< લૂક 11 >

1 એમ થયું કે ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. ઈસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ આપ પણ અમને શીખવો.’”
অনন্তৰং স কস্মিংশ্চিৎ স্থানে প্ৰাৰ্থযত তৎসমাপ্তৌ সত্যাং তস্যৈকঃ শিষ্যস্তং জগাদ হে প্ৰভো যোহন্ যথা স্ৱশিষ্যান্ প্ৰাৰ্থযিতুম্ উপদিষ্টৱান্ তথা ভৱানপ্যস্মান্ উপদিশতু|
2 ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
তস্মাৎ স কথযামাস, প্ৰাৰ্থনকালে যূযম্ ইত্থং কথযধ্ৱং, হে অস্মাকং স্ৱৰ্গস্থপিতস্তৱ নাম পূজ্যং ভৱতু; তৱ ৰাজৎৱং ভৱতু; স্ৱৰ্গে যথা তথা পৃথিৱ্যামপি তৱেচ্ছযা সৰ্ৱ্ৱং ভৱতু|
3 દિવસની અમારી રોટલી આજ અમને આપો;
প্ৰত্যহম্ অস্মাকং প্ৰযোজনীযং ভোজ্যং দেহি|
4 અને અમારાં પાપ અમને માફ કરો; કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.
যথা ৱযং সৰ্ৱ্ৱান্ অপৰাধিনঃ ক্ষমামহে তথা ৎৱমপি পাপান্যস্মাকং ক্ষমস্ৱ| অস্মান্ পৰীক্ষাং মানয কিন্তু পাপাত্মনো ৰক্ষ|
5 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ,
পশ্চাৎ সোপৰমপি কথিতৱান্ যদি যুষ্মাকং কস্যচিদ্ বন্ধুস্তিষ্ঠতি নিশীথে চ তস্য সমীপং স গৎৱা ৱদতি,
6 કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી,
হে বন্ধো পথিক একো বন্ধু ৰ্মম নিৱেশনম্ আযাতঃ কিন্তু তস্যাতিথ্যং কৰ্ত্তুং মমান্তিকে কিমপি নাস্তি, অতএৱ পূপত্ৰযং মহ্যম্ ঋণং দেহি;
7 તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, મને હેરાન કરીશ નહિ, હમણાં બારણું બંધ છે, મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઊઠીને તને તે આપી શકતો નથી?
তদা স যদি গৃহমধ্যাৎ প্ৰতিৱদতি মাং মা ক্লিশান, ইদানীং দ্ৱাৰং ৰুদ্ধং শযনে মযা সহ বালকাশ্চ তিষ্ঠন্তি তুভ্যং দাতুম্ উত্থাতুং ন শক্নোমি,
8 હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને તેને જોઈએ તેટલી રોટલી તેને આપશે.
তৰ্হি যুষ্মানহং ৱদামি, স যদি মিত্ৰতযা তস্মৈ কিমপি দাতুং নোত্তিষ্ঠতি তথাপি ৱাৰং ৱাৰং প্ৰাৰ্থনাত উত্থাপিতঃ সন্ যস্মিন্ তস্য প্ৰযোজনং তদেৱ দাস্যতি|
9 હું તમને કહું છું કે, માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે.
অতঃ কাৰণাৎ কথযামি, যাচধ্ৱং ততো যুষ্মভ্যং দাস্যতে, মৃগযধ্ৱং তত উদ্দেশং প্ৰাপ্স্যথ, দ্ৱাৰম্ আহত ততো যুষ্মভ্যং দ্ৱাৰং মোক্ষ্যতে|
10 ૧૦ કેમ કે જે કોઈ માગે છે તેઓ પામે છે, અને જે શોધે છે તેઓને જડે છે, અને જે ખટખટાવે છે તેઓને સારુ ઉઘાડવામાં આવશે.
১০যো যাচতে স প্ৰাপ্নোতি, যো মৃগযতে স এৱোদ্দেশং প্ৰাপ্নোতি, যো দ্ৱাৰম্ আহন্তি তদৰ্থং দ্ৱাৰং মোচ্যতে|
11 ૧૧ વળી તમારામાંનો એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે?
১১পুত্ৰেণ পূপে যাচিতে তস্মৈ পাষাণং দদাতি ৱা মৎস্যে যাচিতে তস্মৈ সৰ্পং দদাতি
12 ૧૨ અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે?
