< હિબ્રૂઓને પત્ર 11 >
1 ૧ હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.
ⲁ̅ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲇⲉ ⲡⲧⲁϫⲣⲟ ⲧⲉ ⲛⲛⲉⲧⲉⲛϩⲉⲗⲡⲓⲍⲉ ⲉⲣⲟⲟⲩ ⲁⲩⲱ ⲡⲟⲩⲱⲛϩ ⲉⲃⲟⲗ ⲛⲛⲉϩⲃⲏⲩⲉ ⲉⲧⲉⲛⲧⲛⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲁⲛ
2 ૨ કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વરભક્તો વિષે સાક્ષી આપવામાં આવી.
ⲃ̅ⲛⲧⲁⲩⲣⲙⲛⲧⲣⲉ ⲅⲁⲣ ϩⲁ ⲛⲉⲡⲣⲉⲥⲃⲩⲧⲉⲣⲟⲥ ϩⲛ ⲧⲁⲓ
3 ૩ વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, ‘ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે, તે દ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી. (aiōn )
ⲅ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲉⲛⲛⲟⲓ ϫⲉ ⲛⲧⲁⲩⲥⲟⲃⲧⲉ ⲛⲛⲁⲓⲱⲛ ϩⲙ ⲡϣⲁϫⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ ϫⲉ ⲡⲉⲧⲛⲛⲁⲩ ⲉⲣⲟϥ ⲛⲧⲁϥϣⲱⲡⲉ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉⲧⲉⲛϥϣⲟⲟⲡ ⲁⲛ (aiōn )
4 ૪ વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારુ બલિદાન ઈશ્વરને ચઢાવ્યું, તેથી તે ન્યાયી છે, એમ તેના સંબંધી સાક્ષી આપવામાં આવી, કેમ કે ઈશ્વરે તેનાં અર્પણો સંબંધી સાક્ષી આપી; અને તેથી તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ હજી બોલે છે.
ⲇ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲁⲁⲃⲉⲗ ⲧⲁⲗⲉϩⲟⲩⲉ ⲑⲩⲥⲓⲁ ⲉϩⲣⲁⲓ ⲡⲁⲣⲁ ⲕⲁⲉⲓⲛ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϩⲓ ⲧⲟⲟⲧⲥ ⲛⲧⲁⲩⲣⲙⲛⲧⲣⲉ ϩⲁⲣⲟϥ ϫⲉ ⲟⲩⲇⲓⲕⲁⲓⲟⲥ ⲡⲉ ⲉⲣⲉⲡⲛⲟⲩⲧⲉ ⲣⲙⲛⲧⲣⲉ ⲛⲁϥ ⲉϫⲛ ⲛⲉϥⲇⲱⲣⲟⲛ ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϩⲓ ⲧⲟⲟⲧⲥ ⲛⲧⲉⲣⲉϥⲙⲟⲩ ⲉⲧⲓ ⲟⲛ ϥϣⲁϫⲉ
5 ૫ વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહિ અને તે અદ્રશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા, તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધી એ સાક્ષી થઈ કે ‘ઈશ્વર તેના પર પ્રસન્ન હતા.’”
ⲉ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲉⲛⲱⲭ ⲁⲩⲡⲟⲟⲛⲉϥ ⲉⲃⲟⲗ ⲉⲧⲙⲧⲣⲉϥⲛⲁⲩ ⲉⲡⲙⲟⲩ ⲁⲩⲱ ⲙⲡⲟⲩϩⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲁⲡⲛⲟⲩⲧⲉ ⲡⲟⲟⲛⲉϥ ⲉⲃⲟⲗ ϩⲁⲑⲏ ⲅⲁⲣ ⲉⲙⲡⲁⲧⲟⲩⲡⲟⲟⲛⲉϥ ⲉⲃⲟⲗ ⲁⲩⲣⲙⲛⲧⲣⲉ ϩⲁⲣⲟϥ ϫⲉ ⲁϥⲣⲁⲛⲁϥ ⲙⲡⲛⲟⲩⲧⲉ
6 ૬ પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે, તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે.
