< યોહાનનો પહેલો પત્ર 2 >

1 મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.
હે પ્રિયબાલકાઃ, યુષ્માભિ ર્યત્ પાપં ન ક્રિયેત તદર્થં યુષ્માન્ પ્રત્યેતાનિ મયા લિખ્યન્તે| યદિ તુ કેનાપિ પાપં ક્રિયતે તર્હિ પિતુઃ સમીપે ઽસ્માકં એકઃ સહાયો ઽર્થતો ધાર્મ્મિકો યીશુઃ ખ્રીષ્ટો વિદ્યતે|
2 તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, કેવળ આપણાં જ નહિ, પણ આખા માનવજગતના પાપનું તેઓ પ્રાયશ્ચિત છે.
સ ચાસ્માકં પાપાનાં પ્રાયશ્ચિત્તં કેવલમસ્માકં નહિ કિન્તુ લિખિલસંસારસ્ય પાપાનાં પ્રાયશ્ચિત્તં|
3 જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો તેથી આપણે સમજીએ છીએ કે આપણે તેમને ઓળખીએ છીએ.
વયં તં જાનીમ ઇતિ તદીયાજ્ઞાપાલનેનાવગચ્છામઃ|
4 જે કહે છે કે હું તેમને ઓળખું છું, પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.
અહં તં જાનામીતિ વદિત્વા યસ્તસ્યાજ્ઞા ન પાલયતિ સો ઽનૃતવાદી સત્યમતઞ્ચ તસ્યાન્તરે ન વિદ્યતે|
5 પણ જે કોઈ તેમનું વચન પાળે છે તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં છીએ.
યઃ કશ્ચિત્ તસ્ય વાક્યં પાલયતિ તસ્મિન્ ઈશ્વરસ્ય પ્રેમ સત્યરૂપેણ સિધ્યતિ વયં તસ્મિન્ વર્ત્તામહે તદ્ એતેનાવગચ્છામઃ|
6 હું ઈશ્વરમાં રહું છું એમ જે કહે છે તેણે જેમ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.
અહં તસ્મિન્ તિષ્ઠામીતિ યો ગદતિ તસ્યેદમ્ ઉચિતં યત્ ખ્રીષ્ટો યાદૃગ્ આચરિતવાન્ સો ઽપિ તાદૃગ્ આચરેત્|
7 વહાલાંઓ, નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે તમારી પાસે આરંભથી હતી, તે વિષે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું, તે જ જૂની આજ્ઞા છે.
હે પ્રિયતમાઃ, યુષ્માન્ પ્રત્યહં નૂતનામાજ્ઞાં લિખામીતિ નહિ કિન્ત્વાદિતો યુષ્માભિ ર્લબ્ધાં પુરાતનામાજ્ઞાં લિખામિ| આદિતો યુષ્માભિ ર્યદ્ વાક્યં શ્રુતં સા પુરાતનાજ્ઞા|
8 વળી નવી આજ્ઞા જે તેમનાંમાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહે છે અને ખરું અજવાળું હમણાં પ્રકાશે છે.
પુનરપિ યુષ્માન્ પ્રતિ નૂતનાજ્ઞા મયા લિખ્યત એતદપિ તસ્મિન્ યુષ્માસુ ચ સત્યં, યતો ઽન્ધકારો વ્યત્યેતિ સત્યા જ્યોતિશ્ચેદાનીં પ્રકાશતે;
9 જે કહે છે કે, હું અજવાળામાં છું અને પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે હજી સુધી અંધકારમાં જ છે.
અહં જ્યોતિષિ વર્ત્ત ઇતિ ગદિત્વા યઃ સ્વભ્રાતરં દ્વેષ્ટિ સો ઽદ્યાપિ તમિસ્રે વર્ત્તતે|
10 ૧૦ જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી.
સ્વભ્રાતરિ યઃ પ્રીયતે સ એવ જ્યોતિષિ વર્ત્તતે વિઘ્નજનકં કિમપિ તસ્મિન્ ન વિદ્યતે|
11 ૧૧ પણ જે પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે. તે પોતે ક્યાં જાય છે, તે જાણતો નથી. કેમ કે અંધકારે તેની આંખો અંધ કરી નાખી છે.
