< પ્રેરિતોનાં કૃત્યો 23 >

1 ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, ‘હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.’”
সভাসদ্লোকান্ প্রতি পৌলোঽনন্যদৃষ্ট্যা পশ্যন্ অকথযৎ, হে ভ্রাতৃগণা অদ্য যাৱৎ সরলেন সর্ৱ্ৱান্তঃকরণেনেশ্ৱরস্য সাক্ষাদ্ আচরামি|
2 ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર (તમાચો) મારવાની આજ્ઞા કરી.
অনেন হনানীযনামা মহাযাজকস্তং কপোলে চপেটেনাহন্তুং সমীপস্থলোকান্ আদিষ্টৱান্|
3 ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?’
তদা পৌলস্তমৱদৎ, হে বহিষ্পরিষ্কৃত, ঈশ্ৱরস্ত্ৱাং প্রহর্ত্তুম্ উদ্যতোস্তি, যতো ৱ্যৱস্থানুসারেণ ৱিচারযিতুম্ উপৱিশ্য ৱ্যৱস্থাং লঙ্ঘিৎৱা মাং প্রহর্ত্তুম্ আজ্ঞাপযসি|
4 પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, ‘શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?’
ততো নিকটস্থা লোকা অকথযন্, ৎৱং কিম্ ঈশ্ৱরস্য মহাযাজকং নিন্দসি?
5 ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ.
ততঃ পৌলঃ প্রতিভাষিতৱান্ হে ভ্রাতৃগণ মহাযাজক এষ ইতি ন বুদ্ধং মযা তদন্যচ্চ স্ৱলোকানাম্ অধিপতিং প্রতি দুর্ৱ্ৱাক্যং মা কথয, এতাদৃশী লিপিরস্তি|
6 પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’”
অনন্তরং পৌলস্তেষাম্ অর্দ্ধং সিদূকিলোকা অর্দ্ধং ফিরূশিলোকা ইতি দৃষ্ট্ৱা প্রোচ্চৈঃ সভাস্থলোকান্ অৱদৎ হে ভ্রাতৃগণ অহং ফিরূশিমতাৱলম্বী ফিরূশিনঃ সত্নানশ্চ, মৃতলোকানাম্ উত্থানে প্রত্যাশাকরণাদ্ অহমপৱাদিতোস্মি|
7 તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ, અને સભામાં પક્ષ પડયા.
ইতি কথাযাং কথিতাযাং ফিরূশিসিদূকিনোঃ পরস্পরং ভিন্নৱাক্যৎৱাৎ সভাযা মধ্যে দ্ৱৌ সংঘৌ জাতৌ|
8 કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.
যতঃ সিদূকিলোকা উত্থানং স্ৱর্গীযদূতা আত্মানশ্চ সর্ৱ্ৱেষাম্ এতেষাং কমপি ন মন্যন্তে, কিন্তু ফিরূশিনঃ সর্ৱ্ৱম্ অঙ্গীকুর্ৱ্ৱন্তি|
9 ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને (પવિત્ર) આત્માએ અથવા (પ્રભુના) દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?’
ততঃ পরস্পরম্ অতিশযকোলাহলে সমুপস্থিতে ফিরূশিনাং পক্ষীযাঃ সভাস্থা অধ্যাপকাঃ প্রতিপক্ষা উত্তিষ্ঠন্তো ঽকথযন্, এতস্য মানৱস্য কমপি দোষং ন পশ্যামঃ; যদি কশ্চিদ্ আত্মা ৱা কশ্চিদ্ দূত এনং প্রত্যাদিশৎ তর্হি ৱযম্ ঈশ্ৱরস্য প্রাতিকূল্যেন ন যোৎস্যামঃ|
10 ૧૦ તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, ‘જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.’”
১০তস্মাদ্ অতীৱ ভিন্নৱাক্যৎৱে সতি তে পৌলং খণ্ডং খণ্ডং করিষ্যন্তীত্যাশঙ্কযা সহস্রসেনাপতিঃ সেনাগণং তৎস্থানং যাতুং সভাতো বলাৎ পৌলং ধৃৎৱা দুর্গং নেতঞ্চাজ্ঞাপযৎ|
11 ૧૧ તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, ‘હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.’”