১২ৱা অণ্ডে যাচিতে তস্মৈ ৱৃশ্চিকং দদাতি যুষ্মাকং মধ্যে ক এতাদৃশঃ পিতাস্তে?
13 ૧૩ માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’”
১৩তস্মাদেৱ যূযমভদ্ৰা অপি যদি স্ৱস্ৱবালকেভ্য উত্তমানি দ্ৰৱ্যাণি দাতুং জানীথ তৰ্হ্যস্মাকং স্ৱৰ্গস্থঃ পিতা নিজযাচকেভ্যঃ কিং পৱিত্ৰম্ আত্মানং ন দাস্যতি?
14 ૧૪ ઈસુ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતા હતા. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું.
১৪অনন্তৰং যীশুনা কস্মাচ্চিদ্ একস্মিন্ মূকভূতে ত্যাজিতে সতি স ভূতত্যক্তো মানুষো ৱাক্যং ৱক্তুম্ আৰেভে; ততো লোকাঃ সকলা আশ্চৰ্য্যং মেনিৰে|
15 ૧૫ પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, ‘દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે.’”
১৫কিন্তু তেষাং কেচিদূচু ৰ্জনোযং বালসিবূবা অৰ্থাদ্ ভূতৰাজেন ভূতান্ ত্যাজযতি|
16 ૧૬ બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું.
১৬তং পৰীক্ষিতুং কেচিদ্ আকাশীযম্ একং চিহ্নং দৰ্শযিতুং তং প্ৰাৰ্থযাঞ্চক্ৰিৰে|
17 ૧૭ પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, ‘દરેક રાજ્ય જેમાં ભાગલો પડે છે તે ઉજ્જડ થાય છે; અને દરેક ઘર જેમાં ભાગલો પડે, તો તે પડી જાય છે.
১৭তদা স তেষাং মনঃকল্পনাং জ্ঞাৎৱা কথযামাস, কস্যচিদ্ ৰাজ্যস্য লোকা যদি পৰস্পৰং ৱিৰুন্ধন্তি তৰ্হি তদ্ ৰাজ্যম্ নশ্যতি; কেচিদ্ গৃহস্থা যদি পৰস্পৰং ৱিৰুন্ধন্তি তৰ্হি তেপি নশ্যন্তি|
18 ૧૮ જો શેતાન પણ પોતાની વચ્ચે ભાગલો પાડે તો તેનું રાજ્ય કેમ ટકે? હું એટલા માટે કહું છું કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું દુષ્ટાત્માઓને કાઢું છું.
১৮তথৈৱ শৈতানপি স্ৱলোকান্ যদি ৱিৰুণদ্ধি তদা তস্য ৰাজ্যং কথং স্থাস্যতি? বালসিবূবাহং ভূতান্ ত্যাজযামি যূযমিতি ৱদথ|
19 ૧૯ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી દુષ્ટાત્માઓ કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
১৯যদ্যহং বালসিবূবা ভূতান্ ত্যাজযামি তৰ্হি যুষ্মাকং সন্তানাঃ কেন ত্যাজযন্তি? তস্মাৎ তএৱ কথাযা এতস্যা ৱিচাৰযিতাৰো ভৱিষ্যন্তি|
20 ૨૦ પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.
২০কিন্তু যদ্যহম্ ঈশ্ৱৰস্য পৰাক্ৰমেণ ভূতান্ ত্যাজযামি তৰ্হি যুষ্মাকং নিকটম্ ঈশ্ৱৰস্য ৰাজ্যমৱশ্যম্ উপতিষ্ঠতি|
21 ૨૧ બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાના ઘરને સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;
২১বলৱান্ পুমান্ সুসজ্জমানো যতিকালং নিজাট্টালিকাং ৰক্ষতি ততিকালং তস্য দ্ৰৱ্যং নিৰুপদ্ৰৱং তিষ্ঠতি|
22 ૨૨ પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.
২২কিন্তু তস্মাদ্ অধিকবলঃ কশ্চিদাগত্য যদি তং জযতি তৰ্হি যেষু শস্ত্ৰাস্ত্ৰেষু তস্য ৱিশ্ৱাস আসীৎ তানি সৰ্ৱ্ৱাণি হৃৎৱা তস্য দ্ৰৱ্যাণি গৃহ্লাতি|
23 ૨૩ જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.
