< માથ્થી 24 >
1 ૧ ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા.
ⲁ̅ⲓⲏⲥ ⲇⲉ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲣⲡⲉ ⲁϥⲃⲱⲕ ⲁⲩϯⲡⲉⲩⲟⲩⲟⲓ ⲉⲣⲟϥ ⲛϭⲓ ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲧⲟⲩⲟϥ ⲉⲡⲕⲱⲧ ⲙⲡⲣⲡⲉ
2 ૨ ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”
ⲃ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲁϥⲟⲩⲱϣⲃ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲁⲩ ϫⲉ ⲧⲉⲧⲛⲛⲁⲩ ⲉⲛⲁⲓ ⲧⲏⲣⲟⲩ ϩⲁⲙⲏⲛ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲛⲛⲉⲩⲕⲁⲟⲩⲱⲛⲉ ϩⲓϫⲛ ⲟⲩⲱⲛⲉ ⲙⲡⲉⲓⲙⲁ ⲙⲡⲟⲩⲃⲟⲗϥ ⲉⲃⲟⲗ
3 ૩ પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” (aiōn )
ⲅ̅ⲉϥϩⲙⲟⲟⲥ ⲇⲉ ϩⲓϫⲙ ⲡⲧⲟⲟⲩ ⲛⲛϫⲟⲉⲓⲧ ⲁⲩϯⲡⲉⲩⲟⲩⲟⲓ ⲉⲣⲟϥ ⲛϭⲓ ⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛⲥⲁⲟⲩⲥⲁ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁϫⲓⲥ ⲉⲣⲟⲛ ϫⲉ ⲉⲣⲉⲛⲁⲓ ⲛⲁϣⲱⲡⲉ ⲧⲛⲁⲩ ⲁⲩⲱ ⲟⲩ ⲡⲉ ⲡⲙⲁⲉⲓⲛ ⲛⲧⲉⲕⲡⲁⲣϩⲟⲩⲥⲓⲁ ⲙⲛ ⲧⲥⲩⲛⲧⲉⲗⲉⲓⲁ ⲙⲡⲁⲓⲱⲛ (aiōn )
4 ૪ ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો.
ⲇ̅ⲁϥⲟⲩⲱϣⲃ ⲛϭⲓ ⲓⲏⲥ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ϭⲱϣⲧ ⲙⲏⲡⲟⲧⲉ ⲛⲧⲉⲟⲩⲁ ⲡⲗⲁⲛⲁ ⲙⲙⲱⲧⲛ
5 ૫ કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.
ⲉ̅ⲟⲩⲛϩⲁϩ ⲅⲁⲣ ⲛⲏⲩ ϩⲙ ⲡⲁⲣⲁⲛ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲁⲛⲟⲕ ⲡⲉ ⲡⲉⲭⲥ ⲛⲥⲉⲡⲗⲁⲛⲁ ⲛϩⲁϩ
6 ૬ યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.
ⲋ̅ⲧⲉⲧⲛⲛⲁⲥⲱⲧⲙ ⲇⲉ ⲉϩⲉⲛⲡⲟⲗⲉⲙⲟⲥ ⲙⲛ ϩⲉⲛϩⲣⲟⲟⲩ ⲙⲡⲟⲗⲉⲙⲟⲥ ϭⲱϣⲧ ⲙⲡⲣϣⲧⲟⲣⲧⲣ ϩⲁⲡⲥ ⲅⲁⲣ ⲉⲧⲣⲉⲩϣⲱⲡⲉ ⲁⲗⲗⲁ ⲙⲡⲁⲧⲉⲑⲁⲏ ⲉⲓ
7 ૭ કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.
ⲍ̅ⲟⲩⲛⲟⲩϩⲉⲑⲛⲟⲥ ⲅⲁⲣ ⲛⲁⲧⲱⲟⲩⲛ ⲉϫⲛ ⲟⲩϩⲉⲑⲛⲟⲥ ⲁⲩⲱ ⲟⲩⲙⲛⲧⲣⲣⲟ ⲉϫⲛ ⲟⲩⲙⲛⲧⲣⲣⲟ ⲛⲥⲉϣⲱⲡⲉ ⲛϭⲓ ϩⲉⲛϩⲉⲃⲱⲱⲛ ⲙⲛ ϩⲉⲛⲕⲙⲧⲟ ⲕⲁⲧⲁⲙⲁ
8 ૮ પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.
