< માથ્થી 17 >

1 છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા.
અનન્તરં ષડ્દિનેભ્યઃ પરં યીશુઃ પિતરં યાકૂબં તત્સહજં યોહનઞ્ચ ગૃહ્લન્ ઉચ્ચાદ્રે ર્વિવિક્તસ્થાનમ્ આગત્ય તેષાં સમક્ષં રૂપમન્યત્ દધાર|
2 તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.
તેન તદાસ્યં તેજસ્વિ, તદાભરણમ્ આલોકવત્ પાણ્ડરમભવત્|
3 જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા.
અન્યચ્ચ તેન સાકં સંલપન્તૌ મૂસા એલિયશ્ચ તેભ્યો દર્શનં દદતુઃ|
4 પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.”
તદાનીં પિતરો યીશું જગાદ, હે પ્રભો સ્થિતિરત્રાસ્માકં શુભા, યદિ ભવતાનુમન્યતે, તર્હિ ભવદર્થમેકં મૂસાર્થમેકમ્ એલિયાર્થઞ્ચૈકમ્ ઇતિ ત્રીણિ દૂષ્યાણિ નિર્મ્મમ|
5 તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.”
એતત્કથનકાલ એક ઉજ્જવલઃ પયોદસ્તેષામુપરિ છાયાં કૃતવાન્, વારિદાદ્ એષા નભસીયા વાગ્ બભૂવ, મમાયં પ્રિયઃ પુત્રઃ, અસ્મિન્ મમ મહાસન્તોષ એતસ્ય વાક્યં યૂયં નિશામયત|
6 શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા.
કિન્તુ વાચમેતાં શૃણ્વન્તએવ શિષ્યા મૃશં શઙ્કમાના ન્યુબ્જા ન્યપતન્|
7 ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.”
તદા યીશુરાગત્ય તેષાં ગાત્રાણિ સ્પૃશન્ ઉવાચ, ઉત્તિષ્ઠત, મા ભૈષ્ટ|
8 તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.
તદાનીં નેત્રાણ્યુન્મીલ્ય યીશું વિના કમપિ ન દદૃશુઃ|
9 જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, “આ જે તમે જોયું તે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.”
તતઃ પરમ્ અદ્રેરવરોહણકાલે યીશુસ્તાન્ ઇત્યાદિદેશ, મનુજસુતસ્ય મૃતાનાં મધ્યાદુત્થાનં યાવન્ન જાયતે, તાવત્ યુષ્માભિરેતદ્દર્શનં કસ્મૈચિદપિ ન કથયિતવ્યં|
10 ૧૦ તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?”
તદા શિષ્યાસ્તં પપ્રચ્છુઃ, પ્રથમમ્ એલિય આયાસ્યતીતિ કુત ઉપાધ્યાયૈરુચ્યતે?
11 ૧૧ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે.
તતો યીશુઃ પ્રત્યવાદીત્, એલિયઃ પ્રાગેત્ય સર્વ્વાણિ સાધયિષ્યતીતિ સત્યં,
12 ૧૨ પણ હું તમને કહું છું કે, “એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહન કરશે.”
કિન્ત્વહં યુષ્માન્ વચ્મિ, એલિય એત્ય ગતઃ, તે તમપરિચિત્ય તસ્મિન્ યથેચ્છં વ્યવજહુઃ; મનુજસુતેનાપિ તેષામન્તિકે તાદૃગ્ દુઃખં ભોક્તવ્યં|
13 ૧૩ ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.
તદાનીં સ મજ્જયિતારં યોહનમધિ કથામેતાં વ્યાહૃતવાન્, ઇત્થં તચ્છિષ્યા બુબુધિરે|
14 ૧૪ જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે,
પશ્ચાત્ તેષુ જનનિવહસ્યાન્તિકમાગતેષુ કશ્ચિત્ મનુજસ્તદન્તિકમેત્ય જાનૂની પાતયિત્વા કથિતવાન્,
15 ૧૫ “ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.
હે પ્રભો, મત્પુત્રં પ્રતિ કૃપાં વિદધાતુ, સોપસ્મારામયેન ભૃશં વ્યથિતઃ સન્ પુનઃ પુન ર્વહ્નૌ મુહુ ર્જલમધ્યે પતતિ|
16 ૧૬ તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.”
તસ્માદ્ ભવતઃ શિષ્યાણાં સમીપે તમાનયં કિન્તુ તે તં સ્વાસ્થં કર્ત્તું ન શક્તાઃ|
17 ૧૭ ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.”
