< નીતિવચનો 2 >

1 મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
בני אם תקח אמרי ומצותי תצפן אתך׃
2 ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;
להקשיב לחכמה אזנך תטה לבך לתבונה׃
3 જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
כי אם לבינה תקרא לתבונה תתן קולך׃
4 જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
אם תבקשנה ככסף וכמטמונים תחפשנה׃
5 તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.
אז תבין יראת יהוה ודעת אלהים תמצא׃
6 કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.
כי יהוה יתן חכמה מפיו דעת ותבונה׃
7 તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે.
וצפן לישרים תושיה מגן להלכי תם׃
8 તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે.
לנצר ארחות משפט ודרך חסידו ישמר׃
9 ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે.
אז תבין צדק ומשפט ומישרים כל מעגל טוב׃
10 ૧૦ તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે.
כי תבוא חכמה בלבך ודעת לנפשך ינעם׃
11 ૧૧ વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે.
מזמה תשמר עליך תבונה תנצרכה׃
12 ૧૨ તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે,
להצילך מדרך רע מאיש מדבר תהפכות׃
13 ૧૩ જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.
העזבים ארחות ישר ללכת בדרכי חשך׃
14 ૧૪ જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે.
השמחים לעשות רע יגילו בתהפכות רע׃
15 ૧૫ તેઓ આડા માર્ગોને અનુસરે છે અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે.
אשר ארחתיהם עקשים ונלוזים במעגלותם׃
16 ૧૬ વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.
להצילך מאשה זרה מנכריה אמריה החליקה׃
17 ૧૭ તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.
העזבת אלוף נעוריה ואת ברית אלהיה שכחה׃
18 ૧૮ કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.
כי שחה אל מות ביתה ואל רפאים מעגלתיה׃
19 ૧૯ તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
כל באיה לא ישובון ולא ישיגו ארחות חיים׃
20 ૨૦ તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.
למען תלך בדרך טובים וארחות צדיקים תשמר׃
21 ૨૧ કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે.
כי ישרים ישכנו ארץ ותמימים יותרו בה׃
22 ૨૨ પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે.
ורשעים מארץ יכרתו ובוגדים יסחו ממנה׃

< નીતિવચનો 2 >