< નિર્ગમન 12 >
1 ૧ મૂસા અને હારુન જ્યારે મિસરમાં હતા ત્યારે યહોવાહે તેઓને કહ્યું,
၁ထာဝရဘုရား သည် အဲဂုတ္တု ပြည် ၌ မောရှေ နှင့် အာရုန် တို့အား မိန့် တော်မူသည်ကား၊
2 ૨ “તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.”
၂ဤ လ သည် သင် တို့၌ လဦး တည်းဟူသောနှစ် စဉ်တွင် ပဌမ လ ဖြစ်ရမည်။
3 ૩ સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું.
၃သင်တို့သည် ဣသရေလ အမျိုး ပရိသတ် အပေါင်း တို့ကို မှာ ထားရသောစကားဟူမူကား၊ ဤ လ ဆယ် ရက် နေ့၌ သင်တို့ရှိသမျှသည်၊ မိမိအိမ်ထောင် အသီးအသီး အတိုင်း တအိမ်ထောင် လျှင် သိုးသငယ် တကောင်စီ ယူ ရမည်။
4 ૪ અને જો કુટુંબમાં આખું એક હલવાન પૂરેપૂરું ખાઈ શકે તેટલાં માણસો ના હોય તો તેઓએ પોતાના પડોશીઓને નિમંત્રણ આપવું. અને તેઓની તથા કુટુંબની સંખ્યા પ્રમાણે હલવાન લેવું. પુરુષના આહાર પ્રમાણે હલવાન વિષે વિચારીને નક્કી કરવું.”
၄အိမ်ထောင် ငယ် ၍ သိုးသငယ်တကောင်နှင့် မတန်လျှင် ၊ နီးစပ် သော အိမ်နီးချင်း နှင့် စပ်ဘက် ၍ လူ မည်မျှရှိသည်ဟု ရေတွက် ပြီးလျှင်၊ တကောင်ကို စား လောက်သော သူများကိုထောက် ၍ သိုးသငယ် တကောင်ကို ယူရမည်။
5 ૫ પસંદ કરેલ હલવાન ખોડખાંપણ વગરનો પ્રથમ વર્ષનો ઘેટો અથવા બકરો જ હોવો જોઈએ.
၅သိုး သငယ်ဖြစ်စေ ၊ ဆိတ် သငယ်ဖြစ်စေ၊ သင်တို့ယူ သော အကောင်သည် အပြစ် မပါ၊ အခါ မလည်သော အထီး ဖြစ် ရမည်။
6 ૬ તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે.
၆ထိုသိုးသငယ်တို့ကို၊ ထို လ ဆယ် လေး ရက် တိုင်အောင် စောင့် ထားပြီးမှ ၊ ညဦး အချိန်၌ ဣသရေလ အမျိုး အစည်းအဝေး ပရိသတ် အပေါင်း တို့သည် သတ် ရကြမည်။
7 ૭ તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ.
၇သိုးသငယ် ၏အသားကို စား ရသောအိမ် ၏ တံခါးထုပ် နှင့် တံခါးတိုင် နှစ် ဘက်၌ ၊ သိုးသငယ်၏အသွေး ကို ယူ ၍ ထိုး ရမည်။
8 ૮ “તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.”
၈အသား ကို မီး နှင့်ကင် ပြီးမှ ၊ ထို ညဉ့် ခြင်းတွင် တဆေးမပါသောမုန့် ၊ ခါး သော ဟင်းသီးဟင်းရွက်နှင့် စား ရမည်။
9 ૯ એ માંસ કાચું કે પાણીમાં બાફીને ન ખાવું. પગ, માથું અને આંતરડાં સાથે શેકીને ખાવું.
၉အသားစိမ်း သည်ဖြစ်စေ ၊ ရေ နှင့် ပြုတ် သည်ဖြစ်စေမ စား ရ။ ခေါင်း ၊ ခြေထောက် ၊ အသည်း ၊ နှလုံး စသည်တို့နှင့်တကွ ၊ မီး ကင် ပြီးမှစားရမည်။
10 ૧૦ તે રાત્રે જ બધું માંસ ખાઈ લેવું. અને જો એમાંનું કંઈ વધે અને સવાર સુધી રહે તો તેને તમારે આગમાં બાળી મૂકવું.
