< નીતિવચનો 13 >
1 ૧ જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી.
知恵ある子は父の教訓をきく、あざける者は、懲しめをきかない。
2 ૨ માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે.
善良な人はその口の実によって、幸福を得る、不信実な者の願いは、暴虐である。
3 ૩ પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
口を守る者はその命を守る、くちびるを大きく開く者には滅びが来る。
4 ૪ આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
なまけ者の心は、願い求めても、何も得ない、しかし勤め働く者の心は豊かに満たされる。
5 ૫ સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે.
正しい人は偽りを憎む、しかし悪しき人は恥ずべく、忌まわしくふるまう。
6 ૬ નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે,
正義は道をまっすぐ歩む者を守り、罪は悪しき者を倒す。
7 ૭ કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે.
富んでいると偽って、何も持たない者がいる、貧しいと偽って、多くの富を持つ者がいる。
8 ૮ દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.
人の富はその命をあがなう、しかし貧しい者にはあがなうべき富がない。
9 ૯ નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે.
正しい者の光は輝き、悪しき者のともしびは消される。
10 ૧૦ અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.
高ぶりはただ争いを生じる、勧告をきく者は知恵がある。
11 ૧૧ કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.
急いで得た富は減る、少しずつたくわえる者はそれを増すことができる。
12 ૧૨ આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
望みを得ることが長びくときは、心を悩ます、願いがかなうときは、命の木を得たようだ。
13 ૧૩ શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.
み言葉を軽んじる者は滅ぼされ、戒めを重んじる者は報いを得る。
14 ૧૪ જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.
知恵ある人の教は命の泉である、これによって死のわなをのがれることができる。
15 ૧૫ સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
善良な賢い者は恵みを得る、しかし、不信実な者の道は滅びである。
16 ૧૬ પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
おおよそ、さとき者は知識によって事をおこない、愚かな者は自分の愚を見せびらかす。
17 ૧૭ દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે.
悪しき使者は人を災におとしいれる、しかし忠実な使者は人を救う。
18 ૧૮ જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે.
貧乏と、はずかしめとは教訓を捨てる者に来る、しかし戒めを守る者は尊ばれる。
19 ૧૯ ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે.
願いがかなえば、心は楽しい、愚かな者は悪を捨てることをきらう。
20 ૨૦ જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.
知恵ある者とともに歩む者は知恵を得る。愚かな者の友となる者は害をうける。
21 ૨૧ પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે.
災は罪びとを追い、正しい者は良い報いを受ける。
22 ૨૨ સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.
善良な人はその嗣業を子孫にのこす、しかし罪びとの富は正しい人のためにたくわえられる。
23 ૨૩ ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
貧しい人の新田は多くの食糧を産する、しかし不正によれば押し流される。
24 ૨૪ જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
むちを加えない者はその子を憎むのである、子を愛する者は、つとめてこれを懲らしめる。
25 ૨૫ નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે.
正しい者は食べてその食欲を満たす、しかし悪しき者の腹は満たされない。