< રોમનોને પત્ર 14 >

1 વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ.
ⲁ̅ⲡⲉⲧϭⲟⲟⲃ ⲇⲉ ϣⲟⲡϥ ⲉⲣⲱⲧⲛ ϩⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲉϩⲉⲛϩⲟⲧϩⲧ ⲁⲛ ⲙⲙⲟⲕⲙⲉⲕ
2 કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.
ⲃ̅ⲟⲩⲛ ⲡⲉⲧⲡⲓⲥⲧⲉⲩⲉ ⲙⲉⲛ ⲉⲟⲩⲉⲙ ⲛⲕⲁ ⲛⲓⲙ ⲡⲉⲧϭⲟⲟⲃ ⲇⲉ ϥⲟⲩⲙ ⲟⲩⲟⲟⲧⲉ
3 જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો; અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે.
ⲅ̅ⲙⲡⲣⲧⲣⲉ ⲡⲉⲧⲟⲩⲱⲙ ⲥⲉϣϥ ⲡⲉⲧⲉⲛϥⲟⲩⲱⲙ ⲁⲛ ⲁⲩⲱ ⲙⲡⲣⲧⲣⲉ ⲡⲉⲧⲉⲛϥⲟⲩⲱⲙ ⲁⲛ ⲕⲣⲓⲛⲉ ⲙⲡⲉⲧⲟⲩⲱⲙ ⲡⲛⲟⲩⲧⲉ ⲅⲁⲣ ⲡⲉⲛⲧⲁϥϣⲟⲡϥ ⲉⲣⲟϥ
4 તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.
ⲇ̅ⲛⲧⲕ ⲛⲓⲙ ⲉⲕⲕⲣⲓⲛⲉ ⲛⲟⲩϩⲙϩⲁⲗ ⲉⲙⲡⲱⲕ ⲁⲛ ⲡⲉ ⲉϥⲁϩⲉⲣⲁⲧϥ ⲉⲡⲉϥϫⲟⲉⲓⲥ ⲏ ⲉϥⲛⲁϩⲉ ϥⲛⲁⲁϩⲉ ⲇⲉ ⲉⲣⲁⲧϥ ⲟⲩⲛϭⲟⲙ ⲅⲁⲣ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲉⲧⲁϩⲟϥ ⲉⲣⲁⲧϥ
5 કોઈ એક તો અમુક દિવસને અન્ય દિવસો કરતાં વધારે પવિત્ર માને છે અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે; દરેકે પોતપોતાનાં મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.
ⲉ̅ⲟⲩⲛ ⲡⲉⲧⲕⲕⲣⲓⲛⲉ ⲙⲉⲛ ⲛⲟⲩϩⲟⲟⲩ ⲡⲁⲣⲁ ⲟⲩϩⲟⲟⲩ ⲟⲩⲛ ⲡⲉⲧⲕⲕⲣⲓⲛⲉ ⲇⲉ ⲛϩⲟⲟⲩ ⲛⲓⲙ ⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲙⲁⲣⲉϥⲧⲱⲧ ϩⲙ ⲡⲉϥϩⲏⲧ
6 અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે; જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે.
ⲋ̅ⲡⲉⲧⲙⲉⲉⲩⲉ ⲉⲡⲉϩⲟⲟⲩ ⲉϥⲙⲉⲉⲩⲉ ⲉⲡϫⲟⲉⲓⲥ ⲁⲩⲱ ⲡⲉⲧⲟⲩⲱⲙ ⲉϥⲟⲩⲱⲙ ⲙⲡϫⲟⲉⲓⲥ ϥϣⲡϩⲙⲟⲧ ⲅⲁⲣ ⲛⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲡⲉⲧⲉⲛϥⲟⲩⲱⲙ ⲁⲛ ⲉⲧⲉⲛϥⲟⲩⲱⲙ ⲁⲛ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲁⲩⲱ ϥϣⲡϩⲙⲟⲧ ⲛⲧⲙ ⲡⲛⲟⲩⲧⲉ
7 કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી.
ⲍ̅ⲙⲛ ⲗⲁⲁⲩ ⲅⲁⲣ ⲙⲙⲟⲛ ⲟⲛϩ ⲛⲁϥ ⲁⲩⲱ ⲙⲛ ⲗⲁⲁⲩ ⲙⲙⲟⲛ ⲛⲁⲙⲟⲩ ⲛⲁϥ
8 કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ.
