< લૂક 16 >

1 પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, ‘એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે.
ଜିସୁ ଚେଲାରିଂ ପା ଇଚାନ୍‌, “ର ମାଜାନ୍‌ ମାନାୟ୍‌ ମାଚାନ୍‌, ତାଙ୍ଗେଙ୍ଗ୍‌ ରକାନ୍‌ ଗୁମୁସ୍ତା ମାଚାନ୍‌, ଆରେ ହେୱାନ୍‌ ହେ ଦାନ୍‌ କାରାପ୍‌ କିନାନା ଇଞ୍ଜି ହେଦାଂ ବିସ୍ରେ ୱେନ୍‌ଞ୍ଜି ହେୱାନ୍‌ ହେୱେନିଂ ହିର୍‌ବିସ୍‌ ଇଚାନ୍‌,
2 અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.
ଆନ୍‌ ମି ବିସ୍ରେ ଇଦାଂ କି କାତା ୱେନାଙ୍ଗା?” ନି ଗୁମୁସ୍ତା କାମାୟ୍‌ ନି ଇସାବ୍‌ ହିଦା ଇନେକିଦେଂ ଏନ୍‌ ଆରି ଗୁମୁସ୍ତା ଆଜ଼ି ମାଞ୍ଜେଙ୍ଗ୍‌ ଆଡୁୟ୍‌ ।
3 કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે.
ହେବେତାଂ ହେ ଗୁମୁସ୍ତା ମାନେ ମାନେ ଇଚାନ୍‌, ଇନାକା କିନାଙ୍ଗ୍‌? ନା ମାପ୍ରୁ ତ ନା ତାକେଣ୍ଡାଂ ଗୁମୁସ୍ତା ପାଦ୍‌ ପିହି କିଜ଼ି ଅନାନା । ଚିକ୍‌ଲା କାଦ୍‌ଦେଂ ନା ସାକ୍ତି ହିଲୁତ୍‌, ଇସ୍‍ପିସ୍‍ ଚିଞ୍ଜେଙ୍ଗ୍‌ ନାଙ୍ଗେଙ୍ଗ୍‌ ଲାଜୁ ହତ୍‍ନାତା ।
4 તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.
ଆନ୍‌ ଗୁମୁସ୍ତା ପାଦ୍‍ତାଙ୍ଗ୍ ପିସ୍ତି ପାଚେ ଲକୁ ଇନେସ୍‌କି ନାଙ୍ଗେଙ୍ଗ୍‌ ଜାର୍‌ ଜାର୍‌ ଇଞ୍ଜ ମାନ୍‌କିଦ୍‌ନାର୍‌, ଇଦାଂ କାଜିଂ ଇନାକା କିନାଙ୍ଗ୍‌, ହେଦାଂ ବୁଜା ଆନାଙ୍ଗା ।
5 તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમાંના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે?
ଆରି, ହେୱାନ୍‌ ଜାର୍‌ ମାପ୍ରୁତି ୱିଜ଼ାକାରିଂ କାତକ୍‌ତିଂ ଲାଗେ ହିର୍‌ବିସ୍‌ ପର୍ତୁମ୍‌ ରକାନିଂ ଇଚାନ୍‌, “ମି ଜପି ନାମାପ୍ରୁତି ରୁଣ୍‌ ଅତାୟ୍‌ନା? ଏଚେକ୍‌ ଚିକାଣ୍‌? ହେୱାନ୍‌ ଇଚାନ୍‌, ପାଞ୍ଚ୍‌କଡ଼ି ମାଣ୍‌ ଚିକାଣ୍‌ ।”
6 અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ.
ହେୱାନ୍‌ ଇଚାନ୍‌, “ସହେ ସିପା ଚିକାଣ୍‌ । ବେବାର୍‌ କିନାକାନ୍‌ ଇଚାନ୍‌, ଇଦାଂ ନି କାଗଜ୍‌, ଇବେ ପଚାସ୍‌ ଇଞ୍ଜି ଲେକିକିୟା ।
7 પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ.
