতি; কেচিদ্ গৃহস্থা যদি পরস্পরং ৱিরুন্ধন্তি তর্হি তেপি নশ্যন্তি|
૧૭પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, ‘દરેક રાજ્ય જેમાં ભાગલો પડે છે તે ઉજ્જડ થાય છે; અને દરેક ઘર જેમાં ભાગલો પડે, તો તે પડી જાય છે.
18 ১৮ তথৈৱ শৈতানপি স্ৱলোকান্ যদি ৱিরুণদ্ধি তদা তস্য রাজ্যং কথং স্থাস্যতি? বালসিবূবাহং ভূতান্ ত্যাজযামি যূযমিতি ৱদথ|
૧૮જો શેતાન પણ પોતાની વચ્ચે ભાગલો પાડે તો તેનું રાજ્ય કેમ ટકે? હું એટલા માટે કહું છું કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું દુષ્ટાત્માઓને કાઢું છું.
19 ১৯ যদ্যহং বালসিবূবা ভূতান্ ত্যাজযামি তর্হি যুষ্মাকং সন্তানাঃ কেন ত্যাজযন্তি? তস্মাৎ তএৱ কথাযা এতস্যা ৱিচারযিতারো ভৱিষ্যন্তি|
૧૯જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી દુષ્ટાત્માઓ કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
20 ২০ কিন্তু যদ্যহম্ ঈশ্ৱরস্য পরাক্রমেণ ভূতান্ ত্যাজযামি তর্হি যুষ্মাকং নিকটম্ ঈশ্ৱরস্য রাজ্যমৱশ্যম্ উপতিষ্ঠতি|
૨૦પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.
21 ২১ বলৱান্ পুমান্ সুসজ্জমানো যতিকালং নিজাট্টালিকাং রক্ষতি ততিকালং তস্য দ্রৱ্যং নিরুপদ্রৱং তিষ্ঠতি|
૨૧બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાના ઘરને સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;
22 ২২ কিন্তু তস্মাদ্ অধিকবলঃ কশ্চিদাগত্য যদি তং জযতি তর্হি যেষু শস্ত্রাস্ত্রেষু তস্য ৱিশ্ৱাস আসীৎ তানি সর্ৱ্ৱাণি হৃৎৱা তস্য দ্রৱ্যাণি গৃহ্লাতি|
૨૨પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.
23 ২৩ অতঃ কারণাদ্ যো মম সপক্ষো ন স ৱিপক্ষঃ, যো মযা সহ ন সংগৃহ্লাতি স ৱিকিরতি|
૨૩જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.
24 ২৪ অপরঞ্চ অমেধ্যভূতো মানুষস্যান্তর্নির্গত্য শুষ্কস্থানে ভ্রান্ত্ৱা ৱিশ্রামং মৃগযতে কিন্তু ন প্রাপ্য ৱদতি মম যস্মাদ্ গৃহাদ্ আগতোহং পুনস্তদ্ গৃহং পরাৱৃত্য যামি|
૨૪અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જન જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.
25 ২৫ ততো গৎৱা তদ্ গৃহং মার্জিতং শোভিতঞ্চ দৃষ্ট্ৱা
૨૫અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે.
26 ২৬ তৎক্ষণম্ অপগত্য স্ৱস্মাদপি দুর্ম্মতীন্ অপরান্ সপ্তভূতান্ সহানযতি তে চ তদ্গৃহং পৱিশ্য নিৱসন্তি| তস্মাৎ তস্য মনুষ্যস্য প্রথমদশাতঃ শেষদশা দুঃখতরা ভৱতি|
૨૬ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.’”
27 ২৭ অস্যাঃ কথাযাঃ কথনকালে জনতামধ্যস্থা কাচিন্নারী তমুচ্চৈঃস্ৱরং প্রোৱাচ, যা যোষিৎ ৎৱাং গর্ব্ভেঽধারযৎ স্তন্যমপাযযচ্চ সৈৱ ধন্যা|
૨૭એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’”
28 ২৮ কিন্তু সোকথযৎ যে পরমেশ্ৱরস্য কথাং শ্রুৎৱা তদনুরূপম্ আচরন্তি তএৱ ধন্যাঃ|
૨૮પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”
29 ২৯ ততঃ পরং তস্যান্তিকে বহুলোকানাং সমাগমে জাতে স ৱক্তুমারেভে, আধুনিকা দুষ্টলোকাশ্চিহ্নং দ্রষ্টুমিচ্ছন্তি কিন্তু যূনস্ভৱিষ্যদ্ৱাদিনশ্চিহ্নং ৱিনান্যৎ কিঞ্চিচ্চিহ্নং তান্ ন দর্শযিষ্যতে|
૨૯સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, ‘આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાનાં ચમત્કારિક ચિહ્ન વિના બીજું ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.