કિન્તુ સ્વભ્રાતરં યો દ્વેષ્ટિ સ તિમિરે વર્ત્તતે તિમિરે ચરતિ ચ તિમિરેણ ચ તસ્ય નયને ઽન્ધીક્રિયેતે તસ્માત્ ક્ક યામીતિ સ જ્ઞાતું ન શક્નોતિ|
12 ૧૨ બાળકો, હું તમને લખું છું કારણ કે તેમના નામથી તમારાં પાપ માફ થયાં છે.
હે શિશવઃ, યૂયં તસ્ય નામ્ના પાપક્ષમાં પ્રાપ્તવન્તસ્તસ્માદ્ અહં યુષ્માન્ પ્રતિ લિખામિ|
13 ૧૩ પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને હરાવ્યો છે. બાળકો મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છે.
હે પિતરઃ, ય આદિતો વર્ત્તમાનસ્તં યૂયં જાનીથ તસ્માદ્ યુષ્માન્ પ્રતિ લિખામિ| હે યુવાનઃ યૂયં પાપત્માનં જિતવન્તસ્તસ્માદ્ યુષ્માન્ પ્રતિ લિખામિ| હે બાલકાઃ, યૂયં પિતરં જાનીથ તસ્માદહં યુષ્માન્ પ્રતિ લિખિતવાન્|
14 ૧૪ પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, અને તમે દુષ્ટને હરાવ્યો છે.
હે પિતરઃ, આદિતો યો વર્ત્તમાનસ્તં યૂયં જાનીથ તસ્માદ્ યુષ્માન્ પ્રતિ લિખિતવાન્| હે યુવાનઃ, યૂયં બલવન્ત આધ્વે, ઈશ્વરસ્ય વાક્યઞ્ચ યુષ્મદન્તરે વર્તતે પાપાત્મા ચ યુષ્માભિઃ પરાજિગ્યે તસ્માદ્ યુષ્માન્ પ્રતિ લિખિતવાન્|
15 ૧૫ જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.
યૂયં સંસારે સંસારસ્થવિષયેષુ ચ મા પ્રીયધ્વં યઃ સંસારે પ્રીયતે તસ્યાન્તરે પિતુઃ પ્રેમ ન તિષ્ઠતિ|
16 ૧૬ કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
યતઃ સંસારે યદ્યત્ સ્થિતમ્ અર્થતઃ શારીરિકભાવસ્યાભિલાષો દર્શનેન્દ્રિયસ્યાભિલાષો જીવનસ્ય ગર્વ્વશ્ચ સર્વ્વમેતત્ પિતૃતો ન જાયતે કિન્તુ સંસારદેવ|
17 ૧૭ જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. (aiōn g165)
સંસારસ્તદીયાભિલાષશ્ચ વ્યત્યેતિ કિન્તુ ય ઈશ્વરસ્યેષ્ટં કરોતિ સો ઽનન્તકાલં યાવત્ તિષ્ઠતિ| (aiōn g165)
18 ૧૮ બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે.
હે બાલકાઃ, શેષકાલોઽયં, અપરં ખ્રીષ્ટારિણોપસ્થાવ્યમિતિ યુષ્માભિ ર્યથા શ્રુતં તથા બહવઃ ખ્રીષ્ટારય ઉપસ્થિતાસ્તસ્માદયં શેષકાલોઽસ્તીતિ વયં જાનીમઃ|
19 ૧૯ તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા.
તે ઽસ્મન્મધ્યાન્ નિર્ગતવન્તઃ કિન્ત્વસ્મદીયા નાસન્ યદ્યસ્મદીયા અભવિષ્યન્ તર્હ્યસ્મત્સઙ્ગે ઽસ્થાસ્યન્, કિન્તુ સર્વ્વે ઽસ્મદીયા ન સન્ત્યેતસ્ય પ્રકાશ આવશ્યક આસીત્|
20 ૨૦ જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો, સઘળું તમે જાણો છો,
યઃ પવિત્રસ્તસ્માદ્ યૂયમ્ અભિષેકં પ્રાપ્તવન્તસ્તેન સર્વ્વાણિ જાનીથ|
21 ૨૧ તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી, એ કારણથી મેં તમને લખ્યું છે.