ⲋ̅ⲁϫⲛ ⲡⲓⲥⲧⲓⲥ ⲇⲉ ⲟⲩⲁⲧϭⲟⲙ ⲡⲉ ⲉⲣⲁⲛⲁϥ ϣϣⲉ ⲅⲁⲣ ⲉⲡⲉⲧⲛⲁϯ ⲡⲉϥⲟⲩⲟⲓ ⲉⲡⲛⲟⲩⲧⲉ ⲉⲡⲓⲥⲧⲉⲩⲉ ϫⲉ ϥϣⲟⲟⲡ ⲁⲩⲱ ϫⲉ ϥⲛⲁϣⲱⲡⲉ ⲛⲧⲁⲓⲃⲉⲕⲉ ⲛⲛⲉⲧϣⲓⲛⲉ ⲛⲥⲱϥ
7 ૭ નૂહે જે બાબત હજી સુધી જોઈ ન હતી, તે વિષે ચેતવણી પ્રાપ્ત કરીને તથા ઈશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના કુટુંબનાં ઉદ્ધારને માટે વહાણ તૈયાર કર્યું, તેથી તેણે માનવજગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે તેનો તે વારસ થયો.
ⲍ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲉⲁⲩⲧⲟⲩⲛⲟⲩⲉⲓⲁⲧϥ ⲉⲃⲟⲗ ⲛⲛⲱϩⲉ ⲉⲧⲃⲉ ⲛⲉⲧϥⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲁⲛ ⲛⲧⲉⲣⲉϥⲣ ϩⲟⲧⲉ ⲁϥⲧⲁⲙⲓⲟ ⲛⲟⲩϭⲓⲃⲱⲧⲟⲥ ⲉⲡⲉⲩϫⲁⲓ ⲙⲡⲉϥⲏⲓ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲟⲧⲥ ⲁϥⲧϭⲁⲓⲉ ⲡⲕⲟⲥⲙⲟⲥ ⲁⲩⲱ ⲁϥϣⲱⲡⲉ ⲛⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲛⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲕⲁⲧⲁ ⲧⲡⲓⲥⲧⲓⲥ
8 ૮ ઇબ્રાહિમ જે જગ્યા વારસામાં પામવાનો હતો, તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યાં છતાં વિશ્વાસથી તે રવાના થયો.
ⲏ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲉⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲁⲃⲣⲁϩⲁⲙ ⲁϥⲥⲱⲧⲙ ⲉⲉⲓ ⲉⲃⲟⲗ ⲉⲡⲙⲁ ⲉⲧϥⲛⲁϫⲓⲧϥ ⲉⲩⲕⲗⲏ ⲣⲟⲛⲟⲙⲓⲁ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲉⲛϥⲥⲟⲟⲩⲛ ⲁⲛ ϫⲉ ⲉϥⲙⲟⲟϣⲉ ⲉⲧⲱⲛ
9 ૯ વિશ્વાસથી ઇબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તેની સાથે તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબ તેની જેમ તંબુઓમાં રહેતા.
ⲑ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲁϥⲟⲩⲱϩ ϩⲙ ⲡⲕⲁϩ ⲙⲡⲉⲣⲏⲧ ϩⲱⲥ ϣⲙⲙⲟ ⲉⲁϥⲟⲩⲱϩ ϩⲛ ϩⲉⲛϩⲃⲱ ⲙⲛ ⲓⲥⲁⲁⲕ ⲁⲩⲱ ⲓⲁⲕⲱⲃ ⲛϣⲃⲣⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲟⲥ ⲙⲡⲓⲉⲣⲏⲧ ⲛⲟⲩⲱⲧ
10 ૧૦ કેમ કે જે શહેરનો પાયો છે, જેનાં યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેમની આશા તે રાખતો હતો.
