< યાકૂબનો પત્ર 4 >
1 ૧ તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અંગમાંની લડાઈ કરનારી કુઇચ્છાથી નહિ?
യുഷ്മാകം മധ്യേ സമരാ രണശ്ച കുത ഉത്പദ്യന്തേ? യുഷ്മദങ്ഗശിബിരാശ്രിതാഭ്യഃ സുഖേച്ഛാഭ്യഃ കിം നോത്പദ്യന്തേ?
2 ૨ તમે ઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી, તેથી તમે હત્યા કરો છો અને ઝંખના રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી; તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી.
യൂയം വാഞ്ഛഥ കിന്തു നാപ്നുഥ, യൂയം നരഹത്യാമ് ഈർഷ്യാഞ്ച കുരുഥ കിന്തു കൃതാർഥാ ഭവിതും ന ശക്നുഥ, യൂയം യുധ്യഥ രണം കുരുഥ ച കിന്ത്വപ്രാപ്താസ്തിഷ്ഠഥ, യതോ ഹേതോഃ പ്രാർഥനാം ന കുരുഥ|
3 ૩ તમે માગો છો, તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજશોખ પર ખરચી નાખવાના ખરાબ ઇરાદાથી માગો છો.
യൂയം പ്രാർഥയധ്വേ കിന്തു ന ലഭധ്വേ യതോ ഹേതോഃ സ്വസുഖഭോഗേഷു വ്യയാർഥം കു പ്രാർഥയധ്വേ|
4 ૪ ઓ બેવફા લોકો, શું તમે જાણતા નથી, કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ છે? એ માટે જે કોઈ જગતનો મિત્ર થવા ચાહે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.
ഹേ വ്യഭിചാരിണോ വ്യഭിചാരിണ്യശ്ച, സംസാരസ്യ യത് മൈത്ര്യം തദ് ഈശ്വരസ്യ ശാത്രവമിതി യൂയം കിം ന ജാനീഥ? അത ഏവ യഃ കശ്ചിത് സംസാരസ്യ മിത്രം ഭവിതുമ് അഭിലഷതി സ ഏവേശ്വരസ്യ ശത്രു ർഭവതി|
5 ૫ જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો, તેને તે પોતાનો જ કરવાની ઇચ્છા રાખે છે, એવું શાસ્ત્રવચનમાં કહે છે તે શું ફોકટ છે એમ તમે ધારો છો?
യൂയം കിം മന്യധ്വേ? ശാസ്ത്രസ്യ വാക്യം കിം ഫലഹീനം ഭവേത്? അസ്മദന്തർവാസീ യ ആത്മാ സ വാ കിമ് ഈർഷ്യാർഥം പ്രേമ കരോതി?
6 ૬ પણ તે તો વધારે કૃપાદાન આપે છે. માટે શાસ્ત્રવચન કહે છે કે, ઈશ્વર અહંકારીઓને ધિક્કારે છે, પણ નમ્ર પર કૃપા રાખે છે.
തന്നഹി കിന്തു സ പ്രതുലം വരം വിതരതി തസ്മാദ് ഉക്തമാസ്തേ യഥാ, ആത്മാഭിമാനലോകാനാം വിപക്ഷോ ഭവതീശ്വരഃ| കിന്തു തേനൈവ നമ്രേഭ്യഃ പ്രസാദാദ് ദീയതേ വരഃ||
7 ૭ તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.
അതഏവ യൂയമ് ഈശ്വരസ്യ വശ്യാ ഭവത ശയതാനം സംരുന്ധ തേന സ യുഷ്മത്തഃ പലായിഷ്യതേ|
8 ૮ તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે; ઓ પાપીઓ, તમારાં હાથ શુદ્ધ કરો અને ઓ બે મનવાળાઓ તમે તમારા હૃદય પવિત્ર કરો.
ഈശ്വരസ്യ സമീപവർത്തിനോ ഭവത തേന സ യുഷ്മാകം സമീപവർത്തീ ഭവിഷ്യതി| ഹേ പാപിനഃ, യൂയം സ്വകരാൻ പരിഷ്കുരുധ്വം| ഹേ ദ്വിമനോലോകാഃ, യൂയം സ്വാന്തഃകരണാനി ശുചീനി കുരുധ്വം|
9 ૯ તમે ઉદાસ થાઓ, શોક કરો અને રડો; તમારું હાસ્ય શોકમાં બદલાય તથા આનંદને બદલે ખેદ થાય.