২৩অতঃ কাৰণাদ্ যো মম সপক্ষো ন স ৱিপক্ষঃ, যো মযা সহ ন সংগৃহ্লাতি স ৱিকিৰতি|
24 ૨૪ અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જન જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.
২৪অপৰঞ্চ অমেধ্যভূতো মানুষস্যান্তৰ্নিৰ্গত্য শুষ্কস্থানে ভ্ৰান্ত্ৱা ৱিশ্ৰামং মৃগযতে কিন্তু ন প্ৰাপ্য ৱদতি মম যস্মাদ্ গৃহাদ্ আগতোহং পুনস্তদ্ গৃহং পৰাৱৃত্য যামি|
25 ૨૫ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે.
২৫ততো গৎৱা তদ্ গৃহং মাৰ্জিতং শোভিতঞ্চ দৃষ্ট্ৱা
26 ૨૬ ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.’”
২৬তৎক্ষণম্ অপগত্য স্ৱস্মাদপি দুৰ্ম্মতীন্ অপৰান্ সপ্তভূতান্ সহানযতি তে চ তদ্গৃহং পৱিশ্য নিৱসন্তি| তস্মাৎ তস্য মনুষ্যস্য প্ৰথমদশাতঃ শেষদশা দুঃখতৰা ভৱতি|
27 ૨૭ એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’”
২৭অস্যাঃ কথাযাঃ কথনকালে জনতামধ্যস্থা কাচিন্নাৰী তমুচ্চৈঃস্ৱৰং প্ৰোৱাচ, যা যোষিৎ ৎৱাং গৰ্ব্ভেঽধাৰযৎ স্তন্যমপাযযচ্চ সৈৱ ধন্যা|
28 ૨૮ પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”
২৮কিন্তু সোকথযৎ যে পৰমেশ্ৱৰস্য কথাং শ্ৰুৎৱা তদনুৰূপম্ আচৰন্তি তএৱ ধন্যাঃ|
29 ૨૯ સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, ‘આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાનાં ચમત્કારિક ચિહ્ન વિના બીજું ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.
২৯ততঃ পৰং তস্যান্তিকে বহুলোকানাং সমাগমে জাতে স ৱক্তুমাৰেভে, আধুনিকা দুষ্টলোকাশ্চিহ্নং দ্ৰষ্টুমিচ্ছন্তি কিন্তু যূনস্ভৱিষ্যদ্ৱাদিনশ্চিহ্নং ৱিনান্যৎ কিঞ্চিচ্চিহ্নং তান্ ন দৰ্শযিষ্যতে|
30 ૩૦ કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.’”
৩০যূনস্ তু যথা নীনিৱীযলোকানাং সমীপে চিহ্নৰূপোভৱৎ তথা ৱিদ্যমানলোকানাম্ এষাং সমীপে মনুষ্যপুত্ৰোপি চিহ্নৰূপো ভৱিষ্যতি|
31 ૩૧ દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
৩১ৱিচাৰসমযে ইদানীন্তনলোকানাং প্ৰাতিকূল্যেন দক্ষিণদেশীযা ৰাজ্ঞী প্ৰোত্থায তান্ দোষিণঃ কৰিষ্যতি, যতঃ সা ৰাজ্ঞী সুলেমান উপদেশকথাং শ্ৰোতুং পৃথিৱ্যাঃ সীমাত আগচ্ছৎ কিন্তু পশ্যত সুলেমানোপি গুৰুতৰ একো জনোঽস্মিন্ স্থানে ৱিদ্যতে|
32 ૩૨ નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
৩২অপৰঞ্চ ৱিচাৰসমযে নীনিৱীযলোকা অপি ৱৰ্ত্তমানকালিকানাং লোকানাং ৱৈপৰীত্যেন প্ৰোত্থায তান্ দোষিণঃ কৰিষ্যন্তি, যতো হেতোস্তে যূনসো ৱাক্যাৎ চিত্তানি পৰিৱৰ্ত্তযামাসুঃ কিন্তু পশ্যত যূনসোতিগুৰুতৰ একো জনোঽস্মিন্ স্থানে ৱিদ্যতে|
33 ૩૩ કોઈ માણસ દીવો સળગાવીને તેને સંતાડી મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ.
