< લૂક 6 >
1 ૧ “એક વિશ્રામવારે ઈસુ ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યો ઘઉંના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતા.
ⲁ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲙⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲉⲧⲣⲉϥⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲙⲙⲁ ⲉⲧϫⲏⲩ ⲁⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ϭⲱⲛϭ ⲛⲛϩⲙⲥ ⲁⲩⲥⲉϩⲥⲱϩⲟⲩ ⲛⲛⲉⲩϭⲓϫ ⲁⲩⲟⲩⲱⲙ
2 ૨ આથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘વિશ્રામવારે જે કરવું ઉચિત નથી, તે તમે કેમ કરો છો?’”
ⲃ̅ⲡⲉϫⲉϩⲟⲓⲛⲉ ⲛⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ϫⲉ ⲉⲧⲃⲉ ⲟⲩ ⲧⲉⲧⲛⲓⲣⲉ ⲙⲡⲉⲧⲉⲙⲉϣϣⲉ ϩⲙ ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ
3 ૩ ઈસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેઓએ જે કર્યુ, તે શું તમે વાંચ્યું નથી કે
ⲅ̅ⲁⲓⲏⲥ ⲇⲉ ⲟⲩⲱϣⲃ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲙⲡⲉⲧⲛⲉϣ ⲡⲁⲓ ⲉⲁⲇⲁⲩⲉⲓⲇ ⲁⲁϥ ⲛⲧⲉⲣⲉϥϩⲕⲟ ⲛⲧⲟϥ ⲙⲛ ⲛⲉⲧⲛⲙⲙⲁϥ
4 ૪ તેણે ઈશ્વરના ઘરમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત ન હતી તે તેણે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી?’”
ⲇ̅ϫⲉ ⲛⲛⲁϣ ⲛϩⲉ ⲁϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲏⲓ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁϥϫⲓ ⲛⲛⲛⲟⲉⲓⲕ ⲛⲧⲉⲡⲣⲟⲑⲉⲥⲓⲥ ⲁϥⲟⲩⲟⲙⲟⲩ ⲁⲩⲱ ⲁϥϯ ⲛⲛⲉⲧⲛⲙⲙⲁϥ ⲛⲁⲓ ⲉⲧⲉⲙⲉϣϣⲉ ⲉⲣⲟⲟⲩ ⲉⲩⲟⲙⲟⲩ ⲉⲓⲙⲏⲧⲓ ⲟⲩⲏⲏⲃ ⲙⲁⲩⲁⲁⲩ
5 ૫ તેમણે તેઓને કહ્યું કે, ‘માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.’”
ⲉ̅ⲡⲉϫⲁϥ ⲇⲉ ⲛⲁⲩ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲙⲡⲕⲉⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲡⲉ ⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ
6 ૬ બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.
ⲋ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ϩⲙ ⲡⲕⲉⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲉⲧⲣⲉϥⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲥⲩⲛⲁⲅⲱⲅⲏ ⲛϥϯ ⲥⲃⲱ ⲁⲩⲱ ⲛⲉⲩⲛⲟⲩⲣⲱⲙⲉ ⲙⲙⲁⲩ ⲡⲉ ⲉⲣⲉⲧⲉϥϭⲓϫ ⲛⲟⲩⲛⲁⲙ ϣⲟⲩⲱⲟⲩ
7 ૭ વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે.
ⲍ̅ⲛⲉⲩⲡⲁⲣⲁⲧⲏⲣⲓ ⲇⲉ ⲉⲣⲟϥ ⲡⲉ ⲛϭⲓ ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲙⲛ ⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ϫⲉ ⲛⲉⲛⲉⲛϥⲛⲁⲣⲡⲁϩⲣⲉ ⲉⲣⲟϥ ⲙⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ϫⲉ ⲉⲩⲉϩⲉ ⲉⲑⲉ ⲛⲕⲁⲧⲏⲅⲟⲣⲓ ⲙⲙⲟϥ
8 ૮ પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, ‘ઊઠીને વચમાં ઊભો રહે.’ તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો.