ⲏ̅ⲛⲁⲓ ⲇⲉ ⲧⲏⲣⲟⲩ ⲧⲁⲣⲭⲏ ⲛⲛⲛⲁⲁⲕⲉ ⲛⲉ
9 ૯ ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.
ⲑ̅ⲧⲟⲧⲉ ⲥⲉⲛⲁⲡⲁⲣⲁⲇⲓⲇⲟⲩ ⲙⲙⲱⲧⲛ ⲉⲩⲑⲗⲓⲯⲓⲥ ⲛⲥⲉⲙⲟⲩⲟⲩⲧ ⲙⲙⲱⲧⲛ ⲛⲧⲉⲧⲛϣⲱⲡⲉ ⲙⲙⲟⲥⲧⲉ ⲙⲙⲱⲧⲛ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲛϩⲉⲑⲛⲟⲥ ⲧⲏⲣⲟⲩ ⲉⲧⲃⲉ ⲡⲁⲣⲁⲛ
10 ૧૦ અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.
ⲓ̅ⲧⲟⲧⲉ ⲥⲉⲛⲁⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲛϭⲓ ϩⲁϩ ⲛⲥⲉⲡⲁⲣⲁⲇⲓⲇⲟⲩ ⲛⲛⲉⲩⲉⲣⲏⲩ ⲛⲥⲉⲙⲉⲥⲧⲉⲛⲉⲩⲉⲣⲏⲩ
11 ૧૧ ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.
ⲓ̅ⲁ̅ⲛⲥⲉⲧⲱⲟⲩⲛ ⲛϭⲓ ϩⲁϩ ⲙⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲛⲛⲟⲩϫ ⲛⲥⲉⲡⲗⲁⲛⲁ ⲛⲟⲩⲙⲏⲏϣⲉ
12 ૧૨ દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.
ⲓ̅ⲃ̅ϩⲙ ⲡⲧⲣⲉⲥⲁϣⲁⲓ ⲛϭⲓ ⲧⲁⲛⲟⲙⲓⲁ ⲥⲛⲁⲁⲣⲟϣ ⲛϭⲓ ⲧⲁⲅⲁⲡⲏ ⲛϩⲁϩ
13 ૧૩ પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.
ⲓ̅ⲅ̅ⲡⲉⲧⲛⲁϩⲩⲡⲟⲙⲉⲓⲛⲉ ⲇⲉ ϣⲁⲃⲟⲗ ⲡⲁⲓ ⲡⲉⲧⲛⲁⲟⲩϫⲁⲓ
14 ૧૪ સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.
ⲓ̅ⲇ̅ⲛⲥⲉⲧⲁϣⲉⲟⲉⲓϣ ⲙⲡⲉⲓⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ ⲛⲧⲙⲛⲧⲣⲣⲟ ϩⲣⲁⲓ ϩⲛ ⲧⲟⲓⲕⲟⲩⲙⲉⲛⲏ ⲧⲏⲣⲥ ⲉⲩⲙⲛⲧⲙⲛⲧⲣⲉ ⲛⲛϩⲉⲑⲛⲟⲥ ⲧⲏⲣⲟⲩ ⲧⲟⲧⲉ ⲥⲛⲏⲩ ⲛϭⲓ ⲑⲁⲏ
15 ૧૫ માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),
ⲓ̅ⲉ̅ϩⲟⲧⲁⲛ ⲇⲉ ⲧⲉⲧⲛϣⲁⲛⲛⲁⲩ ⲉⲧⲃⲟⲧⲉ ⲙⲡϣⲱϥ ⲧⲉⲛⲧⲁⲩϫⲟⲟⲥ ϩⲓⲧⲛ ⲇⲁⲛⲓⲏⲗ ⲡⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲉⲥⲁϩⲉⲣⲁⲧⲥ ϩⲙ ⲡⲙⲁ ⲉⲧⲟⲩⲁⲁⲃ ⲡⲉⲧⲱϣ ⲙⲁⲣⲉϥⲛⲟⲓ
16 ૧૬ ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય,
ⲓ̅ⲋ̅ⲧⲟⲧⲉ ⲛⲉⲧϩⲛ ϯⲟⲩⲇⲁⲓⲁ ⲙⲁⲣⲟⲩⲡⲱⲧ ⲉⲛⲧⲟⲩⲉⲓⲏ
17 ૧૭ અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે,
ⲓ̅ⲍ̅ⲡⲉⲧϩⲓⲧϫⲉⲛⲉⲡⲱⲣ ⲙⲡⲣⲧⲣⲉϥⲉⲓ ⲉⲡⲉⲥⲏⲧⲉϥⲓ ⲛⲛⲉⲧϩⲙ ⲡⲉϥⲏⲓ
18 ૧૮ અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.