ⲏ̅ⲉϣⲱⲡⲉ ⲅⲁⲣ ⲉⲛϣⲁⲛⲱⲛϩ ⲉⲛⲁⲱⲛϩ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲁⲩⲱ ⲉϣⲱⲡⲉ ⲉⲛϣⲁⲛⲙⲟⲩ ⲉⲛⲁⲙⲟⲩ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲉϣⲱⲡⲉ ϭⲉ ⲉⲛϣⲁⲛⲱⲛϩ ⲉϣⲱⲡⲉ ⲉⲛϣⲁⲛⲙⲟⲩ ⲁⲛⲟⲛ ⲛⲁ ⲡϫⲟⲉⲓⲥ
9 કેમ કે મૃત અને જીવંત બન્નેના તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા.
ⲑ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲅⲁⲣ ⲁⲡⲉⲭⲥ ⲙⲟⲩ ⲁⲩⲱ ⲁϥⲱⲛϩ ϫⲉ ⲉϥⲉⲣϫⲟⲉⲓⲥ ⲉⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲙⲛ ⲛⲉⲧⲟⲛϩ
10 ૧૦ પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે.
ⲓ̅ⲛⲧⲟⲕ ⲇⲉ ⲁϩⲣⲟⲕ ⲕⲕⲣⲓⲛⲉ ⲙⲡⲉⲕⲥⲟⲛ ⲏ ⲁϩⲣⲟⲕ ϩⲱⲱⲕ ⲕⲥⲱϣϥ ⲙⲡⲉⲕⲥⲟⲛ ⲧⲛⲁⲁϩⲉⲣⲁⲧⲛ ⲅⲁⲣ ⲧⲏⲣⲛ ⲉⲡⲃⲏⲙⲁ ⲙⲡⲛⲟⲩⲧⲉ
11 ૧૧ એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.
ⲓ̅ⲁ̅ϥⲥⲏϩ ⲅⲁⲣ ϫⲉ ϯⲟⲛϩ ⲁⲛⲟⲕ ⲡⲉϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ϫⲉ ⲡⲁⲧ ⲛⲓⲙ ⲛⲁⲕⲱⲗϫ ⲛⲁⲓ ⲁⲩⲱ ⲗⲁⲥ ⲛⲓⲙ ⲛⲁⲉⲝⲟⲙⲟⲗⲟⲅⲉⲓ ⲙⲡⲛⲟⲩⲧⲉ
12 ૧૨ એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.
ⲓ̅ⲃ̅ⲉⲓⲉ ⲉⲣⲉⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲙⲙⲟⲛ ⲛⲁϯ ⲗⲟⲅⲟⲥ ϩⲁⲣⲟϥ ⲙⲡⲛⲟⲩⲧⲉ
13 ૧૩ તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.
ⲓ̅ⲅ̅ⲙⲡⲣⲧⲣⲉⲛⲕⲣⲓⲛⲉ ϭⲉ ϫⲓⲛ ⲧⲉⲛⲟⲩ ⲛⲛⲉⲛⲉⲣⲏⲩ ⲁⲗⲗⲁ ⲕⲣⲓⲛⲉ ⲛⲧⲟϥ ⲙⲡⲁⲓ ⲛϩⲟⲩⲟ ⲉⲧⲙⲕⲁϫⲣⲟⲡ ⲙⲡⲉⲕⲥⲟⲛ ⲏ ⲥⲕⲁⲛⲇⲁⲗⲟⲛ
14 ૧૪ હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે.
ⲓ̅ⲇ̅ϯⲥⲟⲟⲩⲛ ⲁⲩⲱ ϯⲡⲓⲑⲉ ϩⲙ ⲡϫⲟⲉⲓⲥ ⲓⲏⲥ ϫⲉ ⲙⲛ ⲗⲁⲁⲩ ⲥⲟⲟϥ ϩⲁⲣⲟϥ ⲙⲁⲩⲁⲁϥ ⲉⲓⲙⲏⲧⲓ ⲙⲡⲉⲧⲙⲉⲉⲩⲉ ϫⲉ ⲡⲁⲓ ⲥⲟⲟϥ ⲉϥⲥⲟⲟϥ ⲙⲡ ⲉⲧⲙⲙⲁⲩ
15 ૧૫ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.
ⲓ̅ⲉ̅ⲉϣϫⲉ ⲉⲧⲃⲉ ⲟⲩϩⲣⲉ ⲅⲁⲣ ⲡⲉⲕⲥⲟⲛ ⲗⲩⲡⲉⲓ ⲉⲓⲉ ⲁⲕⲗⲟ ⲉⲕⲙⲟⲟϣⲉ ⲕⲁⲧⲁ ⲟⲩⲁⲅⲁⲡⲏ ϩⲣⲁⲓ ϩⲛ ⲧⲉⲕϩⲣⲉ ⲙⲡⲣⲙⲉⲩⲧⲡⲏ ⲉⲛⲧⲁ ⲡⲉⲭⲥ ⲙⲟⲩ ϩⲁⲣⲟϥ
16 ૧૬ તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો.