ତା ପାଚେ ହେୱାନ୍‌ ଆରେ ରକାନିଂ ଇଚାନ୍‌, ଏନ୍‌ ଏଚେକ୍‌ ରୁଣ୍‌ ଅତାୟ୍‌ନା?” ହେୱାନ୍‌ ଇଚାନ୍‌, “ପାଞ୍ଚ୍‌କଡ଼ି ମାଣ୍‌ ଗଁମ୍‌ । ହେୱାନ୍‌ ତାଙ୍ଗେଙ୍ଗ୍‌ ଇଚାନ୍‌, ମି ଲେକିକିତି କାଗଜ୍ ଆସ୍ତି ଚାର୍‌କଡ଼ି ଇଞ୍ଜି ଲେକି କିୟା ।”
8 તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. (aiōn g165)
ହେ ଅଦାର୍ମି ଗୁମୁସ୍ତା ବୁଦି ଲାହାଙ୍ଗ୍‌ କାମାୟ୍‌ କିଜ଼ିମାନି କାଜିଂ ମାପ୍ରୁ ତାଙ୍ଗେଙ୍ଗ୍‌ ପାର୍ତାନା କିତାନ୍‌, ଲାଗିଂ ଇ ଜୁଗ୍‌ନି ହିମ୍‌ଣାଂ ହେୱାର୍‌ ନିଜାର୍‌ ଜାତି ପାକ୍ୟାତ ଅଜଡ଼୍‌ନି ହିମ୍‌ଣାଙ୍ଗ୍‌ ବାଟା ଆଦିକ୍‌ ବୁଦିତି । (aiōn g165)
9 અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે. (aiōnios g166)
ଆନ୍‌ ପା ମିଙ୍ଗେଙ୍ଗ୍‌ ୱେଚାନାଙ୍ଗା, “ଅଦାର୍ମି ଦାନ୍‌ ଜାର୍‌ ଜାର୍‌ କାଜିଂ ସାଙ୍ଗ ଲାବ୍‌ କିୟା, ଇନେସ୍‌ ହେଦାଂ ୱିସ୍ତିସ୍‌ ହେୱାର୍‌ ମିଙ୍ଗେଙ୍ଗ୍‌ ୱିଜ଼୍‌ୱି ଇଞ୍ଜ ମାନ୍‌ କିୟାଆନାଦେର୍‌ । (aiōnios g166)
10 ૧૦ જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે.
ଇନେନ୍‌ ଅଲପ୍‍ ବିସ୍ରେ ପାର୍ତି କିନାକାନ୍‌, ହେୱାନ୍‌ ଆଦିକ୍‌ ବିସ୍ରେ ପା ପାର୍ତି ଆନାନ୍‌, ଆରେ ଇନେର୍‌ ଆଦିକ୍‌ ବିସ୍ରେ ପାର୍ତି କିୱାକାନ୍ ହେୱାନ୍‌ ଆଦିକ୍‌ ବିସ୍ରେ ପା ପାର୍ତି କିଉନ୍‌ ।
11 ૧૧ માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે?
ଜଦି ଏପେଙ୍ଗ୍‌ ଅଦାର୍ମି ଦାନ୍‌ତ ପାର୍ତି ଆୱାତାଦେର୍‌, ଲାଗିଂ ଇନେର୍‌ ମିଙ୍ଗେଙ୍ଗ୍‌ ପାର୍ତି କିଜ଼ି ହାତ୍‌ପା ଦାନ୍‌ ମି କେଇଦ ସର୍‌ପି କିଦ୍‌ନାନ୍‌?
12 ૧૨ જો તમે બીજાના દ્રવ્ય સંબંધી વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે?
ଆରେ, ଜଦି ଏପେଙ୍ଗ୍‌ ପାଚେନି ଦାନ୍‌ ବିସ୍ରେ ପାର୍ତି ଆୱାତାୟ୍‌ନା, ଲାଗିଂ ଇନେର୍‌ ମିଙ୍ଗେଙ୍ଗ୍‌ ମି ଜାର୍‌ ବିସ୍ରେ ହିଦ୍‍ନାର୍‌?”
13 ૧૩ કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.