ⲏ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲛⲉϥⲥⲟⲟⲩⲛ ⲛⲛⲉⲩⲙⲟⲕⲙⲉⲕ ⲡⲉϫⲁϥ ⲇⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲉⲧⲉⲣⲉⲧⲉϥϭⲓϫ ϣⲟⲩⲱⲟⲩ ϫⲉ ⲧⲱⲟⲩⲛ ⲁϩⲉⲣⲁⲧⲕ ⲛⲧⲙⲏⲧⲉ ⲁϥⲧⲱⲟⲩⲛ ⲇⲉ ⲁϥⲁϩⲉⲣⲁⲧϥ
9 ૯ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો, એ બન્નેમાંથી કયું ઉચિત છે?’”
ⲑ̅ⲡⲉϫⲉ ⲓⲏⲥ ⲛⲁⲩ ϫⲉ ϯⲛⲁϫⲛⲉ ⲧⲏⲟⲩⲧⲛ ϫⲉ ⲉⲛⲉⲉⲝⲉⲥⲧⲓ ⲉⲣⲡⲉⲧⲛⲁⲛⲟⲩϥ ϩⲙ ⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ϫⲉⲛⲉⲣⲡⲉⲑⲟⲟⲩ ⲉⲧⲟⲩϫⲉⲟⲩⲯⲩⲭⲏ ϫⲉⲛⲉⲧⲁⲕⲟⲥ
10 ૧૦ ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’ તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો.
ⲓ̅ⲁϥⲕⲧⲉⲓⲁⲧϥ ⲇⲉ ⲛϩⲏⲧⲟⲩ ⲧⲏⲣⲟⲩ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ ⲥⲟⲩⲧⲛⲧⲉⲕϭⲓϫ ⲉⲃⲟⲗ ⲛⲧⲟϥ ⲇⲉ ⲁϥⲥⲟⲩⲧⲱⲛⲥ ⲁⲩⲱ ⲁⲧⲉϥϭⲓϫ ⲗⲟ
11 ૧૧ પણ તેઓ ક્રોધે ભરાયા; અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘ઈસુ વિષે આપણે શું કરીએ?’”
ⲓ̅ⲁ̅ⲛⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲙⲟⲩϩ ⲙⲙⲛⲧⲁⲑⲏⲧ ⲁⲩⲙⲉⲕⲙⲟⲩⲕⲟⲩ ⲙⲛ ⲛⲉⲩⲉⲣⲏⲩ ϫⲉ ⲉⲛⲛⲁⲣ ⲟⲩ ⲛⲓⲏⲥ
12 ૧૨ તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી.
ⲓ̅ⲃ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲛⲛⲉⲓϩⲟⲟⲩ ⲉⲧⲣⲉϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲉⲡⲧⲟⲟⲩ ⲉϣⲗⲏⲗ ⲁⲩⲱ ⲛⲉϥⲟ ⲛⲟⲩϣⲏ ⲣⲣⲟⲉⲓⲥ ⲡⲉ ϩⲙ ⲡⲉϣⲗⲏⲗ ⲙⲡⲛⲟⲩⲧⲉ
13 ૧૩ સવાર થતાં ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંના બારને પસંદ કર્યા, જેઓને તેમણે પસંદ કર્યા તેઓને ‘પ્રેરિતો’ એવું નામ આપ્યું.
