< પ્રેરિતોનાં કૃત્યો 5 >

1 પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી.
ததா³ அநாநியநாமக ஏகோ ஜநோ யஸ்ய பா⁴ர்ய்யாயா நாம ஸபீ²ரா ஸ ஸ்வாதி⁴காரம்’ விக்ரீய
2 સાફીરાની સંમતિથી અનાન્યાએ તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે પણ રાખ્યું; અને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો.
ஸ்வபா⁴ர்ய்யாம்’ ஜ்ஞாபயித்வா தந்மூல்யஸ்யைகாம்’ஸ²ம்’ ஸங்கோ³ப்ய ஸ்தா²பயித்வா தத³ந்யாம்’ஸ²மாத்ரமாநீய ப்ரேரிதாநாம்’ சரணேஷு ஸமர்பிதவாந்|
3 પણ પિતરે કહ્યું કે, ‘ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનનાં મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?
தஸ்மாத் பிதரோகத²யத் ஹே அநாநிய பூ⁴மே ர்மூல்யம்’ கிஞ்சித் ஸங்கோ³ப்ய ஸ்தா²பயிதும்’ பவித்ரஸ்யாத்மந​: ஸந்நிதௌ⁴ ம்ரு’ஷாவாக்யம்’ கத²யிதுஞ்ச ஸை²தாந் குதஸ்தவாந்த​: கரணே ப்ரவ்ரு’த்திமஜநயத்?
4 તે જમીન તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? તેં પોતાના મનમાં આવો વિચાર કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.’
ஸா பூ⁴மி ர்யதா³ தவ ஹஸ்தக³தா ததா³ கிம்’ தவ ஸ்வீயா நாஸீத்? தர்ஹி ஸ்வாந்த​: கரணே குத ஏதாத்³ரு’ஸீ² குகல்பநா த்வயா க்ரு’தா? த்வம்’ கேவலமநுஷ்யஸ்ய நிகடே ம்ரு’ஷாவாக்யம்’ நாவாதீ³​: கிந்த்வீஸ்²வரஸ்ய நிகடே(அ)பி|
5 એ વાતો સાંભળતાં જ અનાન્યાએ પડીને પોતાનો પ્રાણ છોડ્યો, અને જેઓએ એ વાત સાંભળી તે સર્વને ઘણી બીક લાગી.
ஏதாம்’ கதா²ம்’ ஸ்²ருத்வைவ ஸோ(அ)நாநியோ பூ⁴மௌ பதந் ப்ராணாந் அத்யஜத், தத்³வ்ரு’த்தாந்தம்’ யாவந்தோ லோகா அஸ்²ரு’ண்வந் தேஷாம்’ ஸர்வ்வேஷாம்’ மஹாப⁴யம் அஜாயத்|
6 પછી જુવાનોએ ઊઠીને તેને વસ્ત્રમાં વીંટાળ્યો, અને બહાર લઈ જઈને દફનાવ્યો.
ததா³ யுவலோகாஸ்தம்’ வஸ்த்ரேணாச்சா²த்³ய ப³ஹி ர்நீத்வா ஸ்²மஸா²நே(அ)ஸ்தா²பயந்|
7 ત્રણેક કલાક પછી તેની પત્ની અંદર આવી, જે થયું હતું તેની તેને ખબર નહોતી.
தத​: ப்ரஹரைகாநந்தரம்’ கிம்’ வ்ரு’த்தம்’ தந்நாவக³த்ய தஸ்ய பா⁴ர்ய்யாபி தத்ர ஸமுபஸ்தி²தா|
8 ત્યારે પિતરે સાફીરાને પૂછ્યું કે, મને કહે, તમે શું આટલી જ કિંમતે તે જમીન વેચી? તેણે તેને કહ્યું કે, હા, એટલી જ કિંમતે.
