< યોહાન 6 >

1 પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.
તતઃ પરં યીશુ ર્ગાલીલ્ પ્રદેશીયસ્ય તિવિરિયાનામ્નઃ સિન્ધોઃ પારં ગતવાન્|
2 ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
તતો વ્યાધિમલ્લોકસ્વાસ્થ્યકરણરૂપાણિ તસ્યાશ્ચર્ય્યાણિ કર્મ્માણિ દૃષ્ટ્વા બહવો જનાસ્તત્પશ્ચાદ્ અગચ્છન્|
3 પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
તતો યીશુઃ પર્વ્વતમારુહ્ય તત્ર શિષ્યૈઃ સાકમ્|
4 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
તસ્મિન્ સમય નિસ્તારોત્સવનામ્નિ યિહૂદીયાનામ ઉત્સવ ઉપસ્થિતે
5 માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’”
યીશુ ર્નેત્રે ઉત્તોલ્ય બહુલોકાન્ સ્વસમીપાગતાન્ વિલોક્ય ફિલિપં પૃષ્ટવાન્ એતેષાં ભોજનાય ભોજદ્રવ્યાણિ વયં કુત્ર ક્રેતું શક્રુમઃ?
6 જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
વાક્યમિદં તસ્ય પરીક્ષાર્થમ્ અવાદીત્ કિન્તુ યત્ કરિષ્યતિ તત્ સ્વયમ્ અજાનાત્|
7 ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’”
ફિલિપઃ પ્રત્યવોચત્ એતેષામ્ એકૈકો યદ્યલ્પમ્ અલ્પં પ્રાપ્નોતિ તર્હિ મુદ્રાપાદદ્વિશતેન ક્રીતપૂપા અપિ ન્યૂના ભવિષ્યન્તિ|
8 તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,
શિમોન્ પિતરસ્ય ભ્રાતા આન્દ્રિયાખ્યઃ શિષ્યાણામેકો વ્યાહૃતવાન્
9 ‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”
અત્ર કસ્યચિદ્ બાલકસ્ય સમીપે પઞ્ચ યાવપૂપાઃ ક્ષુદ્રમત્સ્યદ્વયઞ્ચ સન્તિ કિન્તુ લોકાનાં એતાવાતાં મધ્યે તૈઃ કિં ભવિષ્યતિ?
10 ૧૦ ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
પશ્ચાદ્ યીશુરવદત્ લોકાનુપવેશયત તત્ર બહુયવસસત્ત્વાત્ પઞ્ચસહસ્ત્રેભ્યો ન્યૂના અધિકા વા પુરુષા ભૂમ્યામ્ ઉપાવિશન્|
11 ૧૧ ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેચ્યું.
તતો યીશુસ્તાન્ પૂપાનાદાય ઈશ્વરસ્ય ગુણાન્ કીર્ત્તયિત્વા શિષ્યેષુ સમાર્પયત્ તતસ્તે તેભ્ય ઉપવિષ્ટલોકેભ્યઃ પૂપાન્ યથેષ્ટમત્સ્યઞ્ચ પ્રાદુઃ|
12 ૧૨ તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠા કરો.’”
તેષુ તૃપ્તેષુ સ તાનવોચદ્ એતેષાં કિઞ્ચિદપિ યથા નાપચીયતે તથા સર્વ્વાણ્યવશિષ્ટાનિ સંગૃહ્લીત|
13 ૧૩ માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની પાંચ રોટલીમાંના જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.