ⲓ̅ⲅ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲉϩⲧⲟⲟⲩⲉ ϣⲱⲡⲉ ⲁϥⲙⲟⲩⲧⲉ ⲉⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲁϥⲥⲉⲧⲡ ⲙⲛⲧⲥⲛⲟⲟⲩⲥ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧⲟⲩ ⲛⲁⲓ ⲉⲛⲧⲁϥⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲟⲩ ϫⲉ ⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ
14 ૧૪ સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું હતું તેને તથા તેના ભાઈ આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ અને બર્થોલ્મીને,
ⲓ̅ⲇ̅ⲥⲓⲙⲱⲛ ⲡⲉⲛⲧⲁⲩϯⲣⲓⲛϥ ⲉⲡⲉⲧⲣⲟⲥ ⲛⲙⲁⲛⲇⲣⲉⲁⲥ ⲡⲉϥⲥⲟⲛ ⲓⲁⲕⲱⲃⲟⲥ ⲛⲙⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲡⲉϥⲥⲟⲛ ⲫⲓⲗⲓⲡⲡⲟⲥ ⲛⲙⲃⲁⲣⲑⲟⲗⲟⲙⲁⲓⲟⲥ
15 ૧૫ માથ્થી, થોમા, અલ્ફીના દીકરા યાકૂબ અને સિમોન, જે ઝનૂની હતો તેને,
ⲓ̅ⲉ̅ⲛⲙⲙⲁⲑⲑⲁⲓⲟⲥ ⲛⲙⲑⲱⲙⲁⲥ ⲛⲙⲓⲁⲕⲱⲃⲟⲥ ⲡϣⲏⲣⲉ ⲛⲛⲁⲗⲫⲁⲓⲟⲥ ⲛⲙⲥⲓⲙⲱⲛ ⲡⲉⲧⲉϣⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲡⲍⲏⲗⲱⲧⲏⲥ
16 ૧૬ યાકૂબના દીકરા યહૂદાને, અને યહૂદા ઇશ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને.
ⲓ̅ⲋ̅ⲛⲙⲓⲟⲩⲇⲁⲥ ⲡϣⲏⲣⲉ ⲛⲓⲁⲕⲱⲃⲟⲥ ⲛⲙⲓⲟⲩⲇⲁⲥ ⲡⲓⲥⲕⲁⲣⲓⲱⲧⲏⲥ ⲡⲁⲓ ⲉⲛⲧⲁϥϣⲱⲡⲉ ⲙⲡⲣⲟⲇⲟⲧⲏⲥ
17 ૧૭ પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા;
ⲓ̅ⲍ̅ⲁϥⲉⲓ ⲇⲉ ⲉⲡⲉⲥⲏⲧ ⲛⲙⲙⲁⲩ ⲁϥⲁϩⲉⲣⲁⲧϥ ϩⲓⲟⲩⲙⲁ ⲉϥⲟⲩⲟϣⲥ ⲁⲩⲱ ⲟⲩⲙⲏⲏϣⲉ ⲉⲛⲁϣⲱϥ ⲙⲛ ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲛⲙⲟⲩⲙⲏⲏϣⲉ ⲉϥⲟϣ ⲛⲧⲉⲡⲗⲁⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲛ ϯⲟⲩⲇⲁⲓⲁ ⲛⲙⲑⲓⲉⲣⲟⲥⲟⲗⲩⲙⲁ ⲛⲙ ⲧⲡⲁⲣϩⲁⲗⲓⲁ ⲛⲧⲩⲣⲟⲥ ⲛⲙⲥⲓⲇⲱⲛ
18 ૧૮ જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા.
ⲓ̅ⲏ̅ⲛⲁⲓ ⲉⲛⲧⲁⲩⲉⲓ ⲉⲥⲱⲧⲙ ⲉⲣⲟϥ ⲁⲩⲱ ⲉⲧⲁⲗϭⲟⲟⲩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲩϣⲱⲛⲉ ⲁⲩⲱ ⲛⲉⲧⲙⲟⲕϩ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲛⲉⲡⲛⲁ ⲛⲁⲕⲁⲑⲁⲣⲧⲟⲛ ⲁⲩⲧⲁⲗϭⲟ
19 ૧૯ સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.
ⲓ̅ⲑ̅ⲡⲙⲏⲏϣⲉ ⲇⲉ ⲧⲏⲣϥ ⲛⲉⲩϣⲓⲛⲉ ⲛⲥⲁϫⲱϩ ⲉⲣⲟϥ ⲡⲉ ϫⲉ ⲛⲉⲣⲉⲟⲩϭⲟⲙ ⲛⲏⲩ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧϥ ⲉⲥⲧⲁⲗϭⲟ ⲙⲙⲟⲟⲩ ⲧⲏⲣⲟⲩ
20 ૨૦ ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‘ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે.
ⲕ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲁϥϥⲓⲁⲧϥ ⲉϩⲣⲁⲓ ⲉⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲡⲉϫⲁϥ ϫⲉ ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛϩⲏⲕⲉ ϫⲉ ⲧⲱⲟⲩ ⲧⲉ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ
21 ૨૧ અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો.