தத​: பிதரஸ்தாம் அப்ரு’ச்ச²த், யுவாப்⁴யாம் ஏதாவந்முத்³ராப்⁴யோ பூ⁴மி ர்விக்ரீதா ந வா? ஏதத்வம்’ வத³; ததா³ ஸா ப்ரத்யவாதீ³த் ஸத்யம் ஏதாவத்³ப்⁴யோ முத்³ராப்⁴ய ஏவ|
9 ત્યારે પિતરે તેને કહ્યું કે, પ્રભુના આત્માનું પરીક્ષણ કરવાને તમે બન્નેએ કેમ સંપ કર્યો છે? જો, તારા પતિને દફનાવનારાંઓ હવે બારણા પાસે આવી પહોંચ્યા છે, અને તેઓ તને પણ લઈ જશે.
தத​: பிதரோகத²யத் யுவாம்’ கத²ம்’ பரமேஸ்²வரஸ்யாத்மாநம்’ பரீக்ஷிதும் ஏகமந்த்ரணாவப⁴வதாம்’? பஸ்²ய யே தவ பதிம்’ ஸ்²மஸா²நே ஸ்தா²பிதவந்தஸ்தே த்³வாரஸ்ய ஸமீபே ஸமுபதிஷ்ட²ந்தி த்வாமபி ப³ஹிர்நேஷ்யந்தி|
10 ૧૦ તત્કાળ સાફીરાએ તેમના પગ પાસે પડીને પોતાનો પ્રાણ છોડ્યો; પછી તે જુવાનોએ આવીને તેને મરણ પામેલી જોઈ, અને બહાર લઈ જઈને તેને તેના પતિની કબર પાસે દફનાવી.
தத​: ஸாபி தஸ்ய சரணஸந்நிதௌ⁴ பதித்வா ப்ராணாந் அத்யாக்ஷீத்| பஸ்²சாத் தே யுவாநோ(அ)ப்⁴யந்தரம் ஆக³த்ய தாமபி ம்ரு’தாம்’ த்³ரு’ஷ்ட்வா ப³ஹி ர்நீத்வா தஸ்யா​: பத்யு​: பார்ஸ்²வே ஸ்²மஸா²நே ஸ்தா²பிதவந்த​: |
11 ૧૧ આથી આખા વિશ્વાસી સમુદાયને તથા જે લોકોએ એ વાતો સાંભળી તે સર્વને ઘણો ડર લાગ્યો.
தஸ்மாத் மண்ட³ல்யா​: ஸர்வ்வே லோகா அந்யலோகாஸ்²ச தாம்’ வார்த்தாம்’ ஸ்²ருத்வா ஸாத்⁴வஸம்’ க³தா​: |
12 ૧૨ પ્રેરિતોની હસ્તક લોકોમાં ઘણાં ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થયાં. તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પરસાળમાં નિયમિત મળતા હતા;
தத​: பரம்’ ப்ரேரிதாநாம்’ ஹஸ்தை ர்லோகாநாம்’ மத்⁴யே ப³ஹ்வாஸ்²சர்ய்யாண்யத்³பு⁴தாநி கர்ம்மாண்யக்ரியந்த; ததா³ ஸி²ஷ்யா​: ஸர்வ்வ ஏகசித்தீபூ⁴ய ஸுலேமாநோ (அ)லிந்தே³ ஸம்பூ⁴யாஸந்|
13 ૧૩ પણ બીજાઓમાંથી કોઈને તેઓની સાથે મળી જવાની હિંમત થતી ન હતી; તોપણ લોકો તેઓને માન આપતા.
தேஷாம்’ ஸங்கா⁴ந்தர்கோ³ ப⁴விதும்’ கோபி ப்ரக³ல்ப⁴தாம்’ நாக³மத் கிந்து லோகாஸ்தாந் ஸமாத்³ரியந்த|
14 ૧૪ અને પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ, વધારે પ્રમાણમાં ઉમેરાતાં ગયા;
ஸ்த்ரிய​: புருஷாஸ்²ச ப³ஹவோ லோகா விஸ்²வாஸ்ய ப்ரபு⁴ம்’ ஸ²ரணமாபந்நா​: |
15 ૧૫ એટલે સુધી કે તેઓએ માંદાઓને લાવીને પથારીઓ તથા ખાટલાઓ પર સુવાડ્યાં, જેથી પિતર પાસે થઈને જાય તો તેનો પડછાયો પણ તેઓમાંના કોઈનાં ઉપર પડે.