તતઃ સર્વ્વેષાં ભોજનાત્ પરં તે તેષાં પઞ્ચાનાં યાવપૂપાનાં અવશિષ્ટાન્યખિલાનિ સંગૃહ્ય દ્વાદશડલ્લકાન્ અપૂરયન્|
14 ૧૪ માટે તે લોકોએ ઈસુએ કરેલું એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’”
અપરં યીશોરેતાદૃશીમ્ આશ્ચર્ય્યક્રિયાં દૃષ્ટ્વા લોકા મિથો વક્તુમારેભિરે જગતિ યસ્યાગમનં ભવિષ્યતિ સ એવાયમ્ અવશ્યં ભવિષ્યદ્વક્ત્તા|
15 ૧૫ લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
અતએવ લોકા આગત્ય તમાક્રમ્ય રાજાનં કરિષ્યન્તિ યીશુસ્તેષામ્ ઈદૃશં માનસં વિજ્ઞાય પુનશ્ચ પર્વ્વતમ્ એકાકી ગતવાન્|
16 ૧૬ સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
સાયંકાલ ઉપસ્થિતે શિષ્યા જલધિતટં વ્રજિત્વા નાવમારુહ્ય નગરદિશિ સિન્ધૌ વાહયિત્વાગમન્|
17 ૧૭ હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
તસ્મિન્ સમયે તિમિર ઉપાતિષ્ઠત્ કિન્તુ યીષુસ્તેષાં સમીપં નાગચ્છત્|
18 ૧૮ ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
તદા પ્રબલપવનવહનાત્ સાગરે મહાતરઙ્ગો ભવિતુમ્ આરેભે|
19 ૧૯ જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
તતસ્તે વાહયિત્વા દ્વિત્રાન્ ક્રોશાન્ ગતાઃ પશ્ચાદ્ યીશું જલધેરુપરિ પદ્ભ્યાં વ્રજન્તં નૌકાન્તિકમ્ આગચ્છન્તં વિલોક્ય ત્રાસયુક્તા અભવન્
20 ૨૦ પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’”
કિન્તુ સ તાનુક્ત્તવાન્ અયમહં મા ભૈષ્ટ|
21 ૨૧ ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
તદા તે તં સ્વૈરં નાવિ ગૃહીતવન્તઃ તદા તત્ક્ષણાદ્ ઉદ્દિષ્ટસ્થાને નૌરુપાસ્થાત્|
22 ૨૨ બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
યયા નાવા શિષ્યા અગચ્છન્ તદન્યા કાપિ નૌકા તસ્મિન્ સ્થાને નાસીત્ તતો યીશુઃ શિષ્યૈઃ સાકં નાગમત્ કેવલાઃ શિષ્યા અગમન્ એતત્ પારસ્થા લોકા જ્ઞાતવન્તઃ|
23 ૨૩ તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી.
કિન્તુ તતઃ પરં પ્રભુ ર્યત્ર ઈશ્વરસ્ય ગુણાન્ અનુકીર્ત્ત્ય લોકાન્ પૂપાન્ અભોજયત્ તત્સ્થાનસ્ય સમીપસ્થતિવિરિયાયા અપરાસ્તરણય આગમન્|
24 ૨૪ માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપરનાહૂમ આવ્યા.
યીશુસ્તત્ર નાસ્તિ શિષ્યા અપિ તત્ર ના સન્તિ લોકા ઇતિ વિજ્ઞાય યીશું ગવેષયિતું તરણિભિઃ કફર્નાહૂમ્ પુરં ગતાઃ|
25 ૨૫ પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’”
તતસ્તે સરિત્પતેઃ પારે તં સાક્ષાત્ પ્રાપ્ય પ્રાવોચન્ હે ગુરો ભવાન્ અત્ર સ્થાને કદાગમત્?
26 ૨૬ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો.
તદા યીશુસ્તાન્ પ્રત્યવાદીદ્ યુષ્માનહં યથાર્થતરં વદામિ આશ્ચર્ય્યકર્મ્મદર્શનાદ્ધેતો ર્ન કિન્તુ પૂપભોજનાત્ તેન તૃપ્તત્વાઞ્ચ માં ગવેષયથ|
27 ૨૭ જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’” (aiōnios g166)
ક્ષયણીયભક્ષ્યાર્થં મા શ્રામિષ્ટ કિન્ત્વન્તાયુર્ભક્ષ્યાર્થં શ્રામ્યત, તસ્માત્ તાદૃશં ભક્ષ્યં મનુજપુત્રો યુષ્માભ્યં દાસ્યતિ; તસ્મિન્ તાત ઈશ્વરઃ પ્રમાણં પ્રાદાત્| (aiōnios g166)
28 ૨૮ ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’”
તદા તેઽપૃચ્છન્ ઈશ્વરાભિમતં કર્મ્મ કર્ત્તુમ્ અસ્માભિઃ કિં કર્ત્તવ્યં?