၁၀နံနက် တိုင်အောင် ထိုအသား ကို မ ကြွင်း စေရ။ အနည်းငယ်ကြွင်း လျှင် မီး နှင့် ရှို့ ရမည်။
11 ૧૧ તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.
၁၁အဘယ်သို့စား ရမည်နည်းဟူမူကား၊ ခါးစည်း ကို စည်း လျက်၊ ခြေနင်း ကို စီး လျက် ၊ တောင်ဝေး ကို ကိုင် လျက် အလျင်အမြန် စား ရမည်။ ထာဝရဘုရား ၏ ပသခါ ဖြစ်သတည်း။
12 ૧૨ “કેમ કે રાત્રે હું મિસરમાં ફરીશ અને આખા મિસર દેશના બધા મનુષ્યના અને પશુઓના પ્રથમજનિતોને મારી નાખીશ. મિસરના બધા દેવોને પણ હું સજા કરીશ. અને હું તેઓને બતાવીશ કે હું યહોવાહ છું.
၁၂အကြောင်းမူကား၊ ယနေ့ညဉ့် တွင် အဲဂုတ္တု ပြည် ကို ငါသည် ထုတ်ချင်းခပ်သွား ၍ ၊ အဲဂုတ္တု ပြည် ၌ ရှိသောလူ တို့၏ သားဦး များနှင့် တိရစ္ဆာန် တို့၏ သားဦးများအပေါင်း တို့ကို ဒဏ်ခတ် ၍ ၊ အဲဂုတ္တု ပြည်၏ ဘုရား တို့ကို တရားစီရင် မည်။ ငါ သည် ထာဝရဘုရား ဖြစ်၏။
13 ૧૩ પરંતુ તમારા ઘર પર છાંટવામાં આવેલું રક્ત એ ચિહ્ન રહેશે જેને હું જોઈશ એટલે તમારા ઘરને ટાળીને હું આગળ જઈશ. મિસરના લોકો પર મરકી આવશે. પણ તમારા ઘરોમાં વિનાશક મરકી આવશે નહિ.
၁၃သိုးသငယ်၏ အသွေး သည် သင် တို့နေရာ အိမ် ၌ သင် တို့၏ လက္ခဏာ သက်သေဖြစ် ၍ ၊ ထို အသွေး ကို ငါမြင် သောအခါ ၊ သင် တို့ကို ငါလွန် သွားမည်။ ထိုသို့ အဲဂုတ္တု ပြည် ကို ငါ သည် ဒဏ်ခတ် သောအခါ ၊ ဖျက်ဆီး ခြင်း ဘေးဥပဒ် သည် သင် တို့ကို မ သင့် မရောက်ရ။
14 ૧૪ તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરજો અને એને યહોવાહના પાસ્ખાપર્વ તરીકે પાળજો. અને નિત્ય નિયમાનુસાર તમારા વંશજોએ પણ યહોવાહના માનમાં તેની ઊજવણી કરવી.”
၁၄ဤ နေ့ရက် သည်လည်း သင် တို့အောက်မေ့ စရာဘို့ ဖြစ် ၍ ၊ သင် တို့၏အမျိုး အစဉ်အဆက်မပြတ် ဤနေ့ရက်၌ ထာဝရဘုရား အား ပွဲခံ ရကြမည်။ ပညတ် တော်ရှိသည်ဖြစ်၍ ၊ ထိုပွဲ ကို အစဉ် အမြဲခံရကြမည်။
15 ૧૫ “આ પવિત્ર પર્વના સાત દિવસો દરમ્યાન તમારે બેખમીરી રોટલી ખાવી. પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર દૂર કરવું. અને જો કોઈ માણસ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇઝરાયલથી જુદો કરવામાં આવે.