பிதரஸ்ய க³மநாக³மநாப்⁴யாம்’ கேநாபி ப்ரகாரேண தஸ்ய சா²யா கஸ்மிம்’ஸ்²சிஜ்ஜநே லகி³ஷ்யதீத்யாஸ²யா லோகா ரோகி³ண​: ஸி²விகயா க²ட்வயா சாநீய பதி² பதி² ஸ்தா²பிதவந்த​: |
16 ૧૬ વળી યરુશાલેમની આસપાસનાં શહેરોમાંના ઘણાં લોક બીમારોને તથા અશુદ્ધ આત્માઓથી પીડાતાંઓને લઈને ત્યાં આવતા હતા, અને તેઓ બધાને સાજાં કરવામાં આવતાં હતાં.
சதுர்தி³க்ஸ்த²நக³ரேப்⁴யோ ப³ஹவோ லோகா​: ஸம்பூ⁴ய ரோகி³ணோ(அ)பவித்ரபு⁴தக்³ரஸ்தாம்’ஸ்²ச யிரூஸா²லமம் ஆநயந் தத​: ஸர்வ்வே ஸ்வஸ்தா² அக்ரியந்த|
17 ૧૭ પણ પ્રમુખ યાજક તથા તેના સઘળા સાથીઓ જેઓ સદૂકી પંથના હતા, તેઓને ખૂબ ઈર્ષા આવી,
அநந்தரம்’ மஹாயாஜக​: ஸிதூ³கிநாம்’ மதக்³ராஹிணஸ்தேஷாம்’ ஸஹசராஸ்²ச
18 ૧૮ અને પ્રેરિતોને પકડીને તેઓએ તેમને જેલમાં પૂર્યા.
மஹாக்ரோதா⁴ந்த்விதா​: ஸந்த​: ப்ரேரிதாந் த்⁴ரு’த்வா நீசலோகாநாம்’ காராயாம்’ ப³த்³த்⁴வா ஸ்தா²பிதவந்த​: |
19 ૧૯ પણ રાત્રે પ્રભુના સ્વર્ગદૂતે જેલના બારણાં ઉઘાડ્યાં, અને તેઓને બહાર લાવીને કહ્યું કે,
கிந்து ராத்ரௌ பரமேஸ்²வரஸ்ய தூ³த​: காராயா த்³வாரம்’ மோசயித்வா தாந் ப³ஹிராநீயாகத²யத்,
20 ૨૦ તમે જાઓ, અને ભક્તિસ્થાનમાં ઊભા રહીને એ જીવન વિષેની બધી વાતો લોકોને સંભળાવો.
யூயம்’ க³த்வா மந்தி³ரே த³ண்டா³யமாநா​: ஸந்தோ லோகாந் ப்ரதீமாம்’ ஜீவநதா³யிகாம்’ ஸர்வ்வாம்’ கதா²ம்’ ப்ரசாரயத|
21 ૨૧ એ સાંભળીને પિતર તથા યોહાને વહેલી સવારે ભક્તિસ્થાનમાં જઈને પ્રવચન કર્યું. પણ પ્રમુખ યાજક તથા તેના સાથીઓએ આવીને સભા બોલાવી ભક્તિસ્થાનમાં ઇઝરાયલી લોકોના વડીલોને એકઠા કર્યા અને પિતર તથા યોહાનને લાવવાને માટે જેલમાં માણસ મોકલ્યા.