യൂയമ് ഉദ്വിജധ്വം ശോചത വിലപത ച, യുഷ്മാകം ഹാസഃ ശോകായ, ആനന്ദശ്ച കാതരതായൈ പരിവർത്തേതാം|
10 ૧૦ પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે.
പ്രഭോഃ സമക്ഷം നമ്രാ ഭവത തസ്മാത് സ യുഷ്മാൻ ഉച്ചീകരിഷ്യതി|
11 ૧૧ ઓ ભાઈઓ અને બહેનો, તમે એકબીજાની નિંદા કરો નહીં; જે પોતાના ભાઈની નિંદા કરે છે અને પોતાના ભાઈને દોષિત ઠરાવે છે તે નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; અને જો તું નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; તો તું નિયમશાસ્ત્રનો અમલ કરનાર નહીં પણ તેનો ન્યાય કરનાર છે.
ഹേ ഭ്രാതരഃ, യൂയം പരസ്പരം മാ ദൂഷയത| യഃ കശ്ചിദ് ഭ്രാതരം ദൂഷയതി ഭ്രാതു ർവിചാരഞ്ച കരോതി സ വ്യവസ്ഥാം ദൂഷയതി വ്യവസ്ഥായാശ്ച വിചാരം കരോതി| ത്വം യദി വ്യവസ്ഥായാ വിചാരം കരോഷി തർഹി വ്യവസ്ഥാപാലയിതാ ന ഭവസി കിന്തു വിചാരയിതാ ഭവസി|
12 ૧૨ નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તે તો ઉદ્ધાર કરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. પણ તું કોણ કે બીજાનો ન્યાય કરે છે?
അദ്വിതീയോ വ്യവസ്ഥാപകോ വിചാരയിതാ ച സ ഏവാസ്തേ യോ രക്ഷിതും നാശയിതുഞ്ച പാരയതി| കിന്തു കസ്ത്വം യത് പരസ്യ വിചാരം കരോഷി?
13 ૧૩ હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું.
അദ്യ ശ്വോ വാ വയമ് അമുകനഗരം ഗത്വാ തത്ര വർഷമേകം യാപയന്തോ വാണിജ്യം കരിഷ്യാമഃ ലാഭം പ്രാപ്സ്യാമശ്ചേതി കഥാം ഭാഷമാണാ യൂയമ് ഇദാനീം ശൃണുത|
14 ૧૪ હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો, કે જે થોડીવાર દેખાય છે પછી અદ્રશ્ય થાય છે.
ശ്വഃ കിം ഘടിഷ്യതേ തദ് യൂയം ന ജാനീഥ യതോ ജീവനം വോ ഭവേത് കീദൃക് തത്തു ബാഷ്പസ്വരൂപകം, ക്ഷണമാത്രം ഭവേദ് ദൃശ്യം ലുപ്യതേ ച തതഃ പരം|
15 ૧૫ પણ તેના બદલે તમારે એમ કહેવું જોઈએ, કે જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું.
തദനുക്ത്വാ യുഷ്മാകമ് ഇദം കഥനീയം പ്രഭോരിച്ഛാതോ വയം യദി ജീവാമസ്തർഹ്യേതത് കർമ്മ തത് കർമ്മ വാ കരിഷ്യാമ ഇതി|
16 ૧૬ પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, આ બધી બડાઈ ખોટી છે.
കിന്ത്വിദാനീം യൂയം ഗർവ്വവാക്യൈഃ ശ്ലാഘനം കുരുധ്വേ താദൃശം സർവ്വം ശ്ലാഘനം കുത്സിതമേവ|
17 ૧૭ એ માટે જે ભલું કાર્ય જાણ્યાં છતાં કરતો નથી તેને પાપ લાગે છે.
അതോ യഃ കശ്ചിത് സത്കർമ്മ കർത്തം വിദിത്വാ തന്ന കരോതി തസ്യ പാപം ജായതേ|