၁၅ခုနစ် ရက် ပတ်လုံးတဆေး မပါသောမုန့်ကို စား ရမည်။ ပဌမ နေ့ရက် ၌ တဆေး ကို အိမ် များမှ ပယ် ရမည်။ ပဌမ နေ့ မှစ၍ ခုနစ် ရက် နေ့တိုင်အောင် ၊ တဆေး ပါသောမုန့်ကို စား သောသူ မည်သည်ကား၊ ဣသရေလ အမျိုးမှ ပယ်ရှင်း ခြင်းကိုခံရမည်။
16 ૧૬ આ પવિત્ર પર્વના પ્રથમ દિવસે અને અંતિમ સાતમા દિવસે પવિત્ર મેળાવડા ભરવા. એ દિવસો દરમ્યાન બીજું કોઈ કામ કરવું નહિ. માત્ર પ્રત્યેકે જરૂરિયાત મુજબ જમવાનું તૈયાર કરવાનું કામ કરવું.
၁၆ပဌမ နေ့ ၌ ၎င်း ၊ ခုနစ် ရက် နေ့၌ ၎င်း၊ ဓမ္မ စည်းဝေး ခြင်းကို ပြုရမည်။ ထို နေ့ရက်၌ လူ တိုင်း စား ခြင်းကိစ္စနှင့်ဆိုင်သော အလုပ်အဆောင်မှတပါး အခြားသောအလုပ် ကို မ လုပ် မဆောင်ရ။
17 ૧૭ તમારે બેખમીર રોટલીનું પર્વ પાળવું, કારણ કે એ જ દિવસે હું તમારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો હતો. તેથી એ દિવસે તમારા વંશજોએ પરંપરા મુજબ આ વિધિ પાળવો.
၁၇ထိုအဇုမ ပွဲကိုခံရ သောအကြောင်းဟူမူကား၊ထို နေ့ ရက်၌ သင် တို့ဗိုလ်ခြေ များကို၊ အဲဂုတ္တု ပြည် ထဲက ငါနှုတ်ဆောင် သည်ဖြစ်၍ ၊ ထိုအကြောင်းကြောင့် ပညတ် တော်ရှိသည်အတိုင်း၊ သင် တို့၏အမျိုး အစဉ် အဆက်မပြတ်ထို နေ့ရက် ကို အမြဲစောင့် ရကြမည်။
18 ૧૮ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી માંડીને તે માસના એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી.
၁၈ပဌမ လ ဆယ် လေး ရက် နေ့ညဦး မှစ၍နှစ်ဆယ် တ ရက်နေ့ ညဦး တိုင်အောင် ၊ သင်တို့သည် တဆေး မပါသောမုန့်ကို စား ရကြမည်။
19 ૧૯ સાત દિવસ સુધી તમારાં ઘરોમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ માણસ ખમીરવાળી વાનગી ખાશે તો તેનો ઇઝરાયલની જમાતમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે પરદેશી હોય.
၁၉ခုနစ် ရက် ပတ်လုံးသင် တို့အိမ် များ၌ တဆေး မ ရှိ ရ။ တဆေး ပါသောမုန့်ကို စား သောသူ မည်သည်ကား၊ တကျွန်းတနိုင်ငံ သားဖြစ်စေ ၊ ပြည် သား ဖြစ်စေ၊ ဣသရေလ အမျိုး ပရိသတ် မှ ပယ်ရှင်း ခြင်းကိုခံရမည်။
20 ૨૦ ખમીરવાળી કોઈ પણ વાનગી તમારે ખાવી નહિ અને તમારાં બધાં જ ઘરોમાં તમારે ખમીર વગરની રોટલી જ ખાવી.”
၂၀သင် တို့နေရာ အရပ်ရပ် တို့၌ တဆေး ပါသောမုန့်ကို မ စား ရ။ တဆေး မပါသောမုန့်ကိုသာ စား ရမည်ဟု မိန့် တော်မူ၏။
21 ૨૧ તેથી મૂસાએ ઇઝરાયલના બધા જ વડીલોને એક જગ્યાએ બોલાવ્યા. અને તેઓને કહ્યું, “જાઓ, તમારા પરિવાર પ્રમાણે હલવાન લઈ આવો અને પાસ્ખાના એ બલિને કાપો.