இதி ஸ்²ருத்வா தே ப்ரத்யூஷே மந்தி³ர உபஸ்தா²ய உபதி³ஷ்டவந்த​: | ததா³ ஸஹசரக³ணேந ஸஹிதோ மஹாயாஜக ஆக³த்ய மந்த்ரிக³ணம் இஸ்ராயேல்வம்’ஸ²ஸ்ய ஸர்வ்வாந் ராஜஸபா⁴ஸத³​: ஸபா⁴ஸ்தா²ந் க்ரு’த்வா காராயாஸ்தாந் ஆபயிதும்’ பதா³திக³ணம்’ ப்ரேரிதவாந்|
22 ૨૨ પણ સિપાઈઓ ત્યાં ગયા ત્યારે તેઓ તેમને જેલમાં મળ્યા નહિ; તેઓએ પાછા આવીને ખબર આપી કે,
ததஸ்தே க³த்வா காராயாம்’ தாந் அப்ராப்ய ப்ரத்யாக³த்ய இதி வார்த்தாம் அவாதி³ஷு​: ,
23 ૨૩ અમે જેલના દરવાજાને સારી રીતે બંધ કરેલ તથા ચોકીદારોને દરવાજા આગળ ઊભા રહેલા જોયા; પણ અમે દરવાજો ઉઘાડ્યો ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યા નહિ.
வயம்’ தத்ர க³த்வா நிர்வ்விக்⁴நம்’ காராயா த்³வாரம்’ ருத்³த⁴ம்’ ரக்ஷகாம்’ஸ்²ச த்³வாரஸ்ய ப³ஹிர்த³ண்டா³யமாநாந் அத³ர்ஸா²ம ஏவ கிந்து த்³வாரம்’ மோசயித்வா தந்மத்⁴யே கமபி த்³ரஷ்டும்’ ந ப்ராப்தா​: |
24 ૨૪ હવે જ્યારે ભક્તિસ્થાનના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણ પામ્યા કે, આનું શું પરિણામ આવશે?
ஏதாம்’ கதா²ம்’ ஸ்²ருத்வா மஹாயாஜகோ மந்தி³ரஸ்ய ஸேநாபதி​: ப்ரதா⁴நயாஜகாஸ்²ச, இத பரம்’ கிமபரம்’ ப⁴விஷ்யதீதி சிந்தயித்வா ஸந்தி³க்³த⁴சித்தா அப⁴வந்|
25 ૨૫ એટલામાં એક વ્યક્તિએ આવી તેઓને ખબર આપી કે, જુઓ, જે માણસોને તમે જેલમાં પૂર્યા હતા, તેઓ તો ભક્તિસ્થાનમાં ઊભા રહીને લોકોને ઉપદેશ આપે છે.
ஏதஸ்மிந்நேவ ஸமயே கஸ்²சித் ஜந ஆக³த்ய வார்த்தாமேதாம் அவத³த் பஸ்²யத யூயம்’ யாந் மாநவாந் காராயாம் அஸ்தா²பயத தே மந்தி³ரே திஷ்ட²ந்தோ லோகாந் உபதி³ஸ²ந்தி|
26 ૨૬ ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો; કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, કદાચ તેઓ અમને પથ્થરે મારે.
ததா³ மந்தி³ரஸ்ய ஸேநாபதி​: பதா³தயஸ்²ச தத்ர க³த்வா சேல்லோகா​: பாஷாணாந் நிக்ஷிப்யாஸ்மாந் மாரயந்தீதி பி⁴யா விநத்யாசாரம்’ தாந் ஆநயந்|
27 ૨૭ તેઓએ તેઓને લાવીને સભા આગળ હાજર કર્યા, અને પ્રમુખ યાજકે તેઓને પૂછ્યું કે,
தே மஹாஸபா⁴யா மத்⁴யே தாந் அஸ்தா²பயந் தத​: பரம்’ மஹாயாஜகஸ்தாந் அப்ரு’ச்ச²த்,
28 ૨૮ “અમે તમને સખત મના કરી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ; પણ જુઓ, તમે તો તમારા પ્રવચનથી યરુશાલેમને ગજવી મૂક્યું છે, એ માણસનું રક્ત પાડવાનો દોષ તમે અમારા પર મૂકવા માગો છો.”
