< નિર્ગમન 13 >

1 પછી યહોવાહે મૂસાને કહ્યું,
မောရှေ ကို ခေါ်၍ ဣသရေလ အမျိုးသား တို့တွင် အဦးဘွားသောသူ၊
2 “તમામ ઇઝરાયલીઓએ પોતાના બધા જ પ્રથમજનિતને પવિત્ર કરવા. પરિવારમાં પ્રથમ જન્મેલા પુરુષને તથા પશુને મારે માટે પવિત્ર કરવા; તેઓ મારા છે.”
လူ ဖြစ်စေ ၊ တိရစ္ဆာန် ဖြစ်စေ ၊ သားဦး အပေါင်း တို့ကို ငါ့ အဘို့ သန့်ရှင်း စေလော့။ ငါ့ ဥစ္စာဖြစ်ကြသည်ဟု မိန့် တော်မူ၏။
3 મૂસાએ લોકોને કહ્યું, “જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના ઘરમાંથી બહાર આવ્યા તે દિવસને તમે યાદ રાખજો, યહોવાહ પોતાના પરાક્રમ વડે તમને બહાર લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ.
မောရှေ ကလည်း ၊ သင်တို့သည် ကျွန် ခံနေရာ အဲဂုတ္တု ပြည်မှ ထွက် သွားသော ဤ နေ့ ရက်ကို အောက်မေ့ ကြလော့။ ထာဝရဘုရား သည် အားကြီး သောလက် တော်ဖြင့် သင် တို့ကို ထို ပြည်မှ နှုတ် ဆောင်တော်မူပြီ။ တဆေး ပါသောမုန့်ကို မ စား ရ။
4 આબીબ માસના આ દિવસે તમે બહાર આવ્યા છો.
အဗိဗ လ ၊ ယနေ့ ၌ ပင် သင် တို့သည် ထွက် လာကြပြီ။
5 અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે યહોવાહ તમને દૂધ તથા મધથી રેલછેલવાળો એવા કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જાય ત્યારે તમારે આ પ્રમાણે ભજન કરવું.”
သင် တို့အား ပေး ခြင်းငှာ ဘိုးဘေး များ၌ ထာဝရဘုရားကျိန်ဆို တော်မူသော ပြည်၊ ခါနနိ လူ၊ ဟိတ္တိ လူ၊ အာမောရိ လူ၊ ဟိဝိ လူ၊ ယေဗုသိ လူတို့နေရာ တည်းဟူသောနို့ နှင့် ပျားရည် စီး သောပြည် သို့ ပို့ဆောင် တော်မူပြီးမှ ၊ ယခု လ တွင် သင်တို့သည် ဤ ဝတ် ကိုပြု ရကြမည်။
6 “સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી. સાતમે દિવસે ઈશ્વરનું આ પર્વ પાળવું.”
ခုနစ် ရက် ပတ်လုံးတဆေး မပါသောမုန့်ကို စား ပြီးမှ ၊ ခုနစ် ရက်မြောက်သောနေ့ တွင် ၊ ထာဝရဘုရား အဘို့ ပွဲ ခံရကြမည်။
7 એ સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી. તમારા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી હોવી જોઈએ નહિ.
တဆေး မပါသောမုန့်ကို စား ရသောခုနစ် ရက် ပတ်လုံးသင် တို့၌ တဆေး ကို မ တွေ့ မမြင်ရ။ သင် တို့နေ သောအရပ်ရပ် တို့၌ လည်း မ တွေ့ မမြင်ရ။
8 તે દિવસે તમારે તમારાં બાળકોને કહેવું કે, ‘ઈશ્વર અમને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાહે અમારા માટે જે કર્યુ હતું, તે માટે આ પર્વ પાળવામાં આવે છે.’
ငါ တို့သည် အဲဂုတ္တု ပြည်မှ ထွက် သောကာလ ၊ ထာဝရဘုရား ပြု တော်မူသောကျေးဇူး တော်ကြောင့် ဤသို့ပြုရ၏ဟု ထို နေ့ ၌ သား မြေးတို့အား ကြား ပြောရမည်။
9 “આ પર્વનું પાલન તમારા હાથ પર અને તમારી આંખો વચ્ચે કપાળ પર યાદગીરીના સૂચક ચિહ્ન જેવું રહેશે. તે તમને યાદ રખાવશે તમારા મુખમાં યહોવાહનાં વચનો રહે. કેમ કે યહોવાહ તમને સામર્થ્યવાન હાથથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છે.
ထာဝရဘုရား ၏ တရား သည်၊ သင် ၏နှုတ် ၌ တည် မည်အကြောင်း ၊ ဤအရာသည် သင် ၏လက် ၌ လက္ခဏာ သက်သေ၊ သင် ၏မျက်စိ ကြား မှာ အောက်မေ့ ဘို့ရာဖြစ် ရမည်။ အားကြီး သောလက် တော်ဖြင့် ထာဝရဘုရား သည်၊ သင့် ကို အဲဂုတ္တု ပြည်မှ နှုတ်ဆောင် တော်မူပြီ။
10 ૧૦ એટલા માટે તમારે આ પર્વ દર વર્ષે નિયત સમયે પાળવું અને ઊજવવું.”