၂၁ထိုအခါ မောရှေ သည် ဣသရေလ အမျိုး အသက်ကြီး သူအပေါင်း တို့ကိုခေါ် ၍ ၊ သင် တို့သည် အိမ်ထောင် များ အသီးအသီးကိုယ်စီကိုယ်စီသိုးသငယ် တို့ကို ယူ ၍ ပသခါ ပွဲဘို့ သတ် ကြလော့။
22 ૨૨ પછી ઝુફા ડાળી લઈને તેને હલવાનના રક્તના પાત્રમાં બોળીને ઓતરંગ પર અને બન્ને બારસાખ પર તે પાત્રમાંનું રક્ત લગાડજો. અને સવાર સુધી તમારામાંથી કોઈએ ઘરમાંથી બહાર નીકળવું નહિ.”
၂၂ဟုဿုပ် ပင်ညွန့်တစည်း ကို ယူ ၍ အင်တုံ ၌ ထည့်သော အသွေး ထဲမှာ နှစ် ပြီးလျှင် ၊ တံခါးထုပ် တံခါးတိုင် နှစ် ဘက်တို့ကို ထိုးသုတ် ကြလော့။ ထိုနောက်မှ နံနက် တိုင်အောင် အဘယ်သူမျှ မိမိ အိမ် တံခါး ပြင်သို့ မ ထွက် မသွားရ။
23 ૨૩ કારણ કે મિસરવાસીઓના બધા પ્રથમજનિતોનો સંહાર કરવા યહોવાહ દેશમાં ઘરેઘરે ફરશે. અને તે સમયે તેઓ તમારા ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર રક્ત જોશે એટલે તે તમારું ઘર ટાળીને આગળ જશે. અને મરણના દૂતને તમારા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ.
၂၃အကြောင်းမူကား၊ ထာဝရဘုရား သည် အဲဂုတ္တု လူတို့ကို ဒဏ်ခတ် ခြင်းငှာ ထုတ်ချင်းခတ်သွား တော်မူမည်။ တံခါးထုပ် နှင့် တံခါးတိုင် နှစ် ဘက်၌ ရှိသောအသွေး ကို မြင် သောအခါ ၊ ထာဝရဘုရား သည် တံခါး ကို လွန် သွားတော်မူမည်။ ဖျက်ဆီး သောသူသည် သင်တို့ကို ဒဏ်ခတ် ခြင်းငှာ ၊ အိမ် ထဲ သို့ဝင် ရသောအခွင့် ကိုပေး တော်မ မူ။
24 ૨૪ તમે લોકો આ વિધિને સદા યાદ રાખજો. અને તમે તથા તમારા દીકરાઓ કાયમના વિધિ તરીકે પાળજો.
၂၄သင် တို့နှင့် သင် တို့၏သား များ၌ ပညတ် တော်ရှိသည်ဖြစ်၍၊ ဤ အမှု ကို အစဉ်အမြဲ စောင့် ရကြမည်။
25 ૨૫ વળી યહોવાહે તમને જે દેશ આપવાનું વચન આપેલું છે તે દેશમાં તમે પહોંચો ત્યારે પણ તમારે આ નિયમનું પાલન કરવું.
၂၅ဂတိ တော်ရှိသည်အတိုင်း ၊ ထာဝရဘုရား ပေး တော်မူလတံ့သော ပြည် သို့ သင်တို့သည် ရောက် ကြသောအခါ ဤ ဝတ် ကို ပြု ရမည်။
26 ૨૬ જ્યારે તમને તમારાં સંતાનો તરફથી પૂછવામાં આવે કે, ‘આપણે આ પર્વ શા માટે પાળીએ છીએ?’