29 ૨૯ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”
તતો યીશુરવદદ્ ઈશ્વરો યં પ્રૈરયત્ તસ્મિન્ વિશ્વસનમ્ ઈશ્વરાભિમતં કર્મ્મ|
30 ૩૦ માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?
તદા તે વ્યાહરન્ ભવતા કિં લક્ષણં દર્શિતં યદ્દૃષ્ટ્વા ભવતિ વિશ્વસિષ્યામઃ? ત્વયા કિં કર્મ્મ કૃતં?
31 ૩૧ અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”
અસ્માકં પૂર્વ્વપુરુષા મહાપ્રાન્તરે માન્નાં ભોક્ત્તું પ્રાપુઃ યથા લિપિરાસ્તે| સ્વર્ગીયાણિ તુ ભક્ષ્યાણિ પ્રદદૌ પરમેશ્વરઃ|
32 ૩૨ ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે.
તદા યીશુરવદદ્ અહં યુષ્માનતિયથાર્થં વદામિ મૂસા યુષ્માભ્યં સ્વર્ગીયં ભક્ષ્યં નાદાત્ કિન્તુ મમ પિતા યુષ્માભ્યં સ્વર્ગીયં પરમં ભક્ષ્યં દદાતિ|
33 ૩૩ કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’”
યઃ સ્વર્ગાદવરુહ્ય જગતે જીવનં દદાતિ સ ઈશ્વરદત્તભક્ષ્યરૂપઃ|
34 ૩૪ ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’”
તદા તે પ્રાવોચન્ હે પ્રભો ભક્ષ્યમિદં નિત્યમસ્મભ્યં દદાતુ|
35 ૩૫ ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.
યીશુરવદદ્ અહમેવ જીવનરૂપં ભક્ષ્યં યો જનો મમ સન્નિધિમ્ આગચ્છતિ સ જાતુ ક્ષુધાર્ત્તો ન ભવિષ્યતિ, તથા યો જનો માં પ્રત્યેતિ સ જાતુ તૃષાર્ત્તો ન ભવિષ્યતિ|
36 ૩૬ પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી.
માં દૃષ્ટ્વાપિ યૂયં ન વિશ્વસિથ યુષ્માનહમ્ ઇત્યવોચં|
37 ૩૭ પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.
પિતા મહ્યં યાવતો લોકાનદદાત્ તે સર્વ્વ એવ મમાન્તિકમ્ આગમિષ્યન્તિ યઃ કશ્ચિચ્ચ મમ સન્નિધિમ્ આયાસ્યતિ તં કેનાપિ પ્રકારેણ ન દૂરીકરિષ્યામિ|
38 ૩૮ કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.
નિજાભિમતં સાધયિતું ન હિ કિન્તુ પ્રેરયિતુરભિમતં સાધયિતું સ્વર્ગાદ્ આગતોસ્મિ|
39 ૩૯ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.
સ યાન્ યાન્ લોકાન્ મહ્યમદદાત્ તેષામેકમપિ ન હારયિત્વા શેષદિને સર્વ્વાનહમ્ ઉત્થાપયામિ ઇદં મત્પ્રેરયિતુઃ પિતુરભિમતં|
40 ૪૦ કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’” (aiōnios g166)
યઃ કશ્ચિન્ માનવસુતં વિલોક્ય વિશ્વસિતિ સ શેષદિને મયોત્થાપિતઃ સન્ અનન્તાયુઃ પ્રાપ્સ્યતિ ઇતિ મત્પ્રેરકસ્યાભિમતં| (aiōnios g166)
41 ૪૧ એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’”
તદા સ્વર્ગાદ્ યદ્ ભક્ષ્યમ્ અવારોહત્ તદ્ ભક્ષ્યમ્ અહમેવ યિહૂદીયલોકાસ્તસ્યૈતદ્ વાક્યે વિવદમાના વક્ત્તુમારેભિરે
42 ૪૨ તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”
યૂષફઃ પુત્રો યીશુ ર્યસ્ય માતાપિતરૌ વયં જાનીમ એષ કિં સએવ ન? તર્હિ સ્વર્ગાદ્ અવારોહમ્ ઇતિ વાક્યં કથં વક્ત્તિ?