ⲕ̅ⲁ̅ⲛⲁⲓⲁⲧⲧⲏⲩⲧⲛ ⲛⲉⲧϩⲕⲁⲉⲓⲧ ⲧⲉⲛⲟⲩ ϫⲉ ⲧⲉⲧⲛⲁⲥⲉⲓ ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲉⲧⲣⲓⲙⲉ ⲧⲉⲛⲟⲩ ϫⲉ ⲥⲉⲛⲁⲥⲱⲃⲉ
22 ૨૨ જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો.
ⲕ̅ⲃ̅ⲛⲁⲓⲁⲧⲧⲏⲟⲩⲧⲛ ⲉⲣϣⲁⲛⲣⲱⲙⲉ ⲛⲓⲙ ⲙⲉⲥⲧⲱⲧⲛ ⲛⲥⲉⲡⲣϫⲧⲏⲟⲩⲧⲛ ⲉⲃⲟⲗ ⲛⲥⲉⲛⲟϭⲛⲉϭ ⲙⲙⲱⲧⲛ ⲛⲥⲉⲧⲥⲧⲉ ⲡⲉⲧⲛⲣⲁⲛ ⲉⲃⲟⲗ ϩⲱⲥⲡⲟⲛⲏⲣⲟⲥ ⲉⲧⲃⲉ ⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ
23 ૨૩ તે દિવસે તમે આનંદ કરો અને ખુશીથી કૂદો કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.
ⲕ̅ⲅ̅ⲣⲁϣⲉ ϩⲙ ⲡⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ ⲛⲧⲉⲧⲛⲧⲉⲗⲏⲗ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ⲡⲉⲧⲛⲃⲉⲕⲉ ϥⲛⲁϣⲱⲡⲉ ⲉⲛⲁϣⲱϥ ϩⲛ ⲧⲡⲉ ⲛⲉⲣⲉⲛⲉⲩⲓⲟⲧⲉ ⲅⲁⲣ ⲉⲓⲣⲉ ⲡⲉ ϩⲓⲛⲁⲉⲓ ⲛⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ
24 ૨૪ પણ ઓ ધનવાનો તમને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો!
ⲕ̅ⲇ̅ⲡⲗⲏⲛ ⲟⲩⲟⲓ ⲛⲏⲧⲛ ⲣⲣⲙⲙⲁⲟ ϫⲉ ⲁⲧⲉⲧⲛϫⲓ ⲙⲡⲉⲧⲛⲙⲧⲟⲛ
25 ૨૫ ઓ અત્યારે ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હાલનાં હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો અને રડશો.
ⲕ̅ⲉ̅ⲟⲩⲟⲓ ⲛⲏⲧⲛ ⲛⲉⲧⲥⲏⲟⲩ ⲧⲉⲛⲟⲩ ϫⲉ ⲧⲉⲧⲛⲁϩⲕⲟ ⲟⲩⲟⲓ ⲛⲏⲧⲛ ⲛⲉⲧⲥⲱⲃⲉ ⲧⲉⲛⲟⲩ ϫⲉ ⲧⲉⲧⲛⲁⲣϩⲏⲃⲉ ⲛⲧⲉⲧⲛⲣⲓⲙⲉ
26 ૨૬ જયારે સઘળા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના પૂર્વજો જૂઠાં પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા હતા.
ⲕ̅ⲋ̅ⲟⲩⲟⲓ ⲛⲏⲧⲛ ⲉⲣϣⲁⲛⲣⲣⲱⲙⲉ ⲧⲏⲣⲟⲩ ⲧⲁⲓⲉⲧⲏⲟⲩⲧⲛ ⲛⲉⲩⲉⲓⲣⲉ ⲅⲁⲣ ⲛⲧⲉⲓϩⲉ ⲡⲉ ⲛⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲛⲛⲟⲩϫ
27 ૨૭ પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો,
ⲕ̅ⲍ̅ⲁⲗⲗⲁ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ⲛⲉⲧⲥⲱⲧⲙ ⲉⲣⲟⲓ ϫⲉ ⲙⲉⲣⲉⲛⲉⲧⲛϫⲓϫⲉⲟⲩ ⲁⲣⲓⲡⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲛⲛⲉⲧⲙⲟⲥⲧⲉ ⲙⲙⲱⲧⲛ
28 ૨૮ જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો.
