< પિતરનો પહેલો પત્ર 1 >

1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ;
பந்த-கா³லாதியா-கப்பத³கியா-ஆஸி²யா-பி³து²நியாதே³ஸே²ஷு ப்ரவாஸிநோ யே விகீர்ணலோகா​:
2 જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.
பிதுரீஸ்²வரஸ்ய பூர்வ்வநிர்ணயாத்³ ஆத்மந​: பாவநேந யீஸு²க்²ரீஷ்டஸ்யாஜ்ஞாக்³ரஹணாய ஸோ²ணிதப்ரோக்ஷணாய சாபி⁴ருசிதாஸ்தாந் ப்ரதி யீஸு²க்²ரீஷ்டஸ்ய ப்ரேரித​: பிதர​: பத்ரம்’ லிக²தி| யுஷ்மாந் ப்ரதி பா³ஹுல்யேந ஸா²ந்திரநுக்³ரஹஸ்²ச பூ⁴யாஸ்தாம்’|
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ,
அஸ்மாகம்’ ப்ரபோ⁴ ர்யீஸு²க்²ரீஷ்டஸ்ய தாத ஈஸ்²வரோ த⁴ந்ய​: , யத​: ஸ ஸ்வகீயப³ஹுக்ரு’பாதோ ம்ரு’தக³ணமத்⁴யாத்³ யீஸு²க்²ரீஷ்டஸ்யோத்தா²நேந ஜீவநப்ரத்யாஸா²ர்த²ம் அர்த²தோ
4 અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે.
(அ)க்ஷயநிஷ்கலங்காம்லாநஸம்பத்திப்ராப்த்யர்த²ம் அஸ்மாந் புந ர்ஜநயாமாஸ| ஸா ஸம்பத்தி​: ஸ்வர்கே³ (அ)ஸ்மாகம்’ க்ரு’தே ஸஞ்சிதா திஷ்ட²தி,
5 છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે.
யூயஞ்சேஸ்²வரஸ்ய ஸ²க்தித​: ஸே²ஷகாலே ப்ரகாஸ்²யபரித்ராணார்த²ம்’ விஸ்²வாஸேந ரக்ஷ்யத்⁴வே|
6 એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો.
தஸ்மாத்³ யூயம்’ யத்³யப்யாநந்தே³ந ப்ரபு²ல்லா ப⁴வத² ததா²பி ஸாம்ப்ரதம்’ ப்ரயோஜநஹேதோ​: கியத்காலபர்ய்யந்தம்’ நாநாவித⁴பரீக்ஷாபி⁴​: க்லிஸ்²யத்⁴வே|
7 એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
யதோ வஹ்நிநா யஸ்ய பரீக்ஷா ப⁴வதி தஸ்மாத் நஸ்²வரஸுவர்ணாத³பி ப³ஹுமூல்யம்’ யுஷ்மாகம்’ விஸ்²வாஸரூபம்’ யத் பரீக்ஷிதம்’ ஸ்வர்ணம்’ தேந யீஸு²க்²ரீஷ்டஸ்யாக³மநஸமயே ப்ரஸ²ம்’ஸாயா​: ஸமாத³ரஸ்ய கௌ³ரவஸ்ய ச யோக்³யதா ப்ராப்தவ்யா|
8 તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો.
யூயம்’ தம்’ க்²ரீஷ்டம் அத்³ரு’ஷ்ட்வாபி தஸ்மிந் ப்ரீயத்⁴வே ஸாம்ப்ரதம்’ தம்’ ந பஸ்²யந்தோ(அ)பி தஸ்மிந் விஸ்²வஸந்தோ (அ)நிர்வ்வசநீயேந ப்ரபா⁴வயுக்தேந சாநந்தே³ந ப்ரபு²ல்லா ப⁴வத²,
9 તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો.
ஸ்வவிஸ்²வாஸஸ்ய பரிணாமரூபம் ஆத்மநாம்’ பரித்ராணம்’ லப⁴த்⁴வே ச|
10 ૧૦ જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી.
யுஷ்மாஸு யோ (அ)நுக்³ரஹோ வர்த்ததே தத்³விஷயே ய ஈஸ்²வரீயவாக்யம்’ கதி²தவந்தஸ்தே ப⁴விஷ்யத்³வாதி³நஸ்தஸ்ய பரித்ராணஸ்யாந்வேஷணம் அநுஸந்தா⁴நஞ்ச க்ரு’தவந்த​: |
11 ૧૧ ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા.
விஸே²ஷதஸ்தேஷாமந்தர்வ்வாஸீ ய​: க்²ரீஷ்டஸ்யாத்மா க்²ரீஷ்டே வர்த்திஷ்யமாணாநி து³​: கா²நி தத³நுகா³மிப்ரபா⁴வஞ்ச பூர்வ்வம்’ ப்ராகாஸ²யத் தேந க​: கீத்³ரு’ஸோ² வா ஸமயோ நிரதி³ஸ்²யதைதஸ்யாநுஸந்தா⁴நம்’ க்ரு’தவந்த​: |
12 ૧૨ જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.