১১রাত্রো প্রভুস্তস্য সমীপে তিষ্ঠন্ কথিতৱান্ হে পৌল নির্ভযো ভৱ যথা যিরূশালম্নগরে মযি সাক্ষ্যং দত্তৱান্ তথা রোমানগরেপি ৎৱযা দাতৱ্যম্|
12 ૧૨ દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’”
১২দিনে সমুপস্থিতে সতি কিযন্তো যিহূদীযলোকা একমন্ত্রণাঃ সন্তঃ পৌলং ন হৎৱা ভোজনপানে করিষ্যাম ইতি শপথেন স্ৱান্ অবধ্নন্|
13 ૧૩ આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.
১৩চৎৱারিংশজ্জনেভ্যোঽধিকা লোকা ইতি পণম্ অকুর্ৱ্ৱন্|
14 ૧૪ તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.
১৪তে মহাযাজকানাং প্রাচীনলোকানাঞ্চ সমীপং গৎৱা কথযন্, ৱযং পৌলং ন হৎৱা কিমপি ন ভোক্ষ্যামহে দৃঢেনানেন শপথেন বদ্ধ্ৱা অভৱাম|
15 ૧૫ માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”
১৫অতএৱ সাম্প্রতং সভাসদ্লোকৈঃ সহ ৱযং তস্মিন্ কঞ্চিদ্ ৱিশেষৱিচারং করিষ্যামস্তদর্থং ভৱান্ শ্ৱো ঽস্মাকং সমীপং তম্ আনযৎৱিতি সহস্রসেনাপতযে নিৱেদনং কুরুত তেন যুষ্মাকং সমীপং উপস্থিতেঃ পূর্ৱ্ৱং ৱযং তং হন্তু সজ্জিষ্যাম|
16 ૧૬ પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.
১৬তদা পৌলস্য ভাগিনেযস্তেষামিতি মন্ত্রণাং ৱিজ্ঞায দুর্গং গৎৱা তাং ৱার্ত্তাং পৌলম্ উক্তৱান্|
17 ૧૭ ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
১৭তস্মাৎ পৌল একং শতসেনাপতিম্ আহূয ৱাক্যমিদম্ ভাষিতৱান্ সহস্রসেনাপতেঃ সমীপেঽস্য যুৱমনুষ্যস্য কিঞ্চিন্নিৱেদনম্ আস্তে, তস্মাৎ তৎসৱিধম্ এনং নয|
18 ૧૮ ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”
১৮ততঃ স তমাদায সহস্রসেনাপতেঃ সমীপম্ উপস্থায কথিতৱান্, ভৱতঃ সমীপেঽস্য কিমপি নিৱেদনমাস্তে তস্মাৎ বন্দিঃ পৌলো মামাহূয ভৱতঃ সমীপম্ এনম্ আনেতুং প্রার্থিতৱান্|
19 ૧૯ ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’
১৯তদা সহস্রসেনাপতিস্তস্য হস্তং ধৃৎৱা নির্জনস্থানং নীৎৱা পৃষ্ঠৱান্ তৱ কিং নিৱেদনং? তৎ কথয|
20 ૨૦ તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.
২০ততঃ সোকথযৎ, যিহূদীযলাকাঃ পৌলে কমপি ৱিশেষৱিচারং ছলং কৃৎৱা তং সভাং নেতুং ভৱতঃ সমীপে নিৱেদযিতুং অমন্ত্রযন্|
21 ૨૧ એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.
২১কিন্তু মৱতা তন্ন স্ৱীকর্ত্তৱ্যং যতস্তেষাং মধ্যেৱর্ত্তিনশ্চৎৱারিংশজ্জনেভ্যো ঽধিকলোকা একমন্ত্রণা ভূৎৱা পৌলং ন হৎৱা ভোজনং পানঞ্চ ন করিষ্যাম ইতি শপথেন বদ্ধাঃ সন্তো ঘাতকা ইৱ সজ্জিতা ইদানীং কেৱলং ভৱতো ঽনুমতিম্ অপেক্ষন্তে|
22 ૨૨ ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.
