< પ્રેરિતોનાં કૃત્યો 26 >

1 આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે
തത ആഗ്രിപ്പഃ പൗലമ് അവാദീത്, നിജാം കഥാം കഥയിതും തുഭ്യമ് അനുമതി ർദീയതേ| തസ്മാത് പൗലഃ കരം പ്രസാര്യ്യ സ്വസ്മിൻ ഉത്തരമ് അവാദീത്|
2 ઓ આગ્રીપા રાજા, યહૂદીઓ જે સંબંધી મારા પર આરોપ મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું;
ഹേ ആഗ്രിപ്പരാജ യത്കാരണാദഹം യിഹൂദീയൈരപവാദിതോ ഽഭവം തസ്യ വൃത്താന്തമ് അദ്യ ഭവതഃ സാക്ഷാൻ നിവേദയിതുമനുമതോഹമ് ഇദം സ്വീയം പരമം ഭാഗ്യം മന്യേ;
3 વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.
യതോ യിഹൂദീയലോകാനാം മധ്യേ യാ യാ രീതിഃ സൂക്ഷ്മവിചാരാശ്ച സന്തി തേഷു ഭവാൻ വിജ്ഞതമഃ; അതഏവ പ്രാർഥയേ ധൈര്യ്യമവലമ്ബ്യ മമ നിവേദനം ശൃണോതു|
4 બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે.
അഹം യിരൂശാലമ്നഗരേ സ്വദേശീയലോകാനാം മധ്യേ തിഷ്ഠൻ ആ യൗവനകാലാദ് യദ്രൂപമ് ആചരിതവാൻ തദ് യിഹൂദീയലോകാഃ സർവ്വേ വിദന്തി|
5 જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો.
അസ്മാകം സർവ്വേഭ്യഃ ശുദ്ധതമം യത് ഫിരൂശീയമതം തദവലമ്ബീ ഭൂത്വാഹം കാലം യാപിതവാൻ യേ ജനാ ആ ബാല്യകാലാൻ മാം ജാനാന്തി തേ ഏതാദൃശം സാക്ഷ്യം യദി ദദാതി തർഹി ദാതും ശക്നുവന്തി|
6 હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે (વચન) ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;
കിന്തു ഹേ ആഗ്രിപ്പരാജ ഈശ്വരോഽസ്മാകം പൂർവ്വപുരുഷാണാം നികടേ യദ് അങ്ഗീകൃതവാൻ തസ്യ പ്രത്യാശാഹേതോരഹമ് ഇദാനീം വിചാരസ്ഥാനേ ദണ്ഡായമാനോസ്മി|
7 અમારાં બારે કુળો પણ (ઈશ્વરની) સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે (વચન) ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!
തസ്യാങ്ഗീകാരസ്യ ഫലം പ്രാപ്തുമ് അസ്മാകം ദ്വാദശവംശാ ദിവാനിശം മഹായത്നാദ് ഈശ്വരസേവനം കൃത്വാ യാം പ്രത്യാശാം കുർവ്വന്തി തസ്യാഃ പ്രത്യാശായാ ഹേതോരഹം യിഹൂദീയൈരപവാദിതോഽഭവമ്|
8 ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?
ഈശ്വരോ മൃതാൻ ഉത്ഥാപയിഷ്യതീതി വാക്യം യുഷ്മാകം നികടേഽസമ്ഭവം കുതോ ഭവേത്?
9 હું તો (પ્રથમ) મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.
നാസരതീയയീശോ ർനാമ്നോ വിരുദ്ധം നാനാപ്രകാരപ്രതികൂലാചരണമ് ഉചിതമ് ഇത്യഹം മനസി യഥാർഥം വിജ്ഞായ
10 ૧૦ મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.
യിരൂശാലമനഗരേ തദകരവം ഫലതഃ പ്രധാനയാജകസ്യ നികടാത് ക്ഷമതാം പ്രാപ്യ ബഹൂൻ പവിത്രലോകാൻ കാരായാം ബദ്ധവാൻ വിശേഷതസ്തേഷാം ഹനനസമയേ തേഷാം വിരുദ്ധാം നിജാം സമ്മതിം പ്രകാശിതവാൻ|
11 ૧૧ સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.
വാരം വാരം ഭജനഭവനേഷു തേഭ്യോ ദണ്ഡം പ്രദത്തവാൻ ബലാത് തം ധർമ്മം നിന്ദയിതവാംശ്ച പുനശ്ച താൻ പ്രതി മഹാക്രോധാദ് ഉന്മത്തഃ സൻ വിദേശീയനഗരാണി യാവത് താൻ താഡിതവാൻ|
12 ૧૨ એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો.