ⲓ̅ⲛⲉϥϭⲱϣⲧ ⲅⲁⲣ ⲉⲃⲟⲗ ϩⲏⲧⲥ ⲛⲧⲡⲟⲗⲓⲥ ⲉⲧⲉⲩⲛⲧⲥ ⲥⲛⲧⲉ ⲙⲙⲁⲩ ⲧⲁⲓ ⲉⲡⲉⲥⲧⲉⲭⲛⲓⲧⲏⲥ ⲙⲛ ⲡⲉⲥⲇⲏⲙⲓⲟⲩⲣⲅⲟⲥ ⲡⲉ ⲡⲛⲟⲩⲧⲉ
11 ૧૧ વિશ્વાસથી સારા પણ વૃધ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવા સામર્થ્ય પામી; કેમ કે જેણે વચન આપ્યું હતું, તેમને તેણે વિશ્વાસપાત્ર ગણ્યા.
ⲓ̅ⲁ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ϩⲱⲱⲥ ⲥⲁⲣⲣⲁ ⲧⲁϭⲣⲏⲛ ⲁⲥϫⲓ ⲛⲟⲩϭⲟⲙ ⲉⲩⲕⲁⲧⲁⲃⲟⲗⲏ ⲛⲥⲡⲉⲣⲙⲁ ⲡⲁⲣⲁ ⲡⲟⲩⲟⲉⲓϣ ⲛⲧⲉⲥϭⲟⲧ ⲉⲃⲟⲗ ϫⲉ ⲁⲥⲧⲁⲛϩⲉⲧ ⲡⲉⲛⲧⲁϥⲉⲣⲏⲧ
12 ૧૨ એ માટે એકથી અને તે પણ વળી મૂએલા જેવો, તેનાથી સંખ્યામાં આકાશમાંના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠા પરની રેતી જે અગણિત છે તેના જેટલાં લોક ઉત્પન્ન થયા.
ⲓ̅ⲃ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲉⲁⲩϫⲡⲟⲟⲩ ⲉⲃⲟⲗ ϩⲛ ⲟⲩⲁ ⲉⲁ ⲡⲉϥⲥⲱⲙⲁ ⲣⲡⲕⲉⲕⲁϭⲟⲙ ⲉⲃⲟⲗ ⲛⲑⲉ ⲛⲛⲥⲓⲟⲩ ⲛⲧⲡⲉ ϩⲛ ⲧⲉⲩⲁϣⲏ ⲁⲩⲱ ⲛⲑⲉ ⲙⲡϣⲟ ⲉⲧϩⲁⲧⲙ ⲡⲉⲥⲡⲟⲧⲟⲩ ⲛⲑⲁⲗⲁⲥⲥⲁ ⲉⲧⲉⲙⲛⲧϥ ⲏⲡⲉ
13 ૧૩ એ સઘળાં વિશ્વાસમાં મૃત્યુ પામ્યા તેઓને વચનોનાં ફળ મળ્યા નહિ, પણ દૂરથી તે નિહાળીને તેમણે અભિવાદન કર્યા અને પોતા વિષે કબૂલ કર્યું છે કે અમે પૃથ્વી પર પરદેશી તથા મુસાફર છીએ.
ⲓ̅ⲅ̅ⲕⲁⲧⲁ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲁⲩⲙⲟⲩ ⲛϭⲓ ⲛⲁⲓ ⲧⲏⲣⲟⲩ ⲙⲡⲟⲩϫⲓ ⲛⲛⲉⲣⲏⲧ ⲁⲗⲗⲁ ⲁⲩⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲙⲡⲟⲩⲉ ⲁⲩⲁⲥⲡⲁⲍⲉ ⲁⲩⲱ ⲁⲩϩⲟⲙⲟⲗⲟⲅⲉⲓ ϫⲉ ⲁⲛϩⲉⲛϣⲙⲙⲟ ⲁⲩⲱ ⲁⲛϩⲉⲛⲣⲙⲛϭⲟⲓⲗⲉ ϩⲓϫⲙ ⲡⲕⲁϩ
14 ૧૪ કેમ કે એવી વાતો કહેનારા સ્પષ્ટ જણાવે છે કે, તેઓ વતનની શોધ કરે છે.