ⲕ̅ⲏ̅ⲥⲙⲟⲩ ⲉⲛⲉⲧⲥⲁϩⲟⲩ ⲙⲙⲱⲧⲛ ϣⲗⲏⲗ ⲉϫⲛ ⲛⲉⲧⲡⲏⲧ ⲛⲥⲱⲧⲛ
29 ૨૯ જે કોઈ તારા એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો ગાલ પણ ધર; કોઈ તારા વસ્ત્રો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખીશ નહિ.
ⲕ̅ⲑ̅ⲡⲉⲧⲛⲁⲣⲁϩⲧⲕ ⲉⲧⲉⲕⲟⲩⲟϭⲉ ⲕⲧⲟ ⲉⲣⲟϥ ⲛⲧⲕⲉⲟⲩⲉⲓ ⲁⲩⲱ ⲕⲁⲧⲉⲕϣⲧⲏⲛ ⲉⲃⲟⲗ ⲛⲥⲁⲡⲉⲧϥⲓ ⲙⲡⲉⲕϩⲟⲓⲧⲉ
30 ૩૦ જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઈ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ.
ⲗ̅ϯⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲁⲓⲧⲓ ⲙⲙⲟⲕ ⲁⲩⲱ ⲛⲅⲧⲙⲧⲉⲥⲡⲉⲧϥⲓ ⲛⲛⲉⲧⲉⲛⲟⲩⲕ ⲛⲉ
31 ૩૧ લોકો જેમ તમારી સાથે જે રીતે વર્તે તેમ જ તમે પણ તેઓની સાથે વર્તન કરો.
ⲗ̅ⲁ̅ⲁⲩⲱ ⲛⲑⲉ ⲉⲧⲉⲧⲛⲟⲩⲉ ϣⲧⲣⲉⲣⲣⲱⲙⲉ ⲁⲁⲥ ⲛⲏⲧⲛ ⲁⲣⲓⲥ ϩⲱⲧⲧⲏⲩⲧⲛ ⲛⲁⲩ
32 ૩૨ તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ પોતાની ઉપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે.
ⲗ̅ⲃ̅ⲁⲩⲱ ⲉϣϫⲉ ⲧⲉⲧⲛⲙⲉ ⲛⲛⲉⲧⲙⲉ ⲙⲙⲱⲧⲛ ⲁϣ ⲡⲉ ⲡⲉⲧⲛϩⲙⲟⲧ ⲕⲁⲓⲅⲁⲣ ⲣⲣⲉϥⲣⲛⲟⲃⲉ ⲥⲉⲙⲉ ⲛⲛⲉⲧⲙⲉ ⲙⲙⲟⲟⲩ
33 ૩૩ જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે.
ⲗ̅ⲅ̅ⲁⲩⲱ ⲉⲧⲉⲧⲛϣⲁⲣ ⲡⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲛⲛⲉϯⲣⲉ ⲛⲏⲧⲛ ⲁϣ ⲡⲉ ⲡⲉⲧⲛϩⲙⲟⲧ ⲣⲣⲉϥⲣⲛⲟⲃⲉ ϩⲱⲟⲩ ⲉⲓⲣⲉ ⲙⲡⲁⲓ
34 ૩૪ જેની પાસેથી તમે પાછું મેળવાની અપેક્ષા રાખો છો, તેઓને જ તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.
ⲗ̅ⲇ̅ⲉⲧⲉⲧⲛϣⲁⲛϯ ⲉⲙⲏⲥⲉ ⲛⲛⲉⲧⲉⲧⲛϩⲉⲗⲡⲓⲍⲉ ⲉϫⲓ ⲛⲧⲟⲟⲧⲟⲩ ⲁϣ ⲡⲉ ⲡⲉⲧⲛϩⲙⲟⲧ ⲣⲣⲉϥⲣⲛⲟⲃⲉ ϩⲱⲟⲩ ϯⲛⲣⲣⲉϥⲣⲛⲟⲃⲉ ϫⲉ ⲉⲩⲉϫⲓ ⲙⲡⲉⲩⲕⲱⲃ
35 ૩૫ પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો; કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે.