ⲓ̅ⲏ̅ⲁⲩⲱ ⲡⲉⲧϩⲛ ⲧⲥⲱϣⲉ ⲙⲡⲣⲧⲣⲉϥⲕⲟⲧϥ ⲉⲡⲁϩⲟⲩ ⲉϥⲓ ⲛⲧⲉϥϣⲧⲏⲛ
19 ૧૯ તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે!
ⲓ̅ⲑ̅ⲟⲩⲟⲓ ⲇⲉ ⲛⲛⲉⲧⲉⲉⲧ ⲙⲛ ⲛⲉⲧⲥⲛⲕⲟ ϩⲛ ⲛⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ
20 ૨૦ પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.
ⲕ̅ϣⲗⲏⲗ ⲇⲉ ϫⲉⲕⲁⲥ ⲛⲛⲉⲡⲉⲧⲛⲡⲱⲧ ϣⲱⲡⲉ ⲛⲧⲉⲡⲣⲱ ⲏ ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ
21 ૨૧ કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.
ⲕ̅ⲁ̅ⲥⲛⲁϣⲱⲡⲉ ⲅⲁⲣ ⲙⲡⲉⲩⲟⲉⲓϣ ⲉⲧⲙⲙⲁⲩ ⲛϭⲓ ⲟⲩⲛⲟϭ ⲛⲑⲗⲓⲯⲓⲥ ⲙⲡⲉⲟⲩⲟⲛ ⲛⲧⲉⲥϩⲉ ϣⲱⲡⲉ ϫⲓⲛ ⲧⲉϩⲟⲩⲉⲓⲧⲉ ⲙⲡⲕⲟⲥⲙⲟⲥ ϣⲁⲉϩⲣⲁⲓ ⲉⲧⲉⲛⲟⲩ ⲟⲩⲇⲉ ⲛⲛⲉⲥϣⲱⲡⲉ
22 ૨૨ જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.
ⲕ̅ⲃ̅ⲁⲩⲱ ⲛⲥⲁⲃⲏⲗ ϫⲉ ⲁⲩⲥⲃⲟⲕ ⲛϭⲓ ⲛⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ ⲛⲉⲥⲛⲁⲟⲩϫⲁⲓ ⲁⲛ ⲡⲉ ⲛϭⲓ ⲥⲁⲣⲝ ⲛⲓⲙ ⲉⲧⲃⲉ ⲛⲥⲱⲧⲡ ⲇⲉ ⲥⲉⲛⲁⲥⲃⲟⲕ ⲛϭⲓ ⲛⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ
23 ૨૩ ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ.
ⲕ̅ⲅ̅ⲧⲟⲧⲉ ⲉⲣϣⲁⲛⲟⲩⲁ ϫⲟⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲉⲓⲥ ⲡⲉⲭⲥ ⲙⲡⲉⲓⲙⲁ ⲏ ⲡⲁⲓ ⲙⲡⲣⲡⲓⲥⲧⲉⲩⲉ
24 ૨૪ કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.
