< ၃ ဓမ္မရာဇဝင် 15 >

1
ઇઝરાયલના રાજા નબાટના દીકરા યરોબામના અઢારમા વર્ષે અબિયામ યહૂદિયાનો રાજા બન્યો.
2 နေဗတ် ၏သား ယေရောဗောင် မင်းကြီး နန်းစံတဆယ် ရှစ် နှစ် တွင် ၊ အဘိယ သည် ယေရုရှလင် မြို့၌ မင်းပြု ၍၊ ယုဒ ပြည်ကို သုံး နှစ် စိုးစံ ၏။ မယ်တော် ကား၊ အဘရှလုံ ၏ သမီး မာခါ အမည် ရှိ၏။
તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ્ય કર્યુ. અબીશાલોમની પુત્રી માકા તેની માતા હતી.
3 ခမည်းတော် ပြုသောဒုစရိုက် ကို ပြု မြဲပြု၍ ၊ ဘေး တော်ဒါဝိဒ် ကဲ့သို့ မိမိ ဘုရားသခင် ထာဝရဘုရား ရှေ့ တော်၌ စိတ် နှလုံးစုံလင် သည်မ ဟုတ်။
તેના પિતાએ તેના સમયમાં અને તેની પહેલાં જે જે પાપો કર્યાં હતાં, તે સર્વ પાપ તેણે કર્યા. તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ ન હતું.
4 သို့သော်လည်း ဒါဝိဒ် ၏မျက်နှာကိုထောက်၍ ၊ သူ ၏ဘုရားသခင် ထာဝရဘုရား သည် ဆွေ တော်မျိုးတော် ကို ချီးမြှောက် ၍၊ ယေရုရှလင် မြို့ကို တည် စေသဖြင့် ၊ ထိုမြို့ ၌ ဒါဝိဒ်၏မီးခွက် ကို ထွန်းလင်းစေတော်မူ၏။
તેમ છતાં દાઉદની ખાતર તેના ઈશ્વર યહોવાહે યરુશાલેમમાં તેના કુટુંબનો દીવો સળગતો રાખ્યો. એટલે તેના પછી યરુશાલેમને સ્થાપિત રાખવા માટે તેણે તેને પુત્ર આપ્યો.
5 အကြောင်း မူကား၊ ဒါဝိဒ် သည် ဟိတ္တိ အမျိုး ဥရိယ အမှု ကိုထားလျှင်၊ တသက်လုံး ထာဝရဘုရားမှာ ထား တော်မူသော အမှု တစုံတခုကိုမျှ မ ရှောင် ၊ ရှေ့ တော်၌ တရား သဖြင့် ကျင့် သောအကြောင်းတည်း။
તેણે ફક્ત ઉરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાહની દ્રષ્ટિમાં જે યોગ્ય હતું તે જ કર્યું અને જીવનપર્યત ઈશ્વરે તેને જે જે આજ્ઞાઓ આપી તેમાંથી આડોઅવળો ગયો ન હતો.
6 ရောဗောင် သား အဘိယနှင့် ယေရောဗောင် တို့သည် အသက် ရှည်သမျှ ကာလပတ်လုံး ရန်ဘက် ပြု ကြ၏။
રહાબામના પુત્ર અને યરોબામના પુત્ર વચ્ચે અહિયાના જીવનના દિવસો દરમિયાન સતત વિગ્રહ ચાલુ રહ્યો.
7 အဘိယ ပြုမူ သော အမှုအရာ ကြွင်း သမျှ တို့သည် ယုဒ ရာဇဝင် ၌ ရေးထား လျက်ရှိ၏။
અબિયામનાં બાકીનાં કાર્યો, તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાના પુસ્તકમાં લખેલા નથી શું? અબિયામ અને યરોબામ વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો.
8 အဘိယ သည်ဘိုးဘေး တို့နှင့် အိပ်ပျော် ၍ ဒါဝိဒ် မြို့ ၌ သင်္ဂြိုဟ် ခြင်းကိုခံ လေ၏။ သား တော်အာသ သည် ခမည်းတော် အရာ ၌ နန်း ထိုင်၏။
પછી અબિયામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આસા રાજા બન્યો.
