< રોમનોને પત્ર 5 >

1 આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ;
ৱিশ্ৱাসেন সপুণ্যীকৃতা ৱযম্ ঈশ্ৱরেণ সার্দ্ধং প্রভুণাস্মাকং যীশুখ্রীষ্টেন মেলনং প্রাপ্তাঃ|
2 આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તેમાં ઈસુને આશ્રયે વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ; વળી આપણે ઈશ્વરમાં મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.
অপরং ৱযং যস্মিন্ অনুগ্রহাশ্রযে তিষ্ঠামস্তন্মধ্যং ৱিশ্ৱাসমার্গেণ তেনৈৱানীতা ৱযম্ ঈশ্ৱরীযৱিভৱপ্রাপ্তিপ্রত্যাশযা সমানন্দামঃ|
3 માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ,
তৎ কেৱলং নহি কিন্তু ক্লেশভোগেঽপ্যানন্দামো যতঃ ক্লেশাদ্ ধৈর্য্যং জাযত ইতি ৱযং জানীমঃ,
4 ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે;
ধৈর্য্যাচ্চ পরীক্ষিতৎৱং জাযতে, পরীক্ষিতৎৱাৎ প্রত্যাশা জাযতে,
5 આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે.
প্রত্যাশাতো ৱ্রীডিতৎৱং ন জাযতে, যস্মাদ্ অস্মভ্যং দত্তেন পৱিত্রেণাত্মনাস্মাকম্ অন্তঃকরণানীশ্ৱরস্য প্রেমৱারিণা সিক্তানি|
6 કેમ કે જયારે આપણે હજી નિર્બળ હતા ત્યારે યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા.
অস্মাসু নিরুপাযেষু সৎসু খ্রীষ্ট উপযুক্তে সমযে পাপিনাং নিমিত্তং স্ৱীযান্ প্রণান্ অত্যজৎ|
7 ન્યાયી મનુષ્યને માટે કયારેક જ કોઈ પોતાનો જીવ આપે, સારા મનુષ્યને માટે મરવાને કદાચ કોઈ એક હિંમત પણ કરે.
হিতকারিণো জনস্য কৃতে কোপি প্রণান্ ত্যক্তুং সাহসং কর্ত্তুং শক্নোতি, কিন্তু ধার্ম্মিকস্য কৃতে প্রাযেণ কোপি প্রাণান্ ন ত্যজতি|
8 પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો.
কিন্ত্ৱস্মাসু পাপিষু সৎস্ৱপি নিমিত্তমস্মাকং খ্রীষ্টঃ স্ৱপ্রাণান্ ত্যক্তৱান্, তত ঈশ্ৱরোস্মান্ প্রতি নিজং পরমপ্রেমাণং দর্শিতৱান্|
9 તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવાયા છીએ જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!
অতএৱ তস্য রক্তপাতেন সপুণ্যীকৃতা ৱযং নিতান্তং তেন কোপাদ্ উদ্ধারিষ্যামহে|
10 ૧૦ કેમ કે જયારે આપણે ઈશ્વરના વિરોધી હતા, ત્યારે તેમના દીકરાના મૃત્યુથી ઈશ્વરની સાથે આપણું સમાધાન થયું. તેથી હવે તેમના જીવનને લીધે આપણે બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!
১০ফলতো ৱযং যদা রিপৱ আস্ম তদেশ্ৱরস্য পুত্রস্য মরণেন তেন সার্দ্ধং যদ্যস্মাকং মেলনং জাতং তর্হি মেলনপ্রাপ্তাঃ সন্তোঽৱশ্যং তস্য জীৱনেন রক্ষাং লপ্স্যামহে|
11 ૧૧ અને એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમનાં દ્વારા હમણાં આપણું સમાધાન થયું છે, તેમને આશ્રયે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.
১১তৎ কেৱলং নহি কিন্তু যেন মেলনম্ অলভামহি তেনাস্মাকং প্রভুণা যীশুখ্রীষ্টেন সাম্প্রতম্ ঈশ্ৱরে সমানন্দামশ্চ|
12 ૧૨ તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું; કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો.
১২তথা সতি, একেন মানুষেণ পাপং পাপেন চ মরণং জগতীং প্রাৱিশৎ অপরং সর্ৱ্ৱেষাং পাপিৎৱাৎ সর্ৱ্ৱে মানুষা মৃতে র্নিঘ্না অভৱৎ|
13 ૧૩ કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા અગાઉ પાપ દુનિયામાં હતું ખરું, તોપણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહિ.