“ଇମ୍‌ଣି ଆଡ଼ିୟା ରି ମାପ୍ରୁଙ୍ଗ୍‌ ହଲ୍ୟା ଆଦେଂ ଆଡୁନ୍‌; ଇନାକିଦେଂକି ହେୱାନ୍‌ ରକାନିଂ ଗିଣ୍‌ କିନାନ୍‌ ଆରି ବିନ୍‌ ଲଗାଂ ଜିଉନନାନ୍‌, ଲାଗିଂ ରକାନ୍‌ କାଜିଂ କାର୍ମା ଆନାନ୍‌ ଆରି ବିନ୍‌ ରକାନିଂ ଆଲ୍‌ଗା କିନାନ୍‌ । ଏପେଙ୍ଗ୍‌ ଇସ୍ୱର୍‌ ଦାନ୍‌ ରିୟାର୍‌ତି ଆଡ଼ିଏନ୍‌ ଆଦେଂ ଆଡୁନ୍‌ ।”
14 ૧૪ અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને ઈસુની મશ્કરી કરી.
ଇ କାତା ୱେନ୍‌ଞ୍ଜି ଦାନ୍‌ଲବ୍‌ ପାରୁସିର୍‌ ପା ଜିସୁଙ୍ଗ୍‌ ନିନ୍ଦାକିଦେଂ ଲାଗାତାର୍‌ ।
15 ૧૫ ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.
ହେବେତାଂ ହେୱାନ୍‌ ହେୱାରିଂ ଇଚାନ୍‌, “ଇମ୍‌ଣାକାର୍‌ ଜାର୍‌ ଜାର୍‌ତିଂ ମାନାୟାର୍‌ କାଣ୍‌କୁକାଂ ଦାର୍ମି ଇଞ୍ଜି ଚଚ୍‌ନାର୍‌, ଏପେଙ୍ଗ୍‌ ହେ ଲାଗ୍‌ଦି ମାନାୟ୍‌, ମାତର୍‌ ଇସ୍ୱର୍‌ ମିଦାଙ୍ଗ୍‌ ମାନ୍‌ ପୁନାନ୍‌; ଇନେକିଦେଂକି ଇନାକା ମାନାୟାର୍‌ ବିତ୍ରେ ଗାଜାଟି, ହେଦାଂ ମାପ୍ରୁ କାଣ୍‌ଙ୍ଗାତ ଗିଣ୍‌ ।
16 ૧૬ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરદસ્તીથી પ્રવેશવા મથે છે.
ମସାତି ବିଦି ଆରେ ବେଣ୍‌ବାକ୍‌ଣାୟ୍‌କିନାକାର୍‌ ଦରମ୍‌ ସାସ୍ତର୍‌ ଜହନ୍‌ ପାତେକ୍‌ ହସିମାଚାତ୍ ହେ ସମୁତାଂ ସାର୍ଗେ ରାଜିନି ନେକ୍ରିକାବୁର୍‌ ସୁଣାୟ୍‌କିଦେଂ ଆନାତା, ଆରେ ୱିଜ଼ାର୍‌ ଲକ୍‌ ସାକ୍ତିତାଂ ହେବେ ହଣାରା ।
17 ૧૭ પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે.
ମାତର୍‌ ମସାତି ବିଦିନି ର ଟପା ବୁଡାଆନି ବାଟା ମତର୍‌ ବାଦାଡ଼୍‌ ଆରି ପୁର୍ତି ବୁଡାନାକା ଆଡ଼୍‌ୱା ।”
18 ૧૮ જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.
“ଇନେର୍‌କି ଜାର୍‌ ଡକ୍ରିଂ ପିସ୍ତି ଆରେ ରଞ୍ଜେଲିଂ ବିବା ଆନାନ୍‌, ହେୱାନ୍‌ ଦାରି କିନାନ୍‌; ଆରି, ଇନେର୍‌ ଆଣ୍ଡ୍ରେନ୍‌ କାଜିଂ ପିସ୍‌ସି ଡକ୍ରିଂ ବିବା ଆନାନ୍‌, ହେୱାନ୍‌ ଦାରି କିନାନ୍‌ ।”
19 ૧૯ એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો.