ததஸ்தை ர்விஷயைஸ்தே யந்ந ஸ்வாந் கிந்த்வஸ்மாந் உபகுர்வ்வந்த்யேதத் தேஷாம்’ நிகடே ப்ராகாஸ்²யத| யாம்’ஸ்²ச தாந் விஷயாந் தி³வ்யதூ³தா அப்யவநதஸி²ரஸோ நிரீக்ஷிதும் அபி⁴லஷந்தி தே விஷயா​: ஸாம்ப்ரதம்’ ஸ்வர்கா³த் ப்ரேஷிதஸ்ய பவித்ரஸ்யாத்மந​: ஸஹாய்யாத்³ யுஷ்மத்ஸமீபே ஸுஸம்’வாத³ப்ரசாரயித்ரு’பி⁴​: ப்ராகாஸ்²யந்த|
13 ૧૩ એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો.
அதஏவ யூயம்’ மந​: கடிப³ந்த⁴நம்’ க்ரு’த்வா ப்ரபு³த்³தா⁴​: ஸந்தோ யீஸு²க்²ரீஷ்டஸ்ய ப்ரகாஸ²ஸமயே யுஷ்மாஸு வர்த்திஷ்யமாநஸ்யாநுக்³ரஹஸ்ய ஸம்பூர்ணாம்’ ப்ரத்யாஸா²ம்’ குருத|
14 ૧૪ તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો.
அபரம்’ பூர்வ்வீயாஜ்ஞாநதாவஸ்தா²யா​: குத்ஸிதாபி⁴லாஷாணாம்’ யோக்³யம் ஆசாரம்’ ந குர்வ்வந்தோ யுஷ்மதா³ஹ்வாநகாரீ யதா² பவித்ரோ (அ)ஸ்தி
15 ૧૫ પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ.
யூயமப்யாஜ்ஞாக்³ராஹிஸந்தாநா இவ ஸர்வ்வஸ்மிந் ஆசாரே தாத்³ரு’க் பவித்ரா ப⁴வத|
16 ૧૬ કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.”
யதோ லிகி²தம் ஆஸ்தே, யூயம்’ பவித்ராஸ்திஷ்ட²த யஸ்மாத³ஹம்’ பவித்ர​: |
17 ૧૭ અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.
அபரஞ்ச யோ விநாபக்ஷபாதம் ஏகைகமாநுஷஸ்ய கர்ம்மாநுஸாராத்³ விசாரம்’ கரோதி ஸ யதி³ யுஷ்மாபி⁴ஸ்தாத ஆக்²யாயதே தர்ஹி ஸ்வப்ரவாஸஸ்ய காலோ யுஷ்மாபி⁴ ர்பீ⁴த்யா யாப்யதாம்’|
18 ૧૮ કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ,
யூயம்’ நிரர்த²காத் பைத்ரு’காசாராத் க்ஷயணீயை ரூப்யஸுவர்ணாதி³பி⁴ ர்முக்திம்’ ந ப்ராப்ய
19 ૧૯ પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.
நிஷ்கலங்கநிர்ம்மலமேஷஸா²வகஸ்யேவ க்²ரீஷ்டஸ்ய ப³ஹுமூல்யேந ருதி⁴ரேண முக்திம்’ ப்ராப்தவந்த இதி ஜாநீத²|
20 ૨૦ તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા.
ஸ ஜக³தோ பி⁴த்திமூலஸ்தா²பநாத் பூர்வ்வம்’ நியுக்த​: கிந்து சரமதி³நேஷு யுஷ்மத³ர்த²ம்’ ப்ரகாஸி²தோ (அ)ப⁴வத்|
21 ૨૧ તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.
யதஸ்தேநைவ ம்ரு’தக³ணாத் தஸ்யோத்தா²பயிதரி தஸ்மை கௌ³ரவதா³தரி சேஸ்²வரே விஸ்²வஸித² தஸ்மாத்³ ஈஸ்²வரே யுஷ்மாகம்’ விஸ்²வாஸ​: ப்ரத்யாஸா² சாஸ்தே|
22 ૨૨ તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.
யூயம் ஆத்மநா ஸத்யமதஸ்யாஜ்ஞாக்³ரஹணத்³வாரா நிஷ்கபடாய ப்⁴ராத்ரு’ப்ரேம்நே பாவிதமநஸோ பூ⁴த்வா நிர்ம்மலாந்த​: கரணை​: பரஸ்பரம்’ கா³ட⁴ம்’ ப்ரேம குருத|
23 ૨૩ કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે. (aiōn g165)
யஸ்மாத்³ யூயம்’ க்ஷயணீயவீர்ய்யாத் நஹி கிந்த்வக்ஷயணீயவீர்ய்யாத்³ ஈஸ்²வரஸ்ய ஜீவநதா³யகேந நித்யஸ்தா²யிநா வாக்யேந புநர்ஜந்ம க்³ரு’ஹீதவந்த​: | (aiōn g165)
24 ૨૪ કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,
ஸர்வ்வப்ராணீ த்ரு’ணைஸ்துல்யஸ்தத்தேஜஸ்த்ரு’ணபுஷ்பவத்| த்ரு’ணாநி பரிஸு²ஷ்யதி புஷ்பாணி நிபதந்தி ச|
25 ૨૫ પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે. (aiōn g165)
கிந்து வாக்யம்’ பரேஸ²ஸ்யாநந்தகாலம்’ விதிஷ்ட²தே| ததே³வ ச வாக்யம்’ ஸுஸம்’வாதே³ந யுஷ்மாகம் அந்திகே ப்ரகாஸி²தம்’| (aiōn g165)

< પિતરનો પહેલો પત્ર 1 >