৩৩প্ৰদীপং প্ৰজ্ৱাল্য দ্ৰোণস্যাধঃ কুত্ৰাপি গুপ্তস্থানে ৱা কোপি ন স্থাপযতি কিন্তু গৃহপ্ৰৱেশিভ্যো দীপ্তিং দাতং দীপাধাৰোপৰ্য্যেৱ স্থাপযতি|
34 ૩૪ તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું થશે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું રહેશે;
৩৪দেহস্য প্ৰদীপশ্চক্ষুস্তস্মাদেৱ চক্ষু ৰ্যদি প্ৰসন্নং ভৱতি তৰ্হি তৱ সৰ্ৱ্ৱশৰীৰং দীপ্তিমদ্ ভৱিষ্যতি কিন্তু চক্ষু ৰ্যদি মলীমসং তিষ্ঠতি তৰ্হি সৰ্ৱ্ৱশৰীৰং সান্ধকাৰং স্থাস্যতি|
35 ૩૫ તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે.
৩৫অস্মাৎ কাৰণাৎ তৱান্তঃস্থং জ্যোতি ৰ্যথান্ধকাৰমযং ন ভৱতি তদৰ্থে সাৱধানো ভৱ|
36 ૩૬ જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું આખું શરીર પ્રકાશથી ભરેલું થશે.’”
৩৬যতঃ শৰীৰস্য কুত্ৰাপ্যংশে সান্ধকাৰে ন জাতে সৰ্ৱ্ৱং যদি দীপ্তিমৎ তিষ্ঠতি তৰ্হি তুভ্যং দীপ্তিদাযিপ্ৰোজ্জ্ৱলন্ প্ৰদীপ ইৱ তৱ সৱৰ্ৱশৰীৰং দীপ্তিমদ্ ভৱিষ্যতি|
37 ૩૭ ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા.
৩৭এতৎকথাযাঃ কথনকালে ফিৰুশ্যেকো ভেজনায তং নিমন্ত্ৰযামাস, ততঃ স গৎৱা ভোক্তুম্ উপৱিৱেশ|
38 ૩૮ ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.
৩৮কিন্তু ভোজনাৎ পূৰ্ৱ্ৱং নামাঙ্ক্ষীৎ এতদ্ দৃষ্ট্ৱা স ফিৰুশ্যাশ্চৰ্য্যং মেনে|
39 ૩૯ પ્રભુએ તેને કહ્યું કે, ‘તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી સાફ કરો છો; પણ તમારું અંતર લોભ તથા દુષ્ટતાથી ભરેલું છે.
৩৯তদা প্ৰভুস্তং প্ৰোৱাচ যূযং ফিৰূশিলোকাঃ পানপাত্ৰাণাং ভোজনপাত্ৰাণাঞ্চ বহিঃ পৰিষ্কুৰুথ কিন্তু যুষ্মাকমন্ত ৰ্দৌৰাত্ম্যৈ ৰ্দুষ্ক্ৰিযাভিশ্চ পৰিপূৰ্ণং তিষ্ঠতি|
40 ૪૦ અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું?
৪০হে সৰ্ৱ্ৱে নিৰ্বোধা যো বহিঃ সসৰ্জ স এৱ কিমন্ত ৰ্ন সসৰ্জ?
41 ૪૧ જે અંદર છે તે પ્રમાણે તમારે દાન આપવું અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.
৪১তত এৱ যুষ্মাভিৰন্তঃকৰণং (ঈশ্ৱৰায) নিৱেদ্যতাং তস্মিন্ কৃতে যুষ্মাকং সৰ্ৱ্ৱাণি শুচিতাং যাস্যন্তি|
42 ૪૨ પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા સિતાબનું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
৪২কিন্তু হন্ত ফিৰূশিগণা যূযং ন্যাযম্ ঈশ্ৱৰে প্ৰেম চ পৰিত্যজ্য পোদিনাযা অৰুদাদীনাং সৰ্ৱ্ৱেষাং শাকানাঞ্চ দশমাংশান্ দত্থ কিন্তু প্ৰথমং পালযিৎৱা শেষস্যালঙ্ঘনং যুষ্মাকম্ উচিতমাসীৎ|
43 ૪૩ તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે.