43 ૪૩ ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો.
તદા યીશુસ્તાન્ પ્રત્યવદત્ પરસ્પરં મા વિવદધ્વં
44 ૪૪ જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.
મત્પ્રેરકેણ પિત્રા નાકૃષ્ટઃ કોપિ જનો મમાન્તિકમ્ આયાતું ન શક્નોતિ કિન્ત્વાગતં જનં ચરમેઽહ્નિ પ્રોત્થાપયિષ્યામિ|
45 ૪૫ પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.
તે સર્વ્વ ઈશ્વરેણ શિક્ષિતા ભવિષ્યન્તિ ભવિષ્યદ્વાદિનાં ગ્રન્થેષુ લિપિરિત્થમાસ્તે અતો યઃ કશ્ચિત્ પિતુઃ સકાશાત્ શ્રુત્વા શિક્ષતે સ એવ મમ સમીપમ્ આગમિષ્યતિ|
46 ૪૬ કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’”
ય ઈશ્વરાદ્ અજાયત તં વિના કોપિ મનુષ્યો જનકં નાદર્શત્ કેવલઃ સએવ તાતમ્ અદ્રાક્ષીત્|
47 ૪૭ હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. (aiōnios g166)
અહં યુષ્માન્ યથાર્થતરં વદામિ યો જનો મયિ વિશ્વાસં કરોતિ સોનન્તાયુઃ પ્રાપ્નોતિ| (aiōnios g166)
48 ૪૮ જીવનની રોટલી હું છું.
અહમેવ તજ્જીવનભક્ષ્યં|
49 ૪૯ તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.
યુષ્માકં પૂર્વ્વપુરુષા મહાપ્રાન્તરે મન્નાભક્ષ્યં ભૂક્ત્તાપિ મૃતાઃ
50 ૫૦ પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.
કિન્તુ યદ્ભક્ષ્યં સ્વર્ગાદાગચ્છત્ તદ્ યદિ કશ્ચિદ્ ભુઙ્ક્ત્તે તર્હિ સ ન મ્રિયતે|
51 ૫૧ સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’” (aiōn g165)
યજ્જીવનભક્ષ્યં સ્વર્ગાદાગચ્છત્ સોહમેવ ઇદં ભક્ષ્યં યો જનો ભુઙ્ક્ત્તે સ નિત્યજીવી ભવિષ્યતિ| પુનશ્ચ જગતો જીવનાર્થમહં યત્ સ્વકીયપિશિતં દાસ્યામિ તદેવ મયા વિતરિતં ભક્ષ્યમ્| (aiōn g165)
52 ૫૨ તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’”
તસ્માદ્ યિહૂદીયાઃ પરસ્પરં વિવદમાના વક્ત્તુમારેભિરે એષ ભોજનાર્થં સ્વીયં પલલં કથમ્ અસ્મભ્યં દાસ્યતિ?
53 ૫૩ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.
તદા યીશુસ્તાન્ આવોચદ્ યુષ્માનહં યથાર્થતરં વદામિ મનુષ્યપુત્રસ્યામિષે યુષ્માભિ ર્ન ભુક્ત્તે તસ્ય રુધિરે ચ ન પીતે જીવનેન સાર્દ્ધં યુષ્માકં સમ્બન્ધો નાસ્તિ|
54 ૫૪ જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. (aiōnios g166)
યો મમામિષં સ્વાદતિ મમ સુધિરઞ્ચ પિવતિ સોનન્તાયુઃ પ્રાપ્નોતિ તતઃ શેષેઽહ્નિ તમહમ્ ઉત્થાપયિષ્યામિ| (aiōnios g166)
55 ૫૫ કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે.
યતો મદીયમામિષં પરમં ભક્ષ્યં તથા મદીયં શોણિતં પરમં પેયં|
56 ૫૬ જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.
યો જનો મદીયં પલલં સ્વાદતિ મદીયં રુધિરઞ્ચ પિવતિ સ મયિ વસતિ તસ્મિન્નહઞ્ચ વસામિ|
57 ૫૭ જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે.