၁၀ထို့ကြောင့် စီရင်တော်မူသောဤ ထုံးစံ ကို၊ မိမိ အချိန် ၌ နှစ် စဉ်အတိုင်း စောင့် ရကြမည်။
11 ૧૧ “યહોવાહ તમને અને તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમને કનાનીઓના દેશમાં લઈ જાય અને તે દેશ તમને આપે,
၁၁သင် တို့၌ ၎င်း ၊ ဘိုးဘေး ၌ ၎င်း၊ ကျိန်ဆို တော်မူသည်အတိုင်း ၊ ထာဝရဘုရား သည် သင် တို့ကို ပို့ဆောင် ၍ ၊ ထိုပြည်ကိုပေး သနားတော်မူသောအခါ၊
12 ૧૨ ત્યારે તમારા સર્વ પ્રથમજનિતોને તથા સર્વ પશુઓનાં પ્રથમજનિતોને તમારે યહોવાહ ને માટે સમર્પિત કરવા જેથી તમામ નર પ્રથમજનિતો યહોવાહના થાય.
၁၂သင်တို့၌ အဦး ဘွား သောသားအပေါင်း တို့နှင့် သင်တို့၌ရှိသောတိရစ္ဆာန် တို့၏ သားဦး အပေါင်း တို့ကို၊ ထာဝရဘုရား အဘို့ အသီးအခြားခွဲ ထားရကြမည်။ အထီး ရှိသမျှတို့သည်၊ ထာဝရဘုရား ၏ ဥစ္စာဖြစ် ရကြမည်။
13 ૧૩ પ્રત્યેક ગધેડાના પ્રથમ બચ્ચાંને તેને બદલે એક હલવાન અર્પણ કરીને, યહોવાહ પાસેથી તે પાછું મેળવવું. અને જો તેને મેળવવાની કે છોડાવવાની તમારી મરજી ના હોય તો તેની ગરદન તમારે ભાંગી નાખવી. વળી તમારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને પણ તારે મૂલ્ય આપીને છોડાવવા.”
၁၃မြည်း မ၌ အဦး ဘွားသော မြည်းသငယ်ကို၊ သိုးသငယ် နှင့် ရွေး ရမည်။ မ ရွေး လိုလျှင် ၊ မြည်း သငယ် လည်ပင်း ကို ချိုးရမည်။ လူသား တို့တွင် သားဦး အပေါင်း ကို ရွေး ရမည်။
14 ૧૪ “ભવિષ્યમાં તમારાં બાળકો તમને પૂછે કે, ‘આનો અર્થ શો છે?’ ત્યારે તમે કહેજો કે, ‘યહોવાહ પોતાના હાથનાં સામર્થ્ય વડે અમને મિસરમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા હતા.
၁၄နောင်ကာလ၌ သင် ၏သား ကလည်း၊ အဘယ်သို့ နည်းဟု မေးမြန်း လျှင်၊ သင်ကလည်း ကျွန် ခံနေရာ အဲဂုတ္တု ပြည်မှ ၊ ထာဝရဘုရား သည် အားကြီး သော လက် တော်ဖြင့် ငါ တို့ကို နှုတ်ဆောင် တော်မူ၏။
15 ૧૫ ફારુન હઠે ચડયો હતો, તેથી તે અમને બહાર જવા દેતો ન હતો. ત્યારે યહોવાહે મિસર દેશના બધા પ્રથમજનિતને એટલે પ્રથમજનિત પુરુષોનો તથા પ્રથમજનિત નર જાનવરોનો સંહાર કર્યો હતો. તેથી પ્રથમજનિત સર્વ નર પશુઓને અમે યહોવાહને અર્પણ કરીએ છીએ, પણ અમારા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે મૂલ્ય ચૂકવીને છોડાવીએ છીએ.’
၁၅ဖာရော ဘုရင်သည်၊ ငါ တို့ကို အလွယ်တကူမ လွှတ် ဘဲနေသောအခါ ၊ အဲဂုတ္တု ပြည် ၌ လူ ဖြစ်စေ ၊ တိရစ္ဆာန် ဖြစ်စေ၊ သားဦး အပေါင်း တို့ကို ထာဝရဘုရား ကွပ်မျက် တော်မူ၏။ ထိုကြောင့် အဦး ဘွားသော တိရစ္ဆာန် အထီး ရှိသမျှ တို့ကို ထာဝရဘုရား အား ယဇ်ပူဇော် ရမည်။ ကိုယ် သား တို့တွင် သားဦး ကို ရွေး ရမည်ဟု ပြန်ဆို ရမည်။
16 ૧૬ અને એ વિધિ તમારા હાથ પર ચિહ્નરૂપ તથા તમારી આંખોની વચ્ચે કપાળ પર ચાંદરૂપ બની રહેશે; કારણ કે યહોવાહ આપણને પોતાના પરાક્રમી હાથથી મિસરની બહાર લઈ આવ્યા હતા. એની આ સ્મૃતિ બની છે.”