ⲕ̅ⲇ̅ⲥⲉⲛⲁⲧⲱⲟⲩⲛ ⲅⲁⲣ ⲛϭⲓ ϩⲁϩ ⲛⲭⲣⲏⲥⲧⲟⲥ ⲛⲛⲟⲩϫ ⲙⲛ ϩⲉⲛⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲛⲛⲟⲩϫ ⲛⲥⲉϯ ⲛϩⲛⲛⲟϭ ⲙⲙⲁⲉⲓⲛ ⲙⲛ ϩⲉⲛϣⲡⲏⲣⲉ ϩⲱⲥⲧⲉ ⲉϣϫⲉ ⲟⲩⲛϣϭⲟⲙ ⲉⲡⲗⲁⲛⲁ ⲛⲛⲁⲕⲉⲥⲱⲧⲡ
25 ૨૫ જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.
ⲕ̅ⲉ̅ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ⲁⲓϣⲣⲡϫⲟⲟⲩ ⲛⲏⲧⲛ
26 ૨૬ એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ.
ⲕ̅ⲋ̅ⲉϣⲱⲡⲉ ⲇⲉ ⲉⲩϣⲁⲛϫⲟⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ϥϩⲙⲡϫⲁⲓⲉ ⲙⲡⲣⲉⲓ ⲉⲃⲟⲗ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ϥϩⲛⲛⲧⲁⲙⲓⲟⲛ ⲙⲡⲣⲡⲓⲥⲧⲉⲩⲉ
27 ૨૭ કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.
ⲕ̅ⲍ̅ⲛⲑⲉ ⲅⲁⲣ ⲛⲧⲉϥⲣⲏϭⲉ ⲛϣⲁⲥⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲙⲁ ⲛϣⲁ ⲛⲥⲣⲟⲩⲟⲉⲓⲛ ϣⲁⲛⲙⲁⲛϩⲱⲧⲡ ⲧⲁⲓ ⲧⲉ ⲑⲉ ⲉⲧⲛⲁϣⲱⲡⲉ ⲛⲧⲡⲁⲣϩⲟⲩⲥⲓⲁ ⲙⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ
28 ૨૮ જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
ⲕ̅ⲏ̅ⲡⲙⲁ ⲉⲧⲉⲣⲉⲡⲥⲱⲙⲁ ⲛⲁϣⲱⲡⲉ ⲙⲙⲟϥ ⲉⲩⲛⲁⲥⲱⲟⲩϩ ⲉⲣⲟϥ ⲛϭⲓ ⲛⲁⲉⲧⲟⲥ
29 ૨૯ તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.
ⲕ̅ⲑ̅ⲛⲧⲉⲩⲛⲟⲩ ⲇⲉ ⲙⲛⲛⲥⲁ ⲧⲉⲑⲗⲓⲯⲓⲥ ⲛⲛⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ ⲡⲣⲏ ⲛⲁϣⲱⲡⲉ ⲛⲕⲁⲕⲉ ⲁⲩⲱ ⲡⲟⲟϩ ⲛⲁϯ ⲁⲛ ⲙⲡⲉϥⲟⲩⲟⲉⲓⲛ ⲛⲥⲓⲟⲩ ⲥⲉⲛⲁϩⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲉ ⲛϭⲟⲙ ⲛⲙⲡⲏⲩⲉ ⲥⲉⲛⲁⲛⲟⲉⲓⲛ
30 ૩૦ પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે.