১৩যতো ৱ্যৱস্থাদানসমযং যাৱৎ জগতি পাপম্ আসীৎ কিন্তু যত্র ৱ্যৱস্থা ন ৱিদ্যতে তত্র পাপস্যাপি গণনা ন ৱিদ্যতে|
14 ૧૪ પરંતુ આદમથી મૂસા સુધી મૃત્યુએ રાજ્ય કર્યું, જેઓએ આદમના અપરાધ સમાન પાપ કર્યું ન હતું, તેઓના ઉપર પણ મૃત્યુએ રાજ્ય કર્યું; આદમ તો તે આવનારના ચિહ્નરૂપ હતો.
১৪তথাপ্যাদমা যাদৃশং পাপং কৃতং তাদৃশং পাপং যৈ র্নাকারি আদমম্ আরভ্য মূসাং যাৱৎ তেষামপ্যুপরি মৃত্যূ রাজৎৱম্ অকরোৎ স আদম্ ভাৱ্যাদমো নিদর্শনমেৱাস্তে|
15 ૧૫ પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી; કેમ કે જો એકના અપરાધને લીધે ઘણાં મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાંનાં ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.
১৫কিন্তু পাপকর্ম্মণো যাদৃশো ভাৱস্তাদৃগ্ দানকর্ম্মণো ভাৱো ন ভৱতি যত একস্য জনস্যাপরাধেন যদি বহূনাং মরণম্ অঘটত তথাপীশ্ৱরানুগ্রহস্তদনুগ্রহমূলকং দানঞ্চৈকেন জনেনার্থাদ্ যীশুনা খ্রীষ্টেন বহুষু বাহুল্যাতিবাহুল্যেন ফলতি|
16 ૧૬ એકના પાપનું જે પરિણામ આવ્યું, તેવું એ દાનનું નથી; કેમ કે એકના અપરાધથી દંડરૂપ ન્યાયચુકાદો થયો, પણ ઘણાં અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.
১৬অপরম্ একস্য জনস্য পাপকর্ম্ম যাদৃক্ ফলযুক্তং দানকর্ম্ম তাদৃক্ ন ভৱতি যতো ৱিচারকর্ম্মৈকং পাপম্ আরভ্য দণ্ডজনকং বভূৱ, কিন্তু দানকর্ম্ম বহুপাপান্যারভ্য পুণ্যজনকং বভূৱ|
17 ૧૭ કેમ કે જો એકથી એટલે આદમના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!
১৭যত একস্য জনস্য পাপকর্ম্মতস্তেনৈকেন যদি মরণস্য রাজৎৱং জাতং তর্হি যে জনা অনুগ্রহস্য বাহুল্যং পুণ্যদানঞ্চ প্রাপ্নুৱন্তি ত একেন জনেন, অর্থাৎ যীশুখ্রীষ্টেন, জীৱনে রাজৎৱম্ অৱশ্যং করিষ্যন্তি|
18 ૧૮ માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ, તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું.
১৮একোঽপরাধো যদ্ৱৎ সর্ৱ্ৱমানৱানাং দণ্ডগামী মার্গো ঽভৱৎ তদ্ৱদ্ একং পুণ্যদানং সর্ৱ্ৱমানৱানাং জীৱনযুক্তপুণ্যগামী মার্গ এৱ|
19 ૧૯ કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયા, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં નિર્દોષ ઠરશે.
১৯অপরম্ একস্য জনস্যাজ্ঞালঙ্ঘনাদ্ যথা বহৱো ঽপরাধিনো জাতাস্তদ্ৱদ্ একস্যাজ্ঞাচরণাদ্ বহৱঃ সপুণ্যীকৃতা ভৱন্তি|
20 ૨૦ વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં તેના કરતાં અધિક કૃપા થઈ.
২০অধিকন্তু ৱ্যৱস্থাগমনাদ্ অপরাধস্য বাহুল্যং জাতং কিন্তু যত্র পাপস্য বাহুল্যং তত্রৈৱ তস্মাদ্ অনুগ্রহস্য বাহুল্যম্ অভৱৎ|
21 ૨૧ તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે. (aiōnios g166)
২১তেন মৃত্যুনা যদ্ৱৎ পাপস্য রাজৎৱম্ অভৱৎ তদ্ৱদ্ অস্মাকং প্রভুযীশুখ্রীষ্টদ্ৱারানন্তজীৱনদাযিপুণ্যেনানুগ্রহস্য রাজৎৱং ভৱতি| (aiōnios g166)

< રોમનોને પત્ર 5 >