< ગીતશાસ્ત્ર 30 >
1 ૧ ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન. દાઉદનું (ગીત). હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
Un psaume. Un chant pour la dédicace du Temple. Par David. Je te célébrerai, Yahvé, car tu m'as relevé, et n'a pas permis à mes ennemis de se réjouir à mon sujet.
2 ૨ હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.
Yahvé, mon Dieu, j'ai crié vers toi, et tu m'as guéri.
3 ૩ હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી. (Sheol )
Yahvé, tu as fait sortir mon âme du séjour des morts. Tu m'as gardé en vie, pour que je ne descende pas dans la fosse. (Sheol )
4 ૪ હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.
Chantez les louanges de Yahvé, vous qui êtes ses saints. Remerciez son saint nom.
5 ૫ તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે. રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
Car sa colère ne dure qu'un instant. Sa faveur est pour la vie. Les pleurs peuvent durer toute la nuit, mais la joie vient au matin.
6 ૬ હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું કદી ડગીશ નહિ.”
Quant à moi, j'ai dit dans ma prospérité, « Je ne serai jamais ému. »
7 ૭ હે યહોવાહ, તમે મારા પર કૃપા કરીને મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે; પણ જ્યારે તમે મારાથી મુખ ફેરવ્યું, ત્યારે હું ભયભીત થયો.
Toi, Yahvé, quand tu m'as favorisé, tu as rendu ma montagne forte; mais quand tu as caché ton visage, j'ai été troublé.
8 ૮ હે યહોવાહ, મેં તમને પોકાર કર્યો અને મેં મારા પ્રભુને વિનંતી કરી!
J'ai crié vers toi, Yahvé. J'ai fait des supplications au Seigneur:
9 ૯ જો હું કબરમાં જાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે?
« Quel avantage y a-t-il à me détruire, si je descends dans la fosse? La poussière te louera-t-elle? Devra-t-il déclarer votre vérité?
10 ૧૦ હે યહોવાહ, સાંભળો અને મારા પર દયા કરો! હે યહોવાહ, તમે મારા સહાયકારી થાઓ.
Écoute, Yahvé, et aie pitié de moi. Yahvé, sois mon aide. »
11 ૧૧ તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં.
Tu as transformé mon deuil en danse pour moi. Tu as ôté mon sac, et tu m'as revêtu d'allégresse,
12 ૧૨ જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ!
afin que mon cœur chante tes louanges et ne se taise pas. Yahvé mon Dieu, je te rendrai grâce pour toujours!