ⲗ̅ⲧⲟⲧⲉ ϥⲛⲁⲟⲩⲱⲛϩ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲡⲙⲁⲉⲓⲛ ⲙⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲡⲉ ⲁⲩⲱ ⲧⲟⲧⲉ ⲥⲉⲛⲁⲛⲁⲩ ⲛϭⲓ ⲛⲉⲫⲩⲗⲏ ⲧⲏⲣⲟⲩ ⲙⲡⲕⲁϩ ⲛⲥⲉⲛⲁⲩ ⲉⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲉϥⲛⲏⲩ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛ ⲛⲉⲕⲗⲟⲟⲗⲉ ⲛⲧⲡⲉ ⲙⲛⲟⲩϭⲟⲙ ⲁⲩⲱ ⲟⲩⲉⲟⲟⲩ ⲉⲛⲁϣⲱϥ
31 ૩૧ રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
ⲗ̅ⲁ̅ⲛϥϫⲟⲟⲩ ⲉⲃⲟⲗ ⲛⲛⲉϥⲁⲅⲅⲉⲗⲟⲥ ⲙⲛⲟⲩⲛⲟϭ ⲛϩⲣⲟⲟⲩ ⲛⲥⲁⲗⲡⲓⲅⲝ ⲛⲥⲉⲥⲱⲟⲩϩ ⲉϩⲟⲩⲛ ⲛⲛⲉϥⲥⲱⲧⲡ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉϥⲧⲟⲩ ⲛⲧⲏⲩ ⲁⲩⲱ ϫⲓⲛ ⲉⲁⲣⲏϫϥ ⲛⲙⲡⲏⲩⲉ ϣⲁ ⲁⲣⲏϫⲛⲟⲩ
32 ૩૨ હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
ⲗ̅ⲃ̅ⲉⲃⲟⲗ ⲇⲉ ϩⲛ ⲧⲃⲱ ⲛⲕⲛⲧⲉ ⲉⲓⲙⲉ ⲉⲧⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲛⲑⲉ ⲅⲁⲣ ⲉⲣϣⲁⲛⲡⲉⲥⲕⲗⲁⲇⲟⲥ ϣⲱⲡⲉ ⲉϥⲗⲏⲕ ⲁⲩⲱ ⲛⲧⲉⲛⲉⲥϭⲱⲃⲉ ϯ ⲟⲩⲱ ϣⲁⲧⲉⲧⲛⲉⲓⲙⲉ ϫⲉ ⲁϥϩⲱⲛ ⲉϩⲟⲩⲛ ⲛϭⲓ ⲡϣⲏⲙ
33 ૩૩ એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.
ⲗ̅ⲅ̅ⲧⲁⲓ ϩⲱⲧⲧⲏⲩⲧⲛ ⲧⲉ ⲧⲉⲧⲛϩⲉ ϩⲟⲧⲁⲛ ⲉⲧⲉⲧⲛϣⲁⲛⲛⲁⲩ ⲉⲛⲁⲓ ⲧⲏⲣⲟⲩ ⲉⲓⲙⲉ ϫⲉ ⲁϥϩⲱⲛ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲛ ⲛⲣⲟ
34 ૩૪ હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
ⲗ̅ⲇ̅ϩⲁⲙⲏⲛ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲛⲛⲉⲧⲉⲓⲅⲉⲛⲉⲁ ⲟⲩⲉⲓⲛⲉ ⲙⲡⲉⲛⲁⲓ ⲧⲏⲣⲟⲩ ϣⲱⲡⲉ
35 ૩૫ આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
ⲗ̅ⲉ̅ⲧⲡⲉ ⲙⲛ ⲡⲕⲁϩ ⲛⲁⲡⲁⲣⲁⲅⲉ ⲛⲁϣⲁϫⲉ ⲇⲉ ⲛⲁⲡⲁⲣⲁⲅⲉ ⲁⲛ
36 ૩૬ પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.
ⲗ̅ⲋ̅ⲉⲧⲃⲉⲡⲉϩⲟⲟⲩ ⲇⲉ ⲙⲛ ⲧⲉⲩⲛⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ ⲙⲛ ⲗⲁⲁⲩ ⲥⲟⲟⲩⲛ ⲟⲩⲇⲉ ⲛⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ⲛⲙⲡⲏⲩⲉ ⲉⲓⲙⲏⲧⲓ ⲡⲉⲓⲱⲧ ⲙⲁⲩⲁⲁϥ
37 ૩૭ જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.