ഇത്ഥം പ്രധാനയാജകസ്യ സമീപാത് ശക്തിമ് ആജ്ഞാപത്രഞ്ച ലബ്ധ്വാ ദമ്മേഷക്നഗരം ഗതവാൻ|
13 ૧૩ ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.
തദാഹം ഹേ രാജൻ മാർഗമധ്യേ മധ്യാഹ്നകാലേ മമ മദീയസങ്ഗിനാം ലോകാനാഞ്ച ചതസൃഷു ദിക്ഷു ഗഗണാത് പ്രകാശമാനാം ഭാസ്കരതോപി തേജസ്വതീം ദീപ്തിം ദൃഷ്ടവാൻ|
14 ૧૪ ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?’ આરને લાત મારવી તને કઠણ છે.
തസ്മാദ് അസ്മാസു സർവ്വേഷു ഭൂമൗ പതിതേഷു സത്സു ഹേ ശൗല ഹൈ ശൗല കുതോ മാം താഡയസി? കണ്ടകാനാം മുഖേ പാദാഹനനം തവ ദുഃസാധ്യമ് ഇബ്രീയഭാഷയാ ഗദിത ഏതാദൃശ ഏകഃ ശബ്ദോ മയാ ശ്രുതഃ|
15 ૧૫ ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તમે કોણ છો?’ અને પ્રભુએ કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે.’”
തദാഹം പൃഷ്ടവാൻ ഹേ പ്രഭോ കോ ഭവാൻ? തതഃ സ കഥിതവാൻ യം യീശും ത്വം താഡയസി സോഹം,
16 ૧૬ પણ ઊઠ, ઊભો થા, કેમ કે હું તને મારો સેવક ઠરાવું, અને મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે.
കിന്തു സമുത്തിഷ്ഠ ത്വം യദ് ദൃഷ്ടവാൻ ഇതഃ പുനഞ്ച യദ്യത് ത്വാം ദർശയിഷ്യാമി തേഷാം സർവ്വേഷാം കാര്യ്യാണാം ത്വാം സാക്ഷിണം മമ സേവകഞ്ച കർത്തുമ് ദർശനമ് അദാമ്|
17 ૧૭ આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ,
വിശേഷതോ യിഹൂദീയലോകേഭ്യോ ഭിന്നജാതീയേഭ്യശ്ച ത്വാം മനോനീതം കൃത്വാ തേഷാം യഥാ പാപമോചനം ഭവതി
18 ૧૮ કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.’”
യഥാ തേ മയി വിശ്വസ്യ പവിത്രീകൃതാനാം മധ്യേ ഭാഗം പ്രാപ്നുവന്തി തദഭിപ്രായേണ തേഷാം ജ്ഞാനചക്ഷൂംഷി പ്രസന്നാനി കർത്തും തഥാന്ധകാരാദ് ദീപ്തിം പ്രതി ശൈതാനാധികാരാച്ച ഈശ്വരം പ്രതി മതീഃ പരാവർത്തയിതും തേഷാം സമീപം ത്വാം പ്രേഷ്യാമി|
19 ૧૯ તે માટે, ઓ આગ્રીપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો.
ഹേ ആഗ്രിപ്പരാജ ഏതാദൃശം സ്വർഗീയപ്രത്യാദേശം അഗ്രാഹ്യമ് അകൃത്വാഹം
20 ૨૦ પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.
പ്രഥമതോ ദമ്മേഷക്നഗരേ തതോ യിരൂശാലമി സർവ്വസ്മിൻ യിഹൂദീയദേശേ അന്യേഷു ദേശേഷു ച യേന ലോകാ മതിം പരാവർത്ത്യ ഈശ്വരം പ്രതി പരാവർത്തയന്തേ, മനഃപരാവർത്തനയോഗ്യാനി കർമ്മാണി ച കുർവ്വന്തി താദൃശമ് ഉപദേശം പ്രചാരിതവാൻ|
21 ૨૧ એ કારણ માટે યહૂદીઓએ ભક્તિસ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી.