அநேந நாம்நா ஸமுபதே³ஷ்டும்’ வயம்’ கிம்’ த்³ரு’ட⁴ம்’ ந ந்யஷேதா⁴ம? ததா²பி பஸ்²யத யூயம்’ ஸ்வேஷாம்’ தேநோபதே³ஸே²நே யிரூஸா²லமம்’ பரிபூர்ணம்’ க்ரு’த்வா தஸ்ய ஜநஸ்ய ரக்தபாதஜநிதாபராத⁴ம் அஸ்மாந் ப்ரத்யாநேதும்’ சேஷ்டத்⁴வே|
29 ૨૯ પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે, માણસોના કરતાં અમારે ઈશ્વરનું વધારે માનવું જોઈએ.
தத​: பிதரோந்யப்ரேரிதாஸ்²ச ப்ரத்யவத³ந் மாநுஷஸ்யாஜ்ஞாக்³ரஹணாத்³ ஈஸ்²வரஸ்யாஜ்ஞாக்³ரஹணம் அஸ்மாகமுசிதம்|
30 ૩૦ જે ઈસુને તમે વધસ્તંભ પર જડીને મારી નાખ્યા, તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે ઉઠાડ્યાં છે.
யம்’ யீஸு²ம்’ யூயம்’ க்ருஸே² வேதி⁴த்வாஹத தம் அஸ்மாகம்’ பைத்ரு’க ஈஸ்²வர உத்தா²ப்ய
31 ૩૧ તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા ઉદ્ધારક થવાને ઊંચા કર્યા છે, કે તેઓ ઇઝરાયલને પશ્ચાતાપ કરાવે તથા તેઓને પાપની માફી આપે.
இஸ்ராயேல்வம்’ஸா²நாம்’ மந​: பரிவர்த்தநம்’ பாபக்ஷமாஞ்ச கர்த்தும்’ ராஜாநம்’ பரித்ராதாரஞ்ச க்ரு’த்வா ஸ்வத³க்ஷிணபார்ஸ்²வே தஸ்யாந்நதிம் அகரோத்|
32 ૩૨ અમે એ વાતોના સાક્ષી છીએ, અને ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યા છે તેઓ પણ સાક્ષી છે.
ஏதஸ்மிந் வயமபி ஸாக்ஷிண ஆஸ்மஹே, தத் கேவலம்’ நஹி, ஈஸ்²வர ஆஜ்ஞாக்³ராஹிப்⁴யோ யம்’ பவித்ரம் ஆத்மநம்’ த³த்தவாந் ஸோபி ஸாக்ஷ்யஸ்தி|
33 ૩૩ આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓએ તેમને મારી નાખવાનો નિર્ણય કર્યો.
ஏதத்³வாக்யே ஸ்²ருதே தேஷாம்’ ஹ்ரு’த³யாநி வித்³தா⁴ந்யப⁴வந் ததஸ்தே தாந் ஹந்தும்’ மந்த்ரிதவந்த​: |
34 ૩૪ પણ ગમાલીએલ નામે એક ફરોશી ન્યાયશાસ્ત્રી, જેને સર્વ લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે આ વ્યક્તિઓને થોડીવાર સુધી બહાર લઈ જાઓ.
ஏதஸ்மிந்நேவ ஸமயே தத்ஸபா⁴ஸ்தா²நாம்’ ஸர்வ்வலோகாநாம்’ மத்⁴யே ஸுக்²யாதோ க³மிலீயேல்நாமக ஏகோ ஜநோ வ்யவஸ்தா²பக​: பி²ரூஸி²லோக உத்தா²ய ப்ரேரிதாந் க்ஷணார்த²ம்’ ஸ்தா²நாந்தரம்’ க³ந்தும் ஆதி³ஸ்²ய கதி²தவாந்,
35 ૩૫ પછી તેણે તેઓને કહ્યું કે, ઓ ઇઝરાયલી માણસો, આ લોકોને તમે જે કરવા ઇચ્છો છો તે વિષે સાવચેત રહો.
ஹே இஸ்ராயேல்வம்’ஸீ²யா​: ஸர்வ்வே யூயம் ஏதாந் மாநுஷாந் ப்ரதி யத் கர்த்தும் உத்³யதாஸ்தஸ்மிந் ஸாவதா⁴நா ப⁴வத|
36 ૩૬ કેમ કે કેટલાક સમય પહેલાં થ્યુદાએ બળવો કરીને કહ્યું કે, હું એક મહાન વ્યક્તિ છું; તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યા ગયા, અને જેટલાંએ તેનું માન્યું તેઓ સર્વ નાશ પામ્યા.