၂၆သင် တို့၏ သား မြေးတို့က၊ ဤ ဝတ် ကိုပြု၍ အဘယ်သို့ ဆိုလိုသနည်းဟု မေးမြန်း ကြလျှင် ၊
27 ૨૭ ત્યારે તમે સમજાવજો કે, ‘એ તો યહોવાહના માનમાં પાળવાનો પાસ્ખા યજ્ઞ છે,’ કારણ કે જ્યારે યહોવાહે મિસરવાસીઓનો સંહાર કર્યો, ત્યારે આપણાં ઘરોને તેમણે ઉગારી લીધાં હતાં. ત્યારે આપણા ઇઝરાયલીઓએ મસ્તક નમાવીને ભજન કર્યું હતું.
၂၇ထာဝရဘုရားသည် အဲဂုတ္တု လူတို့ကို ဒဏ်ခတ် ၍ ၊ ငါ တို့အိမ် များကို ချမ်းသာ ပေးတော်မူသောအခါ ၊ အဲဂုတ္တု ပြည်၌ ဣသရေလ အမျိုးသား တို့၏အိမ် များကို လွန် သွားတော်မူသောထာဝရဘုရား ၏ ပသခါ ယဇ် ဖြစ်သတည်းဟု ပြန်ပြော ရကြမည်ဟု မောရှေဆို ပြီးလျှင် ၊ ထိုသူ တို့သည် ဦးညွတ်ချ ၍ ကိုးကွယ် ကြ၏။
28 ૨૮ યહોવાહે જે આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો, તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેનો અમલ કર્યો.
၂၈ထိုသို့ မောရှေ နှင့် အာရုန် တို့ကို ထာဝရဘုရား မှာ ထားတော်မူသည်အတိုင်း ၊ ဣသရေလ အမျိုးသား တို့ သည် ပြု ကြ၏။
29 ૨૯ અને મધ્યરાત્રિએ યહોવાહે મિસર દેશના ફારુનના રાજકુંવર, જે તેના સિંહાસન પર બેસતો હતો, કેદીઓના તથા મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોનો તથા મિસરનાં સર્વ જાનવરોના પ્રથમજનિતોનો સંહાર કર્યો.
၂၉သန်းခေါင် အချိန်၌ ၊ ထာဝရဘုရား သည် နန်း ထိုင် သော ဖာရော ဘုရင်၏ သားဦး မှစ၍ ထောင် ထဲမှာ အချုပ် ခံရသောသူ ၏သားဦး တိုင်အောင် ၊ အဲဂုတ္တု ပြည် ၌ သားဦး ရှိသမျှ ကို၎င်း ၊ တိရစ္ဆာန် တို့၏ သားဦး ရှိသမျှ ကို ၎င်း ဒဏ်ခတ် တော်မူ၏။
30 ૩૦ ત્યારે ફારુન અને તેના બધા જ સરદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠ્યા અને હચમચી ગયા. સમગ્ર મિસરમાં હાહાકાર અને વિલાપ થયો. કેમ કે જે ઘરમાં કોઈ પ્રથમજનિત માર્યો ગયો ના હોય એવું એક પણ ઘર બાકાત ન હતું.
၃၀ထိုညဉ့် တွင်၊ ဖာရော ဘုရင်နှင့် သူ ၏ကျွန် များ၊ အဲဂုတ္တု လူများတို့သည် ထ ကြ၍၊ အသေကောင် ကင်း သောအိမ် တအိမ်မျှ မရှိ သောကြောင့် ၊ အဲဂုတ္တု ပြည်၌ ကြီးစွာ သော ငိုကြွေး ခြင်း ဖြစ် လေ၏။
31 ૩૧ તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને તાકીદે બોલાવ્યા. અને તેઓને કહ્યું, “તમે અને સમગ્ર ઇઝરાયલ લોકો અમારા મિસરી લોકોમાંથી અહીંથી તાત્કાલિક વિદાય થઈ જાઓ. અને તમે જે કહ્યું હતું તે પ્રમાણે જઈને યહોવાહનું ભજન કરો.