“ର ମାଜାନ୍‌ ମାନାୟ୍‌ ମାଚାନ୍‌, ହେୱାନ୍‌ ମଲ୍‌ନି ହେନ୍ଦ୍ରା ଆର୍ପିସ୍‌ ବେସି ବିୱାହିଂ ୱିଜ଼ୁଦିନ୍ ତିନ୍‌ଞ୍ଜି ଉଣ୍‌ଜି ମାଚାନ୍‌;
20 ૨૦ લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો.
ମାତର୍‌ ତା ଦୁୱେର୍‌ କଚଣ୍‌ ଲାଜାର୍‌ ଇଞ୍ଜି ରୱାନ୍‌ ବିକାରି ମାନାୟ୍‌ ଗୁର୍‌ଜି ମାଚାନ୍‌, ତା ଗାଗାଡ଼୍‌ତ ଗାଅ ବାର୍ତି ଆଜ଼ି ମାଚାତ୍‌;
21 ૨૧ શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.
ଲାଜାର୍‌ ହେ ମାଜାନ୍‌ ମାନାୟ୍‌ ଟେବୁଲ୍‌ତାଂ ଆର୍‍ନି ଜୁଟା ତିନ୍‌ଞ୍ଜି ପଟ ପାଞ୍ଜିକିଦେଂ ଆହା କିଜ଼ି ମାଚାନ୍‌; ଆରେ ନିକୁଡ଼ିଂ ପା ୱାଜ଼ି ହେ ଗାଅ ୱିଜ଼ୁ ନାଙ୍ଗ୍‍ଞ୍ଜି ମାଚିଙ୍ଗ୍ ।
22 ૨૨ પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો.
ଦିନେକ୍‌ ହେ ବିକାରି ହାତାନ୍‌ ଆରି ଦୁତ୍‌ର୍‌ କାଜିଂ ଅବ୍ରାହାମ୍‌ ତାକେ ଡ୍ରକ୍ୟାଆତାନ୍; ପାଚେ ହେ ମାଜାନ୍‌ ମାନାୟ୍‌ ପା ହାତାନ୍‌ ଆରେ ଦୁଗେର୍‌ତ ମୁଚ୍ୟା ଆତାନ୍‌ ।
23 ૨૩ પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા. (Hadēs g86)
ଆରେ, ହେୱାନ୍‌ ନର୍କତ କଲ୍‌ ବଲ୍‌ ଆସ୍ତି ଜପି ହୁଡ଼୍‌ଜି ଦେହା ଅବ୍ରାହାମ୍‌ ଆରି ତା ଡ୍ରକ୍ୟାଆତାକା ଲାଜାର୍‌ତିଂ ହୁଡ଼୍‌ତାନ୍‌ । (Hadēs g86)
24 ૨૪ તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.
ହେବେତାଂ ହେୱାନ୍‌ ହିରିବିସ୍‍ ଇଚାନ୍‌, ଏ ଆବା ଅବ୍ରାହାମ୍‌, ନାଙ୍ଗେଙ୍ଗ୍‌ ଦୟା କିଜ଼ି ଲାଜାର୍‌ତିଂ ପକ୍‌ତା, ଇନେସ୍‌କି ହେୱାନ୍‌ ଏଜ଼ୁଂ ତା ୱାଚ୍‍କାତାଂ ଟିପ୍ କୁଡ଼୍‌କ୍‌ଚି ନା ୱେଦୁଲ୍‍ତ ହିତ୍‍ଡ଼ି କିଦେନ୍‌, ଇଚିସ୍‌ ଆନ୍‌ ଇ ନାଣିତ କଲ୍‌ ବଲ୍‌ ଅାନାଙ୍ଗା ।”
25 ૨૫ પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે.
ମାତର୍‌ ଅବ୍ରାହାମ୍‌ ଇଚାନ୍‌, “କାଡ଼୍‌ଦେ, ଏନ୍‌ ଜେ ଜିବୁନ୍‌ ମାନି ସମୁତ ନି ହାର୍‌ ବିସ୍ରେ ୱିଜ଼ୁ ପାୟା ଆତାୟ୍‌, ଆରେ ଲାଜାର୍‌ ହେ ଲାକେ କାରାପ୍‌ ବିସ୍ରେ ୱିଜ଼ୁ ଗାଟାଆତାନ୍‌, ଇଦାଂ ମାନେ କିୟା; ମାତର୍‌ ନଙ୍ଗ୍‌ ହେୱାନ୍‌ ଇ ବାହାତ ଦୁକ୍‌ସାରାୟ୍‌ ପାୟାତାନ୍ନା, ଆରେ ଏନ୍‌ ନଙ୍ଗ୍‌ କଲ୍‌ ବଲ୍‌ ଆନାୟା ।
26 ૨૬ વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.