9 ဣသရေလ ရှင်ဘုရင် ယေရောဗောင် နန်းစံနှစ် ဆယ်တွင် ၊ အာသ သည် ယေရုရှလင် မြို့၌ လေး ဆယ်တ နှစ် မင်းပြု ၍ ယုဒ ပြည်ကို စိုးစံ လေ၏။
ઇઝરાયલના રાજા યરોબામના રાજયકાળના વીસમા વર્ષે આસા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
10 ၁၀ အဘွားတော်ကား၊ အဘရှလုံ ၏သမီး မာခါ ဖြစ်၏။
૧૦તેણે યરુશાલેમમાં એકતાળીસ વર્ષ રાજ કર્યું, તેની દાદીનું નામ માકા હતું અને તે અબીશાલોમની પુત્રી હતી.
11 ၁၁ အာသ သည် အဘိ တော်ဒါဝိဒ် ပြုသကဲ့သို့ ထာဝရဘုရား ရှေ့ တော်၌ တရား သဖြင့်ပြု ၏။
૧૧જેમ તેના પિતા દાઉદે કર્યું તેમ આસાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
12 ၁၂ ယောက်ျားအလိုသို့ လိုက်တတ်သောမိန်းမလျှာ တို့ကို၎င်း ၊ ဘိုး တော်ဘေးတော်လုပ် သော ရုပ်တု ရှိသမျှ တို့ကို၎င်း၊ ပြည် တော်ထဲက ပယ်ရှား တော်မူ၏။
૧૨તેણે સજાતીય સંબંધો રાખનારાઓને દેશમાંથી કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી.
13 ၁၃ အဘွားတော်မာခါ သည် အာရှရ ပင်အဘို့ ရုပ်တု ကိုလုပ် သောကြောင့် ၊ မိဖုရား အရာကိုနှုတ် ၍ ၊ ရုပ်တု ကို ဖျက်ဆီး ပြီးလျှင် ၊ ကေဒြုန် ချောင်း နား မှာ မီးရှို့ တော်မူ၏။
૧૩તેણે તેની દાદી માકાને પણ રાજમાતાના પદ પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા દેવીની પૂજા માટે એક ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદ્રોનની ખીણમાં બાળી મૂકી.
14 ၁၄ မြင့် သောအရပ်တို့ကို မ ပယ်ရှား သော်လည်း ၊ လက်ထက်တော် ကာလ ပတ်လုံး၊ အာသ စိတ် နှလုံးသည် ထာဝရဘုရား ရှေ့ တော်၌ စုံလင် ခြင်းရှိ ၏။
૧૪પણ ઉચ્ચસ્થાનોને દૂર કરવામાં આવ્યા નહિ, તેમ છતાં આસાનું હૃદય તેના જીવનના સર્વ દિવસો સુધી યહોવાહ પ્રત્યે સંપૂર્ણ હતું.
15 ၁၅ ခမည်းတော် လှူ သောဥစ္စာ၊ ကိုယ်တိုင်လှူ သော ဥစ္စာ၊ ရွှေ ၊ ငွေ ၊ တန်ဆာ များကို ဗိမာန် တော်ထဲသို့ သွင်း တော်မူ၏။
૧૫તેના પિતાએ તેમ જ તેણે પોતે અર્પણ કરેલી વસ્તુઓ એટલે સોનું, ચાંદી અને પાત્રો તે યહોવાહના ભક્તિસ્થાનમાં લાવ્યો.
16 ၁၆ အာသ နှင့် ဣသရေလ ရှင်ဘုရင် ဗာရှာ တို့သည် အသက်ရှည်သမျှ ကာလ ပတ်လုံး ရန်ဘက် ပြု ကြ၏။
૧૬ઇઝરાયલના રાજા બાશા અને આસા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત લડાઇ ચાલ્યા કરી.