၃၁ထိုညဉ့် ခြင်းတွင် မောရှေ နှင့် အာရုန် ကို ခေါ် တော်မူလျှင် ၊ သင် တို့မှစ၍ ဣသရေလ အမျိုးသား တို့၊ ထ ၍ ငါ့ လူ စုထဲက ထွက်သွား ကြလော့။ သင် တို့တောင်း သည်အတိုင်း ထာဝရဘုရား အား သွား ၍ ဝတ်ပြု ကြလော့။
32 ૩૨ અને તમારા કહ્યા પ્રમાણે તમે તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને પણ લઈ જાઓ. અને મને આશીર્વાદ આપો.”
၃၂သင်တို့တောင်း သည်အတိုင်း သိုး နွား များကို ယူ ၍ သွား ကြလော့။ ငါ့ ကိုလည်း ကောင်းကြီး ပေးကြလော့ဟု မိန့် တော်မူ၏။
33 ૩૩ વળી મિસરવાસીઓએ પણ તેઓને જલદીથી આ દેશમાંથી ચાલ્યા જવાનો આગ્રહ કર્યો. અને કહ્યું કે “અમે તો મરી ગયા!”
၃၃အဲဂုတ္တု လူတို့ကလည်း ၊ ငါ တို့ရှိသမျှ သည် အသေကောင် ဖြစ်ကြပြီဟုဆို လျက်၊ ဣသရေလလူ တို့ကို အဲဂုတ္တုပြည် ထဲက အလျင်အမြန် လွှတ် ခြင်းငှာ ကျပ်ကျပ်နှိုးဆော် ကြ၏။
34 ૩૪ ઇઝરાયલીઓ પાસે રોટલીના લોટમાં ખમીર નાખવાનો સમય રહ્યો નહિ તેથી તેઓએ ખમીર મેળવ્યા વિનાનો લોટ જે કથરોટોમાં હતો તેને ચાદરમાં બાંધીને ખભા પર મૂકી દીધી.
၃၄ထိုလူ တို့သည် တဆေး မ ရောသေးသော မုန့်စိမ်း ကိုယူ ၍ မုန့် နယ်သောခွက်တို့ကိုလည်း အဝတ် နှင့်တကွ ထုပ် ၍ ထမ်း ကြ၏။
35 ૩૫ પછી જતાં પૂર્વે ઇઝરાયલીઓએ મૂસાના કહ્યા પ્રમાણે “પોતાના મિસરી પડોશીઓ પાસેથી વસ્ત્રો તથા સોનાચાંદીનાં ઘરેણાં માગી લીધાં.
၃၅မောရှေ စီရင် သည်အတိုင်း ၊ ဣသရေလ အမျိုးသား တို့သည် ငွေ တန်ဆာ ၊ ရွှေ တန်ဆာ ၊ အဝတ် တန်ဆာများကို အဲဂုတ္တု လူတို့၌ တောင်း ကြ၏။
36 ૩૬ યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ પેદા કર્યો, તેથી ઇઝરાયલીઓએ જે જે માગ્યું તે તેઓએ તેઓને આપ્યું. આમ તેઓને મિસરીઓની સંપત્તિ પ્રાપ્ત થઈ.”
၃၆တောင်း သည်အတိုင်းလည်း၊ ပေးချင်သောစေတနာ စိတ်ကို အဲဂုတ္တု လူတို့အား ထာဝရဘုရား ပေး တော်မူသဖြင့် ၊ အဲဂုတ္တု လူတို့၏ ဥစ္စာများကို လုယူ ကြ၏။
37 ૩૭ ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં.
၃၇ဣသရေလ အမျိုးသား မိန်းမနှင့် သူငယ် ကို မ ဆိုဘဲ၊ ယောက်ျား အရေအတွက်အားဖြင့်ခြောက် သိန်းခန့်မျှ ရှိသောသူတို့သည်၊ ရာမသက် မြို့မှ ထွက်၍ သုကုတ် အရပ်သို့ ခရီးသွား ကြ၏။
38 ૩૮ અન્ય જાતના લોકો પણ મોટી સંખ્યામાં તેઓની સાથે હતા. વળી પુષ્કળ ઘેટાંબકરાં અને અન્ય જાનવરો પણ હતાં.
