< યાકૂબનો પત્ર 4 >
1 ૧ તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અંગમાંની લડાઈ કરનારી કુઇચ્છાથી નહિ?
১যুষ্মাকং মধ্যে সমরা রণশ্চ কুত উৎপদ্যন্তে? যুষ্মদঙ্গশিবিরাশ্রিতাভ্যঃ সুখেচ্ছাভ্যঃ কিং নোৎপদ্যন্তে?
2 ૨ તમે ઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી, તેથી તમે હત્યા કરો છો અને ઝંખના રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી; તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી.
২যূযং ৱাঞ্ছথ কিন্তু নাপ্নুথ, যূযং নরহত্যাম্ ঈর্ষ্যাঞ্চ কুরুথ কিন্তু কৃতার্থা ভৱিতুং ন শক্নুথ, যূযং যুধ্যথ রণং কুরুথ চ কিন্ত্ৱপ্রাপ্তাস্তিষ্ঠথ, যতো হেতোঃ প্রার্থনাং ন কুরুথ|
3 ૩ તમે માગો છો, તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજશોખ પર ખરચી નાખવાના ખરાબ ઇરાદાથી માગો છો.
৩যূযং প্রার্থযধ্ৱে কিন্তু ন লভধ্ৱে যতো হেতোঃ স্ৱসুখভোগেষু ৱ্যযার্থং কু প্রার্থযধ্ৱে|
4 ૪ ઓ બેવફા લોકો, શું તમે જાણતા નથી, કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ છે? એ માટે જે કોઈ જગતનો મિત્ર થવા ચાહે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.
৪হে ৱ্যভিচারিণো ৱ্যভিচারিণ্যশ্চ, সংসারস্য যৎ মৈত্র্যং তদ্ ঈশ্ৱরস্য শাত্রৱমিতি যূযং কিং ন জানীথ? অত এৱ যঃ কশ্চিৎ সংসারস্য মিত্রং ভৱিতুম্ অভিলষতি স এৱেশ্ৱরস্য শত্রু র্ভৱতি|
5 ૫ જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો, તેને તે પોતાનો જ કરવાની ઇચ્છા રાખે છે, એવું શાસ્ત્રવચનમાં કહે છે તે શું ફોકટ છે એમ તમે ધારો છો?
৫যূযং কিং মন্যধ্ৱে? শাস্ত্রস্য ৱাক্যং কিং ফলহীনং ভৱেৎ? অস্মদন্তর্ৱাসী য আত্মা স ৱা কিম্ ঈর্ষ্যার্থং প্রেম করোতি?
6 ૬ પણ તે તો વધારે કૃપાદાન આપે છે. માટે શાસ્ત્રવચન કહે છે કે, ઈશ્વર અહંકારીઓને ધિક્કારે છે, પણ નમ્ર પર કૃપા રાખે છે.
৬তন্নহি কিন্তু স প্রতুলং ৱরং ৱিতরতি তস্মাদ্ উক্তমাস্তে যথা, আত্মাভিমানলোকানাং ৱিপক্ষো ভৱতীশ্ৱরঃ| কিন্তু তেনৈৱ নম্রেভ্যঃ প্রসাদাদ্ দীযতে ৱরঃ||
7 ૭ તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.
৭অতএৱ যূযম্ ঈশ্ৱরস্য ৱশ্যা ভৱত শযতানং সংরুন্ধ তেন স যুষ্মত্তঃ পলাযিষ্যতে|
8 ૮ તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે; ઓ પાપીઓ, તમારાં હાથ શુદ્ધ કરો અને ઓ બે મનવાળાઓ તમે તમારા હૃદય પવિત્ર કરો.
৮ঈশ্ৱরস্য সমীপৱর্ত্তিনো ভৱত তেন স যুষ্মাকং সমীপৱর্ত্তী ভৱিষ্যতি| হে পাপিনঃ, যূযং স্ৱকরান্ পরিষ্কুরুধ্ৱং| হে দ্ৱিমনোলোকাঃ, যূযং স্ৱান্তঃকরণানি শুচীনি কুরুধ্ৱং|
9 ૯ તમે ઉદાસ થાઓ, શોક કરો અને રડો; તમારું હાસ્ય શોકમાં બદલાય તથા આનંદને બદલે ખેદ થાય.