ⲓ̅ⲇ̅ⲛⲉⲧϫⲱ ⲅⲁⲣ ⲛⲛⲁⲓ ⲛⲧⲉⲉⲓϩⲉ ⲉⲩⲟⲩⲱⲛϩ ⲙⲙⲟⲟⲩ ⲉⲃⲟⲗ ϫⲉ ⲉⲩϣⲓⲛⲉ ⲛⲥⲁ ⲟⲩⲡⲟⲗⲓⲥ
15 ૧૫ જે દેશમાથી તેઓ બહાર આવ્યા તેના પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તો પાછા ફરવાનો પ્રસંગ તેઓને મળત.
ⲓ̅ⲉ̅ⲛⲛⲉⲩⲣⲡⲙⲉⲉⲩⲉ ⲇⲉ ⲛⲧⲉⲛⲧⲁⲩⲉⲓ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧⲥ ⲛⲉⲁⲩⲣⲧⲉ ⲡⲉ ⲛⲕⲟⲧⲟⲩ ⲉⲣⲟⲥ
16 ૧૬ પણ હવે વધારે ઉત્તમ, એટલે સ્વર્ગીય દેશની તેઓ બહુ ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતા શરમાતા નથી, કેમ કે તેમણે તેઓને માટે એક શહેર નિર્માણ કર્યું છે.
ⲓ̅ⲋ̅ⲧⲉⲛⲟⲩ ⲇⲉ ⲉⲩⲟⲩⲉϣ ⲧⲉⲧⲥⲟⲧⲡ ⲉⲧⲉⲧⲁⲧⲡⲉ ⲧⲉ ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲙⲡⲛⲟⲩⲧⲉ ϯϣⲓⲡⲉ ⲛⲁⲩ ⲁⲛ ⲉⲧⲣⲉⲩⲉⲡⲓⲕⲁⲗⲉⲓ ⲙⲙⲟϥ ⲛⲛⲟⲩⲧⲉ ⲉϫⲱⲟⲩ ⲁϥⲥⲟⲃⲧⲉ ⲅⲁⲣ ⲛⲁⲩ ⲛⲟⲩⲡⲟⲗⲓⲥ
17 ૧૭ ઇબ્રાહિમે, જયારે તેની કસોટી થઈ ત્યારે વિશ્વાસથી ઇસહાકનું બલિદાન આપ્યું; એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા અને જેને એવું કહેવામાં આવ્યું હતું કે,
ⲓ̅ⲍ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲁⲃⲣⲁϩⲁⲙ ⲁϥⲧⲁⲗⲉ ⲓⲥⲁⲁⲕ ⲉϩⲣⲁⲓ ⲉⲩⲡⲉⲓⲣⲁⲍⲉ ⲙⲙⲟϥ ⲁⲩⲱ ⲁϥⲧⲁⲗⲉ ⲡⲉϥϣⲏⲣⲉ ⲛⲟⲩⲱⲧ ⲉϩⲣⲁⲓ ⲛϭⲓ ⲡⲉⲛⲧⲁϥϣⲱⲡ ⲉⲣⲟϥ ⲛⲛⲉⲣⲏⲧ
18 ૧૮ ‘ઇસહાકથી તારો વંશ ગણાશે,’ તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું.
ⲓ̅ⲏ̅ⲡⲁⲓ ⲉⲛⲧⲁⲩϣⲁϫⲉ ⲛⲙⲙⲁϥ ϫⲉ ϩⲛ ⲓⲥⲁⲁⲕ ⲉⲩⲛⲁⲙⲟⲩⲧⲉ ⲛⲁⲕ ⲉⲩⲥⲡⲉⲣⲙⲁ
19 ૧૯ કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે; અને પુનરુત્થાનની ઉપમા પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.
ⲓ̅ⲑ̅ⲉⲁϥⲙⲟⲕⲙⲉⲕ ϫⲉ ⲟⲩⲛϣϭⲟⲙ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲧⲟⲩⲛⲟⲥϥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲟⲛ ⲁϥϫⲓⲧϥ ϩⲛ ⲟⲩⲡⲁⲣⲁⲃⲟⲗⲏ
20 ૨૦ વિશ્વાસથી ઇસહાકે જે બાબતો બનવાની હતી તેના સંબંધી યાકૂબ અને એસાવને આશીર્વાદ આપ્યો.