17 ၁၇ ဣသရေလ ရှင်ဘုရင် ဗာရှာ သည် ယုဒ ပြည်သို့ စစ်ချီ ၍ ၊ ယုဒ ရှင်ဘုရင် အာသ ထံ သို့အဘယ်သူမျှမ ထွက် မဝင်စေခြင်းငှါရာမ မြို့ကို တည် ၏။
૧૭ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી અને રામા નગરને બાંધ્યું. જેથી યહૂદિયાના રાજા આસાના દેશમાં તે કોઈને પણ અંદર કે બહાર આવવા કે જવા ના દે.
18 ၁၈ ထိုအခါ ကျန်ကြွင်း သော ဗိမာန် တော်ဘဏ္ဍာ နှင့် နန်း တော်ဘဏ္ဍာ တည်းဟူသောရွှေ ငွေ ရှိသမျှ ကို အာသ သည်ယူ ၍ မိမိ ကျွန် တို့၌ အပ် သဖြင့် ၊ ဒမာသက် မြို့မှာ နေ သောရှုရိ ရှင်ဘုရင် ရေဇုန် သား တာဗရိမုန် ၏သား ဗင်္ဟာဒဒ် ထံ သို့ပေး လိုက်၍၊
૧૮પછી આસાએ યહોવાહનું ભક્તિસ્થાનમાં તથા રાજમહેલના ભંડારોમાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કસમાં રહેતા અરામના રાજા હેઝ્યોનના પુત્ર, ટાબ્રિમ્મોનના પુત્ર બેન-હદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. તેઓએ રાજાને કહ્યું કે,
19 ၁၉ ငါ သည်သင် နှင့် ၎င်း၊ ငါ့ ခမည်းတော် သည် သင့် ခမည်းတော် နှင့်၎င်း၊ မိဿဟာယ ဖွဲ့ခြင်းရှိသည်ဖြစ်၍၊ ရွှေ ငွေ ကို ငါလက်ဆောင် ပေး လိုက်၏။ ဣသရေလ ရှင်ဘုရင် ဗာရှာ သည် ငါ့ ထံမှ ထွက်သွား စေခြင်းငှါ ၊ သူနှင့် ဖွဲ့သော မိဿဟာယ ကို ဖျက် ၍လာ ပါဟု မှာ လိုက်လေ၏။
૧૯“તારા પિતા અને મારા પિતા વચ્ચે શાંતિકરાર હતો તેમ મારી અને તારી વચ્ચે પણ શાંતિકરાર થાય. જો હું તને સોનાચાંદીની ભેટ મોકલું છું. તું ઇઝરાયલના રાજા બાશા સાથેનો શાંતિકરાર તોડી નાખ. કે જેથી તે મારી પાસેથી એટલે મારા દેશમાંથી જતો રહે.”
20 ၂၀ အာသ မင်းကြီး ၏ စကားကို ဗင်္ဟာဒဒ် သည် နားထောင် ၍ ၊ ဣသရေလ မြို့ ရွာတို့ကို စစ်ချီစေခြင်းငှါမိမိ ဗိုလ် များကို စေလွှတ် သဖြင့် ၊ သူတို့သည် ဣယုန် မြို့၊ ဒန် မြို့၊ အာဗေလဗက်မာခါ မြို့မှစ၍ ဂင်္နေသရက် ပြည်လုံး ၊ နဿလိ ပြည် လုံး ကို လုပ်ကြံ ကြ၏။
૨૦બેનહદાદે આસા રાજાનું કહેવું માન્યું અને તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે ચઢાઈ કરવા મોકલ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માઅખાહ, આખું કિન્નેરેથ અને આખા નફતાલી પ્રદેશ પર હુમલો કર્યો.
21 ၂၁ ထိုသိတင်းကို ဗာရှာ သည် ကြား သောအခါ ၊ ရာမ မြို့ကို လက်စ မသတ်ဘဲ တိရဇ မြို့၌ နေ ရ၏။
૨૧એમ થયું કે બાશાએ આ સાંભળ્યું ત્યારે તેણે રામા નગરનું બાંધકામ પડતું મૂકયું અને પાછો તિર્સા ચાલ્યો ગયો.