ഏതത്കാരണാദ് യിഹൂദീയാ മധ്യേമന്ദിരം മാം ധൃത്വാ ഹന്തുമ് ഉദ്യതാഃ|
22 ૨૨ પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;
തഥാപി ഖ്രീഷ്ടോ ദുഃഖം ഭുക്ത്വാ സർവ്വേഷാം പൂർവ്വം ശ്മശാനാദ് ഉത്ഥായ നിജദേശീയാനാം ഭിന്നദേശീയാനാഞ്ച സമീപേ ദീപ്തിം പ്രകാശയിഷ്യതി
23 ૨૩ એટલે કે ખ્રિસ્ત (મરણની) વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.
ഭവിഷ്യദ്വാദിഗണോ മൂസാശ്ച ഭാവികാര്യ്യസ്യ യദിദം പ്രമാണമ് അദദുരേതദ് വിനാന്യാം കഥാം ന കഥയിത്വാ ഈശ്വരാദ് അനുഗ്രഹം ലബ്ധ്വാ മഹതാം ക്ഷുദ്രാണാഞ്ച സർവ്വേഷാം സമീപേ പ്രമാണം ദത്ത്വാദ്യ യാവത് തിഷ്ഠാമി|
24 ૨૪ પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, ‘પાઉલ તું પાગલ છે, પુષ્કળ ડહાપણને કારણે તુ પાગલ થઈ ગયો છે.’”
തസ്യമാം കഥാം നിശമ്യ ഫീഷ്ട ഉച്ചൈഃ സ്വരേണ കഥിതവാൻ ഹേ പൗല ത്വമ് ഉന്മത്തോസി ബഹുവിദ്യാഭ്യാസേന ത്വം ഹതജ്ഞാനോ ജാതഃ|
25 ૨૫ પણ પાઉલે કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.
സ ഉക്തവാൻ ഹേ മഹാമഹിമ ഫീഷ്ട നാഹമ് ഉന്മത്തഃ കിന്തു സത്യം വിവേചനീയഞ്ച വാക്യം പ്രസ്തൗമി|
26 ૨૬ કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી.
യസ്യ സാക്ഷാദ് അക്ഷോഭഃ സൻ കഥാം കഥയാമി സ രാജാ തദ്വൃത്താന്തം ജാനാതി തസ്യ സമീപേ കിമപി ഗുപ്തം നേതി മയാ നിശ്ചിതം ബുധ്യതേ യതസ്തദ് വിജനേ ന കൃതം|
27 ૨૭ હે આગ્રીપા રાજા, ‘શું આપ પ્રબોધકો (ની વાતો) પર વિશ્વાસ કરો છો?’ હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.’”
ഹേ ആഗ്രിപ്പരാജ ഭവാൻ കിം ഭവിഷ്യദ്വാദിഗണോക്താനി വാക്യാനി പ്രത്യേതി? ഭവാൻ പ്രത്യേതി തദഹം ജാനാമി|
28 ૨૮ ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’”
തത ആഗ്രിപ്പഃ പൗലമ് അഭിഹിതവാൻ ത്വം പ്രവൃത്തിം ജനയിത്വാ പ്രായേണ മാമപി ഖ്രീഷ്ടീയം കരോഷി|
29 ૨૯ પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’”
തതഃ സോഽവാദീത് ഭവാൻ യേ യേ ലോകാശ്ച മമ കഥാമ് അദ്യ ശൃണ്വന്തി പ്രായേണ ഇതി നഹി കിന്ത്വേതത് ശൃങ്ഖലബന്ധനം വിനാ സർവ്വഥാ തേ സർവ്വേ മാദൃശാ ഭവന്ത്വിതീശ്വസ്യ സമീപേ പ്രാർഥയേഽഹമ്|
30 ૩૦ પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
ഏതസ്യാം കഥായാം കഥിതായാം സ രാജാ സോഽധിപതി ർബർണീകീ സഭാസ്ഥാ ലോകാശ്ച തസ്മാദ് ഉത്ഥായ
31 ૩૧ તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”
ഗോപനേ പരസ്പരം വിവിച്യ കഥിതവന്ത ഏഷ ജനോ ബന്ധനാർഹം പ്രാണഹനനാർഹം വാ കിമപി കർമ്മ നാകരോത്|
32 ૩૨ ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”
തത ആഗ്രിപ്പഃ ഫീഷ്ടമ് അവദത്, യദ്യേഷ മാനുഷഃ കൈസരസ്യ നികടേ വിചാരിതോ ഭവിതും ന പ്രാർഥയിഷ്യത് തർഹി മുക്തോ ഭവിതുമ് അശക്ഷ്യത്|

< પ્રેરિતોનાં કૃત્યો 26 >