તદા યીશુઃ કથિતવાન્ રે અવિશ્વાસિનઃ, રે વિપથગામિનઃ, પુનઃ કતિકાલાન્ અહં યુષ્માકં સન્નિધૌ સ્થાસ્યામિ? કતિકાલાન્ વા યુષ્માન્ સહિષ્યે? તમત્ર મમાન્તિકમાનયત|
18 ૧૮ પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો, અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.
પશ્ચાદ્ યીશુના તર્જતએવ સ ભૂતસ્તં વિહાય ગતવાન્, તદ્દણ્ડએવ સ બાલકો નિરામયોઽભૂત્|
19 ૧૯ પછી શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તેને કેમ કાઢી ન શક્યા?”
તતઃ શિષ્યા ગુપ્તં યીશુમુપાગત્ય બભાષિરે, કુતો વયં તં ભૂતં ત્યાજયિતું ન શક્તાઃ?
20 ૨૦ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, ‘તું અહીંથી ત્યાં ખસી જા’ અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.
યીશુના તે પ્રોક્તાઃ, યુષ્માકમપ્રત્યયાત્;
21 ૨૧ (પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.”)
યુષ્માનહં તથ્યં વચ્મિ યદિ યુષ્માકં સર્ષપૈકમાત્રોપિ વિશ્વાસો જાયતે, તર્હિ યુષ્માભિરસ્મિન્ શૈલે ત્વમિતઃ સ્થાનાત્ તત્ સ્થાનં યાહીતિ બ્રૂતે સ તદૈવ ચલિષ્યતિ, યુષ્માકં કિમપ્યસાધ્યઞ્ચ કર્મ્મ ન સ્થાસ્યાતિ| કિન્તુ પ્રાર્થનોપવાસૌ વિનૈતાદૃશો ભૂતો ન ત્યાજ્યેત|
22 ૨૨ જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;
અપરં તેષાં ગાલીલ્પ્રદેશે ભ્રમણકાલે યીશુના તે ગદિતાઃ, મનુજસુતો જનાનાં કરેષુ સમર્પયિષ્યતે તૈ ર્હનિષ્યતે ચ,
23 ૨૩ તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.” ત્યારે શિષ્યો બહુ દિલગીર થયા.
કિન્તુ તૃતીયેઽહિન મ ઉત્થાપિષ્યતે, તેન તે ભૃશં દુઃખિતા બભૂવઃ|
24 ૨૪ પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, “શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતા?”
તદનન્તરં તેષુ કફર્નાહૂમ્નગરમાગતેષુ કરસંગ્રાહિણઃ પિતરાન્તિકમાગત્ય પપ્રચ્છુઃ, યુષ્માકં ગુરુઃ કિં મન્દિરાર્થં કરં ન દદાતિ? તતઃ પિતરઃ કથિતવાન્ દદાતિ|
25 ૨૫ પિતરે કહ્યું કે, “હા.” અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, “સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?”
તતસ્તસ્મિન્ ગૃહમધ્યમાગતે તસ્ય કથાકથનાત્ પૂર્વ્વમેવ યીશુરુવાચ, હે શિમોન્, મેદિન્યા રાજાનઃ સ્વસ્વાપત્યેભ્યઃ કિં વિદેશિભ્યઃ કેભ્યઃ કરં ગૃહ્લન્તિ? અત્ર ત્વં કિં બુધ્યસે? તતઃ પિતર ઉક્તવાન્, વિદેશિભ્યઃ|
26 ૨૬ પિતરે ઈસુને કહ્યું કે, “પરદેશીઓ પાસેથી.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તો પછી દીકરાઓ તો કરમુક્ત છે.
તદા યીશુરુક્તવાન્, તર્હિ સન્તાના મુક્તાઃ સન્તિ|
27 ૨૭ રખેને આપણે તેઓનું અપમાન કરીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.”
તથાપિ યથાસ્માભિસ્તેષામન્તરાયો ન જન્યતે, તત્કૃતે જલધેસ્તીરં ગત્વા વડિશં ક્ષિપ, તેનાદૌ યો મીન ઉત્થાસ્યતિ, તં ઘૃત્વા તન્મુખે મોચિતે તોલકૈકં રૂપ્યં પ્રાપ્સ્યસિ, તદ્ ગૃહીત્વા તવ મમ ચ કૃતે તેભ્યો દેહિ|

< માથ્થી 17 >