ହେଦାଂ ପିସ୍ତି ମି ଆରି ମା ବିତ୍ରେ ବେସିଗାଜା ଦେହା ମାନାତ୍‌, ଇନେସ୍‌ ଇମ୍‌ଣାକାର୍‌ ଇ ବାହାତାଂ ମି ତାକେ ହାନି କାଜିଂ ମାନ୍‌କିନାନ୍‌, ହେୱାର୍‌ ହାଞ୍ଜେଙ୍ଗ୍‌ ଆଡୁର୍‌, କି ଆରି ହେ ବାହାତାଂ ଇନେର୍‌ ମା କଚଣ୍‌ ନାସି ୱାଦେଙ୍ଗ୍ ଆଡୁର୍‌ ।”
27 ૨૭ તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો,
ହେବେତାଂ ହେୱାନ୍‌ ଇଚାନ୍‌, “ଏ ଆବା ତା ଆତିସ୍‌ ଆନ୍‌ ନିଙ୍ଗେଙ୍ଗ୍‌ ଗୱାରି କିଦ୍‌ନାଙ୍ଗା, ହେୱାନିଂ ନା ଆବା ଇଲ୍‌ତ ପକ୍ତାନାୟ୍‌,
28 ૨૮ કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.
ଇନାକିଦେଂକି ନା ପାଞ୍ଚ୍‌ଜାଣ୍ ଟଣ୍ଡାର୍‌ ମାନାର୍‌; ହେୱାର୍‌ ପା ଇନେସ୍‌କି ଇ ବାଦା ବାହାତ ୱାଉର୍‌, ହେଦାଂ କାଜିଂ ହେୱାନ୍‌ ହେୱାର୍‌ କଚଣ୍‌ ସାକି ହିନାଦେର୍ ।”
29 ૨૯ પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે.
ମାତର୍‌ ଅବ୍ରାହାମ୍‌ ଇଚାନ୍‌, “ହେୱାର୍‌ କଚଣ୍‌ତ ମସା ଆରି ବେଣ୍‌ବାକ୍‌ଣାୟ୍‌ କିନାକାର୍‌ ଦରମ୍‌ ସାସ୍ତର୍‌ ମାନାତ୍, ହେୱାଦେର୍ ହେୱାର୍‌ କାତା ୱେନାଟ୍‌ ।”
30 ૩૦ અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.
ହେବେତାଂ ହେୱାନ୍‌ ଇଚାନ୍‌, “ଏ ଆବା ଅବ୍ରାହାମ୍‌, ହେଦାଂ ସାରି ଆକାୟ୍‌, ମତର୍‌ ଜଦି ହାତିମାନାୟ୍‌ କଚଣ୍‌ତାଂ ରକାନ୍‌ ହେୱାର୍‌ କଚଣ୍‌ତ ହାନାନ୍‌, ଏଲେଙ୍ଗ୍‌ଚି ହେୱାର୍‌ ମାନ୍‌ବାଦ୍‌ଲାୟ୍‌ କିନାର୍‌ ।”
31 ૩૧ અને ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”
ମାତର୍‌ ହେୱାନ୍‌ ତାଙ୍ଗେଙ୍ଗ୍‌ ଇଚାନ୍‌, “ଜଦି ହେୱାର୍‌ ମସା ଆରି ବେଣ୍‌ବାକ୍‌ଣାୟ୍‌କିନାକାର୍‌ କାତା ୱେନ୍‌ୱାତାର୍‌ଚି, ଏଲେଙ୍ଗ୍‌ଚି ହାତିମାନାୟ୍‌ତାଂ ପା ରୱାନ୍‌ ମୁକ୍‌ଡ଼ା ଆଜ଼ି ହାଚିସ୍‌ ପା ହେୱାର୍‌ ପାର୍ତି କିଉର୍‌ ।”

< લૂક 16 >