ⲕ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲉⲧⲃⲉ ⲛⲉⲧⲛⲁϣⲱⲡⲉ ⲁⲓⲥⲁⲁⲕ ⲥⲙⲟⲩ ⲉⲓⲁⲕⲱⲃ ⲙⲛ ⲏⲥⲁⲩ
21 ૨૧ વિશ્વાસથી યાકૂબે પોતાના મૃત્યુ સમયે યૂસફના બન્ને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીના હાથા પર ટેકીને ભજન કર્યું.
ⲕ̅ⲁ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲓⲁⲕⲱⲃ ⲉϥⲛⲁⲙⲟⲩ ⲁϥⲥⲙⲟⲩ ⲉⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲛⲛϣⲏⲣⲉ ⲛⲓⲱⲥⲏⲫ ⲁⲩⲱ ⲁϥⲟⲩⲱϣⲧ ⲛϩⲧⲏϥ ⲙⲡⲉϥϭⲉⲣⲱⲃ
22 ૨૨ વિશ્વાસથી યૂસફે પોતાના અંતકાળે ઇઝરાયલના સંતાનના નિર્ગમન વિષેની વાત સંભળાવી અને પોતાનાં અસ્થિ સંબંધી આજ્ઞા આપી.
ⲕ̅ⲃ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲓⲱⲥⲏⲫ ⲉϥⲛⲁⲙⲟⲩ ⲁϥⲣⲡⲙⲉⲉⲩⲉ ⲉⲧⲃⲉ ⲡⲉⲓ ⲉⲃⲟⲗ ⲛⲛϣⲏⲣⲉ ⲙⲡⲓⲥⲣⲁⲏⲗ ⲁⲩⲱ ⲁϥϩⲱⲛ ⲉⲧⲃⲉ ⲛⲉϥⲕⲉⲉⲥ
23 ૨૩ વિશ્વાસથી મૂસાનાં માતાપિતાએ તેના જનમ્યાં પછી ત્રણ મહિના સુધી તેને સંતાડી રાખ્યો; કેમ કે તેઓએ જોયું, કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી ગભરાયા નહિ.
ⲕ̅ⲅ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲛⲧⲉⲣⲟⲩϫⲡⲟ ⲙⲙⲱⲩⲥⲏⲥ ⲁⲩϩⲟⲡϥ ⲛϣⲟⲙⲛⲧ ⲛⲉⲃⲟⲧ ϩⲓⲧⲛ ⲛⲉϥⲉⲓⲟⲧⲉ ⲉⲃⲟⲗ ϫⲉ ⲁⲩⲛⲁⲩ ⲉⲡϣⲏⲣⲉ ϣⲏⲙ ⲉⲛⲉⲥⲱϥ ⲙⲡⲟⲩⲣ ϩⲟⲧⲉ ϩⲏⲧϥ ⲙⲡⲇⲓⲁⲧⲁⲅⲙⲁ ⲙⲡⲣⲣⲟ
24 ૨૪ વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાનો ઇનકાર કર્યો.
ⲕ̅ⲇ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲛⲧⲉⲣⲉⲙⲱⲩⲥⲏⲥ ⲣⲛⲟϭ ⲙⲡϥⲟⲩⲱϣ ⲉⲧⲣⲉⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲡϣⲏⲣⲉ ⲛⲧϣⲉⲉⲣⲉ ⲙⲫⲁⲣⲁⲱ
25 ૨૫ પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વધારે પસંદ કર્યું.