યૂયં સત્યમતં ન જાનીથ તત્કારણાદ્ અહં યુષ્માન્ પ્રતિ લિખિતવાન્ તન્નહિ કિન્તુ યૂયં તત્ જાનીથ સત્યમતાચ્ચ કિમપ્યનૃતવાક્યં નોત્પદ્યતે તત્કારણાદેવ|
22 ૨૨ જે ઈસુનો નકાર કરીને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના કરતા જૂઠો બીજો કોણ છે? જે પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત-વિરોધી છે.
યીશુરભિષિક્તસ્ત્રાતેતિ યો નાઙ્ગીકરોતિ તં વિના કો ઽપરો ઽનૃતવાદી ભવેત્? સ એવ ખ્રીષ્ટારિ ર્યઃ પિતરં પુત્રઞ્ચ નાઙ્ગીકરોતિ|
23 ૨૩ દરેક જે પુત્રનો નકાર કરે છે, તેમની પાસે પિતા પણ નથી. પુત્રને જે કબૂલ કરે છે તેને પિતા પણ છે.
યઃ કશ્ચિત્ પુત્રં નાઙ્ગીકરોતિ સ પિતરમપિ ન ધારયતિ યશ્ચ પુત્રમઙ્ગીકરોતિ સ પિતરમપિ ધારયતિ|
24 ૨૪ જે તમે આરંભથી સાંભળ્યું છે, તે તમારામાં રહે. પહેલાંથી જે તમે સાંભળ્યું, તે જો તમારામાં રહે તો તમે પણ પુત્ર તથા પિતામાં રહેશો.
આદિતો યુષ્માભિ ર્યત્ શ્રુતં તદ્ યુષ્માસુ તિષ્ઠતુ, આદિતઃ શ્રુતં વાક્યં યદિ યુષ્માસુ તિષ્ઠતિ, તર્હિ યૂયમપિ પુત્રે પિતરિ ચ સ્થાસ્યથ|
25 ૨૫ જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે. (aiōnios g166)
સ ચ પ્રતિજ્ઞયાસ્મભ્યં યત્ પ્રતિજ્ઞાતવાન્ તદ્ અનન્તજીવનં| (aiōnios g166)
26 ૨૬ જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે.
યે જના યુષ્માન્ ભ્રામયન્તિ તાનધ્યહમ્ ઇદં લિખિતવાન્|
27 ૨૭ જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો.
અપરં યૂયં તસ્માદ્ યમ્ અભિષેકં પ્રાપ્તવન્તઃ સ યુષ્માસુ તિષ્ઠતિ તતઃ કોઽપિ યદ્ યુષ્માન્ શિક્ષયેત્ તદ્ અનાવશ્યકં, સ ચાભિષેકો યુષ્માન્ સર્વ્વાણિ શિક્ષયતિ સત્યશ્ચ ભવતિ ન ચાતથ્યઃ, અતઃ સ યુષ્માન્ યદ્વદ્ અશિક્ષયત્ તદ્વત્ તત્ર સ્થાસ્યથ|
28 ૨૮ હવે, બાળકો તેમનાંમાં રહો, એ માટે કે જયારે તેઓ પ્રગટ થાય ત્યારે આપણામાં હિંમત આવે, તેમના આવવાને સમયે તેમની સમક્ષ આપણે શરમાઈએ નહિ.
અતએવ હે પ્રિયબાલકા યૂયં તત્ર તિષ્ઠત, તથા સતિ સ યદા પ્રકાશિષ્યતે તદા વયં પ્રતિભાન્વિતા ભવિષ્યામઃ, તસ્યાગમનસમયે ચ તસ્ય સાક્ષાન્ન ત્રપિષ્યામહે|
29 ૨૯ જો તમે જાણો છો કે તેઓ ન્યાયી છે, તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયીપણું કરે છે, તે તેમનાંથી જન્મ્યો છે.
સ ધાર્મ્મિકો ઽસ્તીતિ યદિ યૂયં જાનીથ તર્હિ યઃ કશ્ચિદ્ ધર્મ્માચારં કરોતિ સ તસ્માત્ જાત ઇત્યપિ જાનીત|

< યોહાનનો પહેલો પત્ર 2 >