၃၈အမျိုးမျိုးသော လူ အများ တို့သည်လည်း ၊ သိုး နွား အစရှိသော များစွာ သောတိရစ္ဆာန် တို့နှင့်တကွ လိုက် ကြ၏။
39 ૩૯ મિસરમાંથી પ્રયાણ કરતી વખતે લોટમાં ખમીર નાખવાનો સમય ન હોવાથી મિસરથી લોટની જે કણક તેઓ સાથે લાવ્યા હતા તેની બેખમીરી રોટલી બનાવી. તેઓને મિસરમાંથી ઝટપટ વિદાય થઈ જવાનું થયેલું હોવાથી તેઓથી ભાથું તૈયાર કરી શકાયું ન હતું.
၃၉တဆေး မ ရောဘဲ အဲဂုတ္တု ပြည်မှ ဆောင် ခဲ့သော မုန့်စိမ်း ကိုယူ၍၊ တဆေး မပါသောမုန့် ကို ဖုတ် ရကြ၏။ အကြောင်း မူကား၊ အဲဂုတ္တု ပြည်၌ မနွှဲမဖင့် အနှင် ခံရသောကြောင့် ၊ ကိုယ် စားစရာ ကို မ ပြင် ကြ။
40 ૪૦ ઇઝરાયલી લોકો મિસરમાં ચારસો ત્રીસ વર્ષ સુધી રહ્યા હતા.
၄၀ဣသရေလ အမျိုးသား တို့သည် အဲဂုတ္တု ပြည်၌ ဧည့်သည်ဖြစ်၍၊ တည် နေကြသော ကာလ နှစ် ပေါင်း လေး ရာ သုံးဆယ် ဖြစ်သတည်း။
41 ૪૧ અને ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં તે જ દિવસે યહોવાહના આ લોકોનાં તમામ કુળો મિસરમાંથી વિદાય થયાં.
၄၁အနှစ် လေး ရာ သုံးဆယ် စေ့ သောနေ့ ခြင်းတွင် ၊ ထာဝရဘုရား ၏ ဗိုလ်ခြေ အပေါင်း တို့သည်၊ အဲဂုတ္တု ပြည် မှ ထွက် သွားကြ၏။
42 ૪૨ આ એક બહુ જ ખાસ રાતને લોકોએ યાદ રાખવી કે મિસર દેશમાંથી યહોવાહ તેઓને બહાર લાવ્યા તે કારણે તે રાત તેમના માનાર્થે ઇઝરાયલના સર્વ લોકોએ વંશપરંપરાગત તેને એક રાત તરીકે ઊજવવાની છે.”
၄၂အဲဂုတ္တု ပြည် မှ နှုတ် ဆောင်တော်မူသောအတွက်ကြောင့်၊ ထို နေ့ညဉ့် ကို အထူးသဖြင့်ထာဝရဘုရား ၌ စောင့် စရာကောင်း၏။ ဣသရေလ အမျိုးသား တို့၏ အမျိုး အစဉ် အဆက်မပြတ်စောင့် ရသောထာဝရဘုရား ၏ ညဉ့်ကား၊ ဤ သည် ညဉ့် ပေတည်း။
43 ૪૩ પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, “આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ બિનઇઝરાયલી વિદેશી પાસ્ખા ખાય નહિ.
၄၃ပသခါ ပွဲတရား ဟူမူကား ၊ တပါး အမျိုးသားမ စား ရ။
44 ૪૪ પરંતુ ઇઝરાયલી વ્યક્તિએ મૂલ્ય ચૂકવીને ખરીદેલ અને સુન્નત કરેલ હશે તે પાસ્ખા ખાઈ શકશે.”