ⲕ̅ⲉ̅ⲉⲁϥⲥⲱⲧⲡ ⲛⲁϥ ⲛϩⲟⲩⲟ ⲉϣⲡϩⲓⲥⲉ ⲙⲛ ⲡⲗⲁⲟⲥ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉϩⲟⲩⲉϫⲓ ⲛⲧⲁⲡⲟⲗⲁⲩⲥⲓⲥ ⲙⲡⲛⲟⲃⲉ ⲡⲣⲟⲥⲟⲩⲟⲩⲟⲉⲓϣ
26 ૨૬ મિસરમાંના દ્રવ્ય ભંડારો કરતાં ખ્રિસ્ત સાથે નિંદા સહન કરવી એ અધિક સંપત્તિ છે, એમ તેણે ગણ્યું; કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું.
ⲕ̅ⲋ̅ⲉⲁϥⲉⲡ ⲡⲛⲟϭⲛⲉϭ ⲙⲡⲉⲭⲥ ϫⲉ ⲟⲩϩⲟⲩⲉ ⲙⲛⲧⲣⲙⲙⲁⲟ ⲡⲉ ⲉϩⲟⲩⲉⲛⲁϩⲱⲱⲣ ⲛⲕⲏ ⲙⲉ ⲛⲉϥϭⲱϣⲧ ⲅⲁⲣ ⲡⲉ ⲉⲡⲧⲟⲩⲉⲓⲟ ⲛⲁϥ ⲙⲡⲉϥⲃⲉⲕⲉ
27 ૨૭ વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો; અને રાજાના ક્રોધથી તે ગભરાયો નહિ. કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ દૃઢ રહ્યો.
ⲕ̅ⲍ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲙⲱⲩⲥⲏⲥ ⲁϥⲕⲁ ⲕⲏⲙⲉ ⲛⲥⲱϥ ⲙⲡϥⲣ ϩⲟⲧⲉ ϩⲏⲧϥ ⲙⲡϭⲱⲛⲧ ⲙⲡⲣⲣⲟ ⲡⲉⲧⲉⲙⲉⲩⲛⲁⲩ ⲅⲁⲣ ⲉⲣⲟϥ ⲛⲉϥϭⲉⲉⲧ ⲉⲣⲟϥ ⲡⲉ ϩⲱⲥ ⲉϥⲛⲁⲩ ⲉⲣⲟϥ
28 ૨૮ વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા લોહી છાંટવાની વિધિનું પાલન કર્યું, જેથી પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને સ્પર્શ કરે નહિ.
ⲕ̅ⲏ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲁϥⲣⲡⲡⲁⲥⲭⲁ ⲙⲛ ⲡⲡⲱⲛ ⲉⲃⲟⲗ ⲙⲡⲉⲥⲛⲟϥ ϫⲉ ⲛⲛⲉ ⲡⲉⲧⲧⲁⲕⲟ ⲛⲛϣⲣⲡⲙⲙⲓⲥⲉ ϫⲱϩ ⲉⲣⲟⲟⲩ
29 ૨૯ વિશ્વાસથી તેઓ જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા; એવો પ્રયત્ન કરતાં મિસરીઓ ડૂબીને મૃત્યુ પામ્યા.
ⲕ̅ⲑ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲁⲩϫⲓⲟⲟⲣ ⲛⲧⲉⲣⲩⲑⲣⲁ ⲑⲁⲗⲁⲥⲥⲁ ⲛⲑⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲟⲩⲕⲁϩ ⲉϥϣⲟⲩⲱⲟⲩ ⲧⲁⲓ ⲉⲛⲧⲁⲩϫⲟⲛⲧⲟⲩ ⲙⲙⲟⲥ ⲛϭⲓ ⲛⲣⲙⲛⲕⲏⲙⲉ ⲁⲩⲱⲙⲥ
30 ૩૦ વિશ્વાસથી યરીખોના કોટની સાત દિવસ સુધી પ્રદક્ષિણા કર્યાં પછી તે પડી ગયો.
ⲗ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ⲛⲥⲟⲃⲧ ⲛϩⲓⲉⲣⲓⲭⲱ ⲁⲩϩⲉ ⲛⲧⲉⲣⲟⲩⲕⲱⲧⲉ ⲉⲣⲟⲟⲩ ⲛⲥⲁϣϥ ⲛϩⲟⲟⲩ
31 ૩૧ વિશ્વાસથી રાહાબ ગણિકાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો તેથી યરીખોના અનાજ્ઞાંકિતોની સાથે તેનો નાશ થયો નહિ.