ⲓ̅ⲋ̅ⲙⲡⲣⲧⲣⲉⲩϫⲓⲟⲩⲁ ϭⲉ ⲉⲡⲉⲛⲁⲅⲁⲑⲟⲛ
17 ૧૭ કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.
ⲓ̅ⲍ̅ⲛⲧⲙⲛⲧⲣⲣⲟ ⲅⲁⲣ ⲁⲛ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉ ⲟⲩⲱⲙ ϩⲓⲥⲱ ⲁⲗⲗⲁ ⲟⲩⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲧⲉ ⲙⲛ ⲟⲩⲉⲓⲣⲏⲛⲏ ⲙⲛ ⲟⲩⲣⲁϣⲉ ϩⲙ ⲡⲉⲡⲛⲁ ⲉⲧⲟⲩⲁⲁⲃ
18 ૧૮ કેમ કે તે બાબત માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
ⲓ̅ⲏ̅ⲡⲉⲧϩⲙ ⲡⲁⲓ ⲅⲁⲣ ⲉⲧⲟ ⲙϩⲙϩⲁⲗ ⲙⲡⲉⲭⲥ ϥⲣⲁⲛⲁϥ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲟⲩⲥⲱⲧⲡ ⲛⲣⲱⲙⲉ ⲡⲉ
19 ૧૯ તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.
ⲓ̅ⲑ̅ⲁⲣⲁ ϭⲉ ⲙⲁⲣⲛⲡⲱⲧ ⲛⲥⲁ ⲛⲁ ϯⲣⲏⲛⲏ ⲁⲩⲱ ⲛⲁ ⲡⲕⲱⲧ ⲉϩⲟⲩⲛ ⲉⲛⲉⲛⲉⲣⲏⲩ
20 ૨૦ ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો; બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે.
ⲕ̅ⲉⲧⲃⲉ ⲟⲩϩⲣⲉ ⲙⲡⲣⲕⲁⲧⲁⲗⲩ ⲙⲡϩⲱⲃ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲥⲉⲟⲩⲁⲁⲃ ⲙⲉⲛ ⲧⲏⲣⲟⲩ ⲁⲗⲗⲁ ϥϩⲟⲟⲩ ⲙⲡⲣⲱⲙⲉ ⲉⲧⲛⲁⲟⲩⲱⲙ ϩⲓⲧⲛ ⲟⲩϫⲣⲟⲡ
21 ૨૧ માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.
ⲕ̅ⲁ̅ⲛⲁⲛⲟⲩ ⲧⲙⲟⲩⲉⲙ ⲁϥ ⲟⲩⲇⲉ ⲉⲧⲙⲥⲉ ⲏⲣⲡ ⲟⲩⲇⲉ ⲡⲉⲧⲉⲣⲉ ⲡⲉⲕⲥⲟⲛ ⲛⲁϫⲓϫⲣⲟⲡ ⲛϩⲏⲧϥ ⲏ ⲛϥⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲏ ⲛϥϭⲃⲃⲉ
22 ૨૨ જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે.
ⲕ̅ⲃ̅ⲛⲧⲟⲕ ⲟⲩⲛⲧⲕ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲕⲁⲁⲥ ⲛⲁⲕ ⲙⲡⲉⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲛⲁⲓⲁⲧϥ ⲙⲡⲉⲧⲉⲛϥⲛⲁⲕⲣⲓⲛⲉ ⲙⲙⲟϥ ⲁⲛ ϩⲙ ⲡⲉⲧϥⲇⲟⲕⲓⲙⲁⲍⲉ ⲙⲙⲟϥ
23 ૨૩ પણ જેને જે વિષે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે.
ⲕ̅ⲅ̅ⲡⲉⲧⲛⲁⲣϩⲏⲧ ⲇⲉ ⲥⲛⲁⲩ ⲉϥϣⲁⲛⲟⲩⲱⲙ ϥⲧϭⲁⲉⲓⲏⲩ ϫⲉ ⲛⲧⲁϥⲁⲁⲥ ⲁⲛ ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ϩⲱⲃ ⲇⲉ ⲛⲓⲙ ⲉⲧⲉ ⲛϩⲉⲛⲉⲃⲟⲗ ⲁⲛ ⲛⲉ ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ϩⲉⲛⲛⲟⲃⲉ ⲛⲉ

< રોમનોને પત્ર 14 >