ⲗ̅ⲍ̅ⲛⲑⲉ ⲅⲁⲣ ⲛⲛⲉϩⲟⲟⲩ ⲛⲛⲱϩⲉ ⲧⲁⲓ ⲧⲉ ⲑⲉ ⲉⲧⲉⲥⲛⲁϣⲱⲡⲉ ⲙⲙⲟⲥ ⲛϭⲓ ⲧⲡⲁⲣϩⲟⲩⲥⲓⲁ ⲙⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ
38 ૩૮ કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;
ⲗ̅ⲏ̅ⲛⲑⲉ ⲅⲁⲣ ⲉⲛⲉⲩϣⲟⲟⲡ ⲙⲙⲟⲥ ϩⲛ ⲛⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ ϩⲁⲑⲏ ⲙⲡⲕⲁⲧⲁⲕⲗⲩⲥⲙⲟⲥ ⲉⲩⲟⲩⲱⲙ ⲉⲩⲥⲱ ⲉⲩϫⲓϩⲓⲙⲉ ⲉⲩϩⲙⲟⲟⲥ ⲙⲛ ϩⲁⲓ ϣⲁⲡⲉϩⲟⲟⲩ ⲛⲧⲁⲛⲱϩⲉ ⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲕⲓⲃⲱⲧⲟⲥ
39 ૩૯ અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
ⲗ̅ⲑ̅ⲁⲩⲱ ⲙⲡⲟⲩⲉⲓⲙⲉ ϣⲁⲛⲧⲉϥⲉⲓ ⲛϭⲓ ⲡⲕⲁⲧⲁⲕⲗⲩⲥⲙⲟⲥ ⲛϥϥⲓ ⲛⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲧⲁⲓ ⲧⲉ ⲑⲉ ⲉⲧⲥⲛⲁϣⲱⲡⲉ ⲙⲙⲟⲥ ⲛϭⲓ ⲧⲡⲁⲣϩⲟⲩⲥⲓⲁ ⲙⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ
40 ૪૦ તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.
ⲙ̅ⲧⲟⲧⲉ ⲟⲩⲛⲥⲛⲁⲩ ⲛⲁϣⲱⲡⲉ ϩⲛ ⲧⲥⲱϣⲉ ⲛⲥⲉϫⲓⲟⲩⲁ ⲛⲥⲉⲗⲟ ϩⲁⲟⲩⲁ
41 ૪૧ બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
ⲙ̅ⲁ̅ⲥⲛⲧⲉ ⲉⲩⲛⲟⲩⲧ ϩⲛ ⲟⲩⲙⲏⲭⲁⲛⲏ ⲥⲉⲛⲁϫⲓⲟⲩⲉⲓ ⲛⲥⲉⲗⲟ ϩⲁⲟⲩⲉⲓ
42 ૪૨ માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.
ⲙ̅ⲃ̅ⲣⲟⲉⲓⲥ ϭⲉ ϫⲉ ⲛⲧⲉⲧⲛⲥⲟⲟⲩⲛ ⲁⲛ ϫⲉ ⲉⲣⲉⲡϫⲟⲉⲓⲥ ⲛⲏⲩ ϩⲛ ⲁϣ ⲛϩⲟⲟⲩ
43 ૪૩ પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.
ⲙ̅ⲅ̅ⲧⲉⲧⲛⲉⲓⲙⲉ ⲇⲉ ⲉⲡⲁⲓ ϫⲉ ⲉⲛⲉϥⲥⲟⲟⲩⲛ ⲛϭⲓ ⲡϫⲟⲉⲓⲥ ⲙⲡⲏⲓ ϫⲉ ⲉⲣⲉⲡⲣⲉϥϫⲓⲟⲩⲉ ⲛⲏⲩ ⲛⲁϣ ⲛⲟⲩⲏⲣϣⲉ ⲛⲉϥⲛⲁⲣⲟⲉⲓⲥ ⲡⲉ ⲛϥⲧⲙⲕⲁⲁⲩ ⲉϭⲱⲧϩ ⲙⲡⲉϥⲏⲓ
44 ૪૪ એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.
ⲙ̅ⲇ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ϩⲱⲧⲧⲏⲩⲧⲛ ϣⲱⲡⲉ ⲉⲧⲉⲧⲛⲥⲃⲧⲱⲧ ϫⲉ ϩⲛ ⲧⲉⲩⲛⲟⲩ ⲛⲧⲉⲧⲛⲙⲉⲉⲩⲉ ⲉⲣⲟⲥ ⲁⲛ ⲉⲣⲉⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲛⲏⲩ
45 ૪૫ તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?