৯যূযম্ উদ্ৱিজধ্ৱং শোচত ৱিলপত চ, যুষ্মাকং হাসঃ শোকায, আনন্দশ্চ কাতরতাযৈ পরিৱর্ত্তেতাং|
10 ૧૦ પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે.
১০প্রভোঃ সমক্ষং নম্রা ভৱত তস্মাৎ স যুষ্মান্ উচ্চীকরিষ্যতি|
11 ૧૧ ઓ ભાઈઓ અને બહેનો, તમે એકબીજાની નિંદા કરો નહીં; જે પોતાના ભાઈની નિંદા કરે છે અને પોતાના ભાઈને દોષિત ઠરાવે છે તે નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; અને જો તું નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; તો તું નિયમશાસ્ત્રનો અમલ કરનાર નહીં પણ તેનો ન્યાય કરનાર છે.
১১হে ভ্রাতরঃ, যূযং পরস্পরং মা দূষযত| যঃ কশ্চিদ্ ভ্রাতরং দূষযতি ভ্রাতু র্ৱিচারঞ্চ করোতি স ৱ্যৱস্থাং দূষযতি ৱ্যৱস্থাযাশ্চ ৱিচারং করোতি| ৎৱং যদি ৱ্যৱস্থাযা ৱিচারং করোষি তর্হি ৱ্যৱস্থাপালযিতা ন ভৱসি কিন্তু ৱিচারযিতা ভৱসি|
12 ૧૨ નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તે તો ઉદ્ધાર કરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. પણ તું કોણ કે બીજાનો ન્યાય કરે છે?
১২অদ্ৱিতীযো ৱ্যৱস্থাপকো ৱিচারযিতা চ স এৱাস্তে যো রক্ষিতুং নাশযিতুঞ্চ পারযতি| কিন্তু কস্ত্ৱং যৎ পরস্য ৱিচারং করোষি?
13 ૧૩ હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું.
১৩অদ্য শ্ৱো ৱা ৱযম্ অমুকনগরং গৎৱা তত্র ৱর্ষমেকং যাপযন্তো ৱাণিজ্যং করিষ্যামঃ লাভং প্রাপ্স্যামশ্চেতি কথাং ভাষমাণা যূযম্ ইদানীং শৃণুত|
14 ૧૪ હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો, કે જે થોડીવાર દેખાય છે પછી અદ્રશ્ય થાય છે.
১৪শ্ৱঃ কিং ঘটিষ্যতে তদ্ যূযং ন জানীথ যতো জীৱনং ৱো ভৱেৎ কীদৃক্ তত্তু বাষ্পস্ৱরূপকং, ক্ষণমাত্রং ভৱেদ্ দৃশ্যং লুপ্যতে চ ততঃ পরং|
15 ૧૫ પણ તેના બદલે તમારે એમ કહેવું જોઈએ, કે જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું.
১৫তদনুক্ত্ৱা যুষ্মাকম্ ইদং কথনীযং প্রভোরিচ্ছাতো ৱযং যদি জীৱামস্তর্হ্যেতৎ কর্ম্ম তৎ কর্ম্ম ৱা করিষ্যাম ইতি|
16 ૧૬ પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, આ બધી બડાઈ ખોટી છે.
১৬কিন্ত্ৱিদানীং যূযং গর্ৱ্ৱৱাক্যৈঃ শ্লাঘনং কুরুধ্ৱে তাদৃশং সর্ৱ্ৱং শ্লাঘনং কুৎসিতমেৱ|
17 ૧૭ એ માટે જે ભલું કાર્ય જાણ્યાં છતાં કરતો નથી તેને પાપ લાગે છે.
১৭অতো যঃ কশ্চিৎ সৎকর্ম্ম কর্ত্তং ৱিদিৎৱা তন্ন করোতি তস্য পাপং জাযতে|