৪৩হা হা ফিৰূশিনো যূযং ভজনগেহে প্ৰোচ্চাসনে আপণেষু চ নমস্কাৰেষু প্ৰীযধ্ৱে|
44 ૪૪ તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.’”
৪৪ৱত কপটিনোঽধ্যাপকাঃ ফিৰূশিনশ্চ লোকাযৎ শ্মশানম্ অনুপলভ্য তদুপৰি গচ্ছন্তি যূযম্ তাদৃগপ্ৰকাশিতশ্মশানৱাদ্ ভৱথ|
45 ૪૫ ત્યારે નિયમશાસ્ત્રીઓમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.’”
৪৫তদানীং ৱ্যৱস্থাপকানাম্ একা যীশুমৱদৎ, হে উপদেশক ৱাক্যেনেদৃশেনাস্মাস্ৱপি দোষম্ আৰোপযসি|
46 ૪૬ ઈસુએ કહ્યું કે, ‘ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.
৪৬ততঃ স উৱাচ, হা হা ৱ্যৱস্থাপকা যূযম্ মানুষাণাম্ উপৰি দুঃসহ্যান্ ভাৰান্ ন্যস্যথ কিন্তু স্ৱযম্ একাঙ্গুল্যাপি তান্ ভাৰান্ ন স্পৃশথ|
47 ૪૭ તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા.
৪৭হন্ত যুষ্মাকং পূৰ্ৱ্ৱপুৰুষা যান্ ভৱিষ্যদ্ৱাদিনোঽৱধিষুস্তেষাং শ্মশানানি যূযং নিৰ্ম্মাথ|
48 ૪૮ તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો.
৪৮তেনৈৱ যূযং স্ৱপূৰ্ৱ্ৱপুৰুষাণাং কৰ্ম্মাণি সংমন্যধ্ৱে তদেৱ সপ্ৰমাণং কুৰুথ চ, যতস্তে তানৱধিষুঃ যূযং তেষাং শ্মশানানি নিৰ্ম্মাথ|
49 ૪૯ એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે;
৪৯অতএৱ ঈশ্ৱৰস্য শাস্ত্ৰে প্ৰোক্তমস্তি তেষামন্তিকে ভৱিষ্যদ্ৱাদিনঃ প্ৰেৰিতাংশ্চ প্ৰেষযিষ্যামি ততস্তে তেষাং কাংশ্চন হনিষ্যন্তি কাংশ্চন তাডশ্ষ্যিন্তি|
50 ૫૦ જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહી આ પેઢીના લોકો પાસેથી માગવામાં આવશે;
৫০এতস্মাৎ কাৰণাৎ হাবিলঃ শোণিতপাতমাৰভ্য মন্দিৰযজ্ঞৱেদ্যো ৰ্মধ্যে হতস্য সিখৰিযস্য ৰক্তপাতপৰ্য্যন্তং
51 ૫૧ હા, હું તમને કહું છું કે ‘હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.
৫১জগতঃ সৃষ্টিমাৰভ্য পৃথিৱ্যাং ভৱিষ্যদ্ৱাদিনাং যতিৰক্তপাতা জাতাস্ততীনাম্ অপৰাধদণ্ডা এষাং ৱৰ্ত্তমানলোকানাং ভৱিষ্যন্তি, যুষ্মানহং নিশ্চিতং ৱদামি সৰ্ৱ্ৱে দণ্ডা ৱংশস্যাস্য ভৱিষ্যন্তি|
52 ૫૨ તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’”
৫২হা হা ৱ্যৱস্থপকা যূযং জ্ঞানস্য কুঞ্চিকাং হৃৎৱা স্ৱযং ন প্ৰৱিষ্টা যে প্ৰৱেষ্টুঞ্চ প্ৰযাসিনস্তানপি প্ৰৱেষ্টুং ৱাৰিতৱন্তঃ|
53 ૫૩ ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીને ઉશ્કેરવા લાગ્યા.
৫৩ইত্থং কথাকথনাদ্ অধ্যাপকাঃ ফিৰূশিনশ্চ সতৰ্কাঃ
54 ૫૪ તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.
৫৪সন্তস্তমপৱদিতুং তস্য কথাযা দোষং ধৰ্ত্তমিচ্ছন্তো নানাখ্যানকথনায তং প্ৰৱৰ্ত্তযিতুং কোপযিতুঞ্চ প্ৰাৰেভিৰে|

< લૂક 11 >