30 ৩০ যূনস্ তু যথা নীনিৱীযলোকানাং সমীপে চিহ্নরূপোভৱৎ তথা ৱিদ্যমানলোকানাম্ এষাং সমীপে মনুষ্যপুত্রোপি চিহ্নরূপো ভৱিষ্যতি|
૩૦કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.’”
31 ৩১ ৱিচারসমযে ইদানীন্তনলোকানাং প্রাতিকূল্যেন দক্ষিণদেশীযা রাজ্ঞী প্রোত্থায তান্ দোষিণঃ করিষ্যতি, যতঃ সা রাজ্ঞী সুলেমান উপদেশকথাং শ্রোতুং পৃথিৱ্যাঃ সীমাত আগচ্ছৎ কিন্তু পশ্যত সুলেমানোপি গুরুতর একো জনোঽস্মিন্ স্থানে ৱিদ্যতে|
૩૧દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
32 ৩২ অপরঞ্চ ৱিচারসমযে নীনিৱীযলোকা অপি ৱর্ত্তমানকালিকানাং লোকানাং ৱৈপরীত্যেন প্রোত্থায তান্ দোষিণঃ করিষ্যন্তি, যতো হেতোস্তে যূনসো ৱাক্যাৎ চিত্তানি পরিৱর্ত্তযামাসুঃ কিন্তু পশ্যত যূনসোতিগুরুতর একো জনোঽস্মিন্ স্থানে ৱিদ্যতে|
૩૨નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
33 ৩৩ প্রদীপং প্রজ্ৱাল্য দ্রোণস্যাধঃ কুত্রাপি গুপ্তস্থানে ৱা কোপি ন স্থাপযতি কিন্তু গৃহপ্রৱেশিভ্যো দীপ্তিং দাতং দীপাধারোপর্য্যেৱ স্থাপযতি|
૩૩કોઈ માણસ દીવો સળગાવીને તેને સંતાડી મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ.
34 ৩৪ দেহস্য প্রদীপশ্চক্ষুস্তস্মাদেৱ চক্ষু র্যদি প্রসন্নং ভৱতি তর্হি তৱ সর্ৱ্ৱশরীরং দীপ্তিমদ্ ভৱিষ্যতি কিন্তু চক্ষু র্যদি মলীমসং তিষ্ঠতি তর্হি সর্ৱ্ৱশরীরং সান্ধকারং স্থাস্যতি|
૩૪તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું થશે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું રહેશે;
35 ৩৫ অস্মাৎ কারণাৎ তৱান্তঃস্থং জ্যোতি র্যথান্ধকারমযং ন ভৱতি তদর্থে সাৱধানো ভৱ|
૩૫તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે.
36 ৩৬ যতঃ শরীরস্য কুত্রাপ্যংশে সান্ধকারে ন জাতে সর্ৱ্ৱং যদি দীপ্তিমৎ তিষ্ঠতি তর্হি তুভ্যং দীপ্তিদাযিপ্রোজ্জ্ৱলন্ প্রদীপ ইৱ তৱ সৱর্ৱশরীরং দীপ্তিমদ্ ভৱিষ্যতি|
૩૬જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું આખું શરીર પ્રકાશથી ભરેલું થશે.’”
37 ৩৭ এতৎকথাযাঃ কথনকালে ফিরুশ্যেকো ভেজনায তং নিমন্ত্রযামাস, ততঃ স গৎৱা ভোক্তুম্ উপৱিৱেশ|
૩૭ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા.
38 ৩৮ কিন্তু ভোজনাৎ পূর্ৱ্ৱং নামাঙ্ক্ষীৎ এতদ্ দৃষ্ট্ৱা স ফিরুশ্যাশ্চর্য্যং মেনে|
૩૮ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.
39 ৩৯ তদা প্রভুস্তং প্রোৱাচ যূযং ফিরূশিলোকাঃ পানপাত্রাণাং ভোজনপাত্রাণাঞ্চ বহিঃ পরিষ্কুরুথ কিন্তু যুষ্মাকমন্ত র্দৌরাত্ম্যৈ র্দুষ্ক্রিযাভিশ্চ পরিপূর্ণং তিষ্ঠতি|
૩૯પ્રભુએ તેને કહ્યું કે, ‘તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી સાફ કરો છો; પણ તમારું અંતર લોભ તથા દુષ્ટતાથી ભરેલું છે.
40 ৪০ হে সর্ৱ্ৱে নির্বোধা যো বহিঃ সসর্জ স এৱ কিমন্ত র্ন সসর্জ?
૪૦અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું?
41 ৪১ তত এৱ যুষ্মাভিরন্তঃকরণং (ঈশ্ৱরায) নিৱেদ্যতাং তস্মিন্ কৃতে যুষ্মাকং সর্ৱ্ৱাণি শুচিতাং যাস্যন্তি|
૪૧જે અંદર છે તે પ્રમાણે તમારે દાન આપવું અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.