22 ၂၂ ထိုအခါ အာသ မင်းကြီး သည် ယုဒ ပြည် တရှောက်လုံး တွင် အမိန့် တော်ကို ကြော်ငြာစေသဖြင့်၊ ပြည်သားတယောက် မျှ မလွတ် ၊ ရှိသမျှတို့သည် ရာမ မြို့၌ ဗာရှာ မင်းသွင်းသော ကျောက် နှင့် သစ်သား ကိုယူသွား ကြ၍ ၊ အာသ မင်းကြီး သည် ဗင်္ယာမိန် ခရိုင်၌ ဂေဘ မြို့နှင့် မိဇပါ မြို့ကို တည် ၏။
૨૨પછી આસા રાજાએ આખા યહૂદિયામાં જાહેરાત કરી. કોઈને છૂટ આપવામાં આવી નહિ. જે પથ્થરો અને લાકડાં વડે રામા નગરને બાશાએ બાંધ્યું હતું. તે પથ્થર તથા લાકડાં તેઓ ઉઠાવી લાવ્યા. પછી આસા રાજાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પા બાંધવા માટે કર્યો.
23 ၂၃ အာသ မင်းပြုမူ သော အမှုအရာ ကြွင်း သမျှ နှင့် တန်ခိုး ကြီးခြင်း၊ မြို့ များကိုတည် ခြင်းအရာတို့သည် ယုဒ ရာဇဝင် ၌ ရေးထား လျက်ရှိ၏။ သို့ရာတွင် အသက် ကြီးသောအခါခြေ တော်၌ အနာ ရောဂါစွဲသဖြင့်၊
૨૩આસાનાં બાકીનાં સર્વ કાર્યો, તેનાં સર્વ પરાક્રમો અને તેણે જે સર્વ કર્યું તે, તેમ જ તેણે બંધાવેલાં નગરો તે બધી બાબતો વિષે યહૂદિયાના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? વૃદ્ધાવસ્થામાં તેને પગમાં રોગ લાગુ પડયો.
24 ၂၄ ဘိုးဘေး တို့နှင့် အိပ်ပျော် ၍ အဘိ တော်ဒါဝိဒ် မြို့ ၌ သင်္ဂြိုဟ် ခြင်းကိုခံလေ၏။ သား တော်ယောရှဖတ် သည် ခမည်းတော် အရာ ၌ နန်း ထိုင်၏။
૨૪પછી આસા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. અને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો.
25 ၂၅ ယုဒ ရှင်ဘုရင် အာသ နန်းစံနှစ် နှစ် တွင် ၊ ယေရောဗောင် သား နာဒဒ် သည် ဣသရေလ နိုင်ငံ၌ မင်းပြု ၍ နှစ် နှစ်စိုးစံ ၏။
૨૫યહૂદિયાના રાજા આસાના બીજે વર્ષે યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયલ પર બે વર્ષ સુધી રાજ કર્યું.
26 ၂၆ ထိုမင်းသည် ထာဝရဘုရား ရှေ့ တော်၌ ဒုစရိုက် ကိုပြု ၍ ၊ ခမည်းတော် လိုက် သောလမ်း ၊ ဣသရေလ အမျိုးကို ပြစ်မှား စေသော လမ်းသို့ လိုက်လေ၏။
૨૬તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. તે પોતાના પિતાને માર્ગે ચાલ્યો અને તેનાં પોતાનાં પાપ વડે ઇઝરાયલને પણ પાપ કરાવ્યું.
27 ၂၇ ဣသခါ အမျိုး ၊ အဟိယ သား ဗာရှာ သည် သင်းဖွဲ့ ၍ ၊ နာဒဒ် မင်းနှင့် ဣသရေလ အမျိုးသားအပေါင်း တို့သည် ဖိလိတ္တိ ပြည် ဂိဗေသုန် မြို့ကို ဝိုင်းထား ကြစဉ်၊
૨૭અહિયાનો પુત્ર બાશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બંડ કર્યું. બાશાએ તેને પલિસ્તીઓના નગર ગિબ્બથોન પાસે માર્યો કેમ કે નાદાબ તથા સર્વ ઇઝરાયલે ગિબ્બથોનને ઘેરી લીધું હતું.