ⲗ̅ⲉ̅ⲡⲗⲏⲛ ⲙⲉⲣⲉⲛⲉⲧⲛϫⲓϫⲉⲟⲩ ⲛⲧⲉⲧⲛⲣⲡⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲛⲧⲉⲧⲛϯⲉⲙⲏⲥⲉ ⲉⲛⲧⲉⲧⲛⲕⲱ ⲛϩⲧⲏⲧⲛ ⲁⲛ ⲉϫⲓⲗⲁⲁⲩ ⲁⲩⲱ ⲡⲉⲧⲛⲃⲉⲕⲉ ⲛⲁϣⲱⲡⲉ ⲉⲛⲁϣⲱϥ ⲛⲧⲉⲧⲛϣⲱⲡⲉ ⲛϣⲏⲣⲉ ⲙⲡⲉⲧϫⲟⲥⲉ ϫⲉ ⲛⲧⲟϥ ⲟⲩⲭⲣⲏⲥⲧⲟⲥ ⲡⲉ ⲉϫⲛ ⲛⲉⲧⲉⲙⲉⲩϣⲡϩⲙⲟⲧ ⲛⲙⲙⲡⲟⲛⲏⲣⲟⲥ
36 ૩૬ માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ.
ⲗ̅ⲋ̅ϣⲱⲡⲉ ⲛϣⲁⲛϩⲧⲏϥ ϫⲉ ⲟⲩϣⲁⲛϩⲧⲏϥ ⲡⲉ ⲡⲉⲧⲛⲉⲓⲱⲧ
37 ૩૭ કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. માફ કરો અને તમને પણ માફ કરાશે.
ⲗ̅ⲍ̅ⲙⲡⲣⲕⲣⲓⲛⲉ ϫⲉ ⲛⲛⲉⲩⲕⲣⲓⲛⲉ ⲙⲙⲱⲧⲛ ⲙⲡⲣⲧϭⲁⲓⲟ ϫⲉ ⲛⲛⲉⲩⲧϭⲁⲓⲉⲧⲏⲩⲧⲛ ⲕⲱ ⲉⲃⲟⲗ ⲧⲁⲣⲟⲩⲕⲱ ⲛⲏⲧⲛ ⲉⲃⲟⲗ
38 ૩૮ આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.
ⲗ̅ⲏ̅ϯⲧⲁⲣⲟⲩϯ ⲛⲏⲧⲛ ⲛⲟⲩϣⲓ ⲉⲛⲁⲛⲟⲩϥ ⲉϥⲧⲉϭⲧⲱϭ ⲉϥⲛⲉϩⲛⲟⲩϩ ⲉϥⲡⲏⲛ ⲉⲃⲟⲗ ⲥⲉⲛⲁⲧⲁⲁϥ ⲉⲕⲟⲩⲛⲧ ⲧⲏⲟⲩⲧⲛ ϩⲙ ⲡϣⲓ ⲅⲁⲣ ⲉⲧⲉⲧⲛⲁϣⲓ ⲙⲙⲟϥ ⲉⲩⲛⲁϣⲓ ⲛⲏⲧⲛ ⲙⲙⲟϥ
39 ૩૯ ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, ‘શું દ્રષ્ટિહીન વ્યક્તિ અન્ય દ્રષ્ટિહીનને દોરી શકે? શું બન્ને ખાડામાં પડશે નહિ?
ⲗ̅ⲑ̅ⲁϥϫⲱ ⲇⲉ ⲛⲁⲩ ⲟⲛ ⲛⲕⲉⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ϫⲉ ⲙⲏ ⲟⲩⲛϭⲟⲙ ⲛⲟⲩⲃⲗⲗⲉ ⲉϫⲓⲙⲟⲉⲓⲧ ϩⲏⲧϥ ⲛⲟⲩⲃⲗⲗⲉ ⲙⲏ ⲛⲥⲉⲛⲁϩⲉ ⲁⲛ ⲉⲩϩⲓⲉⲓⲧ ⲙⲡⲉⲥⲛⲁⲩ
40 ૪૦ શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક શિષ્ય સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી પોતાના ગુરુ જેવો થશે.