42 ৪২ কিন্তু হন্ত ফিরূশিগণা যূযং ন্যাযম্ ঈশ্ৱরে প্রেম চ পরিত্যজ্য পোদিনাযা অরুদাদীনাং সর্ৱ্ৱেষাং শাকানাঞ্চ দশমাংশান্ দত্থ কিন্তু প্রথমং পালযিৎৱা শেষস্যালঙ্ঘনং যুষ্মাকম্ উচিতমাসীৎ|
૪૨પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા સિતાબનું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
43 ৪৩ হা হা ফিরূশিনো যূযং ভজনগেহে প্রোচ্চাসনে আপণেষু চ নমস্কারেষু প্রীযধ্ৱে|
૪૩તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે.
44 ৪৪ ৱত কপটিনোঽধ্যাপকাঃ ফিরূশিনশ্চ লোকাযৎ শ্মশানম্ অনুপলভ্য তদুপরি গচ্ছন্তি যূযম্ তাদৃগপ্রকাশিতশ্মশানৱাদ্ ভৱথ|
૪૪તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.’”
45 ৪৫ তদানীং ৱ্যৱস্থাপকানাম্ একা যীশুমৱদৎ, হে উপদেশক ৱাক্যেনেদৃশেনাস্মাস্ৱপি দোষম্ আরোপযসি|
૪૫ત્યારે નિયમશાસ્ત્રીઓમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.’”
46 ৪৬ ততঃ স উৱাচ, হা হা ৱ্যৱস্থাপকা যূযম্ মানুষাণাম্ উপরি দুঃসহ্যান্ ভারান্ ন্যস্যথ কিন্তু স্ৱযম্ একাঙ্গুল্যাপি তান্ ভারান্ ন স্পৃশথ|
૪૬ઈસુએ કહ્યું કે, ‘ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.
47 ৪৭ হন্ত যুষ্মাকং পূর্ৱ্ৱপুরুষা যান্ ভৱিষ্যদ্ৱাদিনোঽৱধিষুস্তেষাং শ্মশানানি যূযং নির্ম্মাথ|
૪૭તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા.
48 ৪৮ তেনৈৱ যূযং স্ৱপূর্ৱ্ৱপুরুষাণাং কর্ম্মাণি সংমন্যধ্ৱে তদেৱ সপ্রমাণং কুরুথ চ, যতস্তে তানৱধিষুঃ যূযং তেষাং শ্মশানানি নির্ম্মাথ|
૪૮તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો.
49 ৪৯ অতএৱ ঈশ্ৱরস্য শাস্ত্রে প্রোক্তমস্তি তেষামন্তিকে ভৱিষ্যদ্ৱাদিনঃ প্রেরিতাংশ্চ প্রেষযিষ্যামি ততস্তে তেষাং কাংশ্চন হনিষ্যন্তি কাংশ্চন তাডশ্ষ্যিন্তি|
૪૯એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે;
50 ৫০ এতস্মাৎ কারণাৎ হাবিলঃ শোণিতপাতমারভ্য মন্দিরযজ্ঞৱেদ্যো র্মধ্যে হতস্য সিখরিযস্য রক্তপাতপর্য্যন্তং
૫૦જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહી આ પેઢીના લોકો પાસેથી માગવામાં આવશે;
51 ৫১ জগতঃ সৃষ্টিমারভ্য পৃথিৱ্যাং ভৱিষ্যদ্ৱাদিনাং যতিরক্তপাতা জাতাস্ততীনাম্ অপরাধদণ্ডা এষাং ৱর্ত্তমানলোকানাং ভৱিষ্যন্তি, যুষ্মানহং নিশ্চিতং ৱদামি সর্ৱ্ৱে দণ্ডা ৱংশস্যাস্য ভৱিষ্যন্তি|
૫૧હા, હું તમને કહું છું કે ‘હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.
52 ৫২ হা হা ৱ্যৱস্থপকা যূযং জ্ঞানস্য কুঞ্চিকাং হৃৎৱা স্ৱযং ন প্রৱিষ্টা যে প্রৱেষ্টুঞ্চ প্রযাসিনস্তানপি প্রৱেষ্টুং ৱারিতৱন্তঃ|
૫૨તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’”
53 ৫৩ ইত্থং কথাকথনাদ্ অধ্যাপকাঃ ফিরূশিনশ্চ সতর্কাঃ
૫૩ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીને ઉશ્કેરવા લાગ્યા.
54 ৫৪ সন্তস্তমপৱদিতুং তস্য কথাযা দোষং ধর্ত্তমিচ্ছন্তো নানাখ্যানকথনায তং প্রৱর্ত্তযিতুং কোপযিতুঞ্চ প্রারেভিরে|
૫૪તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.

< লূকঃ 11 >