இத​: பூர்வ்வம்’ தூ²தா³நாமைகோ ஜந உபஸ்தா²ய ஸ்வம்’ கமபி மஹாபுருஷம் அவத³த், தத​: ப்ராயேண சது​: ஸ²தலோகாஸ்தஸ்ய மதக்³ராஹிணோப⁴வந் பஸ்²சாத் ஸ ஹதோப⁴வத் தஸ்யாஜ்ஞாக்³ராஹிணோ யாவந்தோ லோகாஸ்தே ஸர்வ்வே விர்கீர்ணா​: ஸந்தோ (அ)க்ரு’தகார்ய்யா அப⁴வந்|
37 ૩૭ એના પછી વસ્તી ગણતરીના સમયે ગાલીલના યહૂદાએ બળવો કરીને ઘણાં લોકોને પોતાની પાછળ ખેંચ્યા; તે પણ નાશ પામ્યો, અને જેટલાં લોકોએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ ગયા.
தஸ்மாஜ்ஜநாத் பரம்’ நாமலேக²நஸமயே கா³லீலீயயிஹூதா³நாமைகோ ஜந உபஸ்தா²ய ப³ஹூல்லோகாந் ஸ்வமதம்’ க்³ராஹீதவாந் தத​: ஸோபி வ்யநஸ்²யத் தஸ்யாஜ்ஞாக்³ராஹிணோ யாவந்தோ லோகா ஆஸந் தே ஸர்வ்வே விகீர்ணா அப⁴வந்|
38 ૩૮ હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેઓને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઊથલી પડશે;
அது⁴நா வதா³மி, யூயம் ஏதாந் மநுஷ்யாந் ப்ரதி கிமபி ந க்ரு’த்வா க்ஷாந்தா ப⁴வத, யத ஏஷ ஸங்கல்ப ஏதத் கர்ம்ம ச யதி³ மநுஷ்யாத³ப⁴வத் தர்ஹி விப²லம்’ ப⁴விஷ்யதி|
39 ૩૯ પણ જો ઈશ્વરથી હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ; નહિ તો કદાચ તમે ઈશ્વરની સામે પણ લડનારા જણાશો.
யதீ³ஸ்²வராத³ப⁴வத் தர்ஹி யூயம்’ தஸ்யாந்யதா² கர்த்தும்’ ந ஸ²க்ஷ்யத², வரம் ஈஸ்²வரரோத⁴கா ப⁴விஷ்யத²|
40 ૪૦ તેઓએ તેમનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધાં.
ததா³ தஸ்ய மந்த்ரணாம்’ ஸ்வீக்ரு’த்ய தே ப்ரேரிதாந் ஆஹூய ப்ரஹ்ரு’த்ய யீஸோ² ர்நாம்நா காமபி கதா²ம்’ கத²யிதும்’ நிஷித்⁴ய வ்யஸர்ஜந்|
41 ૪૧ તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા.
கிந்து தஸ்ய நாமார்த²ம்’ வயம்’ லஜ்ஜாபோ⁴க³ஸ்ய யோக்³யத்வேந க³ணிதா இத்யத்ர தே ஸாநந்தா³​: ஸந்த​: ஸபா⁴ஸ்தா²நாம்’ ஸாக்ஷாத்³ அக³ச்ச²ந்|
42 ૪૨ પણ તેઓએ નિત્ય ભક્તિસ્થાનમાં તથા ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.
தத​: பரம்’ ப்ரதிதி³நம்’ மந்தி³ரே க்³ரு’ஹே க்³ரு’ஹே சாவிஸ்²ராமம் உபதி³ஸ்²ய யீஸு²க்²ரீஷ்டஸ்ய ஸுஸம்’வாத³ம்’ ப்ரசாரிதவந்த​: |

< પ્રેરિતોનાં કૃત્યો 5 >