ⲙ̅ⲙⲙⲛⲥⲃⲟⲩⲓ ⲉϥϫⲟⲥⲉ ⲉⲡⲉϥⲥⲁϩ ⲙⲁⲣⲉⲟⲩⲟⲛ ⲛⲓⲙ ϣⲱⲡⲉ ⲉϥⲥⲃⲧⲱⲧ ⲛⲑⲉ ⲙⲡⲉϥⲥⲁϩ
41 ૪૧ તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી?
ⲙ̅ⲁ̅ⲁϩⲣⲟⲕ ⲇⲉ ⲕϭⲱϣⲧ ⲉⲡϫⲏ ⲉⲧϩⲙ ⲡⲃⲁⲗ ⲙⲡⲉⲕⲥⲟⲛ ⲡⲥⲟⲓ ⲇⲉ ⲉⲧϩⲙⲡⲉⲕⲃⲁⲗ ⲉⲛⲅⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲁⲛ
42 ૪૨ તારી પોતાની આંખમાંનો ભારોટીયો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને કઈ રીતે કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું ફોતરું દે? ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટીયો કાઢ, અને ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.
ⲙ̅ⲃ̅ⲏ ⲛⲁϣ ⲛϩⲉ ⲕⲛⲁϫⲟⲟⲥ ⲙⲡⲉⲕⲥⲟⲛ ϫⲉ ⲡⲁⲥⲟⲛ ϭⲱ ⲧⲁⲛⲉϫⲡϫⲏ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲕⲃⲁⲗ ⲉⲛⲅⲛⲁⲩ ⲁⲛ ⲉⲡⲥⲟⲓ ⲉⲧϩⲙ ⲡⲉⲕⲃⲁⲗ ⲫⲩⲡⲟⲕⲣⲓⲧⲏⲥ ⲛⲉϫⲡⲥⲟⲓ ⲛϣⲟⲣⲡ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲕⲃⲁⲗ ⲧⲁⲣⲉⲕⲛⲁⲩ ⲉⲃⲟⲗ ⲉⲛⲉϫⲡϫⲏ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲃⲁⲗ ⲙⲡⲉⲕⲥⲟⲛ
43 ૪૩ કોઈ સારા વૃક્ષને ખરાબ ફળ આવતું નથી; વળી કોઈ ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી.
ⲙ̅ⲅ̅ⲙⲙⲛϣⲏⲛ ⲅⲁⲣ ⲉⲛⲁⲛⲟⲩϥ ⲛⲁⲧⲁⲩⲉⲕⲁⲣⲡⲟⲥ ⲉⲃⲟⲗ ⲉϥϩⲟⲟⲩ ⲟⲩⲇⲉ ⲙⲙⲛϣⲏⲛ ⲉϥϩⲟⲟⲩ ⲛⲁⲧⲁⲩⲉⲕⲁⲣⲡⲟⲥ ⲉⲃⲟⲗ ⲉⲛⲁⲛⲟⲩϥ
44 ૪૪ દરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાનાં ઝાડ પરથી લોકો અંજીર વીણતા નથી, અને ઝાંખરાં પરથી દ્રાક્ષ વીણતા નથી.
ⲙ̅ⲇ̅ⲉϣⲁⲩⲥⲟⲩⲛ ⲡϣⲏⲛ ⲅⲁⲣ ⲡϣⲏⲛ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉϥⲕⲁⲣⲡⲟⲥ ⲙⲉⲩⲕⲉⲧϥⲕⲛⲧⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ϣⲟⲛⲧⲉ ⲟⲩⲇⲉ ⲙⲉⲩϫⲉⲗⲉ ⲉⲗⲟⲟⲗⲉ ⲉⲃⲟⲗ ϩⲛ ⲃⲁⲧⲟⲥ
45 ૪૫ સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે.