ⲗ̅ⲁ̅ϩⲛ ⲟⲩⲡⲓⲥⲧⲓⲥ ϩⲣⲁⲁⲃ ⲧⲡⲟⲣⲛⲏ ⲙⲡⲥϩⲉ ⲉⲃⲟⲗ ⲙⲛ ⲛⲉⲛⲧⲁⲩⲣⲁⲧⲛⲁϩⲧⲉ ⲉⲁⲥϣⲱⲡ ⲉⲣⲟⲥ ⲛⲛϫⲱⲣ ϩⲛ ⲟⲩⲉⲓⲣⲏⲛⲏ
32 ૩૨ એનાથી વધારે શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, સામસૂન, યિફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાને મને પૂરતો સમય નથી.
ⲗ̅ⲃ̅ⲉⲓⲛⲁϫⲉⲟⲩ ⲟⲛ ⲡⲉⲟⲩⲟⲉⲓϣ ⲅⲁⲣ ⲛⲁⲕⲁⲁⲧ ⲉⲉⲓϣⲁϫⲉ ⲉⲧⲃⲉ ⲅⲉⲇⲉⲱⲛ ⲃⲁⲣⲁⲕ ⲥⲁⲙⲯⲱⲛ ⲓⲉⲫⲑⲁⲉ ⲇⲁⲩⲉⲓⲇ ⲙⲛ ⲥⲁⲙⲟⲩⲏⲗ ⲙⲛ ⲡⲕⲉⲥⲉⲉⲡⲉ ⲙⲡⲣⲟⲫⲏⲧⲏⲥ
33 ૩૩ તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યાં, ન્યાયી આચરણ કર્યું, આશાવચનો પ્રાપ્ત કર્યાં, સિંહોનાં મુખ બંધ કર્યાં,
ⲗ̅ⲅ̅ⲛⲁⲓ ⲉⲛⲧⲁⲩϫⲣⲟ ⲉⲛⲓⲙⲛⲧⲉⲣⲱⲟⲩ ϩⲓⲧⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲁⲩⲣϩⲱⲃ ⲉⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲁⲩⲙⲁⲧⲉ ⲛⲛⲉⲣⲏⲧ ⲁⲩⲧⲱⲙ ⲛⲧⲧⲁⲡⲣⲟ ⲛⲙⲙⲟⲩⲓ
34 ૩૪ અગ્નિનું બળ નિષ્ફળ કર્યું, તેઓ તલવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી બળવાન કરાયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓના સૈન્યને નસાડી દીધાં.
ⲗ̅ⲇ̅ⲁⲩⲱϣⲙ ⲛⲧϭⲟⲙ ⲛⲧⲥⲁⲧⲉ ⲁⲩⲣⲃⲟⲗ ⲉⲧⲧⲁⲡⲣⲟ ⲛⲧⲥⲏϥⲉ ⲁⲩϭⲙϭⲟⲙ ϩⲛ ⲧⲙⲛⲧϭⲱⲃ ⲁⲩϣⲱⲡⲉ ⲉⲩϫⲟⲟⲣ ϩⲙ ⲡⲡⲟⲗⲉⲙⲟⲥ ⲁⲩϭⲱⲧⲡ ⲛⲙⲡⲁⲣⲉⲙⲃⲟⲗⲏ ⲛϩⲉⲛⲕⲟⲟⲩⲉ
35 ૩૫ વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના સ્વજનોને જીવંત સ્વરૂપે પાછા મેળવ્યા કેટલાક રિબાઈ રિબાઈને મરણ પામ્યા, તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારુ પુનરુત્થાન પામે;
ⲗ̅ⲉ̅ⲁϩⲉⲛⲥϩⲓⲙⲉ ϫⲓ ⲛⲛⲉⲩⲣⲉϥⲙⲟⲟⲩⲧ ⲁⲩⲧⲟⲩⲛⲟⲥⲟⲩ ⲛⲁⲩ ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲁⲩϩⲁⲧⲟⲩ ⲙⲡⲟⲩϣⲱⲡ ⲉⲣⲟⲟⲩ ⲙⲡⲥⲱⲧⲉ ⲙⲡⲉⲩⲥⲱⲙⲁ ϫⲉ ⲉⲩⲉϫⲓ ⲛⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲉⲧⲥⲟⲧⲡ
36 ૩૬ બીજા મશ્કરીઓથી તથા કોરડાઓથી, વળી સાંકળોથી અને કેદમાં પુરાયાથી પીડિત થઈને પરખાયા.
