< 箴言 知恵の泉 8 >

1 智慧は呼はらざるか 聡明は聲を出さざるか
શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી?
2 彼は路のほとりの高處また街衝のなかに立ち
તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
3 邑のもろもろの門 邑の口および門々の入口にて呼はりいふ
અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
4 人々よわれ汝をよび 我が聲をもて人の子等をよぶ
“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
5 拙き者よなんぢら聡明に明かなれ 愚なる者よ汝ら明かなる心を得よ
હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.
6 汝きけ われ善事をかたらん わが口唇をひらきて疋事をいださん
સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે.
7 我が口は眞実を述べわが口唇はあしき事を憎むなり
મારું મુખ સત્ય ઉચ્ચારશે, મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે.
8 わが口の言はみな義し そのうちに虚偽と奸邪とあることなし
મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી.
9 是みな智煮の明かにするところ 知識をうる者の正とするところなり
સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10 なんぢら銀をうくるよりは我が教をうけよ 精金よりもむしろ知識をえよ
૧૦ચાંદી નહિ પણ મારી સલાહ લો અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો.
11 それ智慧は眞珠に愈れり 凡の寳も之に比ぶるに足らず
૧૧કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.
12 われ智慧は聡明をすみかとし 知識と謹愼にいたる
૧૨મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય અને વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું.
13 ヱホバを畏るるとは惡を憎むことなり 我は傲慢と驕奢 惡道と虚偽の口とを憎む
૧૩યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.
14 謀略と聡明は我にあり 我は了知なり 我は能力あり
૧૪ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; મારી પાસે ઊંડી સમજ અને શક્તિ છે.
15 我に由て王者は政をなし 君たる者は義しき律をたて
૧૫મારા દ્વારા જ રાજાઓ રાજ કરે છે અને રાજકર્તાઓ ન્યાય ચૂકવે છે.
16 我によりて主たる者および牧伯たちなど瓦て地の審判人は世ををさむ
૧૬મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17 われを愛する者は我これを愛す 我を切に求むるものは我に遇ん
૧૭મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18 富と榮とは我にあり 貴き寳と公義とも亦然り
૧૮દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19 わが果は金よりも精舎よりも愈り わが利は精銀よりもよし
૧૯મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે.
20 我は義しき道にあゆみ 公平なる路徑のなかを行む
૨૦હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે,
21 これ我を愛する者に貨財をえさせ 又その庫を充しめん爲なり
૨૧જેથી મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપી શકું અને તેઓના ભંડારો ભરપૂર કરી શકું.
22 ヱホバいにしへ其御わざをなしそめたまへる前に その道の始として我をつくりたまひき
૨૨યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ.
23 永遠より元始より地の有ざりし前より我は立られ
૨૩સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
24 いまだ海洋あらず いまだ大なるみづの泉あらざりしとき我すでに生れ
૨૪જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો.
25 山いまださだめられず 陵いまだ有ざりし荊に我すずでに生れたり
૨૫પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો.
26 即ち神いまだ地をも野をも地の塵の根元を石造り給はざりし時なり
૨૬ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27 かれ天をつくり海の面に穹蒼を張たまひしとき我かしこに在りき
૨૭જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28 彼うへに雲氣をかたく定め 淵の泉をつよくならしめ
૨૮જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યાં.
29 海にその限界をたて 水をしてその岸を踰えざらしめ また地の基を定めたまへるとき
૨૯જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી અને તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવાની તેમણે મના ફરમાવી. અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા.
30 我はその傍にありて創造者となり 日々に欣び恒にその前に樂み
૩૦ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું.
31 その地にて樂み又世の人を喜べり
૩૧તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો.
32 されば小子等よ いま我にきけ わが道をまもる者は福ひなり
૩૨મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે.
33 教をききて智慧をえよ 之を棄ることなかれ
૩૩મારી શિખામણ સાંભળીને જ્ઞાની થા; અને તેની અવગણના કરીશ નહિ.
34 凡そ我にきき 日々わが門の傍にまち わが戸口の柱のわきにたつ人は福ひなり
૩૪જે મારું સાંભળે છે તે વ્યક્તિ આશીર્વાદિત છે, અને હંમેશાં મારા દરવાજા સમક્ષ લક્ષ આપે છે; તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે તે પણ આશીર્વાદિત છે.
35 そは我を得る者は生命をえ ヱホバより恩寵を獲ればなり
૩૫કારણ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે, તેઓ યહોવાહની કૃપા પામશે.
36 我を失ふものは自己の生命を害ふ すべて我を惡むものは死を愛するなり
૩૬પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાના આત્માને જ નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુના ચાહકો છે.”

< 箴言 知恵の泉 8 >