၁၆ဤအရာသည်လည်း၊ သင် ၏လက္ခဏာ သက်သေ၊ သင် ၏မျက်စိ ကြား မှာ သင်းကျပ် ဖြစ် ရမည်။ အကြောင်းမူကား ၊ ထာဝရဘုရား သည် အားကြီး သောလက် တော်ဖြင့် ငါ တို့ကို အဲဂုတ္တု ပြည်မှ နှုတ်ဆောင် တော်မူပြီဟု လူ များတို့အား ပြောဆို လေ၏။
17 ૧૭ જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં પણ તે રસ્તે તેઓને લઈ ગયા નહિ. કેમ કે યહોવાહે વિચાર્યું કે, “રખેને યુદ્ધ થાય અને લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.”
၁၇ဣသရေလလူ တို့ကို ဖာရော ဘုရင်လွှတ် သောနောက် ၊ ဖိလိတ္တိ ပြည် ကို ရှောက်သောလမ်း သည် ဖြောင့် သော်လည်း ၊ ထို လမ်းဖြင့် ဘုရား သခင်ဆောင် တော်မ မူ။ အကြောင်းမူကား ၊ သူ တို့သည် စစ်မှု ကို တွေ့မြင် သောအခါ စိတ်ပျက် ၍ ၊ အဲဂုတ္တု ပြည်သို့ ပြန်ကောင်းပြန် ကြလိမ့်မည်ဟု သိ တော်မူ၏။
18 ૧૮ એટલે યહોવાહ તેઓને બીજે રસ્તે થઈને એટલે રાતા સમુદ્ર પાસેના અરણ્યના રસ્તે તેઓને લઈ ગયા. ઇઝરાયલપુત્રો શસ્ત્રસજજ થઈને મિસરમાંથી બહાર આવ્યા હતા.
၁၈ထိုကြောင့် ဘုရား သခင်သည်၊ သူ တို့ကို ဧဒုံ ပင်လယ် နားတော လမ်း ဖြင့် ဝိုင်း၍ ဆောင် တော်မူ၏။ ဣသရေလ အမျိုးသား တို့သည်၊ ခင်းကျင်းသော တပ် အစဉ်အတိုင်းအဲဂုတ္တု ပြည် မှ ထွက် သွားကြ၏။
19 ૧૯ મૂસાએ યૂસફનાં અસ્થિ સાથે લઈ લીધાં હતાં. કેમ કે યૂસફે ઇઝરાયલપુત્રોને સોગન દઈને કહ્યું હતું કે, “યહોવાહ જરૂર તમારી મદદે આવશે, તમને અહીંથી છોડાવશે. ત્યારે તમે વિદાય થાઓ તે વખતે તમે મારાં અસ્થિ અહીંથી લઈ જજો.”
၁၉အထက်ကာလ၌ ယောသပ်က၊ အကယ်စင်စစ်ဘုရား သခင်သည် သင် တို့ကို အကြည့်အရှု ကြွလာ တော်မူမည်။ ကျွန်ုပ် အရိုး တို့ကို ဤ အရပ်မှ ယူ သွားရမည်ဟူ၍ဣသရေလ အမျိုးသား တို့ကို ကျပ်ကျပ်ကျိန်ဆို စေသောကြောင့် ၊ သူ ၏အရိုး တို့ကို မောရှေ သည် မိမိ ၌ ယူဆောင် လေ၏။
20 ૨૦ પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી પ્રયાણ કરીને અને એથામમાં અરણ્યની સરહદ પર મુકામ કર્યો.
၂၀တဖန် သူတို့သည် သုကုတ် အရပ်မှ ထွက် သွား၍ တော အနား ၊ ဧသံ မြို့၌ စားခန်းချ ကြ၏။
21 ૨૧ દિવસે તેઓને રસ્તો બતાવવા માટે યહોવાહ મેઘસ્તંભમાં તેમ જ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભમાં તેઓની આગળ ચાલતા હતા.
၂၁သူ တို့သည် နေ့ ည သွား နိုင် အောင် ထာဝရဘုရား သည် နေ့ ၌ကား၊ လမ်း ပြ ဘို့ မိုဃ်းတိမ် တိုင် အားဖြင့် ၎င်း ၊ ညဉ့် ၌ကား၊ အလင်း ပေးဘို့ မီး တိုင် အားဖြင့် ၎င်း၊ သူ တို့ရှေ့ က ကြွ တော်မူ၏။
22 ૨૨ દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ તેઓની આગળથી જરા પણ ખસતા ન હતા, યહોવાહ સતત તેઓની સાથે રહેતા હતા.
၂၂နေ့ အချိန်၌ မိုဃ်းတိမ် တိုင် ၊ ညဉ့် အချိန်၌ မီး တိုင် ကို သူ တို့ရှေ့ မှ ရုပ်သိမ်း တော်မ မူ။

< નિર્ગમન 13 >