ⲙ̅ⲉ̅ⲛⲓⲙ ⲁⲣⲁ ⲡⲉ ⲡⲡⲓⲥⲧⲟⲥ ⲛϩⲙϩⲁⲗ ⲁⲩⲱ ⲛⲥⲁⲃⲉ ⲡⲁⲓ ⲛⲧⲁⲡⲉϥϫⲟⲉⲓⲥ ⲕⲁⲑⲓⲥⲧⲁ ⲙⲙⲟϥ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛ ⲛⲉϥϩⲙϩⲁⲗ ⲉϯ ⲛⲁⲩ ⲛⲧⲉϩⲣⲉ ⲙⲡⲉⲥⲟⲩⲟⲉⲓϣ
46 ૪૬ જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે.
ⲙ̅ⲋ̅ⲛⲁⲓⲁⲧϥ ⲙⲡϩⲙϩⲁⲗ ⲉⲧⲙⲙⲁⲩ ⲉⲧⲉⲣⲉⲡⲉϥϫⲟⲉⲓⲥ ⲛⲏⲩ ⲛϥϩⲉ ⲉⲣⲟϥ ⲉϥⲉⲓⲣⲉ ⲛⲧⲉⲓϩⲉ
47 ૪૭ હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.
ⲙ̅ⲍ̅ϩⲁⲙⲏⲛ ϯϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ϥⲛⲁⲕⲁⲑⲓⲥⲧⲁ ⲙⲙⲟϥ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛ ⲛⲉϥϩⲩⲡⲁⲣⲭⲟⲛⲧⲁ ⲧⲏⲣⲟⲩ
48 ૪૮ પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’
ⲙ̅ⲏ̅ⲉϣⲱⲡⲉ ⲇⲉ ⲉϥϣⲁⲛϫⲟⲟⲥ ⲛϭⲓ ⲡϩⲙϩⲁⲗ ⲉⲑⲟⲟⲩ ϩⲣⲁⲓ ϩⲙ ⲡⲉϥϩⲏⲧ ϫⲉ ⲡⲁϫⲟⲉⲓⲥ ⲛⲁⲱⲥⲕ ⲉⲉⲓ
49 ૪૯ અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;
ⲙ̅ⲑ̅ⲛϥⲁⲣⲭⲉⲓ ⲛϩⲓⲟⲩⲉ ⲉⲛⲉϥϣⲃⲏⲣϩⲙϩⲁⲗ ⲛϥⲟⲩⲱⲙ ⲁⲩⲱ ⲛϥⲥⲱ ⲙⲛ ⲛⲉⲧⲧⲁϩⲉ
50 ૫૦ તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.
ⲛ̅ϥⲛⲏⲩ ⲛϭⲓ ⲡϫⲟⲉⲓⲥ ⲙⲡϩⲙϩⲁⲗ ⲉⲧⲙⲙⲁⲩ ϩⲣⲁⲓ ϩⲛ ⲟⲩϩⲟⲟⲩ ⲉⲛϥϭⲱϣⲧ ϩⲏⲧϥ ⲁⲛ ⲁⲩⲱ ϩⲛ ⲟⲩⲟⲩⲛⲟⲩ ⲉⲛϥⲥⲟⲟⲩⲛ ⲙⲙⲟⲥ ⲁⲛ
51 ૫૧ તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.
ⲛ̅ⲁ̅ⲛϥⲡⲱϣ ⲙⲙⲟϥ ⲛϥⲕⲱ ⲛⲧⲉϥⲧⲟ ⲙⲛ ⲛϩⲩⲡⲟⲕⲣⲓⲧⲏⲥ ⲉϥⲛⲁϣⲱⲡⲉ ⲙⲙⲁⲩ ⲛϭⲓ ⲡⲣⲓⲙⲉ ⲙⲛ ⲡϭⲁϩϭϩ ⲛⲛⲟⲃϩⲉ