< इब्रानियों 10 >
1 मूसे रा बिधान आऊणे वाल़िया खरी चीजा रा सिर्फ एक ट्वांवा ए, ये ट्वांवा तिना रा असली रूप निया। तेसरे नियमा रे मुताबिक हर साल लगातार बलि ई बलि चढ़ाई जाओई। बिधान तिना बलिदानो रे जरिए आराधना करने वाल़ेया खे कदी बी सिद्ध नि करी सकदी।
૧કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી, માટે જે બલિદાનો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.
2 जे से सिद्ध करी सकदा तो बलिदाना रा चढ़ाणा बंद ऊई जांदा। जे परमेशरो री आराधना करने वाल़े एक ई बार शुद्ध ऊई जांदे, तो तिना रा विवेक तिना खे पापी नि ठरांदा।
૨જો એમ હોત, તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓનાં અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતઃવાસના થાત નહિ.
3 पर एबे तो तिना बलिया रे जरिए हर साल पापो खे याद करवाया जाओआ।
૩પણ તે બલિદાનોથી વર્ષોવર્ષ પાપોનું ફરીથી સ્મરણ થયા કરે છે.
4 कऊँकि ये ऊई नि सकदा कि जानवरा रा खून पापो खे दूर करो।
૪કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી.
5 इजी बजअ ते मसीह दुनिया रे आऊँदे बखते बोलोआ, “बलिदान और पेंट तैं नि चायी, पर मेरी खातर एक शरीर त्यार कित्तेया।
૫એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, ‘તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.
6 ऊम-बलिया और पाप-बलिया ते तूँ खुश नि ऊँदा।
૬દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતાં ન હતા.
7 तेबे मैं बोलेया, ‘देख, आऊँ एती ए, पवित्र शास्त्रो रे मेरे बारे रे लिखेया राए ओ परमेशर आँऊ आईगा रा कि तेरी इच्छा पूरी करुँ।’”
૭ત્યારે મેં કહ્યું કે, ‘ઓ ઈશ્વર, જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું.
8 मसीह पईले बोलोआ, “ना तैं बलिदान, पेंट, ऊम-बलिया और पाप-बलिया चाईया और ना ई तिना ते खुश ऊआ,” हालाँकि यो बलिदान बिधानो रे मुताबिक चढ़ाए जाओ थे।
૮ઉપર જયારે તેમણે કહ્યું કે, ‘બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા.
9 तेबे ये बी बोलोआ, “देख, आऊँ आईगा रा, ताकि तेरी इच्छा पूरी करुँ।” तिने पईलका बलिदान टाई ता और मसीह रे बलिदानो खे तिजी री जगा पाँदे राखी ता।
૯ત્યારે તેમણે કહ્યું કે, ‘જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;’ બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે.
10 परमेशरो री तेसा ई इच्छा रे मुताबिक प्रभु यीशु मसीह रे शरीरो रे एक ई बार बलिदान चढ़ाणे रे जरिए सदा खे आसे पवित्र कित्ते।
૧૦તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.
11 पुराणी वाचा रे मुताबिक हर एक पुरोईत तो खड़े ऊई की हर-रोज सेवा करोआ और एक ई जेड़े बलिदानो खे बार-बार चढ़ाओआ। पर ये बलिदान पापो खे कदी बी दूर नि करी सकदे।
૧૧દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી.
12 पर आसा रा प्रदान पुरोईत यीशु मसीह पापो रे बदले एक ई बार सदा खे आपणे आपू खे बलिदान करी चुकी रा। एबे से परमेशरो रे दाँणे कनारे बैठीगे।
૧૨પણ ખ્રિસ્ત તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.
13 तेस बखतो तेई एकी खेई न्याल़ने लगी रा, ताकि तेसरे सारे बैरी तेसरे पैरो निठली चौकी बणो।
૧૩હવે પછી તેમના વૈરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે.
14 कऊँकि मसीहे एक ई बलिदानो रे जरिए सेयो सदा खे सिद्ध बणाईते जो तिना खे लग कित्ते रे ए।
૧૪કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે.
15 पवित्र आत्मा बी आसा खे येई गवाई देओआ। पईले प्रभुए बोलेया था,
૧૫પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે,
16 “प्रभु बोलोआ कि जो वाचा मां तिना दिना ते बाद तिना साथे बानणी, से ये कि मां आपणा बिधान तिना रे दिलो रे लिखणी और मां तिना रे विवेको रे पाणी।”
૧૬‘તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.’”
17 फेर से ये बोलोआ, “मां तिना रे पाप और तिना रे बुरे काम फेर कदी बी याद नि करने।”
૧૭પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’”
18 और जेबे पापो री माफी ऊईगी री, तो तेबे पापो खे केसी बी बलिदानो री जरूरत निए।
૧૮હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી.
19 ओ साथी विश्वासियो, एबे आसा खे पुरा परोसा ए कि आसे प्रभु यीशुए रे खूनो रे जरिए बड़ी पवित्र जगा रे इम्मता साथे जाई सकोए।
૧૯મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે.