ⲗ̅ⲋ̅ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲁⲩϫⲟⲛⲧⲟⲩ ϩⲛ ϩⲉⲛⲥⲱⲃⲉ ⲙⲙⲟⲟⲩ ⲙⲛ ϩⲉⲛⲙⲁⲥⲧⲓⲅⲝ ⲉⲧⲉⲓ ⲇⲉ ϩⲛ ϩⲉⲛⲙⲣⲣⲉ ⲙⲛ ⲡⲉϣⲧⲉⲕⲟ
37 ૩૭ તેઓ પથ્થરોથી મરાયા, કરવતથી વહેરાયા, તેઓને લાલચ આપવામાં આવી, તલવારની ધારથી માર્યા ગયા, ઘેટાંના તથા બકરાંનાં ચામડાં પહેરીને ફરતાં રહ્યા. તેઓ કંગાલ, રિબાયેલા તથા પીડાયેલા હતા;
ⲗ̅ⲍ̅ⲁⲩⲟⲩⲁⲥⲧⲟⲩ ⲁⲩϩⲓⲱⲛⲉ ⲉⲣⲟⲟⲩ ⲁⲩⲙⲟⲩ ϩⲛ ⲟⲩϩⲱⲧⲃ ⲛⲥⲏϥⲉ ⲁⲩⲙⲟⲟϣⲉ ϩⲛ ϩⲉⲛⲃⲁⲗⲟⲧ ⲙⲛ ϩⲉⲛϣⲁⲁⲣ ⲛⲃⲁⲁⲙⲡⲉ ⲉⲩⲣϭⲣⲱϩ ⲉⲩⲑⲗⲓⲃⲉ ⲉⲩⲙⲟⲕϩ
38 ૩૮ માનવજગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું, તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા.
ⲗ̅ⲏ̅ⲛⲁⲓ ⲉⲧⲉⲙ ⲡⲕⲟⲥⲙⲟⲥ ⲙⲡϣⲁ ⲙⲙⲟⲟⲩ ⲁⲛ ⲉⲩⲥⲟⲣⲙ ϩⲓ ⲛϫⲁⲓⲉ ⲙⲛ ⲛⲧⲟⲟⲩ ⲙⲛ ⲛⲉⲓⲁ ⲙⲛ ⲛⲉϣⲕⲟⲗ ⲙⲡⲕⲁϩ
39 ૩૯ એ સર્વ વિષે તેમના વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને આશાવચનનું ફળ મળ્યું નહિ.
ⲗ̅ⲑ̅ⲁⲩⲱ ⲉⲁⲩⲣⲙⲛⲧⲣⲉ ϩⲁⲣⲟⲟⲩ ⲧⲏⲣⲟⲩ ϩⲓⲧⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ⲙⲡⲟⲩϫⲓ ⲛⲛⲉⲣⲏⲧ
40 ૪૦ કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ કંઈ ઉત્તમ નિર્માણ કર્યું હતું; જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ થાય નહિ.
ⲙ̅ⲉⲣⲉ ⲡⲛⲟⲩⲧⲉ ϭⲱϣⲧ ⲉⲩϩⲱⲃ ⲉϥⲥⲟⲧⲡ ⲉⲧⲃⲏⲏⲧⲛ ϫⲉ ⲛⲛⲉⲩϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲁϫⲛⲧⲛ