< માથ્થી 12 >
1 ૧ તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.
त्या येळले येशु शब्बाथ दिनले शेतमाईन गया; तवय त्याना शिष्यसले भूक लागेल व्हती म्हणीन त्या ओंब्या तोडीन खाऊ लागनात.
2 ૨ ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, “જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”
हाई दखीसन परूशी त्यासले बोलनात, दखा, शब्बाथ दिनले जे योग्य नही ते तुना शिष्य करी राहिनात.
3 ૩ પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?
त्यावर येशुनी त्यासले उत्तर दिधं, दावीद अनं त्यानाबरोबरना यासले जवय भूक लागनी तवय त्यानी काय करं? हाई तुम्हीन वाचं नही का.
4 ૪ તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.
तो देवना मंदिरमा कसा गया अनी नियमाप्रमाणं फक्त याजकनी खावानी समर्पित भाकर, त्यानी अनं त्याना सोबतीसनी कश खादं;
5 ૫ અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે?
तसच शब्बाथ दिनले याजक मंदिरमा शब्बाथना नियम तोडतस तरी पण निर्दोष राहतस हाई तुम्हीन मोशेना नियमशास्त्रमा वाचात नही का?
6 ૬ પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
पण मी तुमले सांगस, की, मंदिरपेक्षा बी मोठा असा कोणतरी तुमनामा आठे शे.
7 ૭ વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.
जर तुमले याना अर्थ समजता, की, माले दया पाहिजे अर्पण नही, तर तुम्हीन निर्दोषीसले दोषी नही ठरावतात.
8 ૮ કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”
कारण मनुष्यना पोऱ्या शब्बाथ दिनना धनी शे.
9 ૯ ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.
मंग येशु तठेन निंघीसन त्यासना सभास्थानमा गया;
10 ૧૦ ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”
अनी दखा, तठे वाळेल हातना एक माणुस व्हता; तवय त्यासनी त्याले दोष लागाले पाहिजे म्हणीसन परूशीसनी त्याले ईचारं, शब्बाथ दिनले रोग बरं करनं योग्य शे का?
11 ૧૧ ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે?
येशुनी त्यासले सांगं, तुमनामा असा कोण माणुस शे की, ज्यानं एकच मेंढरू राहिसन ते शब्बाथ दिनले खड्डामा पडनं तर त्याले उचलीन बाहेर काढावु नही का?
12 ૧૨ તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
तर मेंढरसपेक्षा माणुसनं मोल कितलं तरी बरच मोठं शे! यामुये शब्बाथ दिनले एखादाले मदत करनं योग्य शे.
13 ૧૩ ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો.
मंग त्यानी त्या वाळेल हातना माणुसले सांगं, तुना हात सरळ कर, तवय त्यानी हात सरळ करा अनी तो बरा व्हईन दुसरा हातना मायक व्हयना.
14 ૧૪ ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.
त्यानंतर परूशीसनी बाहेर जाईसन त्याना विरोधमा योजना आखी की, त्याना घात कशा कराना.
15 ૧૫ પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા.
पण हाई वळखीन येशु तठेन निंघी गया, तवय बराच लोके त्यानामांगे गयात अनं त्यानी त्या सर्वासले बरं करं;
16 ૧૬ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’,
अनी त्यासले बजाईन सांगं, की, माले प्रकट करू नका;
17 ૧૭ એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
याकरता की, यशया संदेष्टानाद्वारा जे सांगामा येल व्हतं ते पुरं व्हई; ते असं की,
18 ૧૮ “જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધી જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે.
दखा, हाऊ मना सेवक याले मी निवाडेल शे, तो माले परमप्रिय शे; त्यानावर मी संतुष्ट शे; त्यानावर मी आपला आत्मा घालसु, अनं तो गैरयहूदीसना न्याय करी.
19 ૧૯ તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે.
तो भांडावु नही अनं वरडावु नही, अनी कोणलेच त्याना आवाज रस्तामा ऐकु येवाव नही.
20 ૨૦ જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે.
तो अशक्तसले मोडावु नही, अनं धाकला मधला दिवाले तो वलाडावु नही, जोपावत तो न्यायले विजयी करस नही.
21 ૨૧ બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”
अनी गैरयहूदीमाधला सर्वा लोके त्याना नावनी आशा धरतीन
22 ૨૨ ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો.
मंग त्यासनी एक भूत लागेल माणुसले येशुकडे आनं, हाऊ माणुस आंधया अनं मुका व्हता अनी त्यानी त्याले बरं करं, अनी तो मुका बोलाले अनी दखाले लागना.
23 ૨૩ સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”
तवय सर्वा लोके नवल करीसन सांगु लागनात, की, हाऊ दावीदना पोऱ्या व्हई का?
24 ૨૪ પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.”
पण परूशी हाई ऐकीसन सांगु लागनात, हाऊ ते भूतसना राजा बालजबूल यानी मदत लिसन भूत काढस.
25 ૨૫ ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પાડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પાડે, તે સ્થિર નહિ રહેશે.
येशुनी त्यासना मनमधला ईचार वळखीन त्यासले सांगं, आपसमा फुट पडेल प्रत्येक राज्य नष्ट व्हई जास, अनी ज्या शहरमा अनी घरना लोकसमा आपसमा फुट पडनी तर ते शहर अनी घर टिकु शकस नही.
26 ૨૬ જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે?
सैतानच जर सैतानले काढाले लागना तर त्यासनामा फुट पडी जाई मंग त्यानं राज्य कसं टिकी.
27 ૨૭ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.
जर मी भूतसना राजा बालजबूल यानी मदत लिसन भूत काढत व्हसू तर तुमना लोके कोणी मदत लिसन काढतस? म्हणीन त्याच तुमना न्याय करतीन;
28 ૨૮ પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.
पण, मी जर देवना आत्माघाई, भूत काढी ऱ्हायनु तर देवनं राज्य तुमनावर येल शे.
29 ૨૯ વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.
तसच पहीलवान माणुसले अगोदर बांधाशिवाय त्याना घरमा घुशीसन त्याना वस्तु लुटीसन कोणले नेता ई का? त्याले बांध तरच तो त्यानं घर लुटू शकस.
30 ૩૦ જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.
जो मनासंगे नही तो मनाविरूध्द शे, अनी जो मनाबरोबर गोया करस नही तर तो उधळी टाकस.
31 ૩૧ એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે.
यामूये मी तूमले सांगस, की माणुसना प्रत्येक पाप अनी निंदानी क्षमा व्हई. पण जो कोणी पवित्र आत्मानी निंदा करी त्यानी क्षमा व्हवाव नही.
32 ૩૨ માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ. (aiōn )
अनी जो कोणी मनुष्यना पोऱ्याविरूध्द काही बोली तर त्याना अपराधनी क्षमा व्हई जाई, पण जो कोणी पवित्र आत्माना विरोधमा बोली त्याले त्याना अपराधसनी क्षमा ह्या युगमा बी नही. अनी येनारा युगमा बी व्हवाव नही. (aiōn )
33 ૩૩ ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે.
यामुये झाड बी चांगलं अनी त्यानं फळ बी चांगलं शे असा म्हणा; नहीतर झाड वाईट शे अनी त्याना फळ बी वाईट; कारण झाड आपले फळवरतीन वळखाई जास.
34 ૩૪ ઓ ઝેરી સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે.
अहो सापना पिल्लासवन, तुम्हीन वाईट ऱ्हाईसन तुमले चांगल्या गोष्टी कशा बोलता येतीन? कारण जे मनमा भरेल शे तेच तोंडमाईन निंघी.
35 ૩૫ સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.
चांगला माणुस आपला भांडामाईन चांगल्या गोष्टी काढस, अनी वाईट माणुस आपले भांडामाईन वाईट गोष्टी काढस.
36 ૩૬ વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે.
मी तुमले सांगस की, ज्या बी व्यर्थ गोष्टी माणुस सांगी न्यायना दिनले त्याले त्याना हिशोब देनाच पडी.
37 ૩૭ કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.”
कारण आपला बोलनावर तु निर्दोष ठरशी अनी आपलाच बोलनावर तु दोषी ठरशी.
38 ૩૮ ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ ઉપદેશક, અમે તમારી પાસેથી ચમત્કારિક ચિહ્ન જોવા ચાહીએ છીએ.”
तवय शास्त्री अनं परूशी यासनापाईन काहीजण त्याले बोलनात, गुरजी, तुमना हातघाई काही चिन्ह दखानी आमनी ईच्छा शे.
39 ૩૯ પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, “દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂના પ્રબોધકનાં ચમત્કારિક ચિહ્ન સિવાય કોઈ ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.
पण त्यानी त्यासले उत्तर दिधं, हाई दुष्ट अनी व्यभिचारी पिढी चिन्ह मांगस, पण योना संदेष्टाना चिन्हशिवाय तिले दुसरं कोणतच चिन्ह देवामा येवाव नही.
40 ૪૦ કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે.
कारण जस योना तीन दिन अनं तीन रात मासाना पोटमा व्हता, तसाच मनुष्यना पोऱ्या बी तीन दिन तीन रात पृथ्वीना पोटमा ऱ्हाई.
41 ૪૧ ન્યાયકાળે નિનવેહના માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
न्यायना दिनले निनवेना लोके हाई पिढीना लोकससंगे उभा ऱ्हाईसन हिले दोषी ठरावतीन, कारण त्यासनी योनाना संदेश ऐकीसन पश्चाताप करा; अनी दखा, आठे जो शे तो योनापेक्षा श्रेष्ठ शे.
42 ૪૨ દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
न्यायना दिनले दक्षिणकडनी राणी, हाई पिढीना लोकेसंगे उभी ऱ्हाईन हिले दोषी ठराई, कारण ती शलमोन राजानं ज्ञान ऐकाकरता पृथ्वीना सीमापाईन वनी; अनी दखा, शलमोनपेक्षा श्रेष्ठ आठे शे.
43 ૪૩ જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો.
जवय दुष्ट आत्मा कोणा माणुस माईन निंघस, तवय तो आराम कराकरता ओसाड जागामा भटकत फिरस, पण त्याले जागा मिळस नही,
44 ૪૪ ત્યારે તે કહે છે કે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ;’ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું ખાલી તથા શોભાયમાન કરેલું હોય છે.
तवय तो सांगस, ज्या घरमाईन मी येल व्हतु त्यामा परत जासु; अनी जवय तो तठे वापस जास, तवय त्याले ते घर रिकामं साफसफाई करेल, सजाडेल अस दखास.
45 ૪૫ પછી તે જઈને પોતા કરતાં વધારે દુષ્ટ એવા સાત દુષ્ટાત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.”
मंग तो जाईसन आपलापेक्षा दुष्ट, असा दुसरा सात आत्मा आपलासंगे लई येस, अनी त्या मजार जाईन तठे ऱ्हातस; मंग त्या माणुसनी शेवटनी अवस्था पहिलापेक्षा जास्त वाईट व्हस; तसच हाई पिढीनं बी व्हई.
46 ૪૬ ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં.
मंग येशु लोकसनी गर्दीसंगे बोली ऱ्हाईंता, दखा, त्यानी माय अनं त्याना भाऊ त्यानासंगे बोलाकरता बाहेर उभा ऱ्हायेल व्हतात.
47 ૪૭ ત્યારે કોઈએ તેમને કહ્યું કે, “જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે.”
तवय कोणी तरी येशुले सांगं, दख, तुनी माय अनं तुना भाऊ तुनासंगे बोलाकरता बाहेर उभा ऱ्हायेल शेतस.
48 ૪૮ પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, “મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?”
पण येशुनी त्या सांगणाराले उत्तर दिधं, कोण मनी माय अनं कोण मना भाऊ?
49 ૪૯ તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, “જુઓ મારી મા તથા મારા ભાઈઓ!
अनी येशु आपला शिष्यसकडे हात दखाडीन बोलना, “दखा, मनी माय अनं मना भाऊ!
50 ૫૦ કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે.”
कारण जो कोणी मना स्वर्गना बापना ईच्छाप्रमाणे करस तोच मना भाऊ, बहिण, अनं माय शे.”