ⲙ̅ⲉ̅ⲉϣⲁⲣⲉⲡⲣⲱⲙⲉ ⲛⲁⲅⲁⲑⲟⲥ ⲧⲁⲩⲉⲁⲅⲁⲑⲟⲛ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲁϩⲟ ⲙⲡⲉϥϩⲏⲧ ⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲁⲩⲱ ⲉϣⲁⲣⲉⲡⲣⲱⲙⲉ ⲙⲡⲟⲛⲏⲣⲟⲥ ⲧⲁⲩⲉⲡⲟⲛⲏⲣⲟⲛ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉϥⲁϩⲟ ⲙⲡⲟⲛⲏⲣⲟⲛ ⲉⲃⲟⲗ ⲅⲁⲣ ϩⲙ ⲡⲉϩⲟⲩⲟ ⲙⲡϩⲏⲧ ⲉϣⲁⲣⲉⲧⲧⲁⲡⲣⲟ ϣⲁϫⲉ
46 ૪૬ તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી?
ⲙ̅ⲋ̅ⲁϩⲣⲱⲧⲛ ⲧⲉⲧⲛⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲓ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲡϫⲟⲉⲓⲥ ⲉⲛⲧⲉⲧⲛⲉⲓⲣⲉ ⲁⲛ ⲙⲡⲉϯϫⲱ ⲙⲙⲟϥ
47 ૪૭ જે કોઈ મારી પાસે આવે છે, અને મારાં વચન સાંભળે છે તથા પાળે છે, તે કોનાં જેવા છે, એ હું તમને કહીશ.
ⲙ̅ⲍ̅ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲛⲏⲩ ϣⲁⲣⲟⲓ ⲉⲧⲥⲱⲧⲙ ⲉⲛⲁϣⲁϫⲉ ⲉϯⲣⲉ ⲙⲙⲟⲟⲩ ϯⲛⲁⲧⲁⲙⲱⲧⲛ ϫⲉ ⲉϥⲧⲛⲧⲱⲛ ⲉⲛⲓⲙ
48 ૪૮ તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમ કે તે મજબૂત બાંધેલું હતું.
ⲙ̅ⲏ̅ⲉϥⲧⲛⲧⲱⲛ ⲉⲩⲣⲱⲙⲉ ⲉϥⲕⲱⲧ ⲛⲟⲩⲏⲓ ⲡⲁⲓ ⲉⲛⲧⲁϥϭⲱϫⲉ ⲁⲩⲱ ⲁϥϣⲓⲕⲉ ⲁϥⲥⲙⲓⲛⲉ ⲛⲧⲥⲛⲧⲉ ⲉϫⲛ ⲧⲡⲉⲧⲣⲁ ⲛⲧⲉⲣⲉⲧⲉⲙⲏⲣⲉ ⲇⲉ ϣⲱⲡⲉ ⲁⲡⲓⲉⲣⲟ ϩⲓⲟⲩⲉ ⲉϩⲟⲩⲛ ⲉϩⲙⲡⲏⲓ ⲉⲧⲙⲙⲁⲩ ⲙⲡϥⲉϣϭⲙϭⲟⲙ ⲉⲣⲟϥ ϫⲉ ⲛⲉϥⲕⲏⲧ ⲕⲁⲗⲱⲥ
49 ૪૯ પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘર તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.’”
ⲙ̅ⲑ̅ⲡⲉⲧⲥⲱⲧⲙ ⲇⲉ ⲉⲣⲟⲟⲩ ⲉⲛϥⲉⲓⲣⲉ ⲙⲙⲟⲟⲩ ⲁⲛ ⲉϥⲧⲛⲧⲱⲛ ⲉⲩⲣⲱⲙⲉ ⲉⲁϥⲕⲱⲧ ⲙⲡⲉϥⲏⲓ ⲉϫⲙⲡⲕⲁϩ ⲛⲟⲩⲉϣⲛⲥⲛⲧⲉ ⲛⲧⲉⲩⲛⲟⲩ ⲇⲉ ⲉⲛⲧⲁⲡⲓⲉⲣⲟ ϩⲓⲟⲩⲉ ⲉϩⲟⲩⲛ ⲉϩⲣⲁϥ ⲁϥϩⲉ ⲡϩⲉ ⲙⲡⲏⲓ ⲉⲧⲙⲙⲁⲩ ⲁϥϣⲱⲡⲉ ⲛⲟⲩⲛⲟϭ