20 यीशुए आसा खे आपणे शारीरिक पड़दे रे जरिए एक नई और जिऊँदी बाट खोली ती।
૨૦તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે;
21 और इजी खे कि म्हारा एड़ा महान् पुरोईत ए, जो परमेशरो रे मन्दरो रा अक्कदार ए,
૨૧વળી ઈશ્વરના ઘર પર આપણે માટે એક મોટો યાજક છે,
22 तो आओ आसे सच्चे मनो ते, पूरे विश्वासो साथे परमेशरो रे नेड़े जाऊँए कऊँकि आसे विवेको रा दोष दूर करने खे दिलो पाँदे मसीह रे खूनो रा छड़काओ लयी की और शरीरो खे साफ पाणिए की तुल़ाईता रा ताकि आसे शुद्ध ऊई जाईए।
૨૨તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને, આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાન્નિધ્યમાં જઈએ.
23 और आपणी उम्मीदा रे अंगीकारो खे मजबूतिया रे पकड़ी की राखो। कऊँकि परमेशर जिने वादे कित्ते, से विश्वासो जोगा ए
૨૩આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે.
24 आसे ये बी खास त्यान राखिए कि आसे आपू बीचे प्यार और खरे कामो खे करने खे एकी-दूजे खे औंसला देया करो।
૨૪પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.
25 और आराधना रे एकी-दूजे साथे कट्ठा ऊणा नि छाडो, जेड़ी की बऊत जणेया री रवाज ए, पर एकी-दूजे खे समजयांदे रओ और जिंयाँ-जिंयाँ प्रभुए रे वापस आऊणे रे दिनो खे नेड़े आऊँदे देखो, तिंयाँ-तिंयाँ ओर बी जादा एड़ा करेया करो।
૨૫જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.
26 सच्चाईया खे पछयाणने रे बाद जे आसे जाणी-बूजी की पाप करदे रऊँए, तो पापो खे फेर कोई ओर बलिदान निए।
૨૬કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી,
27 आ, परमेशरो रे न्याय रे दण्डो री एक डराऊणी उम्मीद और आगी रा चराकड़ा बाकि ए, जेसा तेसरे सारे बिरोदी स्वा करी देणे।
૨૭પણ ન્યાયચુકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.
28 तिना दिना रे मूसा रे बिधानो खे ना मानणे वाल़ा दो या तीन जणेया री गवाईया पाँदे, बिना दया ते काया जाओ था।
૨૮જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી.
29 एबे सोची लो कि से और बी कितणे बड़े-पारी दण्डो जोगा ऊणा, जिने परमेशरो रा पुत्र पैरो साथे केसेया और वाचा रे खूने की जेतेरे जरिए से पवित्र ठराया था, अपवित्र जाणेया और कृपा री आत्मा री बेज्जती कित्ती।
૨૯તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?
30 कऊँकि आसे तेसखे जाणूंए, परमेशरे बोलेया, “बदला लणा मेरा काम ए, मां ई बदला लणा।” तेबे तिने ये बी बोलेया, “प्रभुए आपणे लोका रा न्याय करना।”
૩૦કેમ કે ‘બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.’” ત્યાર બાદ ફરી, ‘પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.
31 जिऊँदे परमेशरो रे आथो रे पड़ना डराऊणी गल्ल ए।
૩૧જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.
32 पर तुसे तिना शुरूआता रे दिना खे याद करो, जिना रे तुसे मसीह री ज्योति पाई और बड़े पारी दु: खो रे बी टीके रे रये।
૩૨પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો, કે જેમાં તમે પ્રકાશિત થયા પછી,
33 कदी-कदी तो एड़ा ऊआ कि खुले तौरो पाँदे तुसा री निन्दा ऊई और क्ल़ेश सईन करदे ऊए तुसा रा तमाशा बणेया। कदी-कदी एड़ा ऊआ कि तुसे तिना साथे साजे ऊए जिना रा बऊत बुरा आल करो थे।
૩૩પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો.
34 कऊँकि तुसे कैदिया रे दु: खो रे बी दु: खी ऊए और आपणी जायदात खुशिया साथे लुटणे दित्ती; ये जाणी की कि तुसा गे स्वर्गो रे एक ओर बी खरी और सदा रणे वाल़ी जायदात ए।
૩૪કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા, કે તમારે માટે તેના કરતા વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવેલું છે.
35 इजी री खातर प्रभुए पाँदे आपणा विश्वास बणाए रे राखो। याद राखो कि इजी रा फल बऊत बड़ा ए।
૩૫એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો.
36 कऊँकि तुसा खे सब्र राखणा जरूरी ए, ताकि परमेशरो री इच्छा पूरी करी की तुसा खे वादे रा फल मिलो।
૩૬કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને આશાવચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.
37 जिंयाँ कि पवित्र शास्त्र बोलोआ, “एबे बऊत ई थोड़ा जा बखत रई गा रा, जेबे आऊणे वाल़ा आऊणा और तेस देर नि करनी।
૩૭કેમ કે જે આવવાના છે, તે તદ્દન થોડીવારમાં જ આવશે અને વિલંબ કરશે નહિ.
38 पर मेरा तर्मी मांणू विश्वासो साथे जिऊँदा रणा और जे से माणूं डरी की विश्वासो ते पीछे आटी जाओगा, तो मेरा मन तेसते खुश नि ऊणा।”
૩૮પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.
39 आसे तिना लोका बीचा ते निए जो परमेशरो ते पीछे आटी की नाश ऊई जाओ। बल्कि आसे तिना लोका बीचा ते जो आपणे विश्वासो रे जरिए जिन्दगी पाओए।
૩૯પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.