၄၄သို့ရာတွင် ငွေ နှင့် ဝယ် သော ကျွန် သည် အရေဖျား လှီးမင်္ဂလာကို ခံပြီးလျှင် စား ရ၏။
45 ૪૫ પરંતુ પરદેશમાંથી આવીને અહીં વસેલો કોઈ માણસ, પગારીદાર નોકર અથવા મજૂર તે ખાઈ શકે નહિ.
၄၅တကျွန်း တနိုင်ငံသားဖြစ်စေ ၊ အခစား သောကျွန်ဖြစ်စေ၊ မ စား ရ။
46 ૪૬ “દરેક પરિવારે પાસ્ખાનું આ ભોજન પોતાના ઘરમાં જ કરવાનું છે. તેમાંનું જરાય માંસ બહાર લઈ જવું નહિ. તમારે હલવાનનું એકેય હાડકું ભાગવું નહિ.”
၄၆တအိမ် တည်း၌ တကောင်ကိုစား ရ၏။ အသား ကို အိမ် ပြင် သို့ ယူ မ သွားရ။ အရိုး ကိုလည်း မ ချိုး ရ။
47 ૪૭ સમગ્ર ઇઝરાયલી લોક આ પર્વને અવશ્ય પાળે અને ઊજવે.
၄၇ဣသရေလ အမျိုးသားပရိသတ် အပေါင်း တို့သည် ထိုပွဲ ကို ခံရကြမည်။
48 ૪૮ પણ કોઈ વિદેશી તમારી સાથે રહેતો હોય, તે જો યહોવાહનું પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે અને તેના ઘરના બધા પુરુષો સુન્નત કરાવે ત્યારપછી તે પાસ્ખાપર્વ પાળી શકે. તેને દેશના વતની જેવો માનવામાં આવે. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માણસે તે ખાવું નહિ.
၄၈သင် တို့ထံမှာ တည်းခို သော တပါး အမျိုးသားသည် ထာဝရဘုရား အဘို့ ပသခါပွဲ ကို ခံခြင်းငှာအလို ရှိလျှင် ၊ သူ ၌ ရှိသောယောက်ျား အပေါင်း တို့သည် အရေဖျား လှီးမင်္ဂလာကို ခံကြစေ။ သို့ပြီးမှ ထိုသူသည် ပြည် သား ကဲ့သို့ ဖြစ် သောကြောင့်၊ ချဉ်း၍ ထိုပွဲ သို့ ဝင် စေ။ အရေဖျား လှီးမင်္ဂလာကို မခံသောသူမည်သည်ကား၊ ထိုပွဲ၌ ဝင်၍ မ စား ရ။
49 ૪૯ “દેશમાં વતનીઓ માટે અને તમારી સાથેના પ્રવાસી પરદેશીઓ માટેના નિયમો એક સરખા જ હોય.”
၄၉အမျိုးသား ချင်းဖြစ်သောသူ၊ သင် တို့တွင် တည်းခို သော တပါး အမျိုးသားဖြစ်သောသူတို့သည်၊ တပါး တည်းသောတရား နှင့် ဆိုင် ကြ၏ဟု ထာဝရဘုရား သည် မောရှေ နှင့် အာရုန် ၌ ပညတ် ထားတော်မူ၏။
50 ૫૦ ઇઝરાયલના બધા લોકોએ એમ જ કર્યુ. યહોવાહે મૂસાને અને હારુનને આજ્ઞા કરી હતી તે પ્રમાણે તેઓએ કર્યું.
၅၀ထိုသို့ မောရှေ နှင့် အာရုန် ၌ ထာဝရဘုရား ပညတ် ထားတော်မူသည်အတိုင်း ၊ ဣသရေလ အမျိုးသား အပေါင်း တို့သည် ပြု ကြ၏။
51 ૫૧ તે જ દિવસે યહોવાહ ઇઝરાયલી લોકોને તેઓનાં કુળો સહિત મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા.
၅၁ထို နေ့ ခြင်းတွင် ထာဝရဘုရား သည်၊ ဣသရေလ အမျိုးသား ဗိုလ်ခြေ တို့ကို အဲဂုတ္တု ပြည် မှ ဆောင်သွား တော်မူပြီးလျှင်၊