28 ၂၈ ယုဒ ရှင်ဘုရင် အာသ နန်းစံသုံး နှစ် တွင် ၊ ဗာရှာ သည် နာဒဒ်မင်းကို လုပ်ကြံ ၍ နန်း ထိုင်လေ၏။
૨૮યહૂદિયાના રાજા આસાના ત્રીજા વર્ષે બાશાએ નાદાબને મારી નાખ્યો અને તેની જગ્યાએ પોતે રાજા બન્યો.
29 ၂၉ နန်း ထိုင်သောအခါ ယေရောဗောင် အမျိုး ရှိသမျှ ကိုလည်း လုပ်ကြံ ၏။ ထာဝရဘုရား သည် မိမိ ကျွန် ၊ ရှိလော မြို့သားအဟိယ အားဖြင့် မိန့် တော်မူသည် အတိုင်း ၊ ယေရောဗောင် အမျိုးကို မဖျက် မှီတိုင်အောင် ၊ အသက်ရှူ သောသူတယောက် ကိုမျှ မ ချန် မထား။
૨૯જેવો તે રાજા બન્યો કે તરત જ તેણે યરોબામના કુટુંબનાં સર્વને મારી નાખ્યાં. તેણે યરોબામના કુટુંબનાં કોઈનેય જીવતાં છોડ્યા નહિ; આ રીતે યહોવાહ જે વાત તેના સેવક શીલોના અહિયા દ્વારા બોલ્યા હતા તે રીતે તેણે તેઓનો નાશ કર્યો.
30 ၃၀ အကြောင်း မူကား၊ ယေရောဗောင် သည် ကိုယ်တိုင်ပြစ်မှား သော အပြစ် နှင့် ဣသရေလ အမျိုးကိုလည်း ပြစ်မှား စေသော အပြစ်အားဖြင့်၊ ဣသရေလ အမျိုး ၏ ဘုရားသခင် ထာဝရဘုရား ၏အမျက် တော်ကို နှိုးဆော်သောအကြောင်းတည်း။
૩૦કારણ કે યરોબામે પાપ કર્યું અને ઇઝરાયલીઓને પણ પાપ કરવા પ્રેર્યા હતા. આમ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને રોષ ચઢાવ્યો હોવાથી આ બન્યું.
31 ၃၁ နာဒဒ် မင်းပြုမူ သော အမှုအရာ ကြွင်း သမျှ တို့ သည် ဣသရေလ ရာဇဝင် ၌ ရေးထား လျက် ရှိ၏။
૩૧નાદાબનાં બાકીનાં કાર્યો અને તેણે જે સર્વ કર્યુ તે બધું ઇઝરાયલના રાજાના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું?
32 ၃၂ အာသ နှင့် ဣသရေလ ရှင်ဘုရင် ဗာရှာ တို့သည် အသက်ရှည်သမျှ ကာလ ပတ်လုံး ရန်ဘက် ပြု ကြ၏။
૩૨યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયલના રાજા બાશા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલ્યા કર્યો.
33 ၃၃ ယုဒ ရှင်ဘုရင် အာသ နန်းစံသုံး နှစ် တွင် ၊ အဟိယ သား ဗာရှာ သည် တိရဇ မြို့မှာ မင်းပြု၍၊ ဣသရေလ နိုင်ငံကို နှစ် ဆယ်လေး နှစ် စိုးစံ ၏။
૩૩યહૂદિયાના રાજા આસાના શાસનકાળનો ત્રીજા વર્ષે અહિયાનો પુત્ર બાશા તિર્સામાં સર્વ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ચોવીસ વર્ષ રાજ કર્યું.
34 ၃၄ ထိုမင်းသည် ထာဝရဘုရား ရှေ့ တော်၌ ဒုစရိုက် ကိုပြု ၍ ၊ ယေရောဗောင် လိုက်သောလမ်း ၊ ဣသရေလ အမျိုးကိုပြစ်မှား စေသော လမ်းသို့ လိုက် လေ၏။
૩૪તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે જ કર્યું. તે યરોબામના માર્ગમાં ચાલ્યો અને તેના પાપ વડે ઇઝરાયલીઓને પણ પાપના માર્ગે દોર્યા.

< ၃ ဓမ္မရာဇဝင် 15 >