২২যামিমাং কথাং ৎৱং নিৱেদিতৱান্ তাং কস্মৈচিদপি মা কথযেত্যুক্ত্ৱা সহস্রসেনাপতিস্তং যুৱানং ৱিসৃষ্টৱান্|
23 ૨૩ પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;
২৩অনন্তরং সহস্রসেনাপতি র্দ্ৱৌ শতসেনাপতী আহূযেদম্ আদিশৎ, যুৱাং রাত্রৌ প্রহরৈকাৱশিষ্টাযাং সত্যাং কৈসরিযানগরং যাতুং পদাতিসৈন্যানাং দ্ৱে শতে ঘোটকারোহিসৈন্যানাং সপ্ততিং শক্তিধারিসৈন্যানাং দ্ৱে শতে চ জনান্ সজ্জিতান্ কুরুতং|
24 ૨૪ અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’”
২৪পৌলম্ আরোহযিতুং ফীলিক্ষাধিপতেঃ সমীপং নির্ৱ্ৱিঘ্নং নেতুঞ্চ ৱাহনানি সমুপস্থাপযতং|
25 ૨૫ તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે,
২৫অপরং স পত্রং লিখিৎৱা দত্তৱান্ তল্লিখিতমেতৎ,
26 ૨૬ ‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ.
২৬মহামহিমশ্রীযুক্তফীলিক্ষাধিপতযে ক্লৌদিযলুষিযস্য নমস্কারঃ|
27 ૨૭ આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો.
২৭যিহূদীযলোকাঃ পূর্ৱ্ৱম্ এনং মানৱং ধৃৎৱা স্ৱহস্তৈ র্হন্তুম্ উদ্যতা এতস্মিন্নন্তরে সসৈন্যোহং তত্রোপস্থায এষ জনো রোমীয ইতি ৱিজ্ঞায তং রক্ষিতৱান্|
28 ૨૮ તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો.
২৮কিন্নিমিত্তং তে তমপৱদন্তে তজ্জ্ঞাতুং তেষা সভাং তমানাযিতৱান্|
29 ૨૯ ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી.
২৯ততস্তেষাং ৱ্যৱস্থাযা ৱিরুদ্ধযা কযাচন কথযা সোঽপৱাদিতোঽভৱৎ, কিন্তু স শৃঙ্খলবন্ধনার্হো ৱা প্রাণনাশার্হো ভৱতীদৃশঃ কোপ্যপরাধো মযাস্য ন দৃষ্টঃ|
30 ૩૦ જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને (જે કહેવું હોય તે) તેઓ તમારી આગળ કહે.’”
৩০তথাপি মনুষ্যস্যাস্য ৱধার্থং যিহূদীযা ঘাতকাইৱ সজ্জিতা এতাং ৱার্ত্তাং শ্রুৎৱা তৎক্ষণাৎ তৱ সমীপমেনং প্রেষিতৱান্ অস্যাপৱাদকাংশ্চ তৱ সমীপং গৎৱাপৱদিতুম্ আজ্ঞাপযম্| ভৱতঃ কুশলং ভূযাৎ|
31 ૩૧ ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.
৩১সৈন্যগণ আজ্ঞানুসারেণ পৌলং গৃহীৎৱা তস্যাং রজন্যাম্ আন্তিপাত্রিনগরম্ আনযৎ|
32 ૩૨ પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.
৩২পরেঽহনি তেন সহ যাতুং ঘোটকারূঢসৈন্যগণং স্থাপযিৎৱা পরাৱৃত্য দুর্গং গতৱান্|
33 ૩૩ તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો.
৩৩ততঃ পরে ঘোটকারোহিসৈন্যগণঃ কৈসরিযানগরম্ উপস্থায তৎপত্রম্ অধিপতেঃ করে সমর্প্য তস্য সমীপে পৌলম্ উপস্থাপিতৱান্|
34 ૩૪ તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે,
৩৪তদাধিপতিস্তৎপত্রং পঠিৎৱা পৃষ্ঠৱান্ এষ কিম্প্রদেশীযো জনঃ? স কিলিকিযাপ্রদেশীয একো জন ইতি জ্ঞাৎৱা কথিতৱান্,
35 ૩૫ ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;’ પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’”
৩৫তৱাপৱাদকগণ আগতে তৱ কথাং শ্রোষ্যামি| হেরোদ্রাজগৃহে তং স্থাপযিতুম্ আদিষ্টৱান্|

< પ્રેરિતોનાં કૃત્યો 23 >