મત્પ્રેરયિત્રા જીવતા તાતેન યથાહં જીવામિ તદ્વદ્ યઃ કશ્ચિન્ મામત્તિ સોપિ મયા જીવિષ્યતિ|
58 ૫૮ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” (aiōn g165)
યદ્ભક્ષ્યં સ્વર્ગાદાગચ્છત્ તદિદં યન્માન્નાં સ્વાદિત્વા યુષ્માકં પિતરોઽમ્રિયન્ત તાદૃશમ્ ઇદં ભક્ષ્યં ન ભવતિ ઇદં ભક્ષ્યં યો ભક્ષતિ સ નિત્યં જીવિષ્યતિ| (aiōn g165)
59 ૫૯ તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.
યદા કફર્નાહૂમ્ પુર્ય્યાં ભજનગેહે ઉપાદિશત્ તદા કથા એતા અકથયત્|
60 ૬૦ એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’”
તદેત્થં શ્રુત્વા તસ્ય શિષ્યાણામ્ અનેકે પરસ્પરમ્ અકથયન્ ઇદં ગાઢં વાક્યં વાક્યમીદૃશં કઃ શ્રોતું શક્રુયાત્?
61 ૬૧ પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તમને આ વાતથી માઠું લાગ્યું છે?
કિન્તુ યીશુઃ શિષ્યાણામ્ ઇત્થં વિવાદં સ્વચિત્તે વિજ્ઞાય કથિતવાન્ ઇદં વાક્યં કિં યુષ્માકં વિઘ્નં જનયતિ?
62 ૬૨ ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?
યદિ મનુજસુતં પૂર્વ્વવાસસ્થાનમ્ ઊર્દ્વ્વં ગચ્છન્તં પશ્યથ તર્હિ કિં ભવિષ્યતિ?
63 ૬૩ જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
આત્મૈવ જીવનદાયકઃ વપુ ર્નિષ્ફલં યુષ્મભ્યમહં યાનિ વચાંસિ કથયામિ તાન્યાત્મા જીવનઞ્ચ|
64 ૬૪ પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા.
કિન્તુ યુષ્માકં મધ્યે કેચન અવિશ્વાસિનઃ સન્તિ કે કે ન વિશ્વસન્તિ કો વા તં પરકરેષુ સમર્પયિષ્યતિ તાન્ યીશુરાપ્રથમાદ્ વેત્તિ|
65 ૬૫ તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”
અપરમપિ કથિતવાન્ અસ્માત્ કારણાદ્ અકથયં પિતુઃ સકાશાત્ શક્ત્તિમપ્રાપ્ય કોપિ મમાન્તિકમ્ આગન્તું ન શક્નોતિ|
66 ૬૬ આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ.
તત્કાલેઽનેકે શિષ્યા વ્યાઘુટ્ય તેન સાર્દ્ધં પુન ર્નાગચ્છન્|
67 ૬૭ તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’”
તદા યીશુ ર્દ્વાદશશિષ્યાન્ ઉક્ત્તવાન્ યૂયમપિ કિં યાસ્યથ?
68 ૬૮ સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. (aiōnios g166)
તતઃ શિમોન્ પિતરઃ પ્રત્યવોચત્ હે પ્રભો કસ્યાભ્યર્ણં ગમિષ્યામઃ? (aiōnios g166)
69 ૬૯ અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”
અનન્તજીવનદાયિન્યો યાઃ કથાસ્તાસ્તવૈવ| ભવાન્ અમરેશ્વરસ્યાભિષિક્ત્તપુત્ર ઇતિ વિશ્વસ્ય નિશ્ચિતં જાનીમઃ|
70 ૭૦ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’”
તદા યીશુરવદત્ કિમહં યુષ્માકં દ્વાદશજનાન્ મનોનીતાન્ ન કૃતવાન્? કિન્તુ યુષ્માકં મધ્યેપિ કશ્ચિદેકો વિઘ્નકારી વિદ્યતે|
71 ૭૧ તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.
ઇમાં કથં સ શિમોનઃ પુત્રમ્ ઈષ્કરીયોતીયં યિહૂદામ્ ઉદ્દિશ્ય કથિતવાન્ યતો દ્વાદશાનાં મધ્યે ગણિતઃ સ તં પરકરેષુ સમર્પયિષ્યતિ|

< યોહાન 6 >