< ગીતશાસ્ત્ર 136 >

1 યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Rendez hommage au Seigneur, car il est bon, car sa grâce est éternelle.
2 સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Rendez hommage au Dieu des dieux, car sa grâce est éternelle.
3 પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Rendez hommage au Maître des maîtres, car sa grâce est éternelle;
4 જે એકલા જ મહાન ચમત્કારો કરનાર છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
à Celui qui accomplit, lui seul, de grandes merveilles, car sa grâce est éternelle;
5 જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યાં છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
à Celui qui fit les cieux avec sagesse, car sa grâce est éternelle;
6 જેમણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
à Celui qui étendit la terre par-dessus les eaux, car sa grâce est éternelle;
7 મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
à Celui qui créa les grands luminaires, car sa grâce est éternelle;
8 દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
le soleil pour régner le jour, car sa grâce est éternelle;
9 રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યા છે, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
la lune et les étoiles pour régner la nuit, car sa grâce est éternelle;
10 ૧૦ મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
à Celui qui frappa les Egyptiens dans leurs premiers-nés, car sa grâce est éternelle;
11 ૧૧ વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવનારની સ્તુતિ કરો; કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
et fit sortir Israël du milieu d’eux, car sa grâce est éternelle;
12 ૧૨ પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડાવી લાવ્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
avec une main puissante et un bras étendu, car sa grâce est éternelle;
13 ૧૩ તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
à Celui qui fendit en deux la mer des Joncs, car sa grâce est éternelle;
14 ૧૪ તેની વચ્ચે થઈને ઇઝરાયલને પાર ઉતારનારાની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
la fit traverser à Israël, car sa grâce est éternelle;
15 ૧૫ ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ડુબાવી દેનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
et précipita Pharaon et son armée dans ses flots, car sa grâce est éternelle;
16 ૧૬ જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
à Celui qui dirigea son peuple dans le désert, car sa grâce est éternelle;
17 ૧૭ જેમણે મોટા રાજાઓને મારી નાખ્યા, તેમની સ્તુતિ કરો. કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
à Celui qui vainquit de grands rois, car sa grâce est éternelle;
18 ૧૮ નામાંકિત રાજાઓના સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
et fit périr de puissants souverains, car sa grâce est éternelle;
19 ૧૯ અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Sihon, roi des Amorréens, car sa grâce est éternelle;
20 ૨૦ બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
et Og, roi du Basan, car sa grâce est éternelle;
21 ૨૧ જેમણે તેઓનો દેશ વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
pour donner leur pays en héritage, car sa grâce est éternelle;
22 ૨૨ જેમણે તે દેશ પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
en héritage à Israël, son serviteur, car sa grâce est éternelle;
23 ૨૩ જેમણે અમારી નબળાઈઓમાં અમને સંભાર્યા; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
à Celui, qui, dans notre abaissement, se souvint de nous, car sa grâce est éternelle;
24 ૨૪ અમારા શત્રુઓ પર જેમણે અમને વિજય અપાવ્યો, તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
et nous délivra de nos adversaires, car sa grâce est éternelle.
25 ૨૫ જે બધાં પ્રાણીઓને અન્ન આપે છે; તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Il donne du pain à toute créature, car sa grâce est éternelle.
26 ૨૬ આકાશના ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
Rendez hommage au Dieu du Ciel, car sa grâce est éternelle.